એડોલ્ફ હિટલર
વિકિપીડિયા થી
એડોલ્ફ હિટલર (20 એપ્રિલ 1889-30 એપ્રિલ 1945)નો જન્મ ઓસ્ટ્રિયા (Austria)માં થયો હતો અને તે નાઝી પક્ષ (Nazi Party) તરીકે ઓળખાતા નેશનલ સોશિયાલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટી (ઢાંચો:Lang-de, ટૂંકમાં એનએસડીએપી)નો નેતા અને જર્મન (German) રાજકારણી હતો.તે 1933થી 1945 સુધી જર્મની (Germany)નો શાસક હતો અને ચાન્સેલર (Chancellor) તરીકે 1933થી 1945 સુધી અને (ફુહરર અન્ડ રેકસ્કાન્ઝેલર (Führer und Reichskanzler))ના રાજ્ય વડા તરીકે 1934થી 1945 સુધી હતો.
વિશ્વ યુદ્ધ (World War I) પહેલાના અત્યંત ચર્ચિત આગેવાન એવો હિટલર1920માં નાઝી પક્ષમાં જોડાયો અને ૧૯૨૧માં તેનો નેતા બન્યો. 1923ના નિષ્ફળ બળવા (failed coup) બાદ કારાવાસમાં ધકેલાયેલ હિટલરે રાષ્ટ્રવાદ (nationalism), યહુદીવિરોધી (antisemitism) અને સામ્યવાદ વિરોધી (anti-communism) વલણને પ્રોત્સાહન આપવાની સાથે પ્રભાવશાળી (charismatic) (મંત્રમુગ્ધ કરી દેનાર) વક્તૃત્વકળા (oratory) અને [[નાઝી પ્રોપગેન્ડા (પ્રચાર દ્વારા ફેલાવેલી. ભ્રામક માહિતી)|ભ્રામક પ્રચાર]] (propaganda) દ્વારા સમર્થન મેળવ્યું.1933માં ચાન્સેલર તરીકે તેની નિમણૂક થઈ અને તરત જ તેણે એકહથ્થુ શાસન (totalitarian) અને ફાસીવાદી (fascist) સરમુખત્યારશાહી (dictatorship)ની સ્થાપના કરી. દેશના સંસાધનો-સ્રોતનો ઉપયોગ જર્મનીના વિકાસ માટે આવશ્યક પ્રદેશો જીતવા એટલે કે લેબેન્સ્રોમ (Lebensraum)માટે કરવાના ધ્યેય સાથેની વિદેશ નીતિ (foreign policy) હિટલરે અપનાવી. તેણે વ્હેરમાશ (Wehrmacht) એટલે કે જર્મન સૈન્યનું પુનઃગઠન કર્યું અને 1939માં પોલેન્ડ પર અતિક્રમણ (invaded Poland) કર્યું, જેના લીધે યુરોપમાં બીજુ વિશ્વયુદ્ધ (World War II in Europe) ફાટી નીકળ્યું.[૧]
ત્રણ વર્ષમાં જર્મની અને શત્રુ રાષ્ટ્રો (Axis powers)એ મોટા ભાગનું યુરોપ (Europe) અને આફ્રિકા (Africa), પૂર્વ (East), દક્ષિણપૂર્વ એશિયા (Southeast Asia) અને પ્રશાંત મહાસાગર (Pacific Ocean)ના મોટા વિસ્તારોનો કબજો મેળવ્યો. આમ છતાં સાથી રાષ્ટ્રો (Allies)ની સ્થિતિ 1942થી સુધરી અને 1945માં તેમના સૈન્યએ જર્મનીને તમામ બાજુએથી ઘેરી લીધું. તેના સેન્યએ યુદ્ધ દરમિયાન ઘણા અત્યાચાર કર્યા જેમાં 170 લાખ [૨]જેટલા નાગરિકોની આયોજનપૂર્વકની હત્યાનો પણ સમાવેશ થાય છે. આમાં યહૂદીઓના જાતિસંહાર (genocide) પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો અને અંદાજે 60 લાખ યહૂદી (Jew)ઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા, આ અપરાધને ધી હોલોકૌસ્ટ (the Holocaust) તરીકે ઓળખવામાં આવે છે.
1945માં યુદ્ધના આખરી દિવસો દરમિયાન હિટલરે લાંબા સમયથી તેની રખાત તરીકે રહેતી ઈવા બ્રૌન (Eva Braun) સાથે લગ્ન કર્યા.ત્યાર બાદ 40 કલાક કરતા પણ ઓછા સમયમાં બંનેએ આત્મહત્યા કરી (committed suicide).[૩]
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] શરૂઆતના વર્ષો
[ફેરફાર કરો] બાળપણ અને વારસો
[ફેરફાર કરો] બાળપણ
ઓસ્ટ્રીયા-હંગેરી (Austria-Hungary) ખાતેના બ્રૌનાઉ એમ ઈન (Braunau am Inn)માં આવેલ ગેસ્થોફ ઝુમ પોમ્મર ઈન (વીશી)માં 20 એપ્રિલ 1889[૪]માં હિટલરનો જન્મ થયો હતો, છ બાળકોના પરિવારમાં હિટલર ચોથુ સંતાન હતો.[૫]તેના પિતા એલોઈસ હિટલર (Alois Hitler) (1837-1903) કસ્ટમ અધિકારી હતા.તેની માતા ક્લેરા પોલ્ઝિ (Klara Pölzl) (1860-10-7) એલોઈસના ત્રીજા પત્ની હતા. તે (ક્લેરા) તેની દૂરની ભત્રીજી થતી હતી, જેથી લગ્ન માટે પાપલ ડિસ્પેનસેશન (papal dispensation) (ધાર્મિક કાયદામાં નિર્ધારિત કરાયા અનુસાર માફી) આવ્યુ હતું. એલોઈસ અને ક્લેરાના છ સંતાનોમાંથી માત્ર હિટલર અને તેનાથી સાત વર્ષ નાની બહેન પૌલા (Paula) પુખ્ય વય સુધી પહોંચ્યા હતા.[૬]હિટલરના પિતાને બીજી પત્ની દ્વારા એક દીકરો અને એક દીકરી પણ હતા. જેમના નામ એલોઈસ, જુનિયર (Alois, Jr.) અને એન્જેલા (Angela) હતા.[૬]
હિટલરનું બાળપણ તકલીફો વચ્ચે પસાર થયુ હતું કારણ કે તેના અને તેની માતા પ્રત્યે પિતાનો વ્યવહાર હિંસક હતો.હિટલરે પોતે અનેક વાર કહ્યું છે કે છોકરા તરીકે અનેક વાર તેણે પિતાનો માર ખાધો છે. વર્ષો બાદ તેણે પોતાના સચિવને કહ્યું હતું , ’’ત્યાર બાદ મેં નક્કી કર્યું કે હવે પિતા મારશે તો પણ હું ક્યારેય રડીશ નહિ. થોડા દિવસો પછી મને ઈચ્છા (will) પૂરી કરવાની તક મળી. મારી માતા ગભરાઈને બારણાની સામે લપાઈ ગઈ હતી. જો કે હું બિલકુલ શાંતિથી મારા હાથ પર પડતા લાકડીના ફટકા ગણતો રહ્યો.’’[૭]કેટલાક ઈતિહાસકારો માને છે કે હિટલરના પિતાએ તેની માતા પર કરેલા અત્યાચારોનો નિર્દેશ તેણે લખેલા પુસ્તક મેઈન કેમ્પફ (Mein Kampf)(Mein Kampf)ના એક પ્રકરણમાં જોવા મળે છે, જેમાં હિટલરે પતિ દ્વારા પત્ની પર થતી કૌટુંબિક હિંસાની વિગતોના ઉદાહરણ નામ લીધા વગર આપ્યા છે. વારંવાર મારતા પિતાના કારણે જ હિટલરને માતા સાથે ઉંડી લાગણીનું જોડાણ હતુ, જ્યારે કે પિતા પ્રત્યે તેને ભારોભાર નફરત હતી.
હિટલરનો પરિવાર સતત બ્રૌનાઉ એમ ઈન થી પાસ્સાઉ (Passau), લામ્બાચ (Lambach), લીઓન્ડિંગ (Leonding), અને લિન્ઝ (Linz) સ્થળાંતર કરતો રહ્યો. પ્રાથમિક શાળામાં હિટલર સારો વિદ્યાર્થી હતો. જો કે લિન્ઝ ખાતેની માધ્યમિક શાળા (રીઅલસ્કૂલ)માં તે માધ્યમિક શિક્ષણના પ્રથમ વર્ષ છઠ્ઠા ધોરણમાં નાપાસ થયો હતો અને ફરીથી તે ધોરણનો અભ્યાસ કરવો પડ્યો હતો. તેના શિક્ષકોએ કહ્યું હતું કે, તેને ’’કામ કરવાની કોઈ ઈચ્છા નહોતી.’’સ્કૂલમાં એક વર્ષ માટે તે અને ૨૦મી સદીના મહાન ફિલસૂફ લુડવિગ વિટ્જેનસ્ટેઈન (Ludwig Wittgenstein) એક જ સમયે વિદ્યાર્થી હતા. જો કે બંને વિદ્યાર્થીઓની ઉંમર સરખી હોવા છતાં હિટલરને વિટ્જેનસ્ટેઈન કરતાં બે ધોરણ પાછળ રાખવામાં આવ્યો હતો.[૮] હિટલર અને વિટ્જેનસ્ટેન એક બીજાને ઓળખતા પણ હતા કે નહિ તે અંગે અસમંજસસ પ્રવર્તે છે અને કદાચ આમ હોય તો એકબીજા અંગે તેમને કંઈ યાદ હતું ખરું તે એક પ્રશ્ન છે. [૯]
હિટલરે પાછળથી જણાવ્યું હતું કે અભ્યાસમાં તેની પીછેહઠ એ પિતા સામેનો બળવો હતો, કે જે દીકરાને પોતાની જેમ જ કસ્ટમ અધિકારી બનાવવા માગતા હતા, પરંતુ હિટલર પોતે ચિત્રકાર બનવા માગતો હતો. હિટલરની આ મુજબની કેફિયતને સમર્થ આપતું બીજું એક વર્ણન પણ છે, જેમાં હિટલરે પોતાની જાતને ગેરસમજનો ભોગ બનેલ કલાકાર તરીકે ઓળખાવી છે. ૩ જાન્યુઆરી ૧૯૦૩માં એલોઈસના મૃત્યુ બાદ હિટલરની સ્કૂલની કામગીરી સુધરી નહિ. ૧૬ વર્ષની ઉંમરે અધવચ્ચેથી માધ્યમિક શાળાનો અભ્યાસ છોડી દીધો.
મેઈન કેમ્પફ (Mein Kampf)માં હિટલરે પ્રારંભિક કિશોરાવસ્થાથી પોતાને જર્મન રાષ્ટ્રવાદી બનાવવાનું શ્રેય ફ્રાંકો-પ્રશિયન (Franco-Prussian War) યુદ્ધ વિશેના પિતાના પુસ્તકને આપ્યું છે. આ પુસ્તક વાંચીને હિટલરને કાયમ પ્રશ્ન થતો કે શાથી તેના પિતા અને અન્ય જર્મન ઓસ્ટ્રીયનો યુદ્ધ દરમિયાન જર્મની માટે લડવામાં નિષ્ફળ રહે છે. [૧૦]
[ફેરફાર કરો] વારસો
હિટલરના પિતા એલોઈસ હિટલર (Alois Hitler) ગેરકાયદેસર (illegitimate) સંતાન હતા. જીવનના શરૂઆતના 39 વર્ષ દરમિયાન તેમણે માતાની અટક, શિક્લગ્રબર, ધારણ કરી હતી. 1876માં તેમણે સાવકા પિતા જોહાન્ન જ્યોર્જ હૈડલર (Johann Georg Hiedler)ની અટક લીધી. આ નામનો ઉચ્ચાર હૈડલર, હ્યુએટલર, હ્યુએટ્ટલર અને હિટલર થતો હતો અને કદાચ કારકૂને હિટલર કાયમી કર્યું હશે. નામનું મૂળ (સ્ટાન્ડર્ડ જર્મન (Standard German) પ્રમાણે હ્યુટ્ટ) ઝૂંપડીમાં રહેનાર), ’’ભરવાડ’’ (સ્ટાન્ડર્ડ જર્મન પ્રમાણે હ્યુટન રક્ષણ કરવું, ઈંગ્લિશ (English) હીડ કાળજી રાખવી) અથવા સ્લાવિક (Slavic)ના શબ્દ હિડલર અને હિડલારેકમાં છે. (પ્રથમ બે માન્યતા મુજબઃ કેટલીક જર્મન બોલી (dialect)ઓમાં ઉં અને આઈ - ના ધ્વની વચ્ચે કોઈ ફેર નથી.)
સાથી રાષ્ટ્રોના પ્રોપગેન્ડા (propaganda)માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરના મૂળ કૌટુંબિક નામનો ઉપયોગ કરાયો હતો અને ’’હેઈલ શિક્લગ્રબર’’ લખેલા ચોપાનિયાં જર્મનીના શહેરો પર આકાશમાંથી ફેંકવા (airdrop)માં આવ્યા હતા. કાયદેસર રીતે તે જન્મથી હિટલર હતો, પરંતુ દાદીમાના લગ્ન દ્વારા તે જોહાન્ન હૈડલર (Johanna Hiedler) હૈડલર સાથે સંકલાયેલો હતો.
’’એડોલ્ફ’’ નામ જૂના ઉચ્ચ જર્મન (Old High German)માંથી આવ્યું છે. જેનો અર્થ થાય છે ’’ઉમદા વરુ’’ (એડેલ=ઉમદાપણુ+વુલ્ફ=વરુ)તેથી હિટલરે પોતાને લાડથી આપેલા કેટલાક નામમાં વુલ્ફ અથવા હેર વુલ્ફનો ઉપયોગ થાય છે, 1920ના દસકાની શરૂઆતમાંતેણે આ નામનો ઉપયોગ શરૂ કર્યો હતો અને કેટલાક નજીકના લોકો જ તેને ત્રીજા રિકનું પતન થયું ત્યાં સુધી આ નામથી બોલાવતા હતા (વેજનર્સ તેને ’’અંકલ વુલ્ફ’’ કહેતા).[૧૧]તેના વડામથકોના નામ સમગ્ર યુરોપ ખંડ (continental Europe)માં ફેલાયેલા હતા અને (વુલ્ફશેન્ઝે (Wolfsschanze) પૂર્વ પ્રશિયા (East Prussia)માં, વુલ્ફશ્લુચ્ટ ફ્રાંસ (France)માં, વેરવુલ્ફ યુક્રેઈન (Ukraine)માં) તેને પ્રદર્શિત કરેછે. ખૂબ જ નજીકના મિત્રો અને સંબંધીઓ હિટલરને ’’એડી’’ નામતી ઓળખતા હતા.
હિટલરના દાદીમા (Hitler's paternal grandfather) એક ભાઈ જોહાન્ન જ્યોર્જ હૈડલર અથવા જોહાન્ન નેપોમુક હૈડલર (Johann Nepomuk Hiedler) ની સાથે સૌથી વધુ મળતા આવતા હતા. એવી પણ કેટલીક અફવાઓ હતી કે હિટલર ૨૫ ટકા યહૂદી પણ છે, તેના દાદીમા મારિઆ શિક્લગ્રુબેર (Maria Schicklgruber) એક યહૂદીના મકાનમાં નોકરાણી તરીકે કામ કરતા હતા ત્યારે સગર્ભા (pregnant) થયા હતા. આ પ્રકારની અફવાઓના સૂચિતાર્થ જાતિવાદી (racist) અને યહૂદી વિરોધી (antisemitic) વિચારધારાને ટેકો આપતા હોવાથી રાજકીય રીતે ભડકો કરવા સમર્થ હતા. હિટલરના પૂર્વજો યહૂદી અથવા ચેક (Czech) હતા તેવું સાબિત કરવા વિરોધીઓએ પ્રયત્ન કર્યા.જો કે આ પ્રકારની અફવાઓ ક્યારેય સાબિત થઈ નહોતી, પણ હિટલર માટે તેના મૂળ ગુપ્ત રાખવા કારણભૂત બની હતી. રોબર્ટ જી.એલ. વેઈટે જણાવ્યા મુજબ જર્મન મહિલાઓ માટે યહૂદી મકાનમાલિકના ઘરમાં કામ કરવાનું હિટલરે ગેરકાયદેસર બનાવ્યું હતું અને The Psychopathic God: Adolf Hitler ’’એન્શ્લુસ્સ (Anschluss)’’ઓસ્ટ્રિયા (Austria) પરની ચડાઈ બાદ તેના પિતાના વતનને લશ્કરી કવાયતના મથકમાં ફેરવી નાખ્યુ હતું. વેઈટ કહે છે કે આ સંદર્ભે હિટલરના વિરોધીઓ તેના યહૂદી યહૂદી વારસાને પુરવાર કરવા મથ્યા હતા તેના કરતાં હિટલરની અસલામતી વધુ મહત્વની છે.
[ફેરફાર કરો] વિયેના અને મ્યનિકમાં શરૂઆતની યુવાની
1905થી હિટલર વિયેના (Vienna)માં અનાથના પેન્શન અને માતાની મદદથી બોહેમિયન (bohemian) ભટકતુ જીવન જીવ્યો. એકેડમી ઓફ ફાઈન આર્ટ્સ વિયેના (Academy of Fine Arts Vienna)એ (1907-1908) "ચિત્રકળા માટે અયોગ્ય" હોવાનું જણાવી બે વાર તેનો અસ્વીકાર કર્યો હતો અને તેને જણાવવામાં આવ્યું હતું કે આર્કિટેક્ચર (architecture)ના ક્ષેત્રમાં તેની ક્ષમતાઓ છે.[૧૨]આત્મચરિત્ર (memoirs)માં વિષય સાથેનો તેનો લગાવ વ્યક્ત થાય છે.
મારા પ્રવાસનો હેતુ કોર્ટ મ્યુઝિયમની પિક્ચર ગેલેરીનો અભ્યાસ કરવાનો હતો, પરંતુ મારી આંખોં મ્યુઝિયમ સિવાય બીજુ કશું ભાગ્યે જ જોતી હતી. સવારથી માંડીને મોત રાત સુધી મારા રસની એક વસ્તુથી બીજી વસ્તુ તરફ જોડતો રહ્યો, પરંતુ મારો મુખ્ય રસ બિલ્ડિંગમાં જ રહ્યો.[૧૩]
શાળાના વડાની ભલામણ બાદ તે પોતે પણ માનવા લાગ્યો કે આર્કિટેક્ચરના અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક તૈયારીઓ નહિ હોવા છતાં આ માર્ગ તેના માટે યોગ્ય છેઃ
પાછલા કેટલાક દિવસોમાં હું પોતે માનવા લાગ્યો કે એક દિવસ હું આર્કિટેક્ટ બનીશ. એક વાત ચોક્કસ હતી કે આ માર્ગ અત્યંત અઘરો હતો, રીઅલસ્કૂલમાં જે શિક્ષણની મેં અવગણના કરી હતી તેની ખૂબ જરૂર હતી. એકેડમીની આર્કિટેક્ચરલ સ્કૂલમાં ભણવા માટે બિલ્ડિંગ સ્કૂલ ટેકનિકનો અભ્યાસ જરૂરી હતો તે માટે માધ્યમિક શાળાની ડીગ્રી જરૂરી હતી. મારી પાસે આમાંનું કશું નહોતુ. મારુ કલાકારનું સપનું સાકાર થાય તેવી શક્યતા દેખાતી નહોતી.[૧૩]
21 ડિસેમ્બર 1907ના રોજ હિટલરની માતાનું 47 વર્ષની વયે સ્તન કેન્સર (breast cancer)ના કારણે મૃત્યુ થયુ.
લિન્ઝની કોર્ટના આદેશ બાદ હિટલરે અનાથ (orphan)ના લાભ તરીકે મળેલો તેનો હિસ્સો બહેન પૌલાને આપ્યો. તે 21વર્ષનો હતો ત્યારે વારસામાં તેને માસીના નાણા મળ્યા. વિયેનામાં તેણે ચિત્રકાર તરીકે સંઘર્ષ કર્યો, પોસ્ટકાર્ડના દ્રશ્યો પરથી ચિત્રો બનાવીને વેપારીઓ તથા પ્રવાસીઓને વેચ્યા.એકેડમી ઓફ આર્ટ્સ દ્વારા બીજી વખત અસ્વીકાર બાદ હિટલર સખત નાણાભીડમાં ફસાયો. 1909માં તેણે ઘર વિહોણા લોકો માટેની જગ્યામાં આશ્રય લીધો હતો. 1910 સુધીમાં તે મેલ્ડેમેન્નસ્ટ્રેબ પર કામ કરતા ગરીબો માટેના આવાસ (house for poor working men on Meldemannstraße)માં રહેવા ગયો.
હિટલરે જણાવ્યું હતું કે તે સૌથી પહેલા વિયેનામાં યહૂદી વિરોધી બન્યો[૧૩], કે જ્યાં યહૂદી સમુદાયના લોકો મોટી સંખ્યામાં હતા અને આ લોકોમાં રશિયા (Russia)માં થયેલી યહૂદીઓની સામૂહિક હત્યા (pogrom)માંથી ભાગીને આવેલાચુસ્ત યહૂદી (Orthodox Jews)ઓનો પણ સમાવેશ થતો હતો. પરંતુ બાળપણના મિત્ર ઓગસ્ટ કુબિઝેક (August Kubizek)ના જણાવ્યા મુજબ લિન્ઝ, ઓસ્ટ્રિયા છોડ્યુ તે પહેલા હિટલર "કટ્ટર યહૂદી-વિરોધી" હતો.[૧૩]તે સમયે વિયેના પરંપરાગત ધાર્મિક પૂર્વગ્રહો અને ૧૯મી સદીના જાતિવાદથી ખદબદતુ હતુ. વિચારકો અને યહૂદી વિરોધી લાન્ઝ વોન લિએબેન્ફેલ્સ (Lanz von Liebenfels) અને વિચારકોનો પ્રભાવ હિટલર પર પડ્યો હોય તેવી શક્યતા છે, જેમાં કાર્લ લુએજર (Karl Lueger), ક્રિશ્ચિયન સોશિયાલ પાર્ટી (Christian Social Party)ના સ્થાપક અને વિયેનાના મેયર (Mayor of Vienna), ગીતકાર રિચાર્ડ વેજનર (Richard Wagner) અને જ્યોર્જ રિટ્ટર વોન શોનેરર (Georg Ritter von Schönerer), સમગ્ર જર્મની (pan-Germanic) રોમથી દૂરના નેતા જેવા રાજકારણીઓની વિવાદાસ્પદ (polemic) વિચારોનો પણ સમાવેશ થાય છે. ચળવળહિટલરે મેઈન કેમ્પફ (Mein Kampf)માં દાવો કર્યો છે કે ધાર્મિક ધોરણો પર યહૂદી વિરોધી વલણનો વિરોધ કરનાર વ્યક્તિમાંથી જાતિવાદના આધાર પર તેનું સમર્થન કરનાર વ્યક્તિ તરીકેનું તેનું રૂપાંતર એક ચુસ્ત યહૂદીને જોયા પછી થયુઃ
આ વાત સાચી હોય તો, હિટલર પ્રાથમિક દ્રષ્ટિએ તેની નવી માન્યતા પ્રમાણે વર્ત્યો નથી. નોબલ જૂઈશ હાઉસમાં તે ઘણી વાર અતિથિ તરીકે ડિનર લેવા જતો હતો અને તેના ચિત્રો વેચવા માટે પ્રયત્ન કરતા યહૂદી વેપારીઓ સાથે ઘણી સારી રીતે વ્યવહાર કરતો.[૧૪]
માર્ટિન લ્યુથર (Martin Luther)ના યહૂદીઓ અને તેમના જૂઠ્ઠાણા પર (On the Jews and their Lies)થી હિટલર પ્રભાવિત થયો હોય તેવી શક્યતા પણ છે. મેઈન કેમ્પફ (Mein Kampf)માં હિટલરે મહાન યોદ્ધા, સાચા રાજપુરુષ અને મહાન સુધારક તરીકે માર્ટિન લ્યુથરનો અને તેની બાજુમાં વેજનર (Wagner) ફ્રેડરિક ધી ગ્રેટ (Frederick the Great)નો ઉલ્લેખ કર્યો છે.[૧૫]હોલોકૌસ્ટ લખ્યા બાદ વિલહેલ્મ રોપકે (Wilhelm Röpke) સમાપન કરતાં જણાવે છે કે "જર્મનીના રાજકીય, આધ્યાત્મિક અને સામાજિક ઈતિહાસને લ્યુથરવાદ (Lutheranism)એ પ્રભાવિત કર્યા હતા તેમાં કોઈ શંકા નથી, દરેક બાબતની પૂરતી કાળજી રાખ્યા પછી જે કંઈ પણ બને છે તેને માત્ર નસીબ જ કહી શકાય તેવી માન્યતા આ પ્રભાવને વર્ણવે છે."[૧૬][૧૭]
હિટલરનો દાવો હતો કે યહૂદીઓ આર્ય જાતિ (Aryan race)ના દુશ્મન છે.ઓસ્ટ્રીયાની કટોકટી માટે તે યહૂદીઓને જવાબદાર ગણતો. સમાજવાદ (Socialism) અને બોલ્શેવિવાદ (Bolshevism)ના કેટલાક નિશ્ચિત સ્વરૂપો તેણે શોધ્યા હતા કે જેની પાસે યહૂદી ચળવળના ભાગરૂપે ઘણા યહૂદી નેતાઓ હતા, તેના યહૂદી વિરોધીવાદનું માર્ક્સવાદ (Marxism) વિરોધી સાથે મિશ્રણ કરતા હતા. બાદમાં 1918ની ક્રાંતિ (1918 revolutions) પર વિશ્વયુદ્ધ 1 (World War I)માં જર્મનીના લશ્કરના પરાજય માટે તથા જર્મન સામ્રાજ્યના પતન તથા બાદની આર્થિક સમસ્યાઓ માટે તેણે યહૂદીઓને જવાબદાર ઠેરવ્યા હતા.
