અકબર

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો
Akbar - Project Gutenberg eText 14134.jpg

અકબર એક મુગલ શાસક હતો.


અનુક્રમણિકા

[ફેરફાર કરો] પરિચય

અકબર ના દાદા - બાબર જે ફ઼રગાના રાજ ના નિરવાસિત રાજકુમાર હતા એમણે ભારત ના ઇતિહાસ મા મુગલ રાજવંશ ની સ્થાપના કરી અને પોતાની અદ્‍ભુત જીવની પણ લખી . તે પોતે ભારત ના ઇતિહાસ મા એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે .તે અફ્ઘાનિસ્તાન થી ભારત પહોચ્યો હતો.

[ફેરફાર કરો] જન્મ

બાબરની મ્રુત્યુના દસ વર્ષ માં જ (સને ૧૫૩૦) તેમના પુત્ર (હુમાંયુ) ના હાથમાંથી ગાદી નિકળી ગઇ. તે પ્રન્ બચાવવા અહીં તહીં ભતકિ રહ્યો હતો. તે દરમ્યાન સને ૧૫૪૧માં હુમાંયુના લગ્ન હમીદા બાનો સાથે થયા અને સને ૧૫૪૨માં અકબરનો જન્મ થયો. આકબરના માતા પિતા પોતનો જીવ બછાવવા ઈરાન ભાગી ગયા અને અકબર પોતાના પિતાના નાના ભાઈઓના સંરક્ષણમાં રહ્યો. પહેલા થોડાં દિવસો તે કંદહારમાં રહ્યો અને ૧૫૪૫ થી કાબુલમાં. હુમાયૂઁની પોતાના ભાઈઓ સાથે સંબંધ બહુ સારા ન હોવાથી અકબરની સ્થિતી બંદી કરતા થોડી જ સારી હતી.ટ્ છતાં પણ સૌ તેની સાથે સારો વ્યહવાર કરતા અને કંઈક વધુ પ્રમાણમાં જ લાડ લડાવાતા.

[ફેરફાર કરો] આરંભિક કાળ

સને‌ ૧૫૪૫ માં જ્યારે હુમાયૂઁ એ ફરીથી કાબુલ પર અધિકાર જમાવ્યો ત્યારે અકબર પોતાના પિતાના સંરક્ષણ માં પહોંચ્યો. પરંતુ ૧૫૪૫-૧૫૪૬ ના ટુંકા ગળામાં અકબર ના કાકા કમરાન એ કાબુલ પર પુનઃ અધિકાર જમાવી લીધો. પરંતુ અકબર પોતાના માતા-પિતા ના સંરક્ષણ માં જ રહ્યો. તેમણે પોતાના પુત્રને સારી શિક્ષા આપવાનો પ્રયત્ન કર્યો પરન્તુ તે શિક્ષા થી વિમુખ જ રહ્યો, પરંપરગત અભ્યાસ માં તેને બિલકુલ રૂચી ન હતી. પરવર્તી કાળ્ માં અકબરે પોતાને નિરક્ષર બતાવ્યો છે પરંતુ આ વાતનો આત્મસ્વીકૃતિ માં સત્યાંશ બસ એટલો જ છે કે તેણે સ્વયં ક્યારેય કંઈ પણ નથી લખ્યું. પોતના પરવર્તી જીવનમાં અકબર ને પુસ્તકોંથી ખૂબ મોહિત થયા અને અન્યો દ્વારા વંચાવી તે સંભળતા.

પોતાના ગુમાવેલા રાજ્ય ને પુનઃ પ્રાપ્ત કરવા માટેના હુમાયૂઁ ના અનવરત પ્રયત્ન અંતતઃ સફળ થયા અને તે સને ૧૫૫૫માં ભારત પહોંચી શક્યો. સને ૧૫૫૬માં રાજધાની દિલ્લી માં તે મૃત્યુ પામ્યો.

ગુરદાસપુર ના કલનૌર નામક સ્થાન પર જ્યારે અકબર નો રાજ્યભિષેક થયો તે સમયે તેનિ ઉમર માત્ર ચૌદ વર્ષની હતી. તે સમયે મુગલ રાજ્ય માત્ર કાબુલ થી દિલ્લી સુધી જ ફેલાયેલુ હતું. અને હેમુ ના નેતૃત્વ માં અફગાન સેના પુનઃ સંગઠિત થઈ તેની સમ્મુખ આહ્વાન બની ઊભી હતી.

[ફેરફાર કરો] શાસન

રાજ્ય ની સુરક્ષા નું દાયિત્વ બાળક અકબર ના સંરક્ષક બૈરામ ખાન ના ખભા પર હતું. પ્રારંભ ના ચાર વર્ષોં સુધી બૈરામ ખાને જ શાસન સંભાળ્યું. પરંતુ સને‌ ૧૫૬૦ માં અકબરે સ્વયં સત્તા સંભાળી લીધી અને બૈરામ ખાનને કાઢી નાખ્યો. હવે અકબર ને પોતાના હાથોં માં સત્તા હતી - યદ્યપિ આ તથ્ય ને સમજતા કેટલાક્ લોકો ને ઘણો સમય લગ્યો. તે સમયે અનેક ગંભીર તકલીફો આવી, જેમકે - શમ્સુદ્દીન અતકા ખાન ની હત્યા પર ઉભરાયેલો જન આક્રોશ (૧૫૬૩), ઉઝબેક વિદ્રોહ (૧૫૬૪-૬૫)અને મિર્જ઼ા ભાઇયોં નો વિદ્રોહ (૧૫૬૬-૬૭) પરંતુ અકબરે ખુબ કુશળતાથી આ સમસ્યાઓં ને હલ કરી. પોતાની કલ્પનાશીલતા થી તેણે પોતાના સામંતોં ની સંખ્યા વધારી. સને‌ ૧૫૬૨ માં આમેર ના શાસક સાથે તેણે સંધિ કરી - આમ રાજપૂત રાજાઓ પણ તેની સાથે થઈ ગયા. આ જ પ્રકારે તેણે ઇરાન થી આવવાવાળા ને પણ્ ઘણી સહયાતા કરી. ભારતીય મુસલમાનોં ને પણ્ તેણે પોતાના કુશળ વ્યવહાર થી પોતાની તરફ કરી લીધા. ધાર્મિક સહિષ્ણુતા નો તેણે અનોખો પરિચય આપ્યો- હિંદુ તીર્થ સ્થાનોં પર લગેલો કર હટાવી લેવામાં આવ્યો (સને‌ ૧૫૬૩). આથી પૂરા રાજ્યવાસિયોં ને અનુભવ થઈ ગયો કે તે એક પરિવર્તિત નીતિ અપનાવવામાં સક્ષમ છે.