ઉત્કંઠેશ્વર
વિકિપીડિયાથી
ઉત્કંઠેશ્વર કે ઊંટડિયા મહાદેવ વાત્રક નદીને કાંઠે આવેલું પ્રસિદ્ધ શિવ મંદિર છે. ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાનાં આંતરસુંબા ગામથી આઠેક કિલોમીટર દૂર આ મંદિર છે. કપડવંજથી અઢાર કિલોમીટર દૂર આવેલ ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર એક તીર્થસ્થાન છે. મહાદેવના મંદિર ની બાજુમાં આવેલ પગથીયા ઉતરતા સીધા વાત્રક નદીના પટમાં પહોચી જવાય છે. અહીં નદીના પટમાં ઊંટ સવારી મોટા પાયે થાય છે તેથી જ કદાચ આ મહાદેવ મંદિરને ઊંટડિયા મહાદેવ કહેવાય છે. ઉત્કંઠેશ્વર મહાદેવનાં મંદિરે ઘણા બાળકોની મુંડન વિધિ થાય છે. ઉત્કંઠેશ્વર મંદિરની આસપાસ ધર્મશાળાઓ પણ આવેલી છે અને ત્યાં જરુરીયાત મુજબ જમણ તૈયાર કરી આપનાર માણસો ની પણ સુવિધા છે. ઉત્કંઠેશ્વર મંદિર એક શાંત રમણીય અને ટેકરા પર આવેલું સ્થળ છે.