અડાલજ
| અડાલજ | |
|
|
|
| રાજ્ય - જિલ્લો |
ગુજરાત - ગાંધીનગર |
| અક્ષાંશ-રેખાંશ | |
| વિસ્તાર - ઉંચાઇ |
- ૬૮ m |
| સમય ક્ષેત્ર | IST (UTC+5:30) |
| વસ્તી(૨૦૦૧) - ગીચતા |
૯૭૭૪ - |
અડાલજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા ગાંધીનગર તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. અડાલજ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, રાઇ, તમાકુ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
આ ગામ અમદાવાદની ઉતરે ૧૯ કિ.મિ. અને ગાંધીનગરથી ૫ કિ.મિ. દુર આવેલ છે.
[ફેરફાર કરો] વસ્તી
ઇ.સ. ૨૦૦૧માં થયેલી વસ્તિ ગણતરી મુજબઃ
| કુલ વસ્તી (૨૦૦૧) | પુરુષો % |
સ્ત્રીઓ % |
બાળકો (૬ વર્ષથી નાના) % |
સાક્ષરતા દર % |
પુરુષ સાક્ષરતા % |
સ્ત્રી સાક્ષરતા % |
રાષ્ટ્રીય સા.દ. ૫૯.૮ %થી |
|---|---|---|---|---|---|---|---|
| ૯,૭૭૪ | ૫૧ | ૪૯ | ૧૫ | ૬૧ | ૫૯ | ૪૧ | વધુ |
[ફેરફાર કરો] અડાલજની વાવ
વધુ માહિતિ માટે મૂળ લેખ અડાલજની વાવ જુઓ.
અડાલજ ગામની સીમ પર વીરસંઘ વાધેલાની પત્ની રૂડીબાઇએ વાવનું નિર્માણ કરાવેલું. તેથી આ વાવ અડાલજની વાવ અથવા રૂડીબાઇની વાવ થી પ્રચલિત થઇ. આ વાવનાં નિર્માણમાં તે સમયના અંદાજે ૫ લાખ રુપિયાનોં ખર્ચ થયેલ. પાણીની અછતવાળા પ્રદેશમાં અતિ ઉપયોગી એવા આ પ્રકારનાં સ્થાપત્ય વિશ્વમાં માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ જોવા મળે છે. જમીનમાં ઊંડા ખોદકામથી માટી ધસી ન પડે તે માટે પથ્થરની દીવાલ ચણવામાં આવી છે, જેને સિમેન્ટ કે સળિયા વગર માત્ર પથ્થરના જ થાંભલા વડે ટેકવવામાં આવી છે. શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ વાવનું અનેરૂ મહત્વ છે.