બહુ-રાષ્ટ્રીય ઓસ્ટ્રીયન રાજાશાહીની સંસદના ઘોંઘાટિયા વાતાવરણને વ્યાપક સ્વરૂપે લઈને હિટલરે એવું નક્કી કર્યું કે લોકશાહી સંસદીય પદ્ધતિ (parliamentary system) નકામી હતી. આમ છતાં, એક સમયે રૂમમેટ (એક જ રૂમમાં રહેનાર) રહી ચૂકેલા ઓગસ્ટ કુબિઝેકે જણાવ્યું હતું કે તેને વેજનરના રાજકારણ કરતાં તેના સંગીતનાટકમાં વધારે રસ હતો.
મે 1913માં હિટલરને પિતાની સંપત્તિમાંથી આખરી હિસ્સો મળ્યો અને તેણે મ્યુનિક (Munich)માં સ્થળાંતર કર્યું. મેઈન કેમ્પફ (Mein Kampf)માં તેણે લખ્યું છે કે તે હંમેશા "સાચા" જર્મન શહેરમાં જીવવા માગતો હતો. તે કહે છે કે મ્યુનિકમાં તેને આર્કિટેક્ચરમાં અને હ્યુસ્ટન સ્ટુઅર્ટ ચેમ્બર્લિન (Houston Stewart Chamberlain)ના લખાણમાં વધારે રસ પડ્યો. મ્યુનિક જતા રહેવાથી ઓસ્ટ્રીયાની લશ્કરી સેવા (military service)થી ભાગવામાં તેને મદદ મળી, પરંતુ બાદમાં ઓસ્ટ્રીયાના લશ્કરે તેની ધરપકડ કરી. શારીરિક પરીક્ષા અને માફીની અરજી બાદ તેને મ્યુનિક પાછા ફરવાની મંજૂરી અપાઈ અને તેને સેવા માટે અયોગ્ય ગણવામાં આવ્યો. આમ છતાં, જર્મની ઓગસ્ટ 1914માં પ્રથમ વિશ્વ યુદ્ધમાં પ્રવેશ્યુ ત્યારે તેણે રાજા બાવેરિયાના લુડવિગ ત્રીજા (Ludwig III of Bavaria)ને અરજી કરી અને બાવેરિયા (Bavaria)ના લશ્કરમાં સેવા માટે મંજૂરી માગી. આ અરજી મંજૂર થઈ અને બાવેરિયન લશ્કરમાં હિટલરનો સમાવેશ થયો. [૧૮]
[ફેરફાર કરો] વિશ્વયુદ્ધ 1
હિટલરે 16મી બાવેરિયન રીઝર્વ રેજિમેન્ટમાં ફ્રાંસ અને બેલ્જિયમ (Belgium) સાથે પણ કામ કર્યું હતું (ફર્સ્ટ કમાન્ડરના નામ પરથી ઓળખાતું રેજિમેન્ટ લિસ્ટ) જેફ્રેઈટર (Gefreiter) તરીકે યુદ્ધનો અંત આવ્યો (બ્રિટશ અને અમેરિકન લશ્કરમાં લાન્સ કોર્પોરલ (lance corporal)ને મળતો આવતો સમય).પશ્ચિમ મોરચા પર સૌથી વધુ જોખમી ગણાતી રનરની નોકરી તે કરતો હતો અને વારંવાર દુશ્મોના ગોળીબારમાંથી પસાર થતો હતો.[૧૯]પશ્ચિમ મોરચા (Western Front) પર લડાયેલા સંખ્યાબંધ મહત્વના યુદ્ધમાં તેણે ભાગ લીધો હતો, જેમાં વાયપ્રેસનું પ્રથમ યુદ્ધ (First Battle of Ypres), સોમેનું યુદ્ધ (Battle of the Somme), એર્રેસનું યુદ્ધ (Battle of Arras) અને પાસ્શેન્ડાએલનું યુદ્ધ (Battle of Passchendaele)નો પણ સમાવેશ થાય છે. [૨૦] વાયપ્રસનું યુદ્ધ (ઓક્ટોબર 1914) જર્મનીના ઈતિહાસમાં કિન્ડરમોર્ડ બેઈ વાયપર્મ (નિર્દોષોની સામૂહિક કતલ) તરીકે જાણીતુ બન્યું, આ યુદ્ધમાં નવ સૈન્યદળના અંદાજે 4૦,૦૦૦ માણસો (ત્રીજાથી અડધા ભાગની વચ્ચેના) 2૦ દિવસમાં મરાયા, હિટલરની પોતાની કંપનીના માણસોની સંખ્યા ડિસેમ્બરમાં 25૦માંથી ઘટીને 42 થઈ.જીવન ચરિત્રકાર જ્હોન કીગેન (John Keegan)એ જણાવ્યું છે કે આ અનુભવે હિટલરને એકલવાયો બનાવી દીધો અને તેણે યુદ્ધના બાકીના વર્ષોમાંથી પોતાની જાતને પાછી ખેંચી લીધી.[૨૧]
બહાદુરી માટે હિટલરનું બે વખત સન્માન થયુ હતું. ગેટફ્રેઈટરને ભાગ્યેજ અપાતા સન્માનમાં તેણે 1914માં આયર્ન ક્રોસ (Iron Cross), સેકન્ડ ક્લાસ અને 1918માં આયર્ન ક્રોસ, ફર્સ્ટ ક્લાસ મેળવ્યા હતા.[૨૨] જો કે રેજિમેન્ટના કર્મચારીઓને લાગતું હતું કે હિટલરમાં નેતૃત્વની કળાનો અભાવ છે અને તેના લીધે ક્યારેય તેને અનટેરોફાઈઝર (Unteroffizier) (બ્રિટિશ કોર્પોરલની સમકક્ષ) ની બઢતી અપાઈ નહોતી. અન્ય ઈતિહાસકારો કહે છે કે તે જર્મન નાગરિક ના હોવાના કારણે તેને બઢતીથી વંચિત રખાયો હતો. રેજિમેન્ટના વડામથકની નોકરીમાં વારંવાર હિટલરનો જીવ જોખમમાં મૂકાતો હતો, પરંતુ આ સાથે તેને કલાકાર તરીકેના કાર્ય માટે સમય મળતો હતો. તેણે લશ્કરી અખબાર માટે કાર્ટૂનો અને સમજણ આપતા ચિત્રો દોર્યા હતા. 1916માં સોમેના યુદ્ધમાં તેને પેટ અને જાંધની વચ્ચેના ભાગમાં[૨૩] અથવા ડાબા થાપે[૨૪] ઈજા થઈ હતી, પરંતુ તે માર્ચ 1917માં તે મોરચા પર પાછો ફર્યો. આ વર્ષે બાદમાં તેને વાઉન્ડ બેજ (Wound Badge) મળ્યો. હિટલરના યુદ્ધભૂમિના અનુભવ સંદર્ભે સેબાસ્ટિઅન હેફનર (Sebastian Haffner) સૂચવે છે કે તેને લશ્કરની થોડી ઘણી સમજ તો હતી જ.
મસ્ટર્ડ ગેસ (mustard gas)ના કારણે થોડા સમય માટે અંધ બનેલા હિટલરને 15 ઓક્ટોબર 1918ના રોજ ફિલ્ડ હોસ્પિટલ (field hospital)માં દાખલ કરાયો હતો. ઈંગ્લિશ મનોવિજ્ઞાની ડેવિડ લ્યુઈસ (David Lewis) અને બર્નહાર્ડ હોર્સ્ટમેન્ન સૂચવે છે કે આ અંધત્વ એ માનસિક અસ્થિરતા (conversion disorder) ) (તે સમયે વાઈ (hysteria) તરીકે ઓળખાતી હતી)નું પરિણામ હોઈ શકે છે.[૨૫]હિટલરે જણાવ્યું હતું કે આ અનુભવથી તેને લાગવા માંડ્યું કે ’’જર્મનીનું રક્ષણ’’ કરવું એ તેના જીવનનો હેતુ છે. લ્યુસી ડેવિડોવિક્ઝ (Lucy Dawidowicz) જેવા કેટલાક વિદ્વાનોની દલીલ છે કે,[૨૬] યુરોપમાંથી યહૂદીઓના નાશનો ઈરાદો સંપૂર્ણપણે હિટલરના મગજમાં આ સમયે સમયે આકાર પામ્યો હશે, જો કે આવુ કઈ રીતે કરી શકાય તે અંગે તેણે કદાચ નહિ વિચાર્યુ હોય. મોટાભાગના ઈતિહાસકારોનું માનવું છે કે આ નિર્ણય 1941માં લેવાયો હતો, જ્યારે કેટલાકનું માનવું છે કે 1942માં આમ થયુ હતું.
મેઈન કેમ્પફ (Mein Kampf)ના બે ફકરામાં તેણે ઝેરી વાયુ (poison gas)ના ઉપયોગનો ઉલ્લેખ કર્યો છેઃ
હિટલર પહેલેથી જર્મનીનો ચાહક હતો અને યુદ્ધ દરમિયાન તે ઉદ્દામ જર્મન રાષ્ટ્રવાદી બન્યો, જોકે 1932 સુધી તે જર્મન નાગરિક બન્યો નહોતો. હિટલરને પોતાના તમામ અનુભવોમાં ’’યુદ્ધ સૌથી મહાન અનુભવ’’ લાગ્યો અને બાદમાં તેના અનેક અધિકારીઓએ બહાદુરી માટે તેના વખાણ કર્યા.[૨૭]દુશ્મન દેશનો વિસ્તાર જર્મન લશ્કરનાં અંકુશ હેઠળ હોવા છતાં નવેમ્બર 1918માં શરણાગતિ (capitulation) સ્વીકારી લેતાં હિટલરને આઘાત લાગ્યો હતો.[૨૮]અન્ય ઘણા જર્મન રાષ્ટ્રવાદીઓની જેમ હિટલર ડોલશ્ટોબલીજન્ડ (Dolchstoßlegende)(કટારીના વારનો સિદ્ધાંત)માં માનતો હતો, આ સિદ્ધાંત મુજબ નાગરિક વડા ’’યુદ્ધભૂમિમાં અપરાજિત રહેલા સૈન્ય’’ની ’’પીઠ પર વાર’’ કરે છે અને માર્કસવાદીઓ ગૃહ મોરચે (home front) ટેકો આપે છે.આ રાજકારણીઓને પાછળથી નવેમ્બર અપરાધીઓ (November Criminals) તરીકે ઓળખવામાં આવ્યા.
વર્સેલ્સની સંધિ (Treaty of Versailles)એ જર્મની પર વિવધ ક્ષેત્રમાં નિયંત્રણો લાદ્યા હતા, જેમાં બિનલશ્કરીકરણ (demilitarised), રહાઈન પ્રદેશ (Rhineland) સહિત આર્થિક નુકસાનીની ચૂકવણીનનો સમાવેશ થતો હતો. સંધિમાં ફરીથી પોલેન્ડનું સર્જન કરાયું અને આ પગલાથી મધ્યમવાદી જર્મનોમાં પણ રોષ ફાટી નીકળ્યો.સંધિમાં યુદ્ધની તમામ ભયાનકતા માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું, જ્હોન કીગેન (John Keegan) જેવા અગ્રણી ઈતિહાસકારો આને હવે વિક્ટોરિયા ન્યાય (victor's justice)ના ભાગરૂપે ગણે છેઃ પ્રથમ વિશ્વયુદ્ધની દોડમાં મોટા ભાગના યુરોપીય રાષ્ટ્રોમાં લશ્કરીકરણ (militarised) વધી રહ્યુ હતુ અને તેઓ લડવા માટે ઉત્સુક હતા. જર્મની પર વળતર (reparation) થોપી મારવા માટે યુદ્ધ માટેની તેના દોષીપણાનો સહારો લેવામાં આવ્યો (ડાવેસ પ્લાન (Dawes Plan), યંગ પ્લાન (Young Plan) અને હૂવર મરેટોરિયમ (Hoover Moratorium) હેઠળ આ રકમ સતત વધતી રહી).આ સંધિ જર્મનીમાં અપમાનજનક ગણાવા માંડી અને ખાસ કરીને યુદ્ધ માટે જર્મનીને દોષિત ગણતો ફકરો-આર્ટિકલ 231 ને જર્મનીને હલકુ પાડવાના પ્રયાસ તરીકે લોકો જોવા લાગ્યા. ઉદાહરણ તરીકે, હથિયારી દળોનું સંપૂર્ણપણે નિઃશસ્ત્રીકરણ કરવામાં આવ્યુ, જર્મનીને માત્ર છ યુદ્ધ જહાજો રાખવાની અને 1,૦૦,૦૦૦ જવાનોમાં ભરતી બંધ કરાઈ અને તેની પાસેથી હથિયારબંધ વાહનો છીનવી લેવાયા, આ સાથે સબમરીન અને હવાઈદળ રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સત્તા મેળવવા પ્રયત્ન કરતા હિટલર અને તેના નાઝી દળોએ આ સંધિથી ઉભી થયેલી રાજકીય અને સામાજિક સ્થિતિનો અનુભવ કર્યો. હિટલર અને તેના પક્ષે ’’નવેમ્બર અપરાધીઓ’’ દ્વારા થયેલી સંધિનો ઉપયોગ કર્યો અને આવી ઘટના ફરી ના બને તેવા જર્મનીના નિર્માણની જરૂરિયાત દર્શાવવા તેનો ઉપયોગ કર્યો. આ પેરિસ શાંતિ સંમેલન (Paris peace conference) વખતે ’’નવેમ્બર અપરાધીઓ’’ પાસે આ મામલે ખૂબ ઓછા વિકલ્પ હતા, પરંતુ હિટલરે હોળીના નાળિયેર તરીકે તેમનો ઉપયોગ કર્યો.
[ફેરફાર કરો] રાજકારણમાં પ્રવેશ
પ્રથમ વિશ્વયુદ્ધ પછી હિટલર લશ્કરમાં રહ્યો અને મ્યુનિક પાછો ફર્યો, જ્યાં તેણે અગાઉની ઘોષણાતી વિપરિત નિર્ણય લીધો અને હત્યા કરાયેલા બાવેરિયાના વડાપ્રધાન કુર્ટ એઈસ્નર (Kurt Eisner)ની અંતિમયાત્રામાં જોડાયો.[૩૦]બાવેરિયન સોવિયેટ રીપબ્લિક (Bavarian Soviet Republic) નિયંત્રણ હેઠળ આવી ગયા બાદ તેણે બાવેરિયન રિકસ્વેર્હ ગ્રૂપના શિક્ષણ અને પ્રોપગેન્ડા વિભાગ (ડિપા. આઈબી/પી), હેડક્વાર્ટર્સ 4 દ્વારા કેપ્ટન ક્લેરી મેર (Karl Mayr)ના નેતૃત્વ હેઠળ યોજાયેલ ’’રાષ્ટ્રીય વિચારણા’’ કોર્સમાં ભાગ લીધો. પક્ષના વર્તુળમાં આવતા રાજકારણીઓ, સામ્યવાદીઓ અને ’’આંતરરાષ્ટ્રી જ્યુરી’’ને હોળીના નાળિયેર તરીકે પસંદ કરાયા અને ખાસ કરીને વેઈમર જોડાણ (Weimar Coalition)ના પક્ષો પર ભાર મૂકાયો.
જુલાઈ 1919માં અન્ય સૈનિકોને પ્રભાવિત કરવા માટે અને નાના પક્ષ જર્મન કામદારોનો પક્ષ (German Workers' Party)(ડીએપી)માં દાખલ (infiltrate) થવા માટે રિકસ્વેર્હ (Reichswehr)ના ઔફકલારુંગસ્કમાન્ડો (ગુપ્તચર કમાન્ડો)ના વેર્બિન્ડુન્ગસ્માન (પોલીસ જાસૂસ) તરીકે હિટલરની નિમણૂક થઈ. પક્ષમાં પ્રવેશ દરમિયાન સ્થાપક એન્ચોન ડ્રેક્સલર (Anton Drexler)ના યહૂદી વિરોધી, રાષ્ટ્રવાદી, મૂડીવાદ વિરોધી (anti-capitalist) અને માર્ક્સવાદ વિરોધી વિચારોથી હિટલર પ્રભાવિત થયો, કારણ કે આ વિચારો મજબૂત સક્રિય સરકાર માટે મદદરૂપ હતા અને સમાજવાદ તથા સમાજના તમામ સભ્યો વચ્ચે પરસ્પર એકતાનું ’’યહૂદી વિરોધી’’ સ્વરૂપ હતા. ડ્રેક્સલર હિટલરના વક્તૃત્વ કૌશલ્યથી પ્રભાવિત થયા અને તેને પક્ષના 55મા સભ્ય તરીકે જોડાવા આમંત્રણ આપ્યું. તેને કારોબારી સમિતિનો સાતમો સભ્ય પણ બનાવવામાં આવ્યો. વર્ષો બાદ તેણે એવો દાવો કર્યો હતો કે તે પક્ષમાં જોડાનાર સાતમો સભ્ય હતો, પરંતુ તેના દાવા ખોટા હોવાનું પુરવાર થઈ ચૂક્યુ છે.
અહીંયા હિટલર ડિએટ્રિક એકાર્ટ (Dietrich Eckart)ને પણ મળ્યો, કે જેઓ પક્ષના શરૂઆતના સ્થાપકોમાંથી એક હતા અને અકલ્ટ ત્હુલે સોસાયટી (Thule Society)ના સભ્ય હતા.[૩૧] એકાર્ટ હિટલરના માર્ગદર્શક બન્યા, તેઓ હિટલર સાથે વિચારોનું આદાન-પ્રદાન કરતા અને કેવા કપડા પહેરવા તથા કઈ રીતે બોલવુ તે શીખવતા, આ ઉપરાંત તેમણે વિવિધ પ્રકારના લોકો સાથે હિટલરનો પરિચય કરાવ્યો. મેઈન કેમ્પફ (Mein Kampf)ના બીજા વોલ્યુમમાં એકાર્ટને શ્રદ્ધાંજલિ આપીને હિટલરે તેમનો આભાર માન્યો છે.પક્ષનો વ્યાપ વધારવા તેનું નામ બદલીને નેશનલસોઝિયાલિસ્ટિક ડ્યૂશ આર્બિટરપાર્ટી અથવા રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદારોનો પક્ષ (National Socialist German Workers Party) રાખવામાં આવ્યુ.
માર્ચ, 1920માં હિટલરને લશ્કરમાંથી છૂટો કરાતા તેના ઉપરીઓ પક્ષની ગતિવિધિઓમાં વધારે સક્રિય થવા સતત પ્રોત્સાહન આપતા રહ્યા. 1921 સુધીમાં વિશાળ જનમેદની સમક્ષ બોલવામાં હિટલર અત્યંત અસરકારક બની ગયો. ફેબ્રુઆરીમાં તેણે મ્યુનિકમાં લગભગ છ હજાર લોકોની સામે ભાષણ આપ્યુ. બેઠકના પ્રચાર માટે અને ખળભળાટ સર્જવા તેણે સ્વસ્તિક (swastika) સાથે બે ટ્રક ભરીને પક્ષના કાર્યકરોને મોકલ્યા, ચોપાનિયા ફેંકાવ્યા અને પ્રથમ વખત તેમણે આ વ્યૂહનો ઉપયોગ કર્યો. વર્સેલ્સની સંધિ, પ્રતિસ્પર્ધિ રાજકારણીઓ (રાજાશાહીવાદી (monarchist), રાષ્ટ્રવાદી અને અન્ય બિન-આંતરરાષ્ટ્રીયવાદી (internationalist) સમાજવાદી સહિત) અને ખાસ કરીને માર્ક્સવાદીઓ તથા યહૂદીઓની વિરુદ્ધમાં વિવાદાસ્પદ (polemic) બેફામ ભાષણો કરીને હિટલર પક્ષની બહાર જાણીતો બન્યો.
ડીએપીનું કેન્દ્ર મ્યુનિકમાં હતું અને તે જર્મન લશ્કરના અધિકારીઓ સહિત રાષ્ટ્રવાદીઓ કે જે વેઈમર લોકશાહી તથા માર્ક્સવાદને કચડી નાખવા કૃતનિશ્ચયિ હતા તેમનું મુખ્ય કેન્દ્ર હતું. ધીમે-ધીમે તેમને હિટલર અને તેની વધતી જતી ગતિવિધિઓ નડતરરૂપ લાગવા માંડી.1921ના ઉનાળામાં રાષ્ટ્રવાદી જૂથોની મુલાકાત માટે હિટલરે બર્લિનનો પ્રવાસ કર્યો અને તેની ગેરહાજરીમાં મ્યુનિક ખાતે ડીએપીના નેતૃ્ત્વ સામે બળવો થયો.
પક્ષનું સંચાલન કારોબારી સમિતિ કરતી હતી અને તેના મૂળ સભ્યોને હિટલર અસહ્ય લાગવા માંડ્યો.તેમણે ઔસબર્ગ (Augsburg)ના સમાજવાદીઓના જૂથ સાથે જોડાણ સ્થાપ્યુ. હિટલર તરત જ મ્યુનિક પાછો આવ્યો અને 11 જુલાઈ 1921ના રોજ પક્ષમાંથી રાજીનામાનો પ્રસ્તાવ મૂકી તેમનો વિરોધ કર્યો. તે લોકોને જ્યારે એવી અનુભૂતિ થઈ કે હિટલરને ગુમાવવાથી પક્ષનો અંત આવશે, ત્યારે હિટલરે આ તક ઝડપી લીધી અને એવી જાહેરાત કરી કે ડ્રેક્સલરની જગ્યાએ પક્ષના વડા તરીકે નિમણૂક થાય અને તેને અમર્યાદિત સત્તા અપાય તો જ તે પાછો આવશે. કારોબારી સમિતિના ગભરાયેલા સભ્યોએ (ડ્રેક્સલર સહિત) પ્રથમ વિકલ્પ પસંદ કર્યો. દરમિયાનમાં સત્તાભૂખ બદલ હિટલરની ટીકા કરતા અને તેને હિંસક વ્યક્તિ ગણાવતા બેનામી ચોપાનિયા ફરવા લાગ્યા, જેનું શીર્ષક હતું, એડોલ્ફ હિટલરઃ શું તે દગાબાજ છે?મ્યુનિક અખબારમાં થયેલા આ પ્રકાશન અંગે પ્રતિક્રિયા આપતાં હિટલરે તેના પર બદનક્ષી (libel)નો દાવો કર્યો અને બાદમાં હિટલરને નાનુ વળતર પણ મળ્યુ.
ડીએપીની કારોબારી સમિતિએ બાદમાં નમતુ જોખ્યુ અને હિટલરની માગણી પક્ષના સભ્યો સમક્ષ મતદાન માટે રજૂ કરાઈ. હિટલરની તરફેણમાં 543 મત આવ્યા અને માત્ર એક જ મત વિરોધમાં હતો.29 જુલાઈ, 1921ના આગામી મેળાવડામાં હિટલરને રાષ્ટ્રીય સમાજવાદી પક્ષના ફુહરર તરીકે હિટલરને રજૂ કરાયો અને આ બિરુદનો પ્રથમ વખત જાહેરમાં ઉપયોગ થયો.
યહૂદીઓ, સામાજિક લોકશાહીવાદીઓ (social democrats), ઉદારવાદીઓ (liberals), પ્રત્યાઘાતી રાજાશાહીવાદીઓ, મૂડીવાદીઓ (capitalists) અને સામ્યવાદીઓ પર પ્રહાર કરતું હિટલરનું બીઅર હોલ વક્તૃત્વ સમર્થકોને આકર્ષવા માંડ્યુ.પ્રારંભિક સમર્થકોમાં રુડોલ્ફ હેસ્સ (Rudolf Hess), પૂર્વ હવાઈ દળ પાઈલટ હર્મન ગોરિંગ (Hermann Göring), અને લશ્કરના કેપ્ટન અર્નસ્ટ રોહ્મ (Ernst Röhm)નો સમાવેશ થતો હતો, કે જેઓ નાઝીના સંસદીય સંગઠન (paramilitary organization), એસએ (સ્ટર્મેબ્ટેઈલંગ (Sturmabteilung) અથવા ’’સ્ટોર્મ ડિવિઝન’’ના) વડા બન્યા હતા અને બેઠકોનું રક્ષણ કરવાની તથા રાજકીય પ્રતિસ્પર્ધીઓ પર પ્રહાર કરવાનું તેનું કામ હતું. હિટલરે ન્યૂરેમબર્ગ (Nuremberg) - આધરિત ડ્યુશ વેર્કજેમેઈનશાફ્ટ જેવા સ્વતંત્ર જૂથની સ્થાપના પણ કરી હતી, જુલિયસ સ્ટ્રેઈચર (Julius Streicher) તેના વડા હતા અને તેઓ ફ્રાન્કોનિયા (Franconia)ના ગૌલેઈટર (Gauleiter) બન્યા હતા. હિટલરે સ્થાનિક વ્યાપારી હિતોનું ધ્યાન પણ આકર્ષિત કર્યું, મ્યનિકના પ્રભાવશાળી સમાજમાં તેનો સ્વીકાર થયો અને આ સમય દરમિયાન તે યુદ્ધસમયના જનરલ એરિક લ્યુડેન્ડોર્ફ (Erich Ludendorff) સાથે સંકળાયો.
[ફેરફાર કરો] બીઅર હોલ બળવો
શરૂઆતના સમર્થનથી ઉત્સાહિત થઈને હિટલરે બળવા માટે લ્યુડેનડોર્ફનો મોરચા તરીકે ઉપયોગ કરવાનો નિર્ણય લીધો, આ બળવો બાદમાં બીઅર હોલ બળવો (Beer Hall Putsch) (ક્યારેક હિટલર બળવો અથવા મ્યુનિક બળવા) તરીકે ઓળખાય છે. નાઝી પક્ષે ઈટાલી (Italy)ના ફાસીવાદી (fascists) સ્વરૂપની નકલ કરી હતી અને કેટલાક કાર્યકારી મુદ્દા પણ તેમાંથી લેવાયા હતા, આ ઉપરાંત 1923માં ’’બર્લિનમાં અભિયાન’’ દ્વારા હિટલરે બેનિટો મુસ્સોલિનિ (Benito Mussolini's)ની ’’રોમ પર કૂચ (March on Rome)’’ જેવી યોજના ઘડી હતી. હિટલર અને લ્યુડેન્ડોર્ફે બાવેરીયાનાડી ફેક્ટો (de facto) શાસક ગુસ્તાવ વોન કાહ્ર (Gustav von Kahr)નો રાઇશવ્હેર અને પોલિસની અગ્રણી વ્યક્તિઓની સાથે ટેકો મેળવી લીધો હતો.લ્યુડેન્ડોર્ફ, હિટલર અને બાવેરિયન પોલીસના વડાઓ તથા લશ્કરે નવી સરકાર સ્થાપવાની યોજના બનાવી હોવાનું રાજકીય ચિત્ર દર્શાવે છે.
