આર્યભટ્ટ (ઉપગ્રહ)
વિકિપીડિયાથી
| સંસ્થા | ઇસરો |
|---|---|
| સંસ્થા | ઇસરો |
| કાર્યક્ષેત્ર | (Astrophysics) |
| કેનો ઉપગ્રહ | પૃથ્વી |
| પ્રક્ષેપણ તારીખ | ઓગણીસમી એપ્રિલ, ૧૯૭૫ |
| વાહતુક રોકેટ | કોસ્મોસ-૩એમ |
| NSSDC ID | ૧૯૭૫-૦૩૩એ(1975-033A) |
| દળ | ૩૬૦.૦ કિ.ગ્રા. |
| પાવર | ૪૬ વૉ સોલાર પેનલો દ્વારા |
| ભ્રમણકક્ષાનીં માહિતી | |
| Regime | નિચલી ભ્રમણકક્ષા (Low Earth orbit(LEO)) |
| Inclination | ૫૦.૭º |
| Orbital period | ૯૬ મીનીટ |
| Apoapsis | ઢાંચો:Km to mi |
| Periapsis | ઢાંચો:Km to mi |
આર્યભટ્ટ ભારત દેશ દ્વારા તૈયાર કરવામાં આવેલો સૌ પ્રથમ ઉપગ્રહ હતો, જેનું નામ મહાન પ્રાચિન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટની યાદમાં રાખવામાં આવ્યું હતું.આ ઉપગ્રહ કોસ્મોસ-૩એમ નામનાં રશિયન રોકેટ દ્વારા,કાપુસ્તિન યાર (Kapustin Yar)નામનાં રશિયન અવકાશમથકેથી ૧૯ એપ્રિલ, ૧૯૭૫ નાં રોજ ચડાવવામાં આવ્યો હતો. આ ઉપગ્રહનું નિર્માણકાર્ય ભારતીય અવકાશ સંસ્થા ઇસરો દ્વારા ખગોળીય અભ્યાસ સંબંધી પ્રયોગો માટે કરવામાં આવ્યું હતું.આ ઉપગ્રહ અગિયારમી ફેબ્રુઆરી, ૧૯૯૨ના રોજ પૃથ્વીના વાતાવરણમાં પતન થઇ નાશ પામ્યો હતો.