અખા ભગત
અખા ભગત (ઘણી વખત અખો કહીને પણ સંબોધવામાં આવે છે) ૧૭મી સદીમાં થઈ ગયેલા ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકિના એક છે. સલ્તનતી સમયગાળામાં ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં અખાની ગણના થાય છે. અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો. આજે પણ ખાડિયાની દેસાઇની પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે, જે આપણને ગુજરાતનાં આ બહુ શરૂઆતનાં સાહિત્યકારોમાંનાં એકની યાદ અપાવે છે.
જીવનના શરૂઆતના ગાળામાં તે સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધીજ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.
[ફેરફાર કરો] છપ્પા
આ સાથે તેમણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. "એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ" જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને પોતાની ચાબખા જેવી વાણીના સપાટામાં લીધેલી જોવા મળે છે.
અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે. જે ૪૪ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય. જોકે અખાએ આ વિભાગો પાડેલા નથી, પરંતુ તેમનાં છપ્પાઓમાં વર્ણવાયેલ વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગિકરણ કર્યું છે.
|
દોષનિવારક અંગવર્ગ |
ગુણગ્રાહક અંગવર્ગ |
સિધ્ધાંતપ્રતિપાદક અંગવર્ગ
|
ફલપ્રતિપાદક અંગવર્ગ
|
[ફેરફાર કરો] જાણીતી રચનાઓ
- પંચીકરણ
- અખેગીતા
- ચિત્ત વિચાર સંવાદ
- ગુરૂ શિષ્ય સંવાદ
- અનુભવ બિંદુ
- બ્રહ્મલીલા
- કૈવલ્યગીતા
- સંતપ્રિયા
- અખાના છપ્પા
- અખાના પદ
- અખાજીના સોરઠા
[ફેરફાર કરો] સંદર્ભ
- પુસ્તક 'અખાની વાણી'; પ્રકાશક: સસ્તુ સાહિત્ય મુદ્રણાલય, ભિક્ષુ અખંડાનંદજી દ્વારા. આવૃતિ બીજી, સને-૧૯૨૪