8 નવેમ્બર 1923ના રોજ હિટલર અને એસએ દ્વારા મ્યુનિકના વધારે મોટા બીઅર હોલ બર્જરબ્રૌકેલર (Bürgerbräukeller) ખાતે કહ્રના વડપણ હેઠળ જાહેરસભા યોજવામાં આવી. તેણે લ્યુડેન્ડોર્ફ સાથે નવી સરકારની સ્થાપનાની જાહેરાત કરી અને બર્લિન સરકારને તોડી પાડવા બંદૂકની અણીએ કહ્રનો તથા સ્થાનિક લશ્કરનો ટેકો માગ્યો.[૩૨]પ્રથમ તક મળતા જ કહ્ર ભાગી ગયા અને હિટલરના વિરોધીઓ સાથે જોડાયા તથા હિટલરને આપેલો ટેકો પાછી ખેંચી લીધો.[૩૩]આગામી દિવસે, હિટલર અને તેના સમર્થકોએ બાવેરિયાની સરકારને ઉથલાવી પાડવા માટે બીઅર હોલથી બાવેરિયન યુદ્ધ મંત્રાલય સુધીની ’’બર્લિન પર કૂચ’’ શરૂ કરી ત્યારે પોલીસે તેમને વિખેરી નાખ્યા. સોળ એનએસડીએપી સભ્યો (Sixteen NSDAP members) મૃત્યુ પામ્યા.[૩૪]
હિટલર ભાગીને અર્ન્સટ હેન્ફસ્ટેન્જલ (Ernst Hanfstaengl)ના ઘરે ગયો અને આત્મહત્યાનું વિચારવા માંડ્યો.મોટી દગાખોરી (high treason) બદલ તેની ટૂંક સમયમાં જ ધરપકડ થઈ.આલ્ફ્રેડ રોઝેનબર્ગ (Alfred Rosenberg) પક્ષના કામચલાઉ વડા બન્યા.સુનાવણી દરમિયાન બોલવા માટે હિટલરને અમર્યાદિત સમય અપાયો અને પોતાના બચાવ વક્તવ્યમાં તેણે રાષ્ટ્રવાદી લાગણીઓ વ્યક્ત કરી, જેનાથી તેની લોકપ્રિયતા વધી. મ્યુનિકની વ્યક્તિ રાષ્ટ્રીય સ્તરે જાણીતી હસ્તી બની. 1 એપ્રિલ 1924ના રોજ હિટલરને લેન્ડસબર્ગ જેલ (Landsberg Prison) ખાતે પાંચ વર્ષ કેદની સજા થઈ.રક્ષકો હિટલર પ્રત્યે કૂણુ વલણ દાખવતા અને તેના પર પ્રશંસકો (admirers)ના ઢગલો પત્ર આવતા. રાજકીય કેદીઓને માફી આપવાના નિર્ણયના ભાગરૂપે તેને ડિસેમ્બર 1924માં જેલમાંથી મુક્તિ અપાઈ.રિમાન્ડના સમયનો સમાવેશ કરતા હિટલરે એક વર્ષ કરતા થોડો વધારે સમય સજા ભોગવી.[૩૫]
28 જૂન 1925ના રોજ હિટલરે ઉફિંગ (Uffing)થી ન્યૂયોર્ક શહેર (New York City)માં ધ નેશન (The Nation)(The Nation)ના સંપાદકને પત્ર લખ્યો, જેમાં તેણે પોતે કેટલો સમય જેલમાં રોકાયો તે લખ્યુ હતુ અને ’’સેન્ડબર્ગ એ. એસ. (એસઆઈસી) ખાતે તેના સ્વાતંત્ર્યનું હનન થયું.[૩૬]
[ફેરફાર કરો] મેઈન કેમ્પફ (Mein Kampf)
લેન્ડસબર્ગમાં હતો ત્યારે તેણે મેઈન કેમ્પફ (Mein Kampf) (મારો સંઘર્ષ, મૂળ નામ જૂઠ્ઠાણા, મૂર્ખતા અને કાયરતા સામે સંઘર્ષના ચાર વર્ષહતુ) તેના સહાયક રુડોલ્ફ હેસ્સ (Rudolf Hess)ને સમર્પિત કર્યુ હતું.[૩૫]ત્હુલે સોસાયટીના સભ્ય ડૈટ્રિક એકાર્ટને સમર્પિત કરાયેલું પુસ્તક આત્મકથા (autobiography) હતુ અને તેમાં તેના વિચારો રજૂ કરાયા હતા. તે બે ભાગમાં 1925 અને 1926માં પ્રકાશિત થઈ અને 1925થી 1934ની વચ્ચે તેની 2,40,000 નકલો વેચાઈ. યુદ્ધના અંત સુધીમાં, લગભગ 10 , લાખો નકલો વેચાઈ અથવા વહેંચવામાં આવી (નવપરિણિતો અને સૈનિકોને મફતમાં નકલ અપાતી).
હિટલર વર્ષો સુધી તેના પુસ્તકની રોયલ્ટીનો કર ચૂકવવાથી ભાગતો રહ્યો અને તેના પર કુલ 4,05,500 રિકમાર્ક (Reichsmarks)ની કરજવાબદારી હતી. (પાઉન્ડ 6 મિલિયન આજની રીતે) ચાન્સેલર બન્યો ત્યાં સુધીમાં તેણે આટલા નાણા ભરવાના બાકી હતા (ચાન્સેલર બન્યા પછી તેનુ દેવુ માફ થઈ ગયુ).[૩૭][૩૮]
યુરોપમાં મેઈન કેમ્પફ (Mein Kampf) ના કોપીરાઈટ (copyright) પર ફ્રી સ્ટેટ ઓફ બાવેરિયાનો અઘિકાર છે, જે 31 ડિસેમ્બર 2015માં પૂરો થાય છે. જર્મનીમાં પુનઃઉત્પાદનને માત્ર અભ્યાસના હેતુથી અધિકૃત કરવામાં આવ્યું છે અને તેમાં ટિપ્પણીઓના સ્વરૂપમાં છે. આમ છતાં સ્થિતિ અસ્પષ્ટ છે. ઈતિહાસરકાર વેર્નર માસેરે બિલ્ડ એમ સોન્ટેગ (Bild am Sonntag) સાથેના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે બાવેરિયા પાસેથી કોપીરાઈટના અધિકાર મેળવવા માટે હિટલરના ભત્રીજા લીઓ રૌબલના દીકરા પીટર રૌબલ પબાસં મજબૂત કાયદાકીય કારણો છે.રૌબલે જણાવ્યું છે કે પુસ્તકના અધિકારનો કોઈ હિસ્સો તેમને જોઈતો નથી, આ હિસ્સાનું મૂલ્ય લાખો યુરો થઈ શકે છે.[૩૯]અસ્પષ્ટ સ્થિતિએ પોલેન્ડ અને સ્વિડન (Sweden)માં સુનાવણીઓની સ્થિતિ સર્જી છે.આમ છતાં મેઈન કેમ્પફ(Mein Kampf)ને યુએસ (U.S.) સહિત તૂર્કી (Turkey) અને ઈઝરાયેલ (Israel) જેવા દેશોમાં પ્રકાશકોએ વિવિધ રાજકીય સ્થિતિઓ સાથે પ્રકાશિત કરી છે.
[ફેરફાર કરો] પક્ષનું પુનઃનિર્માણ
હિટલરને મુક્ત કરવામાં આવ્યો ત્યારે જર્મનીમાં રાજકીય પરિસ્થિતિ શાંત થઈ ગઈ હતી અને અર્થતંત્ર સુધર્યુ હતું, જેણે સંઘર્ષ માટેની હિટલરની તકો પર અવળી અસર પહોંચાડી હતી. હિટલર બળવાના કારણે હિટલરને થોડુ રાજકીય વર્ચસ્વ મળ્યું હોવા છતાં તેના પક્ષનું મુખ્યમથક મ્યુનિક જ રહ્યુ હતું.
હિટલરના જાહેર વક્તવ્ય પર હજુ પણ પ્રતિબંધ હોવાના કારણે તેણે ગ્રેગર સ્ટ્રેસર (Gregor Strasser)ની નિમણૂક કરી હતી અને તેમને ઉત્તર જર્મનીમાં પક્ષને સુવ્યવસ્થિત કરવા અધિકૃત કર્યા હતા, ગ્રેગર 1924માં રિક્સઓર્ગેનાઈઝેશન્સલેઈટર તરીકે રિકસ્ટેજ (Reichstag)માં ચૂંટાયા હતા. સ્ટ્રેસરની સાથે તેનો નાનો ભાઈ ઓટ્ટો (Otto) અને જોસેફ ગોબેલ્સ (Joseph Goebbels) પણ જોડાયા અને તેમણે પક્ષના કાર્યક્રમમાં સમાજવાદી પરિબળ પર ભાર મૂક્યો અને સ્વતંત્ર પદ્ધતિની દિશામાં આગળ વધતા રહ્યા. આર્બેઈટ્સજેમેઈન્શાફ્ટ ડેર ગૌલેઈટર નોર્ડ-વેસ્ટ આંતરિક વિરોધીઓ બન્યા અને હિટલરના પ્રભુત્વ સામે જોખમ ઉભુ થયું, જો કે ૧૯૨૬માં બેમ્બર્ગ સંમેલન (Bamberg Conference) કે જે વખતે ગોબેલ્સ હિટલર સાથે જોડાયો હતો ત્યારે આ જૂથનો પરાજય થયો.
આ સંઘર્ષ પછી હિટલરે પક્ષનું વધારે કેન્દ્રીકરણ કર્યું અને ફુહરરપ્રિન્ઝિપ (Führerprinzip) ("નેતા સિદ્ધાંત")ને પક્ષ સંગઠનના મૂળ સિદ્ધાંત તરીકે સ્થાપ્યો. નેતાઓને તેમના જૂથ દ્વારા ચૂંટવામાં આવતા નહોતા, પરંતુ ઉપરીઓ દ્વારા તેમની નિમણૂક થતી હતી અને તેઓ ઉપરીઓને જવાબદાર હતા અને નીચલા સ્તરના સભ્યોએ ચૂપચાપ આદેશનું પાલન કરવાનું હતું. લોકશાહી (democracy) માટેની હિટલની ધૃણાને અનુરૂપ તમામ સત્તાઓ અને શક્તિઓ ઉચ્ચ સ્તરના સભ્યો પાસે જ રહેતી.
હિટલરની દલીલોનું મુખ્ય પરિબળ એ વર્સેલ્સ સંધિ દ્વારા રાષ્ટ્રીય ગૌરવના ભંગ માટે લાગણીઓની ઉશ્કેરણી હતું, પશ્ચિમી સત્તાઓએ હારેલા જર્મન સામ્રાજ્ય (German Empire) પર વર્સેલ્સ સંધિ થોપી મારી હતી. જર્મનીએ આર્થિક દ્રષ્ટિએ મહત્વના યુરોપીય વિસ્તારો તથા વસાહતો ગુમાવ્યા હતા અને યુદ્ધની તમામ જવાબદારીઓ સ્વીકારી જર્મનીએ જંગી વળતરો (reparations) ચૂકવવા સંમતિ દર્શાવી હતી, કે જેનો કુલ આંકડો 132 અબજ માર્ક્સ (marks) હતો. મોટા ભાગના જર્મનોના મનમાં આ શરતો પ્રત્યે અણગમો હતો, પરંતુ "આંતરરાષ્ટ્રીય જ્યુરી"ને અપમાન માટે દોષિત ગણાવી સમર્થન મેળવવાના નાઝી પક્ષના શરૂઆતના પ્રયત્ન સફળ થયા નહોતા, ખાસ કરીને મતદાનમાં આની અસર દેખાઈ નહોતી. પક્ષે ઝડપથી બોધ લીધો અને તરત જ વધારે સઘન પ્રોપગેન્ડા અસ્તિત્વમાં આવ્યો, કે જેમાં યહૂદીવિરોધીવાદ અને "વેઈમર પદ્ધતિ"ની નિષ્ફળતા તથા તેને સમર્થન આપતા પક્ષો પર પ્રહારોનું મિશ્રણ કરવામાં આવ્યું.
બળવા દ્વારા રીપબ્લિકને ઉથલાવવામાં નિષ્ફળતા મળતા હિટલરે "કાયદાકીય રણનીતિ" અપનાવીઃ આનો અર્થ એવો થતો હતો કે કાયદેસરની સત્તા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી તેણે વેઈમર રીપબ્લિકના નિયમોનું ઔપચારિક રીતે પાલન કરવું.ત્યાર બાદ તેણે વેઈમર રીપબ્લિકની સંસ્થાઓના ઉપયોગ દ્વારા તેનો નાશ કરવો પોતાને સરમુખત્યાર તરીકે સ્થાપિત કરવો. પક્ષના કેટલાક સભ્યો, ખાસ કરીને અર્ધલશ્કરી એસએના સભ્યો, એ આ રણનીતિનો વિરોધ કર્યો, રોહ્મે હાંસી ઉડાવતા હિટલરને "એડોલ્ફ લીગલાઈટ " કહ્યો.
[ફેરફાર કરો] સત્તાનો ઉદય
| નાઝી પક્ષ ચૂંટણીના પરિણામ |
||||
| Date | Votes | Percentage | Seats in Reichstag | Background |
| મે 1924 (May 1924) | 1,918,300 | 6.5 | 32 | હિટલર જેલમાં |
| ડિસેમ્બર 1924 (December 1924) | 907,300
|
3.0 | 14 | જેલમાંથી હિટલરની મુક્તિ |
| મે 1928 (May 1928) | 810,100 | 2.6 | 12 | |
| સપ્ટેમ્બર 1930 (September 1930) | 6,409,600 | 18.3 | 107 | નાણાકીય કટોકટી બાદ |
| જુલાઈ 1932 (July 1932) | 13,745,800 | 37.4 | 230 | પ્રમુખપદ માટે હિટલર ઉમેદવાર બન્યો ત્યાર બાદ |
| નવેમ્બર 1932 (November 1932) | 11,737,000 | 33.1 | 196 | |
| માર્ચ 1933 (March 1933) | 17,277,000 | 43.9 | 288 | જર્મનીના ચાન્સેલર તરીકેના હિટલરના કાર્યકાળ દરમિયાન |
[ફેરફાર કરો] સળગતુ વહીવટીતંત્ર
1930માં મહા મંદી (Great Depression)એ જર્મનીને ભરડો લીધો ત્યારે હિટલર માટે રાજકીય વળાંક આવ્યો. વૈઈમર રીપબ્લિકના પાયા ક્યારેય મજબૂત થયા નહોતા, કારણ કે જમણેરી રૂઢિચુસ્તો (conservatives) (રાજાશાહીવાદીઓ સહિત), સામ્યવાદીઓ અને નાઝીઓ તેનો ખુલ્લેઆમ વિરોધ કરતા હતા. લોકતંત્રમાં માનતા પક્ષો પ્રત્યાઘાતી પગલા અંગે એકમત સાધી શક્યા નહિ ત્યારે સંસદીય રીપબ્લિક (parliamentary republic)નું મહા જોડાણ (Grand Coalition) તૂટી પડ્યું અને તેના સ્થાને લઘુમતિ કેબિનેટ આવી. રોમન કેથોલિક સેન્ટર પાર્ટી (Centre Party)ના નવા ચાન્સેલર હેઈનરિક બર્નિંગ (Heinrich Brüning) સંસદમાં બહુમતિ ધરાવતા નહોતા, તેમણે પ્રમુખની કટોકટી હુકમનામા (emergency decrees)નો ઉપયોગ કરીને પગલાઓનો અમલ કરવો પડ્યો. મોટા ભાગના પક્ષો હુકમનામા દ્વારા બનેલા નિયમોને સહન કરે તો સંસદનું કોઈ મહત્વ રહે નહિ અને સરકારના સરમુખત્યારશાહી (authoritarian) સ્વરૂપનો માર્ગ મોકળો થાય.
રિકસ્ટેજે બર્નિંગના પગલાઓના વિરોધની શરૂઆત કરતાં સપ્ટેમ્બર 1930માં સમય કરતા વહેલી ચૂંટણી યોજવી પડી. મહા જોડાણ ટકાવી રાખવામાં અને બહુમતિ જાળવવામાં રિપબ્લિકન પક્ષો નિષ્ફળ ગયા, જ્યારે કે નાઝીઓનો અચાનક ઉદય થયો, નાઝીઓએ 18.3%% મતોની સાથે 107 બેઠકો મેળવી. પરિણામે છઠ્ઠો સૌથી નાનો પક્ષ બીજા ક્રમનો સૌથી મોટો પક્ષ બની ગયો.
સપ્ટેમ્બર-ઓક્ટોબર 1930માં લેઈપ્ઝિગ (Leipzig) ખાતેની સુનાવણીમાં હિટલર મહત્વના બચાવ સાક્ષી તરીકે ઉભો રહ્યો, રિકસ્વેર્હ (Reichswehr)ના બે જુનિયર પર નાઝી પક્ષના સભ્ય હોવાનો આરોપ હતો અને તે સમયે નાઝી રિકસ્વેર્હના માણસો માટે નાઝીપક્ષના સભ્ય બનવા પર પ્રતિબંધ હતો.[૪૦]બે અધિકારીઓ, લેફ્ટનન્ટ રિચર્ડ શેરિંગર અને હાન્સ લ્યુડિને છડેચોક સ્વીકાર્યુ કે તેઓ નાઝી પક્ષના સભ્ય છે અને પોતાના બચાવમાં તેમણે જણાવ્યું કે રિકસ્વેર્હમાં નોકરી કરનાર પર નાઝી પક્ષના સભ્ય બનવા અંગે પ્રતિબંધ હોવો જોઈએ નહિ. [૪૧]ફરિયાદી પક્ષે જ્યારે એવી દલીલ કરી કે નાઝી પક્ષ એ ખતરનાક વિપ્લવવાદી પરિબળ છે, ત્યારે બચાવ પક્ષના વકીલોમાંથી એક એવા હાન્સ ફ્રેન્ક (Hans Frank)એ હિટલરને હાજર કર્યો અને એવું સાબિત કરવા પ્રયત્ન કર્યો કે નાઝી પક્ષ એ કાયદાનું પાલન કરતો પક્ષ છે. [૪૨]પોતાના નિવેદનમાં હિટલરે ભારપૂર્વક જણાવ્યું કે તેમનો પક્ષ કાયદેસર રીતે સત્તા મેળવવા કૃતનિશ્ચયિ છે અને "રાષ્ટ્રીય ક્રાંતિ" શબ્દનું માત્ર "રાજકીય" દ્રષ્ટિએ અર્થઘટન થયુ હતું, તેમનો પક્ષ રિકસ્વેર્હનો મિત્ર છે, દુશ્મન નહિ.[૪૩]25 સપ્ટેમ્બર 1930ના રોજ આપેલા નિવેદનના કારણે અધિકારી કક્ષાના ઘણા લોકો તેના પ્રશંસક બન્યા.[૪૪]
બર્નિંગે બજેટમાં લીધેલા કઠોર (austerity) નાણાકીય પગલાઓથી આર્થિક સુધારો થોડા પ્રમાણમાં જ આવ્યો અને લોકોમાં તેના પગલા અત્યંત ટીકાપાત્ર બન્યા. આવી સ્થિતિમાં હિટલરે જર્મન ખેડૂતો, યુદ્ધમાં ભાગ લેનાર સૈનિકો અને મધ્યમવર્ગને અપીલ કરી, 1920ના ફૂગાવાથી અને મંદીના કારણે આવેલી બેરોજગારીથી આ લોકોની સ્થિતિ કફોડી બની હતી.
સપ્ટેમ્બર 1931માં હિટલરની ભાણી ગેલિ રૌબલ (Geli Raubal) તેના મ્યુનિક ખાતેના એપાર્ટમેન્ટના બેડરૂમમાં મૃત અવસ્થામાં મળી (તેની બહેન એન્જેલા (Angela) અને તેણીની પુત્રી ગેલી ૧૯૨૯થી તેની સાથે મ્યુનિકમાં રહેતા હતા), જે પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા હતી.ગેલિને હિટલર સાથે પ્રણયના સંબંધો હોવાનું મનાતુ હતું અને તેણી હિટલર કરતા 19 વર્ષ નાની હતી અને તેણે હિટલરની બંદૂકનો ઉપયોગ કર્યો હતો. ભાણીના મૃત્યુએ હિટલરને ઉંડા દુઃખમાં ધકેલી દીધો હતો તેવું મનાય છે.[૪૫]
1932માં આગામી પ્રમુખપદની ચૂંટણી દરમિયાન (presidential elections)ઉંમરલાયક પ્રમુખ (President) પૌલ વોન હિન્ડેનબર્ગ (Paul von Hindenburg) સામે ઉભા રહેવાનો હિટલરનો ઈરોદો હતો. 1913માં ઓસ્ટ્રિયા છોડી દીધુ હોવા છતાં હિટલરે હજુ સુધી જર્મન નાગરિકત્વ મેળવ્યુ નહોતુ, જેના લીધે તે સરકારી કાર્યાલયમાં સ્થાન મેળવી શકે તેમ નહોતો. આમ છતાં ફેબ્રુઆરીમાં બ્રુનસ્વિક (Brunswick)ની રાજ્ય સરકાર કે જેમાં નાઝી પક્ષે ભાગ લીધો હતો તેણે હિટલરની નાનકડી વહીવટી હોદ્દા પર નિમણૂક કરી અને 25 ફેબ્રુઆરી 1932ના રોજ તેને બ્રુનસ્વિકનો નાગરિક બનાવ્યો.[૪૬]તે દિવસોમાં રાજ્યો નાગરિકત્વ આપતા હતા, આમ હિટલર આપોઆપ જર્મનીનો નાગરિક બની ગયો અને પ્રમુખપદ ની દોડમાં ઉભા રહેવા લાયક બન્યો.
નવો જર્મન નાગરિક હિન્ડેનબર્ગની સામે પડ્યો અને પ્રત્યાઘાતી રાષ્ટ્રવાદીઓ, રાજાશાહીવાદીઓ, કેથોલિક, રીપબ્લિકન (republican) તથા સમાજવાદી લોકશાહી પક્ષોએ તેને વ્યાપક સમર્થન આપ્યુ. મેદાનમાં સામ્યવાદી (Communist) ઉમેદવાર અને ગૌણ જમણેરી પક્ષના સભ્ય પણ હતા. હિટલરનું અભિયાન "હિટલર યુબેર ડ્યુશલેન્ડ" (જર્મની પર હિટલર) તરીકે ઓળખાયુ.[૪૭] આ નામ દ્વિઅર્થી હતું; હિટલરની સરમુખત્યાર બનવાની મહેચ્છા અને વિમાન દ્વારા તેણે હાથ ધરેલા અભિયાનનો તેમાં સંદર્ભ હતો.[૪૭] આ એકદમ નવો રાજકીય વ્યૂહ હતો કે જેમાં હિટલર એક જ દિવસમાં બે શહેરોમાં ભાષણ આપી શકતો હતો અને તત્કાલિન સમયે આ અંગે કોઈએ સાંભળ્યુ પણ નહોતુ. બંને તબક્કામાં હિટલર બીજો આવ્યો અને એપ્રિલના બીજા તબક્કામાં 35 ટકાથી વધુ મત મેળવ્યા. હિન્ડેનબર્ગ સામે તેનો પરાજય થયો, પરંતુ ચૂંટણીએ તેને જર્મન રાજકારણમાં એક મજબૂત વિકલ્પ બનાવી દીધો.
[ફેરફાર કરો] પાપેન અને શ્લેઈચરની કેબિનેટ
કામરિલ્લા (Camarilla)ના પ્રભાવમાં આવી ગયેલા હિન્ડેનબર્ગ બર્નિંગથી વધારે ને વધારે દૂર થવા માંડ્યા અને ચાન્સેલરને સરમુખત્યારશાહી તથા જમણેરી દિશામાંથી મળતા નિર્દેશો મુજબ પગલા લેવા ફરજ પાડી. આના પરિણામે મે 1932માં બર્નિંગ કેબિનેટે રાજીનામુ આપ્યું.
હિન્ડેનબર્ગે ફ્રાન્ઝ વોન પાપેન (Franz von Papen)ની ચાન્સેલર તરીકે નિમણૂક કરી કે જેઓ "ઉમરાવોની સભા"ના વડા હતા.પાપેન સરમુખત્યારશાહી વલણ ધરાવતા હતા અને રિકસ્ટેડમાં માત્ર રૂઢિચુસ્ત જર્મન રાષ્ટ્રીય જનતા પક્ષ (German National People's Party) (ડીએનવીપી) તેમના વહીવટીતંત્રને ટેકો આપતો હોવાથી તાત્કાલિક તેમણે જુલાઈમાં નવી ચૂંટણીની જાહેરાત કરી. આ ચૂંટણીઓમાં નાઝીઓએ અત્યાર સુધીની સૌથી મોટી સફળતા સાથે 230 બેઠકો મેળવી અને નાઝી પક્ષ રિકસ્ટેજનો સૌથી મોટો પક્ષ બન્યો.
નાઝીઓના ટેકા વગર સ્થિર સરકારની રચના શક્ય નહિ હોવાથી પાપેને હિટલરને વાઈસ-ચાન્સેલર બનવા અને સંસદીય ધોરણે નવી સરકારમાં પ્રવેશવા ઉત્સાહિત કર્યો. જો કે હિટલરે ચાન્સેલર સિવાયનું અન્ય પદ સ્વીકારવા ઈનકાર કર્યો. પાપેનના ભૂતપૂર્વ પક્ષ સેન્ટર પાર્ટી સાથે સમાંતર વાટાઘાટો હાથ ધરીને હિટલરે પાપેન પર દબાણ વધાર્યું અને સેન્ટર પાર્ટી પોતાના દરાખોર સાથીને પદ પરથી નીચે ઉતારવા મથી રહી હતી. બંને વાટાઘાટોમાં હિટલરે માગણી કરી કે સૌથી મજબૂત પક્ષના નેતા હોવાના નાતે તેને ચાન્સેલર બનાવવો જ જોઈ, પરંતુ હિન્ડેનબર્ગ "બોહેમિયન લાન્સ કોર્પોરલ"ને ચાન્સેલરપદે સ્થાપવા સામે સતત વિરોધ કરતા રહ્યા.
