અડાલજ

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
અડાલજ

અક્ષાંશ-રેખાંશ: 23.17° N 72.58° E

રાજ્ય
- જિલ્લો
ગુજરાત
- ગાંધીનગર
અક્ષાંશ-રેખાંશ 23.17° N 72.58° E
વિસ્તાર
- ઉંચાઇ

- ૬૮ m
સમય ક્ષેત્ર IST (UTC+5:30)
વસ્તી(૨૦૦૧)
- ગીચતા
૯૭૭૪
-

અડાલજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા ગાંધીનગર તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. અડાલજ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, રાઇ, તમાકુ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આ ગામ અમદાવાદની ઉતરે ૧૯ કિ.મિ. અને ગાંધીનગરથી ૫ કિ.મિ. દુર આવેલ છે.

[ફેરફાર કરો] વસ્તી

ઇ.સ. ૨૦૦૧માં થયેલી વસ્તિ ગણતરી મુજબઃ

કુલ વસ્તી (૨૦૦૧) પુરુષો
%
સ્ત્રીઓ
%
બાળકો
(૬ વર્ષથી નાના) %
સાક્ષરતા દર
%
પુરુષ સાક્ષરતા
%
સ્ત્રી સાક્ષરતા
%
રાષ્ટ્રીય સા.દ.
૫૯.૮ %થી
૯,૭૭૪ ૫૧ ૪૯ ૧૫ ૬૧ ૫૯ ૪૧ વધુ

[ફેરફાર કરો] અડાલજની વાવ

વધુ માહિતિ માટે મૂળ લેખ અડાલજની વાવ જુઓ.

અડાલજ ગામની સીમ પર વીરસંઘ વાધેલાની પત્ની રૂડીબાઇએ વાવનું નિર્માણ કરાવેલું. તેથી આ વાવ અડાલજની વાવ અથવા રૂડીબાઇની વાવ થી પ્રચલિત થઇ. આ વાવનાં નિર્માણમાં તે સમયના અંદાજે ૫ લાખ રુપિયાનોં ખર્ચ થયેલ. પાણીની અછતવાળા પ્રદેશમાં અતિ ઉપયોગી એવા આ પ્રકારનાં સ્થાપત્ય વિશ્વમાં માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ જોવા મળે છે. જમીનમાં ઊંડા ખોદકામથી માટી ધસી ન પડે તે માટે પથ્થરની દીવાલ ચણવામાં આવી છે, જેને સિમેન્ટ કે સળિયા વગર માત્ર પથ્થરના જ થાંભલા વડે ટેકવવામાં આવી છે. શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ વાવનું અનેરૂ મહત્વ છે.

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
બીજી ભાષાઓમાં