આદિલ મન્સુરી
વિકિપીડિયા થી
વલી ગુજરાતી ગઝલ એવોર્ડ વિજેતા, મહાન ઉર્દૂ અને ગુજરાતીઓ કવિઓમાંના એક એવા અમદાવાદ શહેરના આદિલ (ફરીદ)મન્સુરી (હિંન્દી आदिल मन्सूरी, ઉર્દૂ عادِل مَنصوُریِ). મનહર ઉધાસે ગાયેલી ‘‘જયારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે’’ તે ગઝલથી આદિલભાઇ પ્રચલિત છે.ગુજરાતી ગઝલને આધુનિકતાનો વળાંક આપવામાં તેમનું યોગદાન અત્યંત નોંધપાત્ર હતું. નૂતન ભાષા શૈલીમાં પ્રતિક યોજના અને બિંબ વિધાના તથા મૌનની ભાષામાં વિચારો સંક્રાંત કરવાની ખૂબીઓએ આદિલ મન્સૂરીને આધુનિક ગઝલના અગ્રણી બનાવ્યા હતા.
આદિલ મન્સૂરી ૧૮મી મે ૧૯૩૬ના અમદાવાદમાં જન્મ્યા હતાં. તેમણે મોટા ભાગનો સમય અમદાવાદમાં વિતાવ્યો હતો. આદિલ મન્સૂરીનું બાળપણ સંઘર્ષમય રીતે વિત્યું હતું. દેશના વિભાજન પછી 1948માં તેમના પિતાએ કરાંચી જવાનો નિર્ણય લીધો.8 વષ પછી પિતાજીએ વતન પાછા આવવાનો નિર્ણય લીધો અને આદિલ અમદાવાદમાં વસ્યા હતા. અમદાવાદમાં આવયા પછી આદિલે ગુજરાતી ભાષામાં લખાણો,કવિતાઓ અને નાટકો લખવાની શરૂઆત કરી. [૧]
આદિલ મન્સૂરી શાયર હોવા ઉપરાંત એક સારા પેઇન્ટર હતા અને કેલીગ્રાફીમાં માહિર હતા. ગઝલ ગુર્જરી ડોટ કોમ મેગેઝીન દ્વારા તેમણે ગઝલનું વિસ્તરણ અમેરિકાથી પણ ચાલુ રાખ્યું હતું.
જનાબ આદિલ મન્સૂરીનું ૭૨ વર્ષની વયે ગુરુવાર તા.૬ નવેમ્બરે ન્યૂજર્સીમાં અવસાન થયું.
[ફેરફાર કરો] આદિલ મન્સૂરીના કેટલાક શેર
છત્રીઓ, રેઇનકોટો, ગમસુઝ, વોટરપ્રુફ હેટ, માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં
ચાલતાં સાથે નીકળતાં યાદ છે, શહેરનાં એક એક રસ્તા યાદ છે
દિલાસાનું માપ કે ધોરણ ન પૂછો, મળ્યું ઝાકળ તો તે પણ પી ગયો છું
મકાનોમાં લોકો પૂરાય ગયા છે, કે માણસને માણસનો ડર હોય જાણે
- જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઇ હશે |
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેંક
રસ્તામાં તારી સાથે મુલાકાત થઇ હશે ||
- આ જીંદગીની એવી સફર રાખીયે છીએ
કે ઉંટ ઉપર આખું ઘર રાખીયે છીએ |
જીવનની દોડધામમાં ભૂલ્યા નથી તને
તારો ખ્યાલ આઠે પ્રહર રાખીયે છીએ ||
- કહું છું ક્યાંકે આઘેરા રસ્તા સુધી આવો
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો |
જમાનો એને મુર્છા કે મરણ ભલે માને
હું બન્ને આંખ મીંચી દઉં,તમે સપના સુધી આવો ||
[ફેરફાર કરો] =બાહ્ય કડિઓ
[ફેરફાર કરો] સ્ત્રોત
- દિવ્યભાસ્કર વર્તમાન પત્ર ના લેખોમાં થી