પાપેન સરકાર સામેના અવિશ્વાસના મતદાન (vote of no-confidence)ની તરફેણમાં 84% ડેપ્યુટીઓના મત પડતા નવી રિકસ્ટેજનું વિસર્જન કરવામાં આવ્યું અને નવેમ્બરમાં નવી ચૂંટણી (new elections) જાહેર કરાઈ.આ સમયે નાઝીઓએ કેટલીક બેઠકો ગુમાવી પરંતુ 33.1% મતો સાથે નાઝીપક્ષ રિકસ્ટેજનો સૌથી મોટો પક્ષ બન્યો.
પાપેન બહુમતિ મેળવવામાં નિષ્ફળ રહ્યા ત્યાર બાદ તેમણે ફરીવાર સંસદના વિસર્જનની અને અનિશ્ચિત મુદત માટે ચૂંટણી સ્થગિત કરવાની ભલામણ કરી. હિન્ડેનબર્ગે શરૂઆતમાં આનો સ્વીકાર કર્યો, પરંતુ જનરલ કુર્ટ વોન શ્લેઈચર (Kurt von Schleicher) અને લશ્કરે ટેકો પાછો ખેંચી લેતા હિન્ડેનબર્ગે પાપેનને બરતરફ કરીને શ્લેઈચરની નિમણૂક કરી, શ્લેઈચરે સોશિયલ ડેમોક્રેટ્સ, ટ્રેડ યુનિયન અને ગ્રેગર સ્ટ્રેસરના નેતૃત્વ હેઠળના નાઝી પક્ષના અસંતુષ્ટો સાથે વાટાઘાટો દ્વારા બહુમતિ ધરાવતી સરકારની સ્થાપનાનું વચન આપ્યું. જો કે 1933માં શ્લેઈચરે નિષ્ફળતા સ્વીકારવી પડી અને અગાઉ પોતે જેનો વિરોધ કર્યો હતો તેના માટે ભલામણ કરી, હિન્ડેનબર્ગને કટોકટી લાદવા અને ચૂંટણી સ્થગિત કરવા જણાવ્યું, સામા પક્ષે પ્રમુખે શ્લેઈચરને બરતરફ કર્યા.
[ફેરફાર કરો] ચાન્સેલર તરીકે નિમણૂક
દરિમયાનમાં પાપેને જનરલના પતન માટે કામ કરીને શ્લેઈચર પર તેનો બદલે લેવા પ્રયત્ન કર્યો, આ માટે તેમણે કામરિલ્લા અને મીડિયા માંધાતા અને ડીએનવીપીના અધ્યક્ષ આલ્ફ્રેડ હ્યુજેનબર્ગ (Alfred Hugenberg) સાથે મળીને ષડયંત્ર રચ્યુ. આ ષડયંત્રમાં હાલ્મસ શાશે (Hjalmar Schacht), ફ્રિટ્ઝ થાઈસ્સેન (Fritz Thyssen) અને અન્ય અગ્રણી જર્મન ઉદ્યોગપતિઓ પણ જોડાયા. તેમણે નાઝી પક્ષને નાણાકીય મદદ કરી, કે જે જંગી અભિયાનના કારણે નાદારીના આરે આવીને ઉભી હતી. ઉદ્યોગપતિઓએ હિન્ડેનબર્ગને પત્ર પણ લખ્યો અને વિનંતી કરી કે હિટલરને સરકારના વડા તરીકે નિમવામાં આવે તથા તેને ’’સંસદીય પક્ષોથી સ્વતંત્ર’’ રાખવામાં આવે, કે ’’જે લાખો લોકોને સંમોહિત’’ કરનાર પગલુ બની શકે.[૪૮]
આખરે પ્રમુખે અનિચ્છાએ હિટલરને એનએસડીએપી અને ડીએનવીપીની સંયુક્ત સરકારના ચાન્સેલર તરીકે નિમવા સંમતિ આપી. આમ છતાં મર્યાદિત પ્રધાનમંડળનું માળખુ રાખીને નાઝીઓ પર નિયંત્રણ રાખવામાં આવ્યું, જે અંતર્ગત પાપેનને વાઈસ ચાન્સેલર (Vice-Chancellor) અને હ્યુજેનબર્ગને નાણાપ્રધાન બનાવવાનું પગલું મહત્વપૂર્ણ હતું.હિટલર ઉપરાંત ખાતુ મેળવનાર એક માત્ર નાઝી વિલહેલ્મ ફ્રિક (Wilhelm Frick) હતો કે જેને સત્તા વગરનું આતંરિક બાબતોનું મંત્રાલય સોંપાયુ હતુ. (અન્ય દેશોમાં આંતરિક પ્રધાનો પાસે રહેતી મોટા ભાગની સત્તાઓ તે સમયે જર્મનીમાં રાજ્યના આંતરિક પ્રધાનો પાસે હતી.)નાઝીઓને પ્રસન્ન કરવાના હેતુથી ગોરિંગને ખાતા વગરના પ્રધાન (minister without portfolio) બનાવવામાં આવ્યા.પાપેન કઠપૂતળીની જેમ હિટલરનો ઉપયોગ કરવા માગતા હતા, પરંતુ નાઝીઓએ મહત્વના સ્થાનો મેળવી લીધા. ઉદાહરણ તરીકે હિટલર ચાન્સેલર બન્યો તે સમજૂતિ અંતર્ગત ગોરિંગને પ્રશિયા (Prussia)નો આંતરિક મંત્રી બનાવવામાં આવ્યો, જેના લીધે તેની પાસે જર્મનીના સૌથી મોટા પોલીસદળનો અંકુશ આવ્યો.
30 જાન્યુઆરી 1933ની સવારે હિન્ડેનબર્ગની ઓફિસમાં હિટલરે ચાન્સેલર તરીકે શપથ લીધા, કેટલાક નીરિક્ષકોએ બાદમાં આને સરળ અને ટૂંકા સમારોહ તરીકે ઓળખાવ્યો. તેણે ચાન્સેલર તરીકે પ્રથમ વક્તવ્ય10 ફેબ્રુઆરીએ આપ્યુ. નાઝીઓ દ્વારા સત્તા પ્રાપ્તિને બાદમાં માશ્ટરગ્રેઈફંગ (Machtergreifung) તરીકે ઓળખવામાં આવી.હિટલરે તેના અંગત અંગરક્ષકો તરીકે રિકશિકેર્હેઈટ્સેડિએન્સ્ટ (Reichssicherheitsdienst)ની સ્થાપના કરી.
[ફેરફાર કરો] રીકસ્ટેજ આગ અને માર્ચ ચૂંટણી.
ચાન્સેલર બન્યા પછી હિટલરે તેના વિરોધીઓના બહુમતિ મેળવવાના તમામ પ્રયત્ન નિષ્ફળ બનાવ્યા. કોઈપણ પક્ષ બહુમતિ નહિ મેળવી શકતા હિટલરે પ્રમુખ હિન્ડેનબર્ગને ફરીથી રિકસ્ટેજના વિસર્જન માટે ફરજ પાડી. ચૂંટણી માર્ચની શરૂઆતમાં યોજવાની જાહેરાત થઈ, પરંતુ 27 ફેબ્રુઆરી 1933ના રોજ રિકસ્ટેજ બિલ્ડિંગમાં આગ લગાડવામાં આવી (Reichstag building was set on fire).[૪૯]બિલ્ડિંગમાં ડચ સ્વતંત્ર સામ્યવાદી (Dutch independent communist)ની ઉપસ્થિતિ જણાતા સામ્યવાદીઓને આગ માટે આરોપી ગણાવાયા. આની પ્રતિક્રિયામાં રિકસ્ટેજ આગ હુકમનામુ (Reichstag Fire Decree) સરકારે 28મી ફેબ્રુઆરીએ બહાર પાડ્યુ અને હેબિઅસ કોર્પસ (habeas corpus) સહિતના પાયાના અધિકારો રદ કરવામાં આવ્યા. આ હુકમનામાની જોગવાઈ અનુસાર જર્મન સામ્યવાદી પક્ષ (German Communist Party) (કેપીડી) અને અન્ય સંગઠનો પર દબાણ આવ્યું અને સામ્યવાદી કાર્યકરો-અધિકારીઓની ધરપકડ થઈ અથવા તેમની સાથે લડાઈ થઈ અથવા તેમની હત્યા થઈ.
નાઝીઓએ અર્ધલશ્કરી હિંસા, સામ્યવાદ વિરોધી જુવાળ અને પ્રોપગેન્ડા માટે સરકારી સ્રોતોના ઉપયોગ સાથે અભિયાન જારી રાખ્યુ. ચૂંટણીના દિવસે 6 માર્ચના રોજ એનએસડીએપીનું પરિણામ વધ્યુ અને 43.9% મત મળ્યા, સૌથી મોટા પક્ષ તરીકેનું સ્થાન જાળવી રાખ્યુ પરંતુ સંપૂર્ણ બહુમતિ નહિ મળતા વિજયનો આનંદ ફિક્કો પડ્યો અને ડીએનવીપી સાથેનું જોડાણ ટકાવી રાખવાની જરૂર ઉભી થઈ.[૫૦]
[ફેરફાર કરો] ’’પોસ્ટડેમનો દિવસ’’ અને એનએબલિંગ એક્ટ
21મી માર્ચે નવા રિકસ્ટેજની રચના થઈ અને તેનો ઉદઘાટન સમારોહ પોસ્ટડેમના ગેરિસન ચર્ચ ખાતે યોજાયો. ક્રાંતિકારી નાઝી ચળવળ અને ’’જૂના પ્રશિયા’’ના ગૌરવ તથા ભવ્યતા વચ્ચે અનુરૂપતા તથા ઐક્ય દર્શાવવાના હેતુથી આ ’’પોસ્ટડેમના દિવસ’’નું આયોજન થયુ હતું. હિટલર લાંબા કોટમાં ઉપસ્થિત રહ્યો હતો અને આદરપૂર્વક વડીલ પ્રમુખ હિન્ડેનબર્ગનું અભિવાદન કર્યું હતું.
નાઝીઓ એકલા હાથે બહુમતિ મેળવવામાં નિષ્ફળ રહ્યા હોવાથી હિટલરની સરકારને નવા ચૂંટાયેલા રિકસ્ટેજ સાથે એનએબલિંગ એક્ટ (Enabling Act) મામલે સંઘર્ષ થયો. આ એક્ટ દ્વારા કેબિનેટ પાસેની કાયદાકીય (legislative) સત્તાઓ ચાર વર્ષ માટે જતી રહે તેમ હતું. આ પ્રકારનો ખરડો અગાઉ ક્યારેય ના આવ્યો હોય તેવુ નહોતુ, પરંતુ આ પ્રસ્તાવમાં બંધારણ દ્વારા માન્ય ન હોય તેવા નિર્ણયો માટે છૂટ આપવામાં આવી હતી. ખરડો પસાર કરવા માટે બે તૃતિયાંશ બહુમતિ જરૂરી હોવાથી સરકાર માટે અન્ય પક્ષોનો ટેકો અનિવાર્ય બન્યો. રિકસ્ટેજમાં ત્રીજા સૌથી મોટા પક્ષ સેન્ટર પાર્ટીનું વલણ નિર્ણયાત્મક બન્યુઃ લુડવિગ કાસ (Ludwig Kaas)ના નેતૃત્વ હેઠળ પક્ષે એનએબલિંગ એક્ટની તરફેણમાં મત આપવા નિર્ણય લીધો. બદલામાં સરકારે ચર્ચના (Church's) સ્વાતંત્ર્ય અંગે મૌખિક ખાતરી આપી, જર્મન રાજ્યો દ્વારા ચર્ચ સાથે કરાતા કરાર અને સેન્ટર પક્ષનું અસ્તિત્વ જાળવી રાખવાનો આમાં સમાવેશ થતો હતો.
23મી માર્ચે અત્યંત મુશ્કેલ સંજોગો વચ્ચે બદલાયેલા સંકુલમાં રિકસ્ટેજની બેઠક મળી. એસએના કેટલાક માણસોએ અંદરની સલામતીનું ધ્યાન રાખ્યુ હતું, જ્યારે કે મોટુ જૂથ સંકુલની બહાર સૂત્રોચ્ચારો કરતુ હતું અને ડેપ્યુટીઓના આગમન અંગે ધમકીઓ આપતુ હતું. કાસે જાહેર કર્યુ કે સેન્ટર પાર્ટી ’’ચિંતાઓને બાજુએ મૂકીને’’ ખરડાને સમર્થન આપશે, જ્યારે કે સોશિયલ ડેમોક્રેડ ઓટ્ટો વેલ્સ (Otto Wels)એ પોતાના વક્તવ્યમાં આ ખરડાનો વિરોધ કર્યો. દિવસના અંતે સોશિયલ ડેમોક્રેટ સિવાયના તમામ પક્ષોએ ખરડાની તરફેણમાં મત આપ્યો. સામ્યવાદીઓ અને કેટલાક સોશિયલ ડેમોક્રેટ્સને ઉપસ્થિત રહેવા દેવામાં આવ્યા નહોતા. એનએબલિંગ એક્ટ અને રિકસ્ટેજ આગ હુકમનામાએ હિટલની સરકારને કાયદેસરની સરમુખત્યારશાહીમાં ફેરવી દીધી.
[ફેરફાર કરો] બાકી રહેલી મર્યાદાઓને ફગાવી
કાયદાકીય (legislative) અને વહીવટી (executive) સત્તાઓના આ સંયોજન સાથે હિટલરની સરકારે બાકી રહેલા રાજકીય વિરોધી (opposition) પર દમન શરૂ કર્યું. જર્મનીના સામ્યવાદી પક્ષ અને સોશિયલ ડેમોક્રેટિક પક્ષ (Social Democratic Party) (એસપીડી) પર પ્રતિબંધ મૂકાયો , જ્યારે કે બાકીના રાજકીય પક્ષોને વિસર્જનની ફરજ પાડવામાં આવી. આખરે 14 જુલાઈએ નાઝી પક્ષને જર્મનીમાં એક માત્ર કાયદેસરનો પક્ષ (only legal party) જાહેર કરાયો. નાઝી અંકુશ હેઠળ મજૂર સંગઠનો (Labour unions) માલિકોના સંઘમાં ભળી ગયા અને જર્મન રાજ્યોની પરંપરાગત સ્વાયત્તતા આંચકી લેવામાં આવી.
એસએ અર્ધલશ્કરી દળોના ઉપયોગથી હિટલરે હ્યુજેનબર્ગને રાજીનામુ આપવા ફરજ પાડી અને રાજકીય રીતે વાઈસ-ચાન્સેલર પાપેનને એકલા પાડી દેવાની દિશામાં પ્રગતિ કરી. એસએ દ્વારા રાજકીય અને લશ્કરી સત્તાઓ માટે વધારે માગણી થતા લશ્કરના નેતાઓમાં રોષ જન્મ્યો હોવાથી હિટલરે એસએના નેતા અર્નસ્ટ રોહ્મ (Ernst Röhm) પર આરોપો લગાવ્યા અને નાઈટ ઓફ લોંગ નાઈવ્સ (Night of the Long Knives) દરમિયાન તેમને નેતૃત્વ છોડવા ફરજ પાડી. એસએ સાથે સંકળાયેલા ના હોય તેવા વિરોધીઓની પણ હ્તાય કરાઈ, જેમાં ગ્રેગર સ્ટ્રેસ્સર અને ભૂતપૂર્વ ચાન્સેલર કુર્ટ વોન શ્લેઈચર ઉલ્લેખનીય છે.[૫૧]
પ્રમુખ પૌલ વોન હિન્ડેનબર્ગ (Paul von Hindenburg) ૨ ઓગસ્ટ ૧૯૩૪ના રોજ મૃત્યુ પામ્યા. નવી ચૂંટણી યોજવાના બદલે હિટલરની કેબિનેટે નવો કાયદો પસાર કર્યો અને પ્રમુખપદને નિષ્ક્રીય કરીને તમામ સત્તાઓ રાજ્યના વડા હિટલરને ફ્યુહરર અને રિકસ્કાન્ઝેલર (નેતા અને ચાન્સેલર) બનાવીને સોંપી.રાજ્યના વડા હોવાના નાતે હિટલર હવે હથિયારી દળોનો સર્વોચ્ચ વડો બન્યો. સૈનિકો અને ખલાસીઓ જ્યારે વફાદારીના પરંપરાગત શપથ લેતા હતા તેમાં પણ ફેરફાર કરાયો અને હિટલરને વફાદાર રહેવાના સોગંદ લેવાની શરૂઆત થઈ.[૫૨]ઓગસ્ટના મધ્યમાં જનતા પાસે મતદાન કરાવાયું, જેમાં 84.6% મતોએ આ પગલાઓને મંજૂરી આપી.[૫૩]તકનીકી રીતે આ પગલાથી બંધારણ (constitution) અને એનએબલિંગ એક્ટ બંનેનો ભંગ થતો હતો. 1932માં બંધારણમાં સુધારો કરીને નવી ચૂંટણી ના થાય ત્યાં સુધી હાઈકોર્ટ ઓફ જસ્ટિસના પ્રમુખ તરીકેનો હોદ્દો ચાન્સેલરના બદલે કાર્યકારી પ્રમુખને સોંપવામાં આવ્યો. એનએબલિંગ એક્ટ દ્વારા સ્પષ્ટપણે એવા કોઈ પણ પગલા લેવાની હિટલરને મનાઈ ફરમાવવામાં આવી હતી કે જેનાથી પ્રમુખપદને કોઈ અસર પહોંચે. આમ છતાં, વિરોધ માટે કોઈએ સાહસ કર્યુ નહિ. આ પગલુ ભરીને હિટલરે પોતાને કાયદેસર રીતે પ્રમુખપદથી દૂર કરી શકે તેવી છેલ્લો રસ્તો પણ બંધ કરી દીધો અને તમામ સત્તાઓ પોતાને હસ્તક લઈ લીધી.
1938માં હિટલરે તેના યુદ્ધ મંત્રી (ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી) વેર્નર વોન બ્લોમબર્ગ (Werner von Blomberg)ને રાજીનામુ આપવા ફરજ પાડી, કારણ કે બ્લોગબર્ગની પત્નીનો ભૂતકાળ ગુનાઈત હોવાનું બહાર આવ્યું હતું. બ્લોમબર્ગની હકાલપટ્ટી પહેલા હિટલર અને તેના સાગરિતોએ ફ્રિટ્શનને દૂર કર્યો કે જેને તેઓ સમલૈંગિક તરીકે ધિક્કારતા હતા (જ્હોન ટોલેન્ડઃ એડોલ્ફ હિટલર) હિટલરે યુદ્ધ મંત્રાલયના બદલે ઓબેરકોમાન્ડો ડેર વેર્હમાશ (Oberkommando der Wehrmacht) (હથિયારી દળોના ઉચ્ચ કમાન્ડો અથવા ઓકેડબલ્યુ)ની સ્થાપના કરી અને વિલહેલ્મ કેઈટેલ (Wilhelm Keitel)ને તેના વડા બનાવ્યા. વધુ મહત્વની વાત એ હતી કે હિટલરે જાહેર કર્યુ કે તે હથિયારી દળોના વ્યક્તિગત રીતે હુકમપદ ધારણ કરશેબ્લોમબર્ગના જૂના હોદ્દામાંથી તેણે હથિયારી દળોના કમાન્ડર-ઈન-ચીફ (Commander-in-chief)નો હોદ્દો પોતાની પાસે રાખી લીધો. પ્રમુખનો હોદ્દો હોવાના કારણે તે અગાઉથી જ સર્વોચ્ચ કમાન્ડર તો હતો જ. બીજા દિવસે અખબારોએ જાહેર કર્યું કે ’’ફ્યુહરરના હાથોમાં સત્તાનું સૌથી વધુ મજબૂત કેન્દ્રીકરણ!’’હકીકતમાં હિટલરે તેને ઉથલાવી પાડવા સક્ષમ હતા તેવા છેલ્લા જૂથનો પણ અંત લાવી દીધો.
[ફેરફાર કરો] ત્રીજુ રિક
સર્વોચ્ચ રાજકીય શક્તિ પ્રાપ્ત કર્યા પછી હિટલરે જનતાનો સહકાર લેવાની શરૂઆત કરી અને મોટા ભાગના જર્મનોના મગજમાં તેણે ઠસાવ્યું કે આર્થિક મંદી, વર્સેલ્સની સંધિ, સામ્યવાદ, "યહૂદી-બોલ્શેવિક્સ (Judeo-Bolsheviks)" અને અન્ય "અનિચ્છનીય" લઘુમતિઓ (minorities) સામે તે જર્મનીનો રક્ષક છે. નાઝીઓએ ગ્લેઈચશાલ્ટુંગ (Gleichschaltung) ("બધુ એકસરખુ બનાવવું") તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા વિરોધીઓને દૂર કર્યા.
[ફેરફાર કરો] અર્થતંત્ર અને સંસ્કૃતિ
જર્મનીએ જોયેલા ઔદ્યોગિક અને નાગરિક સેવાઓના સૌથી મોટા વિસ્તરણો પૈકીના એકની અનુભૂતિ કરાવવામાં હિટલર સફળ રહ્યો અને આના માટે તેણે લશ્કરના વિસ્તરણ અને ઋણની તરલતાની મદદ લીધી. મહિલાઓ પ્રત્યેની નાઝીઓની નીતિઓમાં મહિલાઓને ઘરે રહેવા, બાળકોની સંભાળ રાખવા અને ઘર સાચવવા પ્રોત્સાહિત કરવામાં આવતી. સપ્ટેમ્બર ૧૯૩૪માં રાષ્ટ્રીય સમાજવાદી મહિલા સંગઠન સમક્ષ પોતાના વક્તવ્યમાં હિટલરે જણાવ્યું હતું કે જર્મન મહિલા માટે તેણીનું "વિશ્વ એટલે તેનો પતિ,તેનું કુટુંબ, તેના બાળકો અને તેનું ઘર."આ નીતિને વધુ બળ આપવા માટે ચાર કે તેથી વધુ સંતાનો ધરાવતી મહિલાઓનું ક્રોસ ઓફ ઓનર દ્વારા સન્માન કરાતુ. બેરોજગારીના દરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો, હથિયારોના ઉત્પાદને અને મહિલાઓને ઘરે બેસાડવાના નિર્ણયે મહત્વનો ભાગ ભજવ્યો, મહિલાઓ ઘરે બેસતા હવે પુરુષોને તેમની નોકરી મળવા લાગી. આ બાબત રજૂ કરીને જર્મન અર્થતંત્ર (German economy)એ લગભગ પૂર્ણ રોજગારી (full employment) મેળવી હોવાના દાવા પક્ષે કરવા માંડ્યા અને આ મુદ્દો તે યુગનો પ્રોપગેન્ડા બન્યો. હિટલરના પુનઃનિર્માણ અને સશસ્ત્રીકરણ માટે મોટા ભાગના નાણા હાલ્મેર શાશેએ નાણામાં કરેલી ગોલમાલ દ્વારા અને મેફો વિધેયક (Mefo bills) દ્વારા અનિશ્ચિતતાવાળા ધિરાણને આવરી લેવાથી આવ્યા.
ઓટોબાહ્ન (autobahn)-ઓટો હાઈવે, રેલવેરોડ અને અન્ય નાગરિક કાર્યો સાથે હિટલરે જર્મનીના ઈતિહાસમાં સૌથી મોટા માળખાગત વિકાસના અભિયાનને પણ સાકાર કર્યું. હિટલરની નીતિઓએ કૌટુંબિક જીવનના મહત્વ પર ભાર મૂક્યોઃ પુરુષો રોટલો "કમાનાર" અને મહિલાઓની પ્રાથમિકતા બાળકોના ઉછેરની તથા ઘર સાચવવાની છે તેવું તે માનતો હતો. ઉદ્યોગોમાં પ્રાણ ફૂંકવાનું અને માળખાકીય સુવિધાઓનું કામ એકંદર જીવન ધોરણના ભોગે આવ્યું, બીજા વિશ્વયુદ્ધ અગાઉના વર્ષો દરમિયાન જીવનનિર્વાહના ખર્ચમાં ૨૫% વૃદ્ધિ થવા છતાં વેતનમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો, જેના લીધે વેઈમર રીપબ્લિકના પાછલા તબક્કામાં બેરોજગારીની ગંભીર સમસ્યાની અસર નહિ અનુભવનારાઓને તો આનો અનુભવ થયો જ.[૫૪] આમ છતાં એનએસડીએપીના પરંપરાગત મતદારો મજૂરો અને ખેડૂતોને તેમના જીવનધોરણમાં વૃદ્ધિ થઈ હોવાનું લાગ્યુ.
હિટલરની સરકારે આર્કિટેક્ચરને મોટા પાયે ઉત્તેજન આપ્યું અને એ સાથે એલ્બર્ટ સ્પીર (Albert Speer) રિકના પ્રથમ સ્થાપત્યકાર તરીકે પ્રખ્યાત બન્યા. જર્મન સંસ્કૃતિને ઉત્તમ ગણાવતા હિટલરના અર્થઘટનના અમલીકરણમાં આર્કિટેક્ટ તરીકે મહત્વના રહેનાર સ્પીર બીજા વિશ્વયુદ્ધના આખરી વર્ષમાં શસ્ત્ર મંત્રી તરીકે વધારે અસરકારક પુરવાર થયા. 1936માં બર્લિને ઉનાળુ ઓલિમ્પિક ગેમ્સ (summer Olympic games)ની યજમાની કરી, કે જેનું ઉદઘાટન હિટલરે કર્યું હતું અને અન્ય જાતિઓ કરતાં આર્યો વધારે ચડિયાતા હોવાનું દર્શાવવા માટે તેની કોરિયોગ્રાફી (choreographed) થઈ હતી, જેના પરિણામ મિશ્ર આવ્યા.
