ઇન્દ્રાવતી નદી

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

ઇન્દ્રાવતી નદી ભારત દેશમાં આવેલી નદીઓ પૈકીની એક મુખ્ય નદી છે, જે ઓરિસ્સા તથા છત્તીસગઢ રાજ્યમાંથી વહે છે. આ નદી ગોદાવરી નદીની ઉપનદી છે.

અનુક્રમણિકા

[ફેરફાર કરો] પ્રવાહ

ઇન્દ્રાવતી નદીનું ઉદગમ સ્થાન ઓરિસ્સા રાજ્યમાં આવેલા કાલાહાંડી જિલ્લામાં રામપુર નજીક આવેલું છે. [૧] આ નદીની કુલ લંબાઈ ૨૪૦ માઇલ જેટલી છે. [૨]. આ નદી મુખ્યત્વે છત્તીસગઢ રાજ્યના બસ્તર તેમ જ દંતેવાડા જિલ્લામાંથી પસાર થાય છે. દંતેવાડા જિલ્લામાં આવેલા ભદ્રકાલી નજીક ઇન્દ્રાવતી નદી અને ગોદાવરી નદીનો સગંમ થાય છે. આ નદીના પથરીલા તળના કારણે એમાં નૌકાયન કરવું સંભવ નથી.

[ફેરફાર કરો] પર્યાવરણ

[ફેરફાર કરો] ઇંદ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન

ઇંદ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન ઇન્દ્રાવતી નદીના કિનારે વસેલું છે. આ ઉદ્યાનનું કુલ ક્ષેત્રફળ ૨૭૯૯ વર્ગ કિમી છે [૩].

[ફેરફાર કરો] ચિત્રકોટ જળ પ્રપાત

જગદલપુરની નજીકમાં ઇન્દ્રાવતી નદી પર એક વિશાળ જળ પ્રપાત (ધોધ) બનેલો છે. આ જળ પ્રપાત ચિત્રકોટ જલ પ્રપાતના નામથી ઓળખાય છે. આ ધોધના ઘોડાની નાળ સમાન મુખના કારણે આ જળ પ્રપાતને ભારતનો નાયગરા ધોધ પણ કહેવામાં આવે છે.

ચિત્રકોટ જલ પ્રપાત


[ફેરફાર કરો] સંદર્ભો

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

ઢાંચો:ભારતની નદીઓ

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
બીજી ભાષાઓમાં