ઉર્વીશ કોઠારી

વિકિપીડિયામાંથી
ઉર્વીશ કોઠારી
જન્મ (1971-02-04) February 4, 1971 (ઉંમર 53)
મહેમદાવાદ, ખેડા જિલ્લો, ગુજરાત
ઉપનામઉ.કો.
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાભારતીય
શિક્ષણબી.એસસી.
સક્રિય વર્ષો૧૯૯૫ -
જીવનસાથીસોનલબેન
સંતાનોઆસ્થા
સંબંધીઓબીરેન કોઠારી (ભાઈ)
વેબસાઇટ
urvishkothari-gujarati.blogspot.in

ઉર્વીશ કોઠારી ગુજરાતી પત્રકાર અને લેખક છે.

અભ્યાસ અને કારકિર્દી[ફેરફાર કરો]

તેમનો શાળાકીય અભ્યાસ શેઠ જે.એચ. સોનાવાલા હાઈસ્કૂલ, મહેમદાવાદમાંથી પૂર્ણ થયો અને અમદાવાદની એમ.જી. કોલેજ ઓફ સાયન્સમાંથી તેમણે વિજ્ઞાનના સ્નાતકની પદવી મેળવી. તેમની કારકિર્દીની શરૂઆત ૧૯૯૫માં થઈ. ગુજરાતી ભાષાના અનેક સમાચાર પત્રો અને સામયિકો સાથે તેઓ સંકળાયેલા રહ્યાં છે.[૧] તેમના ભાઈ બીરેન કોઠારી પણ સાહિત્યકાર છે.

પુસ્તકો[ફેરફાર કરો]

  • રજનીકુમાર : આપણા સૌના (સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાના ષષ્ટીપૂર્તિ ગ્રંથનું સંપાદન, બીરેન કોઠારી સાથે)
  • નોખા ચીલે નવસર્જન (નવસર્જન ટ્રસ્ટની ૧૨ વર્ષની કામગીરીનું દસ્તાવેજીકરણ)
  • સરદાર : સાચો માણસ સાચી વાત
  • બત્રીસ કોઠે હાસ્ય (હાસ્યલેખો)

પારિતોષિક[ફેરફાર કરો]

  • કાકાસાહેબ કાલેલકર પારિતોષિક
  • જ્યોતીન્દ્ર દવે પારિતોષિક (૨૦૦૮)[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "I am what I believe: Urvish Kothari | SpeakBindas - Articles, Interviews, Stories" (અંગ્રેજીમાં). મેળવેલ 2019-12-02.
  2. "'બત્રીસ કોઠે હાસ્ય'ને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક". urvishkothari-gujarati.blogspot.in. મેળવેલ 2019-12-02.