હિટલરે બ્રેઈટ્સપર્બાહ્ન (Breitspurbahn) (બ્રોડ ગેજ (broad gauge) રેલ રોડ નેટવર્ક) માટેની યોજના બનાવી હોવા છતાં બીજા વિશ્વયુદ્ધના કારણે તેમાં અવરોધ આવ્યો. આ રેલરોડ બંધાયા હોત તો તેના ગેજ ત્રણ મીટરના હોત અને બ્રિટન (Britain)ના જૂના ગ્રેટ વેસ્ટર્ન રેલવે (Great Western Railway) કરતાં પણ વધારે પહોળા હોત.
પાછળથી વોક્સવેગન બીટલ (Volkswagen Beetle) તરીકે જાણીતી બનેલી કારની ડિઝાઈનમાં હિટલરે થોડુક યોગદાન આપ્યુ હતુ અને ફર્ડિનાન્ડ પોર્શ (Ferdinand Porsche)ની ડિઝાઈન તથા નિર્માણ દ્વારા તેમાં પણ પ્રાણ પૂર્યો હતો.[૫૫]યુદ્ધના કારણે ઉત્પાદન પણ અટકી પડ્યુ.
હિટલર સ્પાર્ટા (Sparta)ને પ્રથમ રાષ્ટ્રીય સમાજવાદી રાજ્ય માનતો અને ખોડ કતે વિકૃતિ ધરાવતા બાળકો માટેની તેની પ્રારંભિક સુપ્રજનનશાસ્ત્ર (eugenics)ની સારવારની પ્રશંસા કરતો.[૫૬]
હિટલરની આર્થિક નીતિઓ અંગેની એક મહત્વની ઐતિહાસિક ચર્ચા “આધુનિકીકરણ“ની ચર્ચા સાથે પ્રસ્તુત છે. ડેવિડ શોએનબૌમ (David Schoenbaum) અને હેન્રી એશબી ટર્નર (Henry Ashby Turner) જેવા ઈતિહાસવિદોએ દલીલ કરી છે કે હિટલરની સામાજિક અને આર્થિક નીતિઓ એ આધુનિક વિરોધી ધ્યેયોની પ્રાપ્તિ માટે હાથ ધરાયેલી આધુનિકીકરણની પ્રવૃત્તિઓ હતી.[૫૭]રેઈનર ઝિટેલમેન્ન (Rainer Zitelmann)ની વિચારધારાને માનતા ઈતિહાસવિદોનું અન્ય એક જૂથ આનો વિરોધ કરતા જણાવે છે કે જર્મન સમાજનું ક્રાંતિકારી આધુનિકીકરણ કરવા હિટલર પાસે ઈરાદાપૂર્વકનો વ્યૂહ હતો.[૫૮]
[ફેરફાર કરો] પુનઃશસ્ત્રીકરણ અને નવા જોડાણો
3 ફેબ્રુઆરી 1933ના રોજ અગ્રણી જનરલો અને એડમિરલો સાથેની બેઠકમાં હિટલરે તેની (જર્મનીના વિકાસ માટે જરૂરી મનાતા) પૂર્વના વિસ્તારો જીતવા લેબેનસ્રૌમ અને તેના ક્રૂર જર્મનીકરણ અંગે વક્તવ્ય આપ્યું અને તેને વિદેશ નીતિનું અંતિમ ધ્યેય ગણાવ્યું. [૫૯]માર્ચ 1933માં જર્મન વિદેશ નીતિના ઉદ્દેશ સાથેનું પહેલું મહત્વનું નિવેદન જોવા મળ્યું, જેમાં ઓસ્વાર્ટિજસ એએમટી (વિદેશ કાર્યાલય)ના સ્ટેટ સેક્રેટરી પ્રિન્સ બર્નહાર્ડ વોન બુલો (મૂંઝાવાની જરૂર નથી, કારણકે જર્મનીના ભૂતપૂર્વ ચાન્સેલર અને પ્રખ્યાત નેતા બર્નહાર્ડ વોન બુલો (Bernhard von Bülow) તેના કાકા હતા)એ જર્મન કેબિનેટને એક મેમો સુપરત કર્યો, જેમાં ઓસ્ટ્રીયા સાથેના એન્શ્લુસ્સ (Anschluss)ની, 1914ની સરહદોના પુનઃસ્થાપનની, વર્સેલ્સની સંધિનો ભાગ-5 ફગાવી દેવાની, આફ્રિકામાં આવેલી જર્મનીની વસાહતો પાછી મેળવવાની તથા પૂર્વ યુરોપ (Eastern Europe)માં જર્મનીનો પ્રભાવ ધરાવતા વિસ્તારો મેળવવાની ભવિષ્યના ધ્યેયની તરફેણ કરાઈ હતી. બુલોના મેમોમાં જાહેર કરાયેલા ધ્યેયો હિટલરને અત્યંત સૌમ્ય લાગ્યા.[૬૦] ફ્રાંસની સીક્યુરિટ (’’સલામતી) માટેની અને જર્મનીની ગ્લેઈશબેરેશ્ટિગંગ (’’શસ્ત્રીકરણમાં સમાનતા)ની માગણી વચ્ચેના સંઘર્ષના નિવારણ માટે માર્ચ 1933માં જીનીવા (Geneva) અને સ્વિટ્ઝર્લેન્ડ (Switzerland)માં વિશ્વ નિઃશસ્ત્રીકરણ સંમેલન (World Disarmament Conference) વખતે બ્રિટિશ વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ (Ramsay MacDonald)એ સમાધાનકારી ’’મેકડોનાલ્ડ યોજના’’ રજૂ કરી. આ યોજનાથી કશું ઉપજશે નહિ તેવું અનુમાન કરીને હિટલરે ’’મેકડોનાલ્ડ યોજના’’ની પ્રશંસા કરી અને તેનું આ અનુમાન સાચુ પડ્યુ અને મધ્યાંતર દરમિયાન તે લંડનમાં થોડીક પ્રશંસા મેળવી શક્યો અને પોતાની સરકારને સૌમ્ય દર્શાવી શક્યો જ્યારે કે ફ્રાંસની સરકાર અક્કડ સાબિત થઈ.[૬૧]
મે 1933માં હિટલરની મુલાકાત મોસ્કોમાં જર્મન રાજદૂત હર્બર્ટ વોન ડ્રિક્સેન (Herbert von Dirksen) સાથે થઈ.ડ્રિસ્કેને ફ્યુહરરને સલાહ આપી કે તેઓ સોવિયેટ યુનિયન સાથેના સંબંધો અકલ્પનીય હદે કથળવા દઈ રહ્યા છે અને આ સોવિયેટ સાથેના આ સંબંધો સુધારવા માટે તાત્કાલિક પગલા લેવા જરૂરી છે.[૬૨]ડ્રિક્સેનને ઘોર નિરાશા સાંપડી અને હિટલરે જણાવ્યું કે પોલેન્ડ સાથે સોવિયેટ-વિરોધી સંધિની તેની ઈચ્છા છે, જેનો સૂચક વિરોધ કરતાં ડ્રિક્સેને જર્મન-પોલિશ સરહદનો ઉલ્લેખ કર્યો, પરિણામે હિટલરે જણાવ્યું કે વર્સેલ્સની સંધિ (Treaty of Versailles)[૬૩]
જૂન 1933માં હિટલરને જર્મન નેશનલ પીપલ્સ પાર્ટીના આલ્ફ્રેડ હ્યુજેનબર્ગ (Alfred Hugenberg)ને હાંકી કાઢવા ફરજ પડાઈ, કે જેણે લંડન વિશ્વ આર્થિક સંમેલન (London World Economic Conference) દરમિયાન આફ્રિકા અને પૂર્વીય યુરોપમાં વસાહતોના વિસ્તરણનો કાર્યક્રમ રજૂ કર્યો હતો અને આ કાર્યક્રમે વિદેશોમાં મોટો વિવાદ સર્જ્યો હતો.[૬૪]1933માં હેમ્બર્ગ (Hamburg)ના બર્જરમેઈસ્ટર સમક્ષ બોલતા હિટલરે જણાવ્યું હતું કે જર્મની યુદ્ધનું જોખમ લેવા માટે પૂરતા હથિયારો ધરાવતુ થાય તે પહેલા અનેક શાંતિપૂર્ણ વર્ષોની જરૂર છે, આમ ના થાય ત્યાં સુધી સાવચેતીભરી નીતિ જરૂરી છે.[૬૫]તેના "શાંતિ વક્તવ્યો"માં 17 મે 1933; 21 મે 1935 અને 7 માર્ચ 1936ના રોજ હિટલરે તેના શાંતિ માટેના અંદાજિત ધ્યેયો પર ભાર મૂક્યો હતો અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિની મર્યાદામાં રહીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.[૬૬]જોકે ખાનગીમાં હિટલરની યોજનાઓ પ્રમાણમાં ઓછી શાંતિપૂર્ણ હતી. 1933માં કેબિનટેની પ્રથમ બેઠકમાં હિટલરે બેરોજગારી રાહત કરતાં લશ્કરી ખર્ચ વધારે રાખ્યો હતો અને હકીકતમાં જો અગાઉનાથી સંતોષ હોય તો તેની ઈચ્છા માત્ર બીજા હેતુ માટે નાણા ફાળવવાની હતી.[૬૭]રિક્સબેન્કના વડા અને ભૂતપૂર્વ ચાન્સેલર ડો. હાન્સ લ્યુથર (Hans Luther)એ પુનઃશસ્ત્રીકરણ (rearmament)ના ભંડોળ માટે 100 મિલિયન રિકમાર્કની કાયદેસરની મર્યાદા માટે નવી સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂક્યો ત્યારે, હિટલરને આ રકમ ખૂબ જ ઓછી લાગી અને માર્ચ ૧૯૩૩માં લ્યુથરની હકાલપટ્ટી થઈ, તેના સ્થાને હાલ્મર શાશ (Hjalmar Schacht)ની નિમણૂક થઈ, કે જે આગામી પાંચ વર્ષ દરમિયાન ૧12 અબજ રિકમાર્ક આપવાનો હતો અને તે રકમનું મૂલ્ય પુનઃશસ્ત્રીકરણની ચૂકવણી માટેના "મેફો બિલ્સ" જેટલુ થતું હતું.[૬૮]
શરૂઆતના વર્ષોમાં હિટલરની વિદેશનીતિમાં મોટુ પગલુ બ્રિટન સાથે જોડાણ બનાવવાનું હતું. ૧૯૨૦ના દસકામાં હિટલરે લખ્યુ હતું કે રાષ્ટ્રીય સમાજવાદી વિદેશનીતિનું ભવિષ્યનું ધ્યેય "ઈંગ્લેન્ડના સહકારથી રશિયા (Russia)નો નાશ કરવાનું હતું."[૬૯]મે 1933માં આલ્ફ્રેડ રોઝેનબર્ગ (Alfred Rosenberg)એ નાઝી પક્ષના ઓસ્વાર્ટિજસ એએમટી (વિદેશ કાર્યાલય)ના વડા તરીકે બ્રિટન સાથેનું જોડાણ મેળવવાના વિધ્વંસક પ્રયાસના ભાગરૂપે લંડન (London)ની મુલાકાત લીધી હતી.[૭૦] સીક્યુરિટ માટેની ફ્રાંસની માગણી મુખ્ય અવરોધ હતી તેવું હિટલરના વિદેશ મંત્રી બેરોન કોન્સેટેટિન વોન ન્યુરાથે (Konstantin von Neurath) વિશ્વના જનમત સમક્ષ દર્શાવ્યું ત્યાર બાદ ઓક્ટોબર ૧૯૩૩માં હિટલરે લીગ ઓફ નેશન્સ (League of Nations) તથા વિશ્વ નિઃશસ્ત્રીકરણ સંમેલન (World Disarmament Conference) બંનેમાંથી જર્મનીને પાછુ ખેંચી લીધું.[૭૧]
વિચારોને અનુરુપ તેણે મેઈન કેમ્પફ (Mein Kampf)(Mein Kampf) અને ઝ્વેઈટ્સ બુચ (Zweites Buch)(Zweites Buch) માં એંગ્લો-જર્મન જોડાણ સ્થાપવાની જરૂરિયાતની તરફેણ કરી છે, નવેમ્બર 1933માં બ્રિટિશ રાજૂદત સર એરિક ફિપ્પસ (Eric Phipps) સાથેની મુલાકાતમાં હિટલરે એક યોજના રજૂ કરી હતી જેમાં બ્રિટન દ્વારા જર્મનીના ત્રણ લાખના મજબૂત જર્મન સૈન્યને ટેકો આપવાના બદલામાં “જર્મની“એ બ્રિટિશ સામ્રાજ્ય (British Empire)ની ખાતરી આપી હતી. [૭૨]આના જવાબમાં બ્રિટને જણાવ્યું હતું કે જર્મન સૈન્યના કદમાં વૃદ્ધિને સમર્થન આપતાં પહેલા દસ વર્ષના સમયગાળા સુધી રાહ જોવી જરૂરી છે.[૭૨]પોલેન્ડ સાથેના સંબંધો એ વિદેશનીતિમાં વધારે અસરકારક પગલુ બન્યા. લશ્કર અને ઓસ્વાર્ટિજસ એએમટીએ આનો ઉગ્ર વિરોધ કર્યો અને સોવિયેટ યુનિયન (Soviet Union) સાથે ગાઢ સંબંધોની ભલામણ કરી, પરંતુ હિટલરે ૧૯૩૩ની પાનખરમાં પોલેન્ડ સાથેની ગુપ્ત મંત્રણા શરૂ કરી જેમાં જાન્યુઆરી 1934ની જર્મન-પોલિશ બિન-આક્રમણ સમજૂતિ (German–Polish Non-Aggression Pact) થઈ.[૭૧]
ફેબ્રુઆરી 1934માં હિટલર બ્રિટિશ લોર્ડ પ્રીવી સીલ (Lord Privy Seal), સર એન્થની એડન (Anthony Eden)ને મળ્યો અને વર્સેલ્સની સંધિ અનુસાર જર્મની પર હવાઈદળ રાખવા સામે પ્રતિબંધ હોવા છતાં જર્મનીએ હવાઈદળ વિકસાવ્યુ હોવાનો ઈશારો કર્યો.[૭૩] 1934ના પાનખરમાં હિટલર ફુગાવા (inflation)ના જોખમોથી ઘટી રહેલી લોકપ્રિયતાના કારણે ઘણો ચિંતિત હતો.[૭૪]કેબિનેટ સમક્ષ આપેલા એક ખાનગી વક્તવ્યમાં નવેમ્બર 5 1934ના રોજ હિટલરે જણાવ્યું હતું કે "તેણે નોકરિયાતોને વચન આપ્યું હતું કે તે ભાવમાં વધારો થવા દેશે નહિ. વધતી કિંમતો સામે જો કોઈ પગલા નહિ લેવાય તો નોકરિયાતો તેને વચનભંગ માટે ગુનેગાર સમજશે.જેના પરિણામે લોકોમાં ક્રાંતિકારી સ્થિતિ સર્જાઈ શકે."[૭૪]
જર્મનીનો સશસ્ત્રીકરણ કાર્યક્રમ 1919થી ગુપ્ત રીતે ચાલી રહ્યો હોવા છતાં માર્ચ 1935માં હિટલરે વર્સેલ્સની સંધિના ભાગ પાંચને ફગાવી દીધો અને જાહેરમાં એલાન કર્યું કે જર્મન લશ્કર (German army)નું 6,00,000 સૈનિકો (વર્સેલ્સની સંધિ કરતાં છ ગણી વધુ સંખ્યા) સુધી વિસ્તરણ કરાશે, હવાઈદળ (લુફ્તવેફ (Luftwaffe)) શરૂ કરાશે અને નૌકાદળ (ક્રિએગ્સમરિન (Kriegsmarine))નું કદ વિસ્તારવામાં આવશે. બ્રિટન, ફ્રાંસ, ઈટાલી અને રાષ્ટ્રસંઘે તરત જ આ પગલાને વખોડી કાઢ્યુ. આમ છતાં હિટલરે ફરી એકવાર ખાતરી આપી કે જર્મનીને માત્ર શાંતિમાં જ રસ છે અને કોઈપણ દેશે આ પગલાને રોકવા પગલા લીધા નહિ અને જર્મનનું પુનઃશસ્ત્રીકરણ ચાલતુ રહ્યું. બાદમાં માર્ચ 1935માં હિટલરે બ્રિટનના વિદેશ સચિવ સર જ્હોન સિમોન (John Simon) અને એડન સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી, જે દરમિયાન લોકાર્નો સમજૂતિ (Locarno pact)ને સમકક્ષ પૂર્વીય યુરોપ માટેની સ્થાનિક સલામતી સમજૂતીમાં જોડાવાના બ્રિટનના પ્રસ્તાવને ટાળવામાં તેને સફળતા મળી, જ્યારે કે બે બ્રિટિશ વડાપ્રધાનોએ હિટલરના જોડાણ માટેના પ્રસ્તાવની અવગણના કરી.[૭૫] સિમોન અને એડન સાથેની વાતચીત દરમિયાને હિટલરે સૌથી પહેલા જેનો ઉપયોગ કર્યો તેને તેણે વસાહતને લગતી બુદ્ધિશાળી વાટાઘાટોના વ્યૂહ તરીકે ઓળખાવી, હિટલરે આફ્રિકામાં રહેલી જર્મનીની જૂની વસાહતો પાછી આપવાની માગણી કરીને સિમોનના રાષ્ટ્રસંઘમાં જોડાવાના પ્રસ્તાવને નકામો બનાવી દીધો. [૭૬]
નાઝી પક્ષના નેતાઓને વચન અપાયુ હતું તેના કરતાં વિપરિત નિર્ણય એપ્રિલ 1935માં ત્રીજા રિકે લીધો હોવાથી નાઝી પક્ષના ઘણા લોકોમાં અસંતોષ છવાયો, ખાસ કરીને અલ્ટેકેમ્પફર (જૂના સેનાનીઓઃ 1930 પહેલા પક્ષમાં જોડાયેલા અને જેમને પક્ષમાં સૌથી વધારે યહૂદી-વિરોધી બનવા માગતા લોકો તરીકે ઓળખવામાં આવતા હતા) અને એસએ (SA) દ્વારા જર્મન યહૂદી લઘુમતિ પર પોતાનો બળાપો કાઢવામાં આવ્યો અને આ બળાપો કાઢવાની પદ્ધતિ એટલી આક્રમક હતી કે સામાન્ય રીતે સત્તાધિશો તેમનું રક્ષણ કરે નહિ.[૭૭]પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો ત્રીજા રિકના બે વર્ષ દરમિયાન સૌથી વધારે નાખુશ હતા, 1933 પહેલા હિટલરે અનેક વખત વચનો આપ્યા હોવા છતાં આર્ય મૂળના જર્મનો અને યહૂદીઓ વચ્ચેના "લગ્ન" કે "સેક્સ" પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર થયો નહોતો. 1935ની વસંતમાં આવેલા ગેસ્ટેપો (Gestapo) અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે નાઝી પક્ષના કાર્યકરોને "અમારા દ્વારા ગતિમાં લવાશે" જે "યહૂદી સમસ્યા"નું સમાધાન હશે અને સરકારે તેને માનવુ પડશે.[૭૮]પરિણામસ્વરૂપે નાઝી પક્ષના કાર્યકરો અને એસએ દ્વારા જર્મન યહૂદીઓ સામે અત્યાચાર, બર્બરતા અને બહિષ્કારનો જુવાળ શરૂ કરવામાં આવ્યો.[૭૯]
18 જૂન 1935ના રોજ એંગ્લો-જર્મન નેવલ એગ્રીમેન્ટ (Anglo-German Naval Agreement) (એ.જી.એ.એન.) પર લંડનમાં હસ્તાક્ષર થયા અને તેના દ્વારા જર્મનીને બ્રિટિશ નૌકાદળના 35% જેટલા વિસ્તરણની મંજૂરી મળી. એ.જી.એન.એ. પર હસ્તાક્ષરને હિટલરે "પોતાના જીવનનો સૌથી ખુશ દિવસ" ગણાવ્યો કારણ કે તે માનતો હતો કે મેઈન કેમ્પફ(Mein Kampf)માં જે એંગ્લો-જર્મન જોડાણની તેણે આગાહી કરી છે, તેની શરૂઆત આ કરારથી થઈ છે.[૮૦]ફ્રાંસ કે ઈટાલીને વિશ્વાસમાં લીધા વગર આ કરાર થયા હતા અને રાષ્ટ્રસંઘની સીધી અવગણના કરાઈ હતી તથા વર્સેલ્સની સંધિને અપ્રસ્તુત બનાવી હતી.[૮૧]એ.જી.એન.એ. પર હસ્તાક્ષર બાદ જૂન 1935માં હિટલરે એંગ્લો-જર્મન જોડાણના નિર્માણમાં આગામી પગલાનો આદેશ આપ્યોઃ ભૂતપૂર્વ જર્મન આફ્રિકન વસાહતોની પુનઃસ્થાપનાની માગણી કરતા તમામ સંગઠનોને સાથે લઈને અને નવા રિક વસાહતી સંઘ (રિક્સ્કોલોનિઅલબંદ (Reichskolonialbund))માં તેમને સાંકળ્યા (ગ્લેઈચશાલ્ટુંગ (Gleichschaltung)), જે આગામી વર્ષોમાં વસાહતોની પુનઃસ્થાપન માટેનો અત્યંત આક્રમક પ્રોપગેન્ડા અભિયાન બન્યું.[૮૨]હકીકતમાં હિટલરને પૂર્વ જર્મન આફ્રિકન વસાહતોમાં કોઈ રસ નહોતો. મેઈન કેમ્પફ(Mein Kampf)માં હિટલરે આફ્રિકામાં વસાહતોના વિસ્તરણ માટે શાહી જર્મન (Imperial German) સરકારનો ઉપયોગ કરવાની 1914 પહેલા ટીકા કરી હતી કારણ કે તે માનતો હતો કે લેબેનસ્રોમ માટેનો કુદરતી વિસ્તારઆફ્રિકા નહિ, પરંતુ પૂર્વ યુરોપ છે.[૮૩]બ્રિટન સાથેની વાટાઘાટોમાં વ્યૂહ તરીકે તેણે આનો ઉપયોગ કર્યો હતો કે જર્મની તેના વસાહતોના દાવાને “ત્યજી“ દે અને બદલામાં બ્રિટન રિક સાથે જર્મનીની શરતો અનુસાર જોડાણ કરે.[૮૪]
1935ના ઉનાળામાં હિટલરને માહિતિ મળી કે ફૂગાવાની સ્થિતિમાં અને જર્મનીના પુનઃશસ્ત્રીકરણ માટે કાચો માલ ખરીદવા વિદેશી વિનિમયની જરૂર હતી ત્યારે લશ્કરના ખર્ચા માટે માત્ર 5 મિલિયન રિકમાર્ક્સ જ ઉપલબ્ધ હતા અને 3,00,000 રિકમાર્ક્સ જેટલી રકમની અત્યંત જરૂર હતી/ખોરાકની અછત નિવારવાનો દિવસ.[૮૫]ઓગસ્ટ 1935માં ડો. હાલ્મર શાશે (Hjalmar Schacht) હિટલરને સલાહ આપી કે યહૂદી -વિરોધી હિંસાના જુવાળના કારણે અર્થતંત્ર પર અવળી અસર પડી રહી છે અને તેના કારણે પુનઃશસ્ત્રીકરણ પણ તકલીફમાં છે.[૮૬]ડો. શાશની ફરિયાદ તથા જર્મન લોકો યહૂદી-વિરોદી હિંસાના જુવાળને પસંદ કરતા નથી અને પોલીસની નિષ્ક્રિયતાના કારણે સરકારની લોકપ્રિયતા ઘટી રહી હોવાના અહેવાલો મળતા હિટલરે જર્મન યહૂદીઓ પર "વ્યક્તિગત પગલા" લેવાનું બંધ કરવા 8 ઓગસ્ટ 1935ના રોજ આદેશ આપ્યો[૮૬]હિટલરને લાગતુ હતું કે યહૂદી-વિરોધી નવો કડક કાયદો લાવવો જરૂરી હતો, કારણ કે આઠમી ઓગસ્ટના હિટલરના આદેશથી નારાજ થયેલા પક્ષના સભ્યોને આશ્વાસન આપવા તથા ખાસ કરીને હિટલરે આવેશમાં આવી જઈને ઉતાવળે પ્રતિબંધનો આદેશ આપ્યો હતો તેવું સમજાવવા અને તેની લાગણીઓ પક્ષના સિદ્ધાંતો સાથે જ છે તેવું સાબિત કરવા આ આદેશ જરૂરી હતો.[૮૬]સપ્ટેમ્બર 1935માં ન્યૂરેમબર્ગ ખાતે યોજાનારી નાઝી પક્ષની વાર્ષિક રેલીમાં રિકસ્ટેજનો પહેલો તબક્કો દર્શાવવાનો હતો કે જે1543થી શરૂ થયો હતો. નાઝીઓના સ્વસ્તિકના ધ્વજને જર્મન રિકનો ધ્વજ બનાવતો કાયદો રિકસ્ટેજ પાસે પસાર કરાવવાની અને ઈથોપિયા (Ethiopia) પર ઈટાલીના ભવિષ્યના આક્રમણને ટેકો આપતું વક્તવ્ય આપવાની હિટલરની યોજના હતી.[૮૭]હિટલરે અનુભવ્યું કે ઈટાલીના આક્રમણથી જર્મની માટે મોટી તકો ખુલી છે. ઓગસ્ટ 1935માં હિટલરે ગોબેલ્સને વિદેશનીતિના ધ્યેય તરીકે "ઈંગ્લેન્ડ સાથેના કાયમી જોડાણને ગણાવ્યું. પોલેન્ડ સાથેના સારા સંબંધોપૂર્વ તરફ વિસ્તરણ બાલ્ટિક અમારું છે...સંઘર્ષ ઈટાલી-એબિસિનિયા-ઈંગ્લેન્ડ, ત્યારબાદ જાપાન-રશિયાઆગામી સંઘર્ષ".[૮૮]
ન્યૂરેમબર્ગ પક્ષ રેલી શરૂ થવાની તૈયારી હતી ત્યારે છેલ્લી ઘડીએ જર્મન વિદેશ મંત્રી બેરોન કોન્સ્ટેન્ટિન વોન ન્યૂરથ (Konstantin von Neurath)એ હિટલરને આક્રમકતાની ઈચ્છા ધરાવવા બદલ ઈટાલીની પ્રશંસા કરતું વક્તવ્ય રદ કરવા પ્રોત્સાહન આપ્યું. ન્યૂરથે હિટલરને એ બાબતે સહમત કરી લીધો કે આનાથી વિદેશમાં હિટલર વિશેના જનમતને વિપરિત અસર પહોંચશે, કારણ કે આનાથી હિટલરના અગાઉના "શાંતિ વક્તવ્ય" કરતાં અલગ સંદેશો જશે અને ન્યુરેમબર્ગમાં 1543 બાદ પ્રથમ વખત યોજાઈ રહેલી રિકસ્ટેજમાં રિક ધ્વજ કાયદા સિવાય અન્ય વિષય પર બોલવાની જરૂરિયાત અચાનક ઉભી થશે.[૮૯]13 સપ્ટેમ્બર 1935ના રોજ હિટલરે આંતરિક મંત્રાલયના બે નાગરિક સેવકો ડો.બર્નહાર્ડ લોસેનર અને ફ્રાન્ઝ એલ્બ્રેશ્ટ મેડિકસને ઝડપથી ન્યૂરેમબર્ગ પહોંચવા અને યહૂદી-વિરોધી કાયદાનું માળખુ તૈયાર કરવા આદેશ આપ્યો કે જેથી હિટલર આ કાયદો 15મી સપ્ટેબરે રિકસ્ટેજ સમક્ષ રજૂ કરી શકે.[૮૭]15મી સપ્ટેમ્બરની સાંજે હિટલરે રાઇશસ્ટેગ સમક્ષ બે કાયદા રજૂ કર્યા, જેમાં "આર્ય" અને જર્મન યહૂદી વચ્ચે લગ્ન તથા સેક્સ પર પ્રતિબંધ, યહૂદી મકાનમાલિકના ઘરમાં 45 વર્ષથી ઓછી ઉંમરની "આર્ય" મહિલાઓના કામ કરવા પર પ્રતિબંધ અને જર્મન નાગરિક તરીકેના અધિકારોથી "બિન-આર્યો"ને બાકાત રાખવાનો સમાવેશ થતો હતો.[૯૦]સપ્ટેમ્બર 1935ના કાયદાઓને સામાન્ય રીતે ન્યુરેમબર્ગ કાયદા (Nuremberg Laws) તરીકે ઓળખવામાં આવે છે.
