કલાપી
વિકિપીડિયા થી
- નામ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ
- ઉપનામ: કલાપી
- જન્મ: 26 જાન્યુઆરી - 1874, લાઠી
- અવસાન: 9 જૂન - 1900, લાઠી
- કુટુંબ: પત્ની
- રમાબા ઉર્ફે રાજબા - રૂહા, કચ્છનાં કુંવરી (1889 - 15 વર્ષની વયે); એમનાંથી 8 વર્ષ મોટા
- આનંદીબા ઉર્ફે કેસરબા - કોટડા, સૌરાષ્ટ્રનાં કુંવરી (1889 - 15 વર્ષની વયે) ; એમનાંથી 2 વર્ષ મોટા
- શોભના - રમાબા સાથે પિયરથી 7-8 વર્ષની ઉંમરે આવેલ મોંઘી નામની દાસી (1898) ; એમનાંથી 7-8 વર્ષ નાના
- અભ્યાસ:
- 1882-1890 રાજકુમાર કોલેજ – રાજકોટ માં અંગ્રેજી પાંચ ધોરણ સુધી
- અંગત શિક્ષકો પાસે સંસ્કૃત, ઉર્દૂ, ફારસી સાહિત્યનો અભ્યાસ
- વ્યવસાય: 1895- લાઠી(ગોહિલવાડ, સૌરાષ્ટ્ર)ના રાજવી
- પ્રદાન:
- પ્રજાત્સલ રાજવી
- ખુદવફાઇવાળા ઊર્મિકવિ જેણે ગુજરાતી કલા સાહિત્યને સમૃધ્ધ કર્યું
- પ્રવાસ લેખન
- મુખ્ય કૃતિઓ:
- કાવ્યસંગ્રહ- કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્યકલાપ , હમીરજી ગોહેલ (દીર્ઘકાવ્ય )
- વર્ણન - કાશ્મીરનો પ્રવાસ
- નિબંધ- સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર
- જીવન:
- 21 વર્ષની વયે રાજ્યાભિષેક (21 જાન્યુઆરી 1895)
- નાનપણથી જ લાગણીપ્રધાન, સાહિત્ય અને કુદરતી સૌન્દર્યનો ઘણો શોખ અને આદર્શ રાજવી બનવાની ઇચ્છા
- માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખતા અને માતાના મૃત્યુ બાદ રમાબા પ્રત્યે પણ તેવો જ પ્રેમ રાખતા
- આનંદીબા પ્રત્યે કદી પ્રેમ રાખી શક્યા નહીં પરંતુ પતિ તરીકેની બધી ફરજો અદા કરી
- રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં 20 વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો
- શોભના સાથેના પ્રણયને કારણે રાજખટપટ અને ગાદીત્યાગનો વિચાર
- વરિષ્ટ સાહિત્યકારોની સાથે મિત્રતા
- સ્વીડનબોર્ગના વિચારોની ઊંડી અસર
- 16 થી 26 વર્ષની ઉંમરનાં 10 વર્ષના ગાળામાં જ 500થી વધુ વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરેલો અને 250 થી ઉપર ગુજરાતી સાહિત્યના ઘ્રેણા જેવી રચનાઓ કરેલી (કાવ્યસર્જન 1892થી શરૂ થયેલ)
- મહત્તમ કાવ્યો, પ્રણયતમ અને પ્રણયમંથન જેવા; ઘણાં કાવ્યો દ્વિઅર્થી અને પરમાત્માને સંબોધીને પણ લખેલા; કાવ્યોમાં વિષયોનું વૈવિધ્ય અને હ્રદયના ભાવો રહેલા છે; પત્ર સાહિત્યમાં પણ ઘણું ચિંતન સમૃધ્ધ કર્યું છે;
- મિત્રો અને સંબંધીઓને લખેલા તેમના પત્રો પણ તેમની માનવતાને મઘમઘાવે છે.
- 26 વર્ષની યુવાન ઉંમરે મૃત્યુ (કહેવાય છે કે રમાબાએ યુક્તિથી ઝેર પાયું હતું)
- સન્માન:
- ‘રાજવી કવિ કલાપી’ નામનું એમનાં જીવન વિશેનું પુસ્તક
- એમના નામથી કુમારનો ‘કલાપી’ એવોર્ડ - ગઝલ માટે
- 1966માં ગુજરાતી ચલચિત્ર ‘કલાપી’ બનાવાયું જેમાં અભિનેતા સંજીવકુમારે કલાપીની ભૂમિકા ભજવેલી