અશોક ચક્ર (પુરસ્કાર)

વિકિપીડિયામાંથી
અશોક ચક્ર પુરસ્કાર પટ્ટી (Ashoka Chakra Ribbon)

અશોક ચક્ર પુરસ્કાર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો શાંતિના સમય માટેનો સૌથી ઊચ્ચ વીરતા પુરસ્કાર છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોપરાંત પણ આપવામાં આવતો હોય છે. આ પુરસ્કાર યુદ્ધના સમયે ભારતીય સેનાના સૈનિકોને ફરજ પર બતાવેલી અપ્રતિમ બહાદુરી અને વીરતા માટે આપવામાં આવતા ઊચ્ચ સન્માન પરમવીર ચક્ર પુરસ્કાર જેટલો જ ઊચ્ચ દરજ્જાનો તથા મહત્વનો પુરસ્કાર ગણાય છે.

સૌ પ્રથમવાર ઇ. સ. ૧૯૫૨ના વર્ષમાં નાયક નર બહાદુર થાપાને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારથી જ આ પુરસ્કાર એનાયત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી, જે આજદિન સુધી ચાલુ રહી છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]