ઓક્ટોબર 1935માં ખોરાકની અછત રોકવા અને રેશનિંગના અમલ માટે હિટલરે અનિચ્છાએ લશ્કરી ખર્ચમાં ઘટાડાનો આદેશ આપ્યો[૯૧] રિચર્ડ વેલ્થર ડેર્રે (Richard Walther Darré) દ્વારા થયેલી અરજીના જવાબમાં હિટલરે ૧૯૩૬ની વસંતમાં 60 મિલિયન રિકમાર્ક્સના વિદેશી વિનિમયનો ઉપયોગ કરી જર્મન ખેડૂતો માટે બિયારણોનું તેલ ખરીદવા આદેશ આપ્યો, ડો. શાશ અને યુદ્ધ મંત્રી ફિલ્ડ માર્શલ વેર્નર વોન બ્લોમબર્ગ (Werner von Blomberg)એ આ નિર્ણયની આકરી ટીકા કરી અને જણાવ્યું કે ખોરાકની અછત નિવારના વિદેશી મૂડી રોકાણનો ઉપયોગ કરવામાં આવશે ત્યાં સુધી પુનઃસશસ્ત્રીકરણ હાસલ કરવું અશક્ય છે[૮૮] 1936ના પ્રારંભિક સમયમાં આર્થિક સમસ્યાઓના કારણે પોતાની લોકપ્રિયતા ઘટી રહી હોવાનું લાગતા લોકોનું ધ્યાન બીજે વાળવા હિટલરને વિદેશ નીતિના વિજયની જરૂર હોવાનું લાગ્યુ.[૮૮]
ફ્રેન્ચ પત્રકાર બરટ્રાન્ટ ડી જ્યુવેનેલ (Bertrand de Jouvenel) સાથેના ઈન્ટરવ્યૂમાં ફેબ્રુઆરી 1936માં મેઈન કેમ્પફ(Mein Kampf)ને હિટલરે રદિયો આપ્યો અને જણાવ્યું કે પુસ્તકના કેટલાક ભાગ હવે અપ્રસ્તુત છે અને તે પુસ્તકમાં લખ્યા મુજબ કામ કરતો નથી, જો કે કયા ભાગો અપ્રસ્તુત છે તે વિશે હિટલરે કોઈ સ્પષ્ટતા કરી નહિ.[૯૨]માર્ચ 1936માં રહાઈનપ્રદેશના લશ્કરરહિત ક્ષેત્ર (demilitarized zone)ને પુનઃકબજે (reoccupying) કરીને હિટલરે ફરી એકવાર વર્સેલ્સની સંધિનો ભંગ કર્યો. બ્રિટન અને ફ્રાંસે કશું કર્યુ નહિ ત્યારે તેની હિંમત વધારે ખુલી. જુલાઈ 1936માં સ્પેનિશ આંતરિક યુદ્ધ (Spanish Civil War)ની શરૂઆત થઈ, જનરલ ફ્રાન્સિસ્કો ફ્રાન્કો (Francisco Franco)ની આગેવાની હેઠળ લશ્કરે પોપ્યુલર મોરચા (Popular Front)ની ચૂંટાયેલી સરકાર સામે બળવો કર્યો. જનરલ ફ્રાંકોએ જુલાઈ 1936માં મદદ માગતા હિટલરે ફ્રાન્કોના સમર્થનમાં સૈન્ય મોકલ્યું અને સ્પેન જર્મનીના નવા બળો તથા પદ્ધતિઓના પ્રયોગનું સ્થળ બન્યું. બીજી બાજુ આ સમયે હિટલરે એંગ્લો-જર્મન જોડાણ સ્થાપવાના પ્રયત્નો ચાલુ રાખ્યા. જુલાઈ 1936માં તેણે ફિપ્પસ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે જો બ્રિટન રિક સાથે જોડાણ પર સહી કરે તો જર્મની દૂર પૂર્વમાં આવેલા બ્રિટનના સંસ્થાનોનું જાપાન (Japan)ના હુમલાથી રક્ષણ કરવા માટે લશ્કરના બાર ડિવિઝન મોકલશે.[૯૩] હિટલરના પ્રસ્તાવનો અસ્વીકાર થયો.
પુનઃશસ્ત્રીકરણના પગલે જર્મન અર્થતંત્રમાં ઉભરી રહેલી કટોકટીની સ્થિતિના જવાબમાં ઓગસ્ટ ૧૯૩૬માં હિટલરે "ચાર-વર્ષીય યોજનાની નોંધ" જાહેર કરી અને હર્મન ગોરિંગ (Hermann Göring)ને ચાર વર્ષીય યોજના (Four Year Plan)ના અમલ માટે આદેશ કર્યો કે જેથી આગામી ચાર વર્ષની અંદર જર્મન અર્થતંત્રને યુદ્ધ માટે તૈયાર કરી શકાય.[૯૪] 1936ની આર્થિક કટોકટી દરમિયાન જર્મન સરકાર બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. એક જૂથ ("મુક્ત બજાર" જૂથ તરીકે ઓળખાતુ) રિક્સબેન્કના પ્રમુખ હાલ્મર શાશ અને ભૂતપૂર્વ ભાવ કમિશનર ડો. કાર્લ ફ્રેડરિક ગોએરડેલર (Carl Friedrich Goerdeler)ના સમર્થકોનું હતું કે જેઓ લશ્કરી ખર્ચ ઘટાડવા અને આર્થિક સ્વતંત્રતા (autarkic)ની નીતિઓથી દૂર રહેવા પર ભાર મૂકતુ હતુ અને બીજુ જૂથ ગોરિંગનું હતું કે જે વિરોધી અભિપ્રાય ધરાવતુ હતુ. "મુક્ત-બજાર" ને સમર્થન આપતા જૂથમાં કેટલાક અગ્રણી જર્મન વ્યાપારીઓ હતા, જેમાં એઈજી (AEG)ના હર્મન ડ્યુએશર, રોબર્ટ બોશ જીએમબીએચ (Robert Bosch GmbH)(Robert Bosch GmbH)ના રોબર્ટ બોશ અને વેરીનાઈટ સ્ટોલવેર્ક એઈજી (Vereinigte Stahlwerke AG)(AEG)ના એલ્બર્ટ વોએજેલર મુખ્ય હતા. [૯૫] સિદ્ધાંતોમાં ધરમૂળથી ફેરફારોની તરફેણ કરવાના મુદ્દાનો ઓગસ્ટની "ચાર વર્ષીય યોજના"માં સમાવેશ કરતા પહેલા હિટલર 1936ના પ્રથમ ભાગમાં થોડો ખચકાટ અનુભવતો હતો.[૯૬] રિચર્ડ ઓવેરી (Richard Overy) જેવા કેટલાક ઈતિહાસવિદોની દલીલ છે કે હિટલરે પોતે લખેલી નોંધનું મહત્વ એ હકીકત પરથી જાણી શકાય છે કે લખવાનો અત્યંત શોખ ધરાવનાર હિટલર જેવા વ્યક્તિએ ભાગ્યે જ કશુંક નીચુ લખ્યુ છે, આ લખાણ સૂચવે છે કે હિટલર કશુંક વિશેષ મહત્વપૂર્ણ કહેવા માગતો હતો.[૯૭]"ચાર વર્ષીય યોજનાની નોંધ"માં ભવિષ્યની ઘટનાઓની આગાહી કરવામાં આવી હતી, "યહૂદી-બોલશેવિવાદ" અને જર્મન રાષ્ટ્રીય સમાજવાદ વચ્ચેનો ભયંકર સંઘર્ષ પણ તેમાં હતો અને આના લીધે આર્થિક ખર્ચની ચિંતા કર્યા વગર પુનઃશસ્ત્રીકરણ માટે સંપૂર્ણ પ્રયત્ન કરવા જરૂરી હતા.[૯૮]નોંધમાં હિટલરે લખ્યુ હતુઃ
ફ્રેંચ ક્રાંતિ ફાટી નીકળી ત્યારથી વિશ્વ સતત નવા સંઘર્ષો તરફ ગતિ કરી રહ્યું છે, જેના આત્યંતિક ઉકેલને બોલ્શેવિવાદ કહેવામાં આવે છે, બોલ્શેવિવાદનું અંતિમ ધ્યેય અને સાર છે કે અત્યારસુધી માનવજાતિને નેતાઓ આપનાર સમાજના એક વર્ગને સંપૂર્ણપણે દૂર કરવો અને વિશ્વ વ્યાપક જ્યુરી દ્વારા તેનું સ્થાન લેવું.કોઈ પણ રાજ્ય આ ઐતિહાસિક સંઘર્ષથી દૂર રહી શકશે નહિ અથવા તેને રોકી શકશે નહિ. યુરોપમાં અનિયંત્રિત સ્થિતિનું નિર્માણ થશે તેવા ભવિષ્યની આગાહી કરવી તે આ નોંધનું ધ્યેય નથી. આ સંજોગોમાં હું માત્ર મારો ચૂકાદો આપવા માગુ છે કે આ કટોકટી આગમન કરવામાં નિષ્ફળ જશે નહિ અને આ મહા-આપત્તિમાં કોઈપણ ભોગે પોતાનું અસ્તિત્વ સુરક્ષિત બનાવવું તે જર્મનીની ફરજ છે અને તેની સામે પોતાના રક્ષણ માટે શ્રેણીબદ્ધ નિષ્કર્ષો પર ફરજિયાત અમલની સ્થિતિ ઉભી થાય છે, જે આપણા લોકોએ અત્યાર સુધીમાં કરેલા કાર્યોમાં સૌથી મહત્વપૂર્ણ કામને સાંકળે છે. જર્મની પર બોલ્શેવિવાદનો વિજય વર્સેલ્સ જેવી સંધિ તરફ નહિ દોરી જાય પરંતુ આખરી વિનાશ તરફ લઈ જશે અને તે હકીકતમાં જર્મન લોકોનો સર્વનાશ હશે....રિકસ્ટેજ નીચે મુજબના બંને કાયદા પસાર કરે તે મને જરૂરી લાગે છેઃ 1)આર્થિક નુકસાન બદલ મૃત્યુદંડ આપતો કાયદો અને 2) ગુનેગારોના આ સમાજના વ્યક્તિ દ્વારા જર્મન અર્થતંત્રને થયેલા નુકસાન બદલ સમગ્ર ન્યાયપંચને જવાબદાર બનાવતો કાયદો, અને આ રીતે જર્મન લોકો પર.[૯૯]
ચાર વર્ષમાં જર્મન લશ્કરને યુદ્ધ શક્તિના મામલે પ્રથમ લશ્કર બનાવવા હિટલરે આહવાન કર્યું અને લશ્કરના વિકાસ માટે આપણા સ્રોત બહુ મોટા હોઈ શકે નહિ અથવા તેમની ગતિ અત્યંત ઝડપી હશે નહિ‘‘ અને અર્થતંત્રની ભૂમિકા જર્મની ફરી બેઠુ થાય તથા લેબેનસ્રોમ માટે પોતાનું વિસ્તરણ કરે ત્યારે ટેકો આપવા પૂરતી જ હશે.‘‘.[૧૦૦][૧૦૧]ભવિષ્યમાં આવનારા સંઘર્ષને ટાંકીને હિટલરે લખ્યું કે ‘‘મુક્ત બજાર‘‘ જૂથના શાશ અને ગોએરડેલર જેવા સભ્યોએ હાલના લશ્કરી ખર્ચાઓ જોઈને જર્મની નાદાર (bankrupting) થઈ જશે તેવી ચિંતાઓ વ્યક્ત કરી છે, જે અવાસ્તવિક છે.હિટલરે લખ્યું કેઃ ‘‘રાષ્ટ્રના જીવનની સામાન્ય તરાહમાં યોગ્ય સંતુલન હોવું જોઈએ, પરંતુ નિશ્ચિત સમયે ઓછા મહત્વના કાર્યોના ભાગે સંતુલનમાં વિક્ષેપ ઉભો થવો જરૂરી છે.ઝડપથી વિશ્વના શ્રેષ્ઠ સૈન્યની હરોળમાં જર્મનીને લાવવામાં આપણે નિષ્ફળ જઈશું તો જર્મની ગુમાવવુ પડશે‘‘[૯૫]અને ‘‘દેશ અર્થતંત્ર માટે, આર્થિક નેતાઓ માટે કે આર્થિક અથવા નાણાકીય સિદ્ધાંતો માટે નથી જીવતો, પરંતુ નાણા અને અર્થતંત્ર, આર્થિક નેતાઓ અને સિદ્ધાંતો રાષ્ટ્રને ફરી બેઠુ કરવાના સંઘર્ષમાં ગુણવત્તાવિહિન સેવાઓ આપે છે.‘‘[૯૫]હિટલરની ચાર વર્ષીય યોજનાની નોંધ જેવા મુદ્દાઓનો વારંવાર ઉપયોગ કરનારા હેન્રી એશબી ટર્નર (Henry Ashby Turner) અને કાર્લ ડાઈટ્રિક બ્રાચેર (Karl Dietrich Bracher) જેવા જમણેરી ઈતિહાસકારોએ ‘‘રાજકારણની સર્વોપરીતા‘‘ના અભિગમ માટે દલીલ કરી છે (કે હિટલર જર્મન વ્યાપારનો સહાયક નહોતો, પરંતુ વાસ્તવિકતા આના કરતાં અલગ હતી) અને ‘માર્ક્સવાદી ઈતિહાસકારોએ રજૂ કરેલા ‘અર્થતંત્રની સર્વોપરિતા‘‘ના અભિગમની સામે તેઓ આને રજૂ કરે છે. (જે મુજબ હિટલર એ જર્મન વ્યાપારનો એજન્ટ અને સહાયક હતો.)[૧૦૨]
ઓગસ્ટ 1936માં અંશકાલીન નાઝી રાજકારણી જોચિમ વોન રિબ્બેનટ્રોપ (Joachim von Ribbentrop)ની કોર્ટ ઓફ સેન્ટ જેમ્સમાં જર્મન રાજદૂત (German Ambassador to the Court of St. James)તરીકે નિમણૂક કરાઈ. ઓક્ટોબર 1936માં રિબ્બેનટ્રોપ પોતાનો હોદ્દો સંભાળવા ગયા તે પહેલા હિટલરે તેને જણાવ્યુઃ ‘‘રિબ્બેનટ્રોપ... બ્રિટનને સામ્યવાદ-વિરોધી સમજૂતિ માટે તૈયાર કરો, આ એ વસ્તુ છે જેની મને સૌથી વધારે ઈચ્છા છે. મારી પાસેના માણસોમાંથી ઉત્તમ વ્યક્તિ સમજી મેં તમને મોકલ્યા છે. શક્ય હોય તે બધુ કરો...પરંતુ નિષ્ફળ લાગતા પ્રયત્નો ભવિષ્યમાં અસરકારક નિવડે અને તે સમયે હું પણ જો યુદ્ધ માટે તૈયાર હોઈશ.મને તેનું અત્યંત દુઃખ થશે, પરંતુ જો આ થવાનું હોય તો થવું જોઈએ. પરંતુ મને લાગે છે કે આ યુદ્ધ ટૂંકુ હશે અને જે ક્ષણે આ પૂરુ થશે, હું બ્રિટનને કોઈપણ સમયે બંને પક્ષોને કબૂલ હોય તેવી સન્માનજનક શાંતિનો પ્રસ્તાવ આપીશ. આમ છતાં, હું ત્યારે માગણી કરીશ કે બ્રિટન સામ્યવાદ-વિરોધી સમજૂતિ અથવા કદાચ અન્ય કોઈ સંધિમાં જોડાય. પરંતુ આ કામ કરીને બતાવો, રિબ્બેનટ્રોપ, હવે બાજી તમારા હાથમાં છે, સારી રીતે રમો. હું કોઈપણ સમયે હવાઈ સમજૂતિ માટે પણ તે જ રીતે તૈયાર છું. શ્રેષ્ઠ કામ કરો. તમારા પ્રયત્નોમાં હું રસ પૂર્વક જોડાઈશ.‘‘.[૧૦૩]
જર્મની અને ઈટાલી વચ્ચે જોડાણની જાહેરાત ફાસીવાદી સરમુખત્યાર બેનિટો મુસ્સોલિનિ (Benito Mussolini)ના વિદેશ મંત્રી કાઉન્ટ ગાલેન્ઝો સિઆનો (Galeazzo Ciano) દ્વારા 25 ઓક્ટોબર 1936ના રોજ થઈ.આ જ વર્ષે 25 નવેમ્બરે જર્મનીએ જાપાન (Japan) સાથે સામ્યવાદ-વિરોધી (Anti-Comintern Pact) સમજૂતિ સંપન્ન કરી. સામ્યવાદ વિરોધી સંધિ પર હસ્તાક્ષરના સમયે બ્રિટન, ચીન (China), ઈટાલી અને પોલેન્ડને સમર્થન માટે આમંત્રણ મોકલવામાં આવ્યા હતા; આમંત્રિત સત્તાઓમાંથી માત્ર ઈટાલી જ આ સમજૂતિ પર હસ્તાક્ષર કરવાનું હતું. જાપાન સાથેના સંબંધો મજબૂત બનાવવા હિટલર ૧૯૩૭માં ન્યુરેમબર્ગ ખાતે શાસક હિરોહિટો (Hirohito)ના ભાઈ પ્રિન્સ ચિચિબુ (Prince Chichibu)ને મળ્યો.જો કે, આ મુલાકાતમાં કેટલીક અડચણો હતી, કારણકે હિટલરે જર્મનીના હથિયારબંધ જહાજો ચીન (China) પાસે રોકી રાખવાનો કે પછી બીજા ચીન-જાપાન યુદ્ધ (Second Sino-Japanese War) દરમિયાન જર્મન અધિકારીઓને પાછા બોલાવી લેવાનો અસ્વીકાર કર્યો હતો. લશ્કર અને ઓસ્વાર્ટિજસ એએમટી (વિદેશ મંત્રાલય) બંનેએ 1920થી અસ્તિત્વ ધરાવતા ચીન (China) સાથેના જર્મનીના અનૌપચારિક જોડાણનો અંત લાવવાનો સખત વિરોધ કર્યો અને ચીન પર આક્રમણની સ્થિતિ ટાળવા હિટલરને સમજાવ્યો. ઓસ્વાર્ટિજસ એએમટી અને લશ્કર બંનેએ જર્મનીની અસર પહોંચાડનાર વિદેશી વિનિમયની સમસ્યાન ઉલ્લેખ કરીને હિટલર સમક્ષ દલીલ કરી કે ચીન-જર્મની આર્થિક કરારથી વિદેશી વિનિમયનો મોંઘો ખર્ચ કર્યા વગર જર્મનીને કાચો માલ મળતો હતો, આમ જાપાન સાથે જોડાણ કરવું તે નરી મૂર્ખામી છે, કારણ કે આના પરિણામરૂપે ચીન-જર્મની જોડાણનો અંત આવશે.
