ઉપનિષદ
વિકિપીડિયાથી
ઉપનિષદો વેદનો અંતિમ અને નિષ્કર્ષરૂપ ભાગ છે, તેથી વેદાંત ગણાય છે. ઉપનિષદો મુલત: આધ્યાતમવિદ્યાના ગ્રંથો છે. ઉપનિષદોમાંથી ભારતીય દર્શનની અનેક શાખાઓ જન્મી છે, વધી છે અને વિકસી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદોનો પણ સારરૂપ ગ્રંથ ગણાય છે. ઉપનિષદો, બ્રહ્મસુત્ર અને શ્રીમદ્ ભગવદ્ ગીતા – આ ત્રણ મળીને વેદાંતની પ્રસ્થાનત્રયી બને છે. ઉપનિષદોની સંખ્યા લગભગ ૩૦૦ની છે. આમાંના પ્રધાન ૧૩ ઉપનિષદો ગણાય છે. જે આ પ્રમાણે છે -.
- ઈશ [૧]
- કેન [૨]
- કઠ [૩]
- માંડૂક્ય [૪]
- મૂંડક [૫]
- પ્રશ્ન [૬]
- ઐતરેય [૭]
- તૈત્તિરીય [૮]
- છાંદોગ્ય [૯]
- બૃહદારણ્યક [૧૦]
- શ્વેતાશ્વર [૧૧]
- કોષીતિકી [૧૨]
- નૃસિંહતાપની [૧૩]
આમાંના પ્રથમ અગિયાર પર ભગવાન શંકરાચાર્યના ભાષ્યગ્રંથો રચાયા છે.
[ફેરફાર કરો] ૧૦૮ ઉપનિષદ
ઉપનિષદની યાદી,મુખ્ય વેદ ગ્રંથ પ્રમાણે
| ઋગવેદ (૧૦) |
શુકલ યજુર્વેદ (૧૯) |
કૃષ્ણ યજુર્વેદ (૩૨) |
સામવેદ (૧૬) |
અથર્વવેદ (૩૧) |
|---|---|---|---|---|
| ઐતરેય [૧૪] અક્ષમાલિકા આત્મબોધ બહવૃચ કોષીતિકી [૧૫] મુદ્ગલ નાદબિંદુ નિર્વાણ સૌભાગ્ય લક્ષ્મિ ત્રિપૂરા |
અધ્યાત્મ અદ્વયતારક ભિક્ષુક બૃહદારણ્યક [૧૬] હંસ ઇશાવાસ્ય [૧૭] જાબલા મંડલ માંત્રિક મૌક્તિક નીરાલંબ પિંગળ પરમહંસ સત્ય્યાનિયા સુબલ તાર-સાર ત્રિશિખી તુરિયાતીતા-અવધુત યાજ્ઞવલ્ક્ય |
અક્ષિ અમૃતબિંદુ અમૃતનાદ અવધૂત બ્રહ્મવિદ્યા બ્રહ્મ દક્ષિણામૂર્તિ ધ્યાનબિંદુ એકાક્ષર ગર્ભ કાલાગ્નિ કલિસંતરણ કૈવલ્ય કઠ [૧૮] કઠરુદ્ર ક્ષુરીક મહાનારાયણ પંચબ્રહ્મ પ્રાણાગ્નિહોત્ર રુદ્રહૃદય સરસ્વતીરહસ્ય શારીરક સર્વસાર સ્કંધ સુખરહસ્ય શ્વેતાશ્વતર [૧૯] તૈતેરીય [૨૦] તેજોબિંદુ વરાહ યોગકુંડલિની યોગશિખા યોગતત્વ |
આરૂણીક અવ્યક્ત છાંદોગ્ય [૨૧] દર્શન જાબાલી કેન [૨૨] કુંડિક મહા મૈત્રાયણી મૈત્રેયી રુદ્રાક્ષજબાલ સન્યાસ સાવિત્રી વજ્રસુચિક વાસુદેવ યોગ ચુડામણી |
અન્નપૂર્ણ અથર્વશિખ અથર્વશિર આત્મા ભાવના ભસ્મજાબાલ બૃહજ્જબાલ દત્તાત્રેય દેવી ગણપતિ ગરુડ ગોપાલતપણિ ગોપાલતપણિ કૃષ્ણ માંડુક્ય [૨૩] મહાવાક્ય મુંડક [૨૪] નારદપરિવ્રાજક નૃસિંહતાપની [૨૫] પરબ્રહ્મ પરમહંસ પરિવ્રાજક પાશુપત બ્રહ્મન પ્રશ્ન [૨૬] રામરહસ્ય રામતાપણી શાંડિલ્ય શરભ સીતા સૂર્ય ત્રિપદ્વિભૂતિ ત્રિપુરાતાપનિ |
[ફેરફાર કરો] સંદર્ભ
- રીડગુજરાતી.કોમ[૨૭] ના સંગ્રહમાંથી
- ૧૦૮ ઉપનિષદ,અંગ્રેજીમાં