કરસનભાઇ પટેલ
વિકિપીડિયા થી
ડૉ. કરસનભાઇ ખોડિદાસ પટેલનો જન્મ ઇ.સ. ૧૯૪૫માં ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાંથી અલગ પાડવામાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા ચાણસ્મા તાલુકાના રુપપુર ગામે કડવા પાટિદાર સમાજના ખેડૂત પરિવારમાં થયો હતો. રસાયણશાસ્ત્રના વિષય સાથે સ્નાતક થયેલા કરસનભાઇએ નોકરી પછીના સમયમાં અમદાવાદ ખાતે કપડાં ધોવાનો પાવડર(ડીટરજન્ટ) બનાવી વેચવાની નાના પાયે શરુઆત કરી, તેઓ આજે ગુજરાત રાજ્યના ટોચના ઉદ્યોગપતિ બન્યા છે. તેઓએ નિરમા ગ્રુપની સ્થાપના કરી છે.