અમરસિંહ ચૌધરી
અમરસિંહ ભીલાભાઇ ચૌધરી (જુલાઇ ૩૧ ૧૯૪૧ - ઓગસ્ટ ૧૫ ૨૦૦૪),નો જન્મ ગુજરાત રાજ્યનાં એ વખતના સુરત જિલ્લાના તેમ જ હાલમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલવણ ગામ ખાતે રહેતા આદિવાસી કુટુંબમાં થયો હતો. તેઓ ઇ. સ. ૧૯૮૫ થી ઇ. સ. ૧૯૮૯ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. જુન ૨૦૦૧ થી જુલાઇ ૨૦૦૨ સુધી તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ પદે રહ્યા. ઇ. સ. ૨૦૦૨માં તેઓ કોંગ્રેસ વિધાનસભા પક્ષનાં નેતા તરીકે ચુંટાયા.
જુલાઇ ૨૪ ૨૦૦૪નાં તેઓને કિડની અને લિવરની માંદગીને કારણે અમદાવાદમાં દવાખાનામાં દાખલ કરાયા, જ્યાં લાંબી માંદગી અને હ્રદયરોગનાં હુમલાને કારણે ઓગસ્ટ ૧૫ ૨૦૦૪ના દિવસે તેઓનું અવસાન થયું.
તેમના પુત્ર ડો. તૃષાર ચૌધરી હાલમાં ભારત દેશની ૧૪મી લોકસભાના બારડોલી લોકસભા મતવિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ છે. તેઓએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.