કલાપી

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો
Wikisource
વિકિસોર્સ માં આ લેખને લગતું મૂળ સાહિત્ય છે.:
  • નામ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ
  • ઉપનામ: કલાપી
  • જન્મ: 26 જાન્યુઆરી - 1874, લાઠી
  • અવસાન: 9 જૂન - 1900, લાઠી
  • કુટુંબ: પત્ની
    • રમાબા ઉર્ફે રાજબા - રૂહા, કચ્છનાં કુંવરી (1889 - 15 વર્ષની વયે); એમનાંથી