1937ના પાછલા સમય દરમિયાન એંગ્લો-જર્મન જોડાણ સ્થાપવાનું સપનું હિટલરે પડતુ મૂક્યું અને જોડાણ માટેનો પોતાના પ્રસ્તાવ નહિ સ્વીકારવા બદલ બ્રિટિશ નેતાગીરીને "અયોગ્ય" ગણાવી તેની ટીકા કરી.[૧૦૪] રાષ્ટ્ર સંઘના હાઈ કમિશનર સાથે ડાન્ઝિગના મુક્ત શહેર (Free City of Danzig) માટેની વાટાઘાટો દરમિયાન સપ્ટેમ્બર 1937માં સ્વિસ રાજદ્વારી કાર્લ જેકોબ બુર્કહાર્ડ્ટ, હિટલરે યુરોપમાં આવેલા "જર્મન ક્ષેત્ર"માં બ્રિટનના હસ્તક્ષેપનો વિરોધ કર્યો, જો કે આ જ વાટાઘાટોમાં હિટલરે એવી પણ સ્પષ્ટતા કરી કે બ્રિટન આદર્શ મિત્ર હતું, પરંતુ નર્યા સ્વાર્થીપણાના કારણે તે જર્મનીની યોજનાને રુંધી રહ્યું હતુ.[૧૦૪]
1936-37માં હિટલરે પેટના દુખાવા અને ખરજવાના કારણે પુષ્કળ તકલીફો સહન કરી, આ તકલીફોના પગલે નાઝી પક્ષના પ્રોપગેન્ડા નેતૃત્વ સમક્ષ ઓક્ટોબર 1937માં તેણે નોંધ્યું કે તેના બંને વાલીઓ નાની ઉંમરે મૃત્યુ પામ્યા હતા અને તે પણ કદાચ તેમના જ પગલે હતો, આમ જરૂરી લેબેનસ્રોમ મેળવવા માટે તેની પાસે જીવનના ઓછા વર્ષો બચ્યા હતા.[૧૦૫][૧૦૬]લગભગ આ જ સમયે ડો. ગોબેલ્સે તેની ડાયરીમાં નોંધ્યુ હતું કે હિટલર હવે "મહાન જર્મન સામ્રાજ્ય" જોવા માગતો હતો અને "મહાન જર્મન સામ્રાજ્ય"ના નિર્માણનું કાર્ય અનુગામીઓ પર છોડવાના બદલે તે પોતાના જીવનકાળ દરમિયાન જ આ સપનુ સિદ્ધ કરવા માગતો હતો.[૧૦૭]
5 નવેમ્બર 1937ના રોજ હિટલરે રિક ચાન્સેલરી (Reich Chancellory) ખાતે યુદ્ધ અને વિદેશ મંત્રાલય તથા ત્રણેય સેવાઓના વડાઓ સાથે ગુપ્ત બેઠક યોજી, હોસ્સબાચ નોંધ (Hossbach Memorandum)માં તે નોંધાઈ હતી અને જર્મન લોકો માટે "જીવવા લાયક જગ્યા" લેબેનસ્રૌમ હસ્તગત કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત લેબેનસ્રૌમ મેળવવા માટે યુદ્ધની યોજના બનાવવા માટે પણ તેણે આદેશ કર્યો.પોતાનું મૃત્યુ થાય તો આ સંમેલનની કાર્યનોંધને "રાજકીય ઘોષણાપત્ર" ગણવા હિટલરે જણાવ્યું.[૧૦૮]નોંધમાં હિટલરને એવું કહેતા ટાંકવામાં આવ્યો હતો કે, જર્મન અર્થંત્રમાં કટોકટીનો એવો તબક્કો આવી ગયો છે કે જ્યારે આ કટોકટીને રોકવા અને જર્મનીના જીવનધોરણમાં આવી રહેલા ઘટાડાને ખાળવા માટે નજીકના ભવિષ્યમાં જર્મનીએ ઓસ્ટ્રિયા અને ચેકોસ્લોવાકિયા (Czechoslovakia) પર કબજો જમાવીને આક્રમક નીતિ અપનાવવી પડશે.[૧૦૯][૧૧૦]આ ઉપરાંત હિટલરે જણાવ્યું હતું કે હથિયારોની સ્પર્ધા (arms race)નો અર્થ એવો થતો હતો કે બ્રિટન અને ફ્રાન્સ હથિયારોની સ્પર્ધામાં કાયમી બઢત મેળવે તે પહેલા પગલા લેવાનો સમય આવી ગયો હતો.[૧૦૯]હોસ્સબાચ મેમોમાં સૌથી મોટો ફેરફાર એ હતો કે 1928માં ઝ્યૂઈટ્સ બુચમાં સંભવિત સાથી તરીકે બ્રિટનને જોનાર હિટલરે પોતાનો દ્રષ્ટિકોણ બદલ્યો હતો અને ૧૯૩૭માં હોસ્સબાચ મેમોમાં "નફરતે ખલનાયકને પ્રેરણા આપી હતી"[૧૧૧]ક્લૌસ હિલ્ડેબ્રાન્ડ (Klaus Hildebrand) જેવા ઈતિહાસવિદોએ આ મેમોને બ્રિટન પ્રત્યેના "અનિશ્ચિત પગલાઓ"ની શરૂઆત તરીકે વર્ણવ્યો હતો, જ્યારે કે એન્ડ્રેસ હિલગ્રુબર (Andreas Hillgruber) જેવા બાદના ઈતિહાસકારોની દલીલ હતી કે હિટલર "બ્રિટન વગર" વિસ્તરણ માટે તૈયાર થઈ રહ્યો હતો, "બ્રિટન સાથે" હોય તે ઈચ્છનિય હતું, પરંતુ જરૂર પડે તો "બ્રિટન વિરુદ્ધ" લડવાની પણ તૈયારી હતી.[૮૪][૧૧૨]
હોસ્સબાચ નોંધમાં રજૂ કરાયેલા હિટલરના ઈરાદાઓનો વિદેશ મંત્રી બેરન કોન્સ્ટેટિન વોન ન્યૂરાથ (Konstantin von Neurath), યુદ્ધ મંત્રી ફિલ્ડ માર્શલ વેર્નર વોન બ્લોમબર્ગ અને લશ્કરના કમાન્ડર જનરલ વેર્નર વોન ફ્રિટ્શ (Werner von Fritsch)એ સખત વિરોધ કર્યો અને જણાવ્યું કે પૂર્વીય યુરોપમાં ફ્રેન્ચ જોડાણ પદ્ધતિ હોવાથી પૂર્વીય યુરોપમાં જર્મનીના કોઈપણ આક્રમણના પરિણામે ફ્રાન્સ સાથે યુદ્ધ થશે, જેને કોર્ડન સેનિટાયર (cordon sanitaire) તરીકે ઓળખવામાં આવતુ હતું અને જો ફ્રાન્સ-જર્મની વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યુ તો ફ્રાન્સના પરાજયનું જોખમ લેવાના બદલે યુદ્ધમાં બ્રિટનનો હસ્તક્ષેપ નિશ્ચિત બનશે. [૧૧૩]ઓસ્ટ્રિયા અને ચેકોસ્લોવાકિયા સામેના આક્રમણનો હેતુ પૂર્વ યુરોપમાં શ્રેણીબદ્ધ સ્થાનિક યુદ્ધોની શરૂઆતનો હતો કે જેના લીધે બ્રિટન અને ફ્રાંસ સાથેના આખરી યુદ્ધ પહેલા યુરોપમાં જર્મનીનું સ્થાન સુરક્ષિત બનત.ફ્રિટ્શ, બ્લોમબર્ગ અને ન્યૂરથ તમામે દલીલ કરી હતી કે પૂર્વીય યુરોપમાં સ્થાનિક યુદ્ધોના અત્યંત જોખમી વ્યૂહની હિટલર તરફેણ કરી રહ્યો હતો, જેના લીધે જર્મની વ્યાપક યુદ્ધ માટે તૈયાર થાય તે પહેલા આવા યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા હતી અને તેમણે જર્મનીના પુનઃશસ્ત્રીકરણ સુધી વધારે સમય રાહ જોવાની હિટલરને સલાહ આપી. ન્યુરથ, બ્લોમબર્ગ અને ફ્રિટ્શને જર્મનીના આક્રમણ સામે કોઈ નૈતિક વાંધો નહોતો, પરંતુ યુદ્ધનો ઉત્તમ સમય નક્કી કરવાના મામલે તેમનો વિરોધ હતો.[૧૧૩]
નવેમ્બર 1937 ના પાછલા દિવસોમાં બ્રિટિશ લોર્ડ પ્રીવી સીલ, [[:en:E. F. L. Wood, 1st Earl of Halifax
|લોર્ડ હાલિફેક્સ]] (Lord Halifax) જર્મનીના મહેમાન બનીને આવ્યા, મુલાકાત માટે તેમણે શિકાર માટેના પ્રવાસનું ઉપરછલ્લુ કારણ રજૂ કર્યુ હતું. જર્મનીના મોરચાઓમાં ફેરફાર વિશે બોલતા હાલિફેક્સે હિટલરને જણાવ્યુઃ "યુરોપની વ્યવસ્થામાં સંભવિત ફેરફારોની શ્રેણીમાં અન્ય તમામ પ્રશ્નો આવે છે, કે જેના આગમનની નિયતિ સમયની સાથે લખાયેલી હોય.આ પ્રશ્નોમાં ડાન્ઝિંગ, ઓસ્ટ્રિયા અને ચેકોસ્લોવાકિયાનો પણ સમાવેશ થતો હતો. કોઈપણ તબદિલી શાંતિપૂર્ણ ક્રાંતિના માધ્યમથી આવે તેમાં ઈંગ્લેન્ડને રસ હતો અને ખૂબ મોટી તંગદિલીનું સર્જન કરે તેવી પદ્ધતિઓ ટાળવી જોઈએ."[૧૧૪] હિટલર સમક્ષના નિવેદનમાં હાલિફેક્સે એક નોંધપાત્ર સ્પષ્ટતા કરી હતી કે કોઈપણ પ્રકારના સંભવિત પ્રાદેશિક-સરહદી ફેરફારો શાંતિપૂર્વક આવવા જોઈએ અને રાષ્ટ્રસંઘના કરાર સિવાય પૂર્વીય યુરોપની સુરક્ષા માટે બ્રિટનની જવાબદારી નહોતી, પરંતુ યુદ્ધના માધ્યમથી સરહદોમાં ફેરફારને બ્રિટન સાંખી લેશે નહિ, જો કે હિટલરે આ નિવેદનનું મહત્વ સ્વીકાર્યું કે નહિ તે અસ્પષ્ટ હતું.[૧૧૫] હાલિફેક્સનું નિવેદન સમજવામાં હિટલરને ગેરસમજ થઈ હોય તેવુ લાગે છે, કારણ કે આ નિવેદનનો તેણે અર્થ લીધો કે બ્રિટન માત્ર દૂર ઉભુ રહેશે જ્યારે તે પૂર્વીય યુરોપમાં મર્યાદિત યુદ્ધનો વ્યૂહ અપનાવવા માગતો હતો.
હોસ્સબાચ મેમોમાં પોતાના ઈરાદાઓની ન્યૂરથ, બ્લોમબર્ગ, ફ્રિટ્શ દ્વારા થયેલી ટીકાઓથી હિટલર અત્યંત દુઃખી થયો હતો અને બ્લોમબર્ગ-ફ્રિટ્શ અફેર (Blomberg-Fritsch Affair) દ્વારા 1938ની શરૂઆતમાં લશ્કરી-વિદેશી નીતિઓ પર પોતાનો અંકુશ લઈ લીધો, યુદ્ધ મંત્રાલય નાબૂદ કરીને તેના સ્થાને ઓકેડબલ્યુ (OKW)ની સ્થાપના કરી અને ન્યૂરાથને વિદેશ મંત્રી પદેથી 4 ફેબ્રુઆરી 1938ના રોજ હકાલપટ્ટી કરી અને પોતે ઓબેરસ્ટર બેફેહ્લશાબર ડેર વ્હેરમાશનો હોદ્દો, ભૂમિકા અને સત્તા લઈ લીધા.[૧૧૬]બ્રિટિશ આર્થિક ઈતિહાસકાર રિચાર્ડ ઓવેરી (Richard Overy)નું માનવું હતું કે ફેબ્રુઆરી 1938માં ઓકેડબલ્યુની સ્થાપનાથી હિટલરના ઈરાદાઓ અંગે સ્પષ્ટ નિશાની મળતી હતી, કારણ કે ઓકેડબલ્યુ જેવા સર્વોચ્ચ વડામથક સંગઠનની સ્થાપના યુદ્ધના સમયે થાય, શાંતિના સમયમાં નહિ.[૧૧૭]વિશ્વ યુદ્ધ 2ના અધિકારિક જર્મન ઈતિહાસની દલીલ છે કે 1938ની શરૂઆતથી હિટલરે યુદ્ધનું પ્રબળ જોખમ ધરાવતી વિદેશ નીતિ અપનાવી નહોતી, પરંતુ યુદ્ધના ધ્યેય સાથેની વિદેશ નીતિનો અમલ કરતો હતો.[૧૧૮]
[ફેરફાર કરો] ધી હૌલોકૌસ્ટ, સામૂહિક નરસંહાર
હિટલરની સામાજિક નીતિઓના પાયામાં વંશીય આરોગ્ય (racial hygiene)નો દ્રષ્ટિકોણ રહેલો હતો. તેનો પાયો ફ્રાન્સના વિદ્વાન આર્થર ડે ગોબિન્યુ (Arthur de Gobineau)ના વિચારો પર હતો, કે જેમણે વંશીય શુદ્ધતાની તરફેણ કરી હતી અને સુપ્રજનનશાસ્ત્ર (eugenics)નું તથા સામાજિક ડાર્વિનવાદ (social Darwinism)નું વરવું સ્વરૂપ રજૂ કર્યું હતું. "સૌથી વધુ બળવાનના જ અસ્તિત્વના સિદ્ધાંત (survival of the fittest)" માનવજાતિને લાગુ પાડીને વંશીય શુદ્ધતા અને "નકામી જીંદગીના જીવન" (life unworthy of life)ની હત્યા દ્વારા તેનું અર્થઘટન કરાયું હતું.સૌથી પહેલો ભોગ શારીરિક અને વિકાસની અસમર્થતા ધરાવતા બાળકો બન્યા; આ હત્યાઓ એક્શન ટી4 (Action T4) નામના કાર્યક્રમ હેઠળ કરાઈ.[૧૨૦]લોકોમાં હોબાળો થતા, હિટલરે આ કાર્યક્રમ સમાપ્ત કરવાનો ડોળ કર્યો, પરંતુ હકીકતમાં હત્યાઓ ચાલુ રહી (જુઓ નાઝી સુપ્રજનનશાસ્ત્ર (Nazi eugenics)).
1939 અને 1945ની વચ્ચે એસએસ (SS) કે જેણે સહકારવાદી (collaborationist) સરકારોની મદદ દ્વારા અને કબજા હેઠળના દેશોમાંથી નિમણૂક કરી, પદ્ધતિસર રીતે લગભગ11 અને 14 મિલિયન લોકોને મારી નાખ્યા, જેમાં લગભગ છ મિલિયન જેટલા યહૂદીઓ હતા,[૧૨૧][૧૨૨] આ હત્યાઓ કોન્સન્ટ્રેશન કેમ્પ (concentration camp)ઓ, ગેટો (ghetto)માં અને સામૂહિક હત્યાકાંડો અથવા અન્ય સ્થળોએ ઓછી આયોજનબદ્ધ પદ્ધતિઓ દ્વારા થઈ.ઝેરી ગેસ ઉપરાંત અનેક લોકો ભૂખમરાનાલીધે અને ગુલામ મજૂર (slave labour) તરીકે કામ કરતી વખતે રોગોના કારણે મૃત્યુ પામ્યા (ક્યારેક ખાનગી જર્મન કંપનીઓને લાભ થયો).યહૂદીઓની સાથે બિન-યહૂદીઓ પોલ્સ (Poles) (ત્રણ મિલિયન કરતાં વધારે), સામ્યવાદીઓ અથવા રાજકીય વિરોધીઓ, પ્રતિકાર કરતા જૂથના સભ્યો, સમલૈંગિકો (homosexuals), રોમા (Roma), શારીરિક વિકલાંગો અને માનસિક અશક્તો, સોવિયેટ (Soviet) યુદ્ધ કેદીઓ (prisoners of war) (ત્રણ મિલિયન જેટલા શક્ય છે), જેહોવાહના સાક્ષીઓ (Jehovah's Witnesses), એડવેન્ટિસ્ટ્સ (Adventists) અને નીઓપાંગ (Neopagans), વેપારી મહામંડળો, અને મનોવિજ્ઞાની (psychiatric) દર્દીઓની હત્યા કરાઈ.ઓશવિટ્ઝ-બ્રિકેનુ (Auschwitz-Birkenau)નું સંકુલ અંતિમવાદી કેમ્પ (extermination camp) એ સામૂહિક-હત્યાના સૌથી મોટા કેન્દ્રો પૈકીનું એક હતું.હિટલરે ક્યારેય કોન્સન્ટ્રેશન કેમ્પોની મુલાકાત લધી નહોતી અને ઘાતકી હત્યાઓ વિશે જાહેરમાં બોલ્યો નહોતો.
ધી હોલોકૌસ્ટ (The Holocaust) (એન્ડ્લોસંગ ડેર જ્યુડિશેન ફ્રેજ (Endlösung der jüdischen Frage) અથવા "યહૂદીઓના પ્રશ્નના આખરી ઉકેલ)નું આયોજન અને આદેશ નાઝીઓના નેતૃત્વમાં અપાયા હતા અને હેઈનરિચ હિમ્મલર (Heinrich Himmler)એ મહત્વની ભૂમિકા ભજવી હતી. સામૂહિક હત્યાને અધિકૃત ગણાવતા હિટલરના કોઈ ચોક્કસ આદેશો બહાર આવ્યા નથી, પરંતુ તેણે એઈનસેટ્ઝગ્રુપ્પેન (Einsatzgruppen)ને મંજૂરી આપી હોય તેવા દસ્તાવેજો છે, કે જે પોલેન્ડ અને રશિયા થઈને જર્મન લશ્કરનું અનુસરણ કરતી હત્યા ટોળકી હતી અને તેઓ પોતાનીગતિવિધિઓ વિશે તમામ જાણકારીઓ આપતા હતા.1941ની પાનખરમાં હિટલર અને હિમ્મલરે ગેસ દ્વારા સામૂહિક હત્યાનો નિર્ણય લીધો હોવાનું સૂચવતા પુરાવા પણ છે. સોવિયેટ ગુપ્તચર અધિકારી (intelligence officer)ઓ દ્વારા થયેલી પૂછપરછ 50 વર્ષ બાદ બહાર આવી હતી, જેમાં હિટલરના ખાસ હેઈન્ઝ લિંગે (Heinz Linge) અને તેના લશ્કરી સાથી ઓટ્ટો ગનશેકે જણાવ્યું હતું કે હિટલરે "ગેસ ચેમ્બર (gas chamber)ની પ્રથમ યોજનાને ભારે ઝીણવટથી જોઈ હતી."આ ઉપરાંત તેના અંગત સચિવ ટ્રાડુલ જંજ (Traudl Junge)એ પણ સ્વીકાર્યુ હતું કે હિટલર ડેથ કેમ્પ વિશે બધુ જાણતો હતો.
"આખરી ઉકેલ"ના અમલમાં વધુ સરળતા સહકાર-સંયોજન માટે વાન્નસી સંમેલન (Wannsee conference) બર્લિન પાસે 20 જાન્યુઆરી 1942ના રોજ યોજાયુ હતું, જેમાં પંદર વરિષ્ઠ અધિકારીઓએ રેઈનહાર્ડ હેઈડ્રિક (Reinhard Heydrich) અને એડોલ્ફ એઈશમેન્ન (Adolf Eichmann)ના નેતૃત્વમાં ભાગ લીધો હતો. આ બેઠકની વિગતો હોલૌકોસ્ટની યોજનાના સૌથી વધારે સ્પષ્ટ પુરાવા આપે છે. 22 ફેબ્રુઆરીએ હિટલર પોતાના સહયોગીઓને એવુ કહેતા ટાંકવામાં આવ્યો હતો કે, "માત્ર યહૂદીઓના વિનાશ દ્વારા જ આપણે આપણું આરોગ્ય પાછુ મેળવીશું."
[ફેરફાર કરો] વિશ્વ યુદ્ધ-2
[ફેરફાર કરો] શરૂઆતના રાજદ્વારી વિજયો
આખરે ફેબ્રુઆરી 1938માં દૂર પૂર્વની નીતિ ઘડવામાં જર્મનીને મૂંઝવતા મુદ્દાને હિટલરે ઉકેલી નાખ્યો, નામ લઈને વાત કરીએ તો 1920થી અનૌપચારિક રીતે અસ્તિત્વ ધરાવતા ચીન (China) સાથેના જોડાણને જાળવી રાખવું કે પછી જાપાન (Japan) સાથે નવું જોડાણ સ્થાપવું.નવા નિમાયેલા વિદેશમંત્રી જોઆચિમ વોન રિબ્બેનટ્રોપ (Joachim von Ribbentrop) કે જેઓ જાપાન-તરફી વલણ ધરાવતા હતા, તેમની સલાહથી હિટલરે જાપાન સાથેનું જોડાણ બનાવવા ચીન સાથેના અનૌપચારિક જોડાણ (informal alliance)ના અંતની જાહેરાત કરી. રિકસ્ટેજને સંબોધનમાં હિટલરે માનચુકો (Manchukuo)ને જર્મની દ્વારા માન્યતાની અને પેસિફિક (Pacific)માં જાપાન હસ્તકની ભૂતપૂર્વ વસાહતો પરનો દાવો જતો કરવાની જાહેરાત કરી.[૧૨૩]હિટલરે ચીનને હથિયારોના જહાજ મોકલવાનું બંધ કરવા આદેશ આપ્યો અને ચીની લશ્કર સાથે સંકળાયેલા તમામ જર્મન અધિકારીઓને પાછા બોલાવ્યા.[૧૨૩]જાપાન સામેના યુદ્ધમાં ચીને જર્મનીનો ટેકો ગુમાવતા જનરલિસ્સિમો ચિઆંગ કાઈ-શેક (Chiang Kai-shek)એ તમામ ચીન-જર્મન આર્થિક કરારો રદ કર્યા અને પરિણામે ચીન અગાઉ મોકલતુ હતુ તેવા ટંગસ્ટન (tungsten) સહિતના કાચા માલ જર્મનીને મળતા બંધ થયા. ચીન-જર્મન જોડાણનો અંત આવવાથી જર્મનીના પુનઃશસ્ત્રીકરણના કાર્યક્રમમાં સમસ્યાઓ વધી, કારણ કે ટંગસ્ટન જેવી વસ્તુઓ ખુલ્લા બજારમાંથી ખરીદવી પડતી હતી અને આના માટે જર્મનીએ પરાણે વિદેશી વિનિમયના મર્યાદિત પુરવઠાનો ઉપયોગ કરવો પડતો હતો.
માર્ચ ૧૯૩૮માં હિટલરે ઓસ્ટ્રિયાને જર્મની સાથે જોડાવા દબાણ કર્યું (ધીએન્શ્લુસ્સ (the Anschluss)) અને વિયેનામાં 14મી માર્ચે વિજયી પ્રવેશ કર્યો.[૧૨૪][૧૨૫]ત્યારબાદ તેણે જર્મન પરની કટોકટીની વધુ ઘેરી બનાવી- સુદેતેનલેન્ડ (Sudetenland) ઝેકોસ્લોવાકિયાના જિલ્લાઓ પર વક્તવ્ય.[૧૨૬]
3 માર્ચ 1938ના રોજ બ્રિટિશ રાજદૂત સર નેવિલે હેન્ડરસન (Neville Henderson) હિટલરને મળ્યા અને પોતાની સરકાર તરફથી આફ્રિકા પર શાસન માટે આંતરરાષ્ટ્રીય સમજૂતિની દરખાસ્ત આપી, (જેમાં જર્મનીને મહત્વની ભૂમિકા આપવામાં આવશે) અને બદલામાં સરહદો બદલવા જર્મની ક્યારેય યુદ્ધનો આશરો નહિ લે તેવી ખાતરી આપવાની હતી.[૧૨૭]આંતરરાષ્ટ્રીય સંધિ કરતાં હિટલરને પૂર્વીય યુરોપમાં લેબેનસ્રૌમમાં વધુ રસ હોવાથી તેણે બ્રિટિશ પ્રસ્તાવ ફગાવી દીધો, આ માટે તેણે દલીલ કરી કે આંતરરાષ્ટ્રીય સંઘ સંચાલિત મધ્ય આફ્રિકા નહિ પરંતુ ભૂતપૂર્વ જર્મન આફ્રિકન વસાહતો રિકને પરત આપવામાં આવે.આ ઉપરાંત હિટલરે દલીલ કરી કે જર્મનીમાં વિસ્તારની કિંમતે યુરોપમાં જર્મનીના વર્તન પર શરતો લાદવી તે બ્રિટનના પક્ષે વધારે પડતુ છે.[૧૨૮]હિટલરે હેન્ડરસન સાથેની વાતચીતનો અંત લાવતા જણાવ્યું કે યુદ્ધ ટાળવા માટેની બ્રિટનની શરતો માનવા કરતાં તે ભૂતપૂર્વ વસાહતો પાછી મેળવવા માટે 20 વર્ષ સુધી રાહ જોવાનું વધારે પસંદ કરશે.[૧૨૮][૧૨૯]
28થી 29 માર્ચ 1938 દરમિયાન હિટલરે બર્લિનમાં સુદેતેનલેન્ડ સૌથી મોટા પ્રાદેશિક પક્ષ ગણાતા સુદેતેન (Sudeten) હેઈમફ્રન્ટ (હોમફ્રન્ટ)ના કોનાર્ડ હેનલેઈન (Konrad Henlein) સાથે અનેક ગુપ્ત બેઠકો યોજી.હિટલર-હેનલેઇનની મુલાકાતો દરમિયાન હેનલેઇન પ્રાગ કદી વ્યાજબી રીતે પરિપૂર્ણ કરી ન શકે તેવી સડેટન જર્મનો માટે વધુ સ્વાયત્તતાની પ્રાગ પાસે માંગણી કરીને ઝેકોસ્લોવાકિયા સામેના ઘર્ષણમાં જર્મનીને ટેકો આપવાની તૈયારી બતાવી. એપ્રિલ 1938માં, હેનલેઇને હંગેરી (Hungary)ના વિદેશ મંત્રીને કહ્યુ હતું કે "ઝેક સરકાર ગમે તે પ્રસ્તાવ કરે તો પણ પોતે વધારે ને વધારે ઉંચી માગણીઓ કરતા રહેશે... કોઈપણ રીતે સમજૂતિ તોડી નાખવાની તેમની ઈચ્છા હતી, કારણ કે ઝેકોસ્લોવાકિયાને ઝડપથી ફટકો મારવાનો આ એક માત્ર રસ્તો હતો."[૧૩૦]અંગત રીતે હિટલર સુદેતેન મુદ્દાને બિન મહત્વનો ગણતો હતો; સુદેતેનની સમસ્યાને તે, પોતાના દેશમાં તથા વિદેશોમાં સ્વચ્છન્દતા તથા હેનલેઇનની માંગણીઓ સ્વિકારાવાના પ્રાગના અસ્વિકારના ઓઠા હેઠળ ઝેકોસ્લોવાકીયાનો વિનાશ કરવા માટેના કારણ તરીકે આગળ ધરવા માંગતો હતો.[૧૩૧]હિટલરની યોજના માટે ઝેકોસ્લોવાક (Czechoslovak)ની સરહદ પર લશ્કર તૈનાત કરવાની, સુદેતેનવાસીઓ સાથેના દુર્વ્યવ્હારનો જોરશોરથી પ્રચાર કરવાની અને આખરે આક્રમણને ન્યાયી ઠેરવવા માટે હેઈમફ્રન્ટ કાર્યકરો અને ઝેકોસ્લોવાકીયાના સત્તાધિકારીઓ વચ્ચેની ‘‘ઘટના‘‘ઓની મદદ લેવાની હતી, જેના લીધે અન્ય સત્તાઓ કોઈ પગલા લે તે પહેલા ગણતરીના દિવસોમાં ખૂબ જ ઝડપથી ઝેકોસ્લોવાકીયાનો નાશ કરી શકાય.[૧૩૨]પાનખરનો પાક શક્ય તેટલો મેળવી લેવાની અને રહાઈન પ્રદેશના રક્ષણ માટેની કહેવાતી ‘‘પશ્ચિમ દીવાલ‘‘ને પૂરી કરી દેવાની હિટલરની ઈચ્છા હોવાથી, આક્રમણ માટે સપ્ટેમબરના પાછલા દિવસો અથવા ઓક્ટોબરની પ્રારંભિક તારીખોની પસંદગી કરવામાં આવી.[૧૩૩]
એપ્રીલ 1938માં હિટલરે ઓ.કે.ડબ્લ્યુ.ને ઝેકોસ્લોવાકીયા પરના આક્રમણ માટેના ગુપ્ત નામ એવા ફોલ ગ્રુન (Fall Grün) (કેસ ગ્રીન), માટેની યોજના તૈયાર કરવાના આદેશો આપ્યા હતા.[૧૩૪]19-22 મે 1938 ની મે કટોકટીના કારણે યુરોપમાં તનાવ વધી ગયો હતો.ઝેકોસ્લોવાકીયામાં યોજાનારી મ્યુનીસિપલ ચુંટણીઓના અઠવાડીયાના અંતે આક્રમણ થશે તેવી અફવાઓના કારણે, ચુંટણીઓ પહેલા જ ઝેકોલોસ્વાકીયાની સરહદ પર જર્મન દળોની મોટા પાયે હિલચાલના ભુલભર્યા અહેવાલો, ઝેકોસ્લોવાક પોલીસ દ્વારા બે જર્મન મુળની વ્યુક્તિઓની હત્યા,તથા હેંડરસને જ્યારે રિબનટ્રોપ્પ ને પુછ્યુ કે અઠવાડિયાના અંતે શુ ખરેખર હુમલિ થવાનો છે અને રિબનટ્રોપ્પે તેનો અસ્પષ્ટ જવાબ આપતા ઝેકોસ્લોવાકીયા દ્વારા સૈન્યની આંશિક હિલચાલ થઇ હતી અને તે અઠવાડિયે કોઇ આક્રમણ કરવાનો હેતુ નહોતો તે સમજાય તે પહેલા જ લંડન તરફથી ચેવતણીઓ આપી દેવામાં આવતા, સન 1938ની કટોકટી એક ખોટી અફવા પુરવાર થઇ હતી.[૧૩૫]મે 1938માં કોઇ આક્રમણની યોજના ના હોવા છતાં લંડનમાં એવું માનવામાં આવતુ હતું કે બર્લીનમાં આવા પગલાં લેવાની વિચારણા થઇ રહી હતી જેના કારણે 21મી મે અને 22મી મે ના રોજ બે ચેતવણીઓ આપવામાં આવી કે જો ફ્રાંસ યુદ્ધમાં સામેલ થશે તો યુનાઈટેડ કિંગડમ જર્મની સાથે યુદ્ધ કરશે.[૧૩૬]હિટલરના એક સહાયકના શબ્દોમાં જોઇએ તો તેણે જ્યારે તે અઠવાડીયા માટે કોઇ યોજના બનાવી ન હોવા છતાં લંડન તથા પેરીસ તરફથી ચેતવણી મળતાં તેને ઝેકોસ્લોવકીયા દ્વારા લશ્કરી હિલચાલ છતાંતેણે પીછેહટ કરવી પડતાં તે "ધુવાફુવા" થયો હતો.[૧૩૭]નજીકના ભવિષ્યમાં જ ઝેકોસ્લોવાકીય પર આક્રમણ કરવાની યોજના એપ્રીલ 1938માં જ ઘડાઇ ગઇ હોવા છતાં મે કટોકટી તથા પોતાની રાજદ્વારીય હારના ખ્યાલથી હિટલર તેણે પસંદ કરેલા માર્ગ પર આગળ વધવા માટે વધુ મક્કમ બન્યો હતો.મે કટોકટીના કારણે હિટલરને ખાત્રી થઇ ગઇ હતી કે "બ્રિટન વગર‘‘ વિસ્તરણ શક્ય નહોતુ અને ‘‘બ્રિટન વિરુદ્ધ‘‘ વિસ્તરણ એક માત્ર પ્રાપ્ય વિકલ્પ હતો.[૧૩૮]મે કટોકટીની અસર સ્વરૂપે હિટલરે એ.જી.એન.એ. (A.G.N.A.)ની મર્યાદાઓની બહાર જર્મન નૌકાદળ ઝડપથી બનાવવા આદેશો કર્યા તથા હિટલરના આદેશાનુસાર બનાવવામાં આવેલા "હેયે મેમોરેંડમ"માં સૌ પ્રથમવાર રોયલ નૌકા દળને ક્રે ઇગ્સમરીનના મુખ્ય હરિફ ગણવામાં અવ્યુ હતું,[૧૩૯]
હિટલરે 28મી મે 1938ની પરિષદમાં જાહેરાત કરી કે તે વર્ષની 1લી ઓક્ટોબર પહેલા "ઝેકોસ્લોવાકીયાને કચડી" નાંખવાનો તેનો "અફર" નિર્ણય હતો જે "પશ્ચિમ, ઇંગ્લેંડ તથા ફ્રાંસ સામે આગેકુચ કરવા માટે" પૂર્વ દિશાને સુનિશ્ચિત કરવાના વ્યૂહ તરીકે રજૂ કરવામાં આવ્યો.[૧૪૦]આ જ પરિષદમાં હિટલરે, પોતાની માન્યતા રજૂ કરતાં જણાવ્યું હતું કે બ્રિટનનું પુનઃસશસ્ત્રીકરણ નહિ થાય ત્યાં સુધી તે યુદ્ધનું જોખમ લેશે નહિ, હિટલરને લાગતું હતું કે આ સમય 1941-42ની આસપાસનો હશે અને યુરોપમાં ફ્રાંસ તથા તેના સાથી રાષ્ટ્રોને જર્મનીનું સશસ્ત્રીકરણ ચાલુ હશે ત્યારે 1938-41ના સમય દરમિયાન દૂર કરી દેશે.[૧૪૦] સન. 1938માં ફોલ ગ્રુનમાં આગળ વધવાના હિટલરના નિશ્ચયના કારણે જર્મન સત્તાના માળખામાં મોટી કટોકટીનું નિર્માણ થયું.[૧૪૧]જનરલ સ્ટાફના વડા, જનરલ લુડવિગ બેક (Ludwig Beck)એ શ્રેણીબદ્ધ લાંબી નોંધોમાં વિરોધ કર્યો કે ફોલ ગ્રુનથી જર્મનીનો પરાજય થાય તેવા યુદ્ધની શરૂઆત થશે અને તેમણે હિટલરને સંભવિત યુદ્ધ ટાળવા વિનંતી કરી.[૧૪૧]હિટલરે યુદ્ધ સામેની બેકની ગણતરીઓને "કિન્ડિશ ક્રાફ્ટેબેરેચંડેન" ("બાલિશ ગણતરીઓ") ગણાવી.[૧૪૨]
ઓગસ્ટ 1938ની શરૂઆતમાં લંડનમાં માહિતિ પહોંચી કે જર્મની તેના અનામત દળોને ફરતા કરવા જઈ રહ્યું છે, આ સાથે જર્મન લશ્કરના યુદ્ધ વિરોધી તત્વો દ્વારા એવી માહિતિ પણ પહોંચતી કરવામાં આવી કે સપ્ટેમ્બર મહિનામાં ગમે ત્યારે યુદ્ધની યોજના હતી. [૧૪૩]આખરે ફ્રાંસ અને ખાસ કરીને બ્રિટિશ રાજકીય દબાણના કારણે પ્રમુખ એડવર્ડ બેનેસ (Edvard Beneš)એ 5 સપ્ટેમ્બર, 1938ના રોજ પોતાના દેશની બંધારણીય માન્યતા માટે “ચોથી યોજના“ રજૂ કરી, જેમાં સુદેતેન સ્વાયત્તતા માટે હેનેલેઈને એપ્રિલ 1938ના કાર્લ્સબાદ વક્તવ્યમાં રજૂ કરવામાં આવેલી મોટાભાગની માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો અને આક્રમણ માટેના તેમના દ્રષ્ટિકોણ બદલ જર્મનોને વંચિત રાખવાની ધમકી આપવામાં આવી.[૧૪૪]હેનેલેઈનના હેઈમફ્રન્ટએ ‘‘ચોથી યોજના‘‘ના પ્રસ્તાવનો બોલકો પ્રતિભાવ આપતાં ચેકોસ્લોવાકિયાની પોલીસ સાથે શ્રેણીબદ્ધ હિંસક અથડામણો કરી, જેમાં સપ્ટેમ્બર મધ્યમાં થયેલી મોટી અથડામણનો પણ સમાવેશ થાય છે, આ અથડામણના પગલે કેટલાક સડેટન જિલ્લાઓમાં માર્શલ લો જાહેર કરવો પડ્યો હતો.[૧૪૫][૧૪૬]ઓગસ્ટના1938ના પાછલા દિવસોમાં ભયજનક સ્થિતિના જવાબમાં બ્રિટિશ (British) વડાપ્રધાન (Prime Minister) નેવિલે ચેમ્બર્લિન (Neville Chamberlain)એ પ્લાન ઝેડ બનાવ્યો, જેમાં જર્મની પહોંચીને હિટલરને મળવાની અને કટોકટી નિવારવા કરાર કરવાની યોજના હતી.[૧૪૭][૧૪૮]13 સપ્ટેમ્બર 1938ના રોજ ચેમ્બર્લિને કટોકટીના ઉકેલની ચર્ચા માટે જર્મની જવાનો પ્રસ્તાવ મૂક્યો. 18 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે આક્રમણ શરૂ થશે તેવી ખોટી માહિતિ જર્મનીના વિરોધપક્ષે આપી હોવાથી ચેમ્બર્લિને પ્લાન ઝેડ પર કામગીરીનો નિર્ણય લીધો.[૧૪૯]ચેમ્બર્લેઈનના પ્રસ્તાવથી હિટલર ખુશ થયો નહોતો, પરંતુ તેણે બ્રિટિશ વડાપ્રધાનને મળવા તૈયારી દર્શાવી, કારણ કે આનાથી ચેમ્બર્લેઈનનો પ્રસ્તાવ નકારવાથી તેના વારંવારના દાવાઓ ખોટા પડશે અને બેનેસના હઠીલાપણાના કારણે શાંતિમાં માનનાર વ્યક્તિ યુદ્ધ તરફ ધસી રહ્યો હોવાનું સાબિત કરી શકાત નહિ.[૧૫૦]બર્શેટ્સગાડેન (Berchtesgaden) ખાતેના સંમેલનમાં ચેમ્બર્લેઈને વચન આપ્યું હતું કે સુદેતેનપ્રદેશને જર્મનીમાં જોડાવા માટે મંજૂરી આપવા માટે હિટલરે જાહેરમાં રજૂ કરેલી માગણીને સ્વીકારવા માટે તેઓ બેનેસ પર દબાણ લાવશે, જેના બદલામાં હિટલરની માગણીઓ અંગે સહમતિ સાધવા માટે ચેમ્બર્લેઈનને એક તક આપવામાં આવશે અને ત્યાં સુધી હિટલર કોઈપણ લશ્કરી પગલાથી દૂર રહેવાનું વચન આપશે.[૧૫૧]સુદેતેન પ્રદેશ તબદિલ કરવા માટે પ્રાગને સહમત કરવામાં ચેમ્બર્લેઈન નિષ્ફળ જશે તેવી ગણતરીએ હિટલરે કોઈ પગલા નહિ લેવાની ખાતરી આપી હતી પરંતુ ફ્રાંસ અને બ્રિટનના દબાણના કારણે આ અંગે સહમતિ સધાતા તે અત્યંત નિરાશ થયો હતો.[૧૫૨]યુરોપ કેવુ હોવું જોઈએ તે અંગેના સ્વાભાવિક મતભેદોના કારણે સપ્ટેમ્બર 1938માં યોજાયેલી ચેમ્બર્લિન અને હિટલર વચ્ચેની વાટાઘાટો મુશ્કેલ બની, કારણ કે સુદેતેન મુદ્દાને યુદ્ધનું કારણ બનાવવાની હિટલરની ઈચ્છા હતી અને ચેમ્બર્લેઈન આ મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલ માટે ગંભીર પ્રયત્ન કરતાહતા.[૧૫૩]
બાડ ગોડેસબર્ગ (Bad Godesberg) ખાતે 22મી સપ્ટેમ્બરે હિટલર સાથે યોજાયેલી મુલાકાતમાં ચેમ્બર્લેઈન સુદેતેનપ્રદેશ તબદિલ કરવાની શાંતિની યોજના રજૂ કરવા માટે પાછા ફર્યા ત્યારે બ્રિટિશ પ્રતિનિધમંડળને મોટો આંચકો લાગ્યો કારણ કે બર્શેટ્સગાડેનમાં રજૂ કરેલી પોતાની જ શરતો હવે અસ્વીકાર્ય હોવાનું હિટલરે જણાવી દીધું.[૧૫૪]એક જ ઝાટકે ચેમ્બર્લેઈનના શાંતિ માટેના પ્રયાસોને સમાપ્ત કરી દેવા માટે હિટલરે માગણી કરી કે 28 સપ્ટેમ્બર 1938 પહેલા સુદેતેનપ્રદેશ જર્મનીમાં ભેળવી દેવાવો જોઈએ અને આ મામલે પ્રાગ તથા બર્લિન વચ્ચે કોઈ મંત્રણા થશે નહિ અને તબદિલી પર દેખરેખ રાખવા કોઈ આંતરરાષ્ટ્રીય પંચ આવશે નહિ, તબદિલ થયેલા જિલ્લાઓમાં કોઈપણ પ્રકારનું મતદાન થશે નહિ અને પોલેન્ડ તથા હંગેરીના ઝેકોસ્લોવાકિયા માટેના દાવા સંતોષાય નહિ ત્યાં સુધી સારા પગલા તરીકે જર્મની વિકલ્પ તરીકે યુદ્ધની પસંદગી નહિ કરે[૧૫૫]બન્ને નેતાઓના અલગ દ્રુષ્ટીકોણની પ્રતિતિ એ વાત પરથી થાય છે કે જ્યારે ચેમ્બર્લેઇન સમક્ષ હિટલરની નવી માંગણીઓ રજૂ કરવામાં આવી અને તેને તાકીદ આપવા સામે તેણે વિરોધ નોંધાવ્યો અને હિટલરે જવાબ આપ્યો હતો કે તેના નવી માંગણીઓ વાળા દસ્તાવેજોનું નામ "મેમોરેન્ડમ" છે, જે સંભવત: તાકીદ હોઇ શકે નહી.[૧૫૬]25મી સપ્ટેમ્બર 1938ના રોજ બ્રિટને બાડ ગોડેસ્બર્ગની તાકીદનો અસ્વિકાર કર્યો હતો, અને યુધ્ધની તૈયારીઓ આદરી દિધી હતી.[૧૫૭][૧૫૮]મુદ્દાને વધુ સ્પષ્ટ બનાવવા માટે બ્રિટીશ સરકારના મુખ્ય ઉદ્યોગ સલાહકાર સર હોરેસ વિલ્સન (Horace Wilson) તથા ચેમ્બર્લેઇનના એક ખાસ સાથીદારને હિટલરને જો જર્મનો ઝેકોસ્લોવાકીય પર આક્રમણ કરશે તેઓ ફ્રાંસ સન 1924ના ફ્રાંસ-ઝેકોસ્લોવાકીયા જોડાણની જરૂરીયાત પ્રમાણે પોતાની પ્રતીબધ્ધતા પુરવાર કરશે અને "ફ્રાંસને સહાય કરવાની ઇંગ્લેંડને ફરજ પડશે".[૧૫૯]શરૂઆતમાં 1લી ઓક્ટોબર 1938ના રોજ નક્કી થયા મુજબ જ કાર્યવાહી કરવા પ્રતિબધ્ધ હિટલરનું મન 27મી અને 28મી સપ્ટેમ્બર વચ્ચે બદલાયું અને તેણે મુસોલીનીના સુચનો મેળવા જણાવ્યુ હતું અને મુસોલીનીની મધ્યસ્થીપણામાં ઝેકોસ્લોવાકીયા પરિસ્થિતિની ચર્ચા વિચારણા કરવા માટે મ્યુનીક ખાતે ચેમ્બરલેઇન , મુસોલીની અને ફ્રાંસના પ્રિમિયર એડવર્ડ ડેલેડીયર (Édouard Daladier) સાથે પરિષદ યોજવા જણાવ્યુ હતું.[૧૬૦]હિટલરને પોતાનો અભિગમ બદલવા માટે કારણરૂપ શુ હતું તે હજુ સાવ સ્પષ્ટ થતુ નથી, પરંતુ એ શક્ય છે કે બ્રિટન-ફ્રાંસની સંયુક્ત ચેતવણીઓ અને ખાસ કરીને બ્રિટનના નૌકાદળની હિલચાલ; કથિત ગૌણ પ્રકારના કેસસ બેલ્લી જે તબદિલી માટેની સમય સારણી હતી જેના કારણે હિટલર આક્રમણખોર દેખાતો હતો; જર્મનીલશ્કરી તથા આર્થિક રીતે વિશ્વ યુધ્ધ માટે સજ્જ નથી તેવા તેના સલાહકારના મંતવ્ય; હિટલર જેને પોતાના ભાવિ ટેકેદાર માનતો હતો તે ઇટાલી, જપાન, પોલેન્ડ અને હંગેરી જર્મનીના પક્ષે રહીને યુધ્ધ નહી કરે તેવી રાજ્યો તરફથી ચેતવણી; અને દેખીતી રીતે જ બહુમતી જર્મનો યુધ્ધના ખ્યાલ અંગે ઉત્સાહની ખામી; જેવા કારણસર તેને ફોલ ગ્રુનનું પરિણામ શું આવશે તે બાબતે ખાત્રી થઇ ગઇ હતી.[૧૬૧][૧૬૨][૧૬૩] વધુમાં, તેલ અને તેના જેવા બીજા જરૂરી કાચા માલની જર્મની પાસે ખામી હતી ( જર્મનીના યુધ્ધ માટે કૃત્રિમ તેલ ઉત્પાદીત કરી શકે તવા પ્લાન્ટ હજુ કાર્યરત થયા નહોતા), અને તે માટે જર્મની વિદેશથી આયાત પર જ નિર્ભર હતું.[૧૬૪]ક્રૈગ્સમરિને અહેવાલ આપ્યો હતો કે જો બ્રિટન સાથે યુધ્ધ કરવાનો વખત આવે તો તે બ્રિટનની અડચણો તોડી શક્શે નહીં, અને જર્મની પાસે ઓઇલનો જથ્થો ખુબજ ઓછો હોવાથી જર્મનીને માત્ર ઓઇલના અભાવે જ હાર સહન કરવી પડશે.[૧૬૫]નાણાં મંત્રાલયે હિતલરને જણાવ્યુ હતું કે જર્મની પાસે માત્ર 2.6 લાખ ટન ઓઇલ જ હતું અને જો બ્રિટન તથા ફ્રાંસ સાથે યુધ્ધ થાય તો 7.6 લાખ ટન ઓઇલની જરૂર પડશે.[૧૬૬]18મી સપ્ટેમ્બર 1938થી બ્રિટને જર્મનીને ધાતુઓનો પુરવઠો આપવા ઈનકાર કર્યો અને 24 સપ્ટેમ્બરે બ્રિટિશ જહાજોને જર્મની જવા માટે મનાઈ ફરમાવી.બ્રિટને 8600 ટન ઓઇલ લઇ ને હેમબર્ગ જઇ રહેલાઇન્વરશેનન નામના ટેંકરને જપ્ત કર્યુ હતું, જેનાથી જર્મની[૧૬૭]માં આર્થિક તંગદિલી ફેલાઇ ગઇ હતી, જર્મનીની આયાતી ઓઇલ(જર્મનીના કુલ ઓઇલનું 80% ઓઇલ નવા વિશ્વમાંથી આવતુ હતું) પરની નિર્ભરતા તથા બ્રિટન સાથેનુ યુધ્ધ જર્મનીને ઓઇલના પુરવઠા થી વંચિત રાખશે તેવી સંભાવનાના લીધે ઇતિહાસકારોએ એવી દલીલ કરી હતી કે ફોલ ગ્રુનને અટકાવવાનો નિર્ણય તેની ઓઇલની સમસ્યાને કારણે લેવાયો હતો.[૧૬૪]
તા. 30મી સપ્ટેમ્બર 1938ના રોજ મ્યુનીક ખાતે એક પરિષદ યોજવામાં આવી હતી જેમાં હિતલર, ડાલાડીયર અને મુસોલીનીએ હાજરી આપી હતી જેમાંથી મ્યુનીક કરાર (Munich Agreement) ઘડાયો હતો, તેમાં હિટલરે સુદેતેનલેન્ડ (Sudetenland)જિલ્લો જર્મનીને આપી દેવાની માંગણી કરી હતી.[૧૬૮]લંડન તથા પેરીસ બન્ને આ વિવાદિત વિસ્તારને તબદિલ કરવાના વિચાર સાથે સહમત થઇ ગયા હોવાથી, મ્યુનીક કોન્ફરંસમાં સુદેતેનલેન્ડની તબદિલી કેવી રીતે થશે તેવા તકનિકી સમસ્યા પર એક દિવસની ચર્ચાનો સમાવેશ થતો હતો, તથા તેમાં હિટલર તરફથી તબદિલી ઓક્ટોબરમાં દસ દિવસના સમયગાળામાં થશે તથા હંગેરીના તથા પોલેન્ડ (Polish)ના દાવા પર નિર્ણય લેવાય ત્યા સુધી જર્મની રાહ જોશે તેવી ગૌણ છુટછાટ પણ સમાવાયેલી હતી.[૧૬૯]પરિષદના અંતે ચેમ્બર્લેઇને હિટલર પાસે એંગ્લો-જર્મન મિત્રતાની ઘોષણા પર સહી કરાવી હતી, જેના પર ચેમ્બરલેઈન ઘણો ભાર આપતો હતો અને હિટલર સહેજ પણ નહી.[૧૭૦]ચેમ્બર્લેઇન મ્યુનીક પરિષદથી ઘણો સંતુષ્ટ હતો તથા તેને કારણે તે તેનો "અમારા સમયની શાંતી" સ્થાપિત કરવાના તેના કુખ્યાત દાવા છતાં હિટલર અંદરખાને થી પોતે 1938માં જે યુધ્ધ કરવા મરણિયો થયો હતો તેમાં થી "છેતરાઇ" જવાના ખ્યાલથી ખુબજ ધુંધવાયો હતો.[૧૭૧][૧૭૨] આ મંત્રણાના પરિણામ સ્વરૂપ, હિટલર સન.1938 ના વર્ષનો ટાઇમ (TIME)(TIME)મેગેઝીનનો મેન ઓફ ધ યર (Man of the Year) જાહેર થયો હતો.[૧૭૩]
ના લીધે મગ્દેબર્ગમાં નાશ પામેલો યહુદી વ્યાપાર.
બ્રિટનના વડા પ્રધાન નેવિલ ચેમ્બર્લેઇન (Neville Chamberlain)એ આ કરારને "આપણા સમયની શાંતી" તરીકે ઓળખાવી હતી, પરંતુ હિટલરને ખુશ કરીને બ્રિટન અને ફ્રાંસે ઝેકોસ્લોવકીયાને હિટલરની દયા પર છોડી દીધુ હતું.[૧૬૮]પોતાની માંગણીઓ પરિપૂરર્ણ થતાં હિટલરને જનતાના રાજીપાનો અંદાજ આવી ગયો હોવા છતાં અંગત રીતે તે જર્મનીની માંગણીઓ તે ગમે તે ભોગે ઠુકરાવવામાં આવે તેવું સુનિશ્ચિત કરીને યુધ્ધ કરવા કૃતનિશ્ચયી હતો.[૧૭૪]હિટલરની દૃષ્ટીમાં, બ્રિટન દ્વારા સ્થાપાયેલી શાંતી, જે જર્મન માંગણીઓના હિતમાં હોવા છતાં તે એક રાજનાયિક હાર હતી જેનાથી એ વાત પુરવાર થતી હતી કે પોતાના પૂર્વીય વિસ્તરણ માટે બ્રિટનનો મહાસત્તા તરીકે અંત આવવો જરૂરી હતો.[૧૭૫][૧૭૬]મ્યુનીકના પરિપાક રૂપે, હિટલરને લાગ્યું હતું કે બ્રિટન દ્વારા જર્મનીની ઉપખંડ સંબંધી એષણાઓને સહાય થશે નહિ અને જર્મની સાથીદાર પણ નહિ બને અને નિષ્પક્ષ પણ નહિ રહે આથી હિટલર માટે બ્રિટન રિકનું એક મુખ્ય દુશ્મન બની ગયુ હતું અને તે અનુસાર હિટલરના મનમાં સોવીયેત રશિયાનું સ્થાન બ્રિટને લીધુ હતું અને તદનુસાર જર્મનીની નીતિઓનું પુન:ઘડતર કરવામાં આવ્યુ હતું.[૧૭૭][૧૭૮][૧૭૯][૧૮૦]હિટલરે મ્યુનિક કરાર બાબતની પોતાની નારાજગી તા. 9મી ઓક્ટોબર 1938ના પોતાના સારબ્રુકેન (Saarbrücken) ખાતેના ભાષણમાં પ્રદર્શિત કરી હતી જેમાં તેણે વિનસ્ટન ચર્ચિલ (Winston Churchill), અલ્ફ્રેડ ડફ કૂપર (Alfred Duff Cooper) અને એન્થની ઇડન (Anthony Eden) જેવા શાંતિ-વિરોધીઓને યુધ્ધ ભૂખ્યા જર્મન-વિરોધીઓની ટોળકી તરીકે ઓળખાવી હતી જેઓ ગમે તે ઘડીએ સત્તા પર આવવાની સંભાવના હતી.[૧૮૧]આ જ ભાષણમાં હિટલરે દાવો કર્યો હતો કે " આપણે જર્મનો કદાપી આવી તુમાખીભરી દખલ-અંદાજી સહન કરીશું નહીં.બ્રિટને પોતાનું કામ કરવું જોઇએ અને પોતાની સમસ્યાઓની ચિંતા કરવી જોઇએ".[૧૮૨]નવેમ્બર 1938માં1938માં હિટલરે બ્રિટન વિરૂધ્ધ એક એવો પ્રચાર ઝુંબેશ શરૂ કરવા હુકમ કર્યો હતો કે જેમાં બ્રિટનને પોતાનુ સામ્રાજ્ય કાયમ રાખીને જર્મનીને પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરતા રોકવાના તેના દંભીપણા બદલ જોરશોરથી ભાંડવામા આવતું હોય.[૧૮૩]બ્રિટન વિરૂધ્ધના પ્રચારમાં ખાસ કરીને આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બ્રિટને પેલેસ્ટાઇન જનાદેશ (Palestine Mandate)ના આરબ બળવામાં અને ભારત (India)માં માનવ હક્કોનું શોષણ કર્યુ હતું,અને નવેમ્બર 1938ની ક્રિસ્ટલ્લનક્ટ (Kristallnacht)ના બનાવની બ્રિટન દ્વારા કરવામાં આવેલી દંભી ટીકાનો સમાવેશ થતો હતો.[૧૮૪]આનાથી ત્રીજી રીકના અગાઉના વર્ષો જેમાં જર્મન પ્રચાર માધ્યમોએ બ્રિટિશ રાજ્યને સારુ ચિતર્યુ હતું તેના કરતા મોટુ પરિવર્તન આવ્યુ હતું.[૧૮૫]નવેમ્બર 1938માં વિદેશ મંત્રી જોઆકિમ વોન રિબ્બનટ્રોપ (Joachim von Ribbentrop)ને ત્રીજી આંતરરાષ્ટ્રીય સામ્યવાદી માહિતી સંધિને મુક્ત બ્રિટિશ વિરોધી જોડાણમાં બ્રિટન અને ફ્રાંસ સામેના યુધ્ધની પૂર્વભુમિકામાં તબદિલ કરવા હુકમ કરવામાં આવ્યો હતો.[૧૮૬]27મી જાન્યુઆરીના રોજ હિટલરે રોયલ નૌકાદળ (Royal Navy)ને કચડી નાખવા માટે સન 1944 સુધીમાં એક પાંચ વર્ષના નૌકાદળ વિસ્તરણ કાર્યક્રમ ઝેડ પ્લાન (Z Plan)ને મંજૂર કર્યો હતો જેના માટે 10 ભારે તોપો અને બખતરવાળી યુદ્ધનૌકા, ચાર વિમાનવાહક જહાજો, 44 મધ્યમ પ્રતિના શસ્ત્રસરંજામવાળી યુદ્ધનૌકાઓ, આઠ ભારે પ્રતિના શસ્ત્રસરંજામવાળી યુદ્ધનૌકાઓ, 68 વિનાશિકાઓ અને 249 યુ-બોટ ધરાવતુ ક્રાઇગ્સમરિન જરૂરી હતું.[૧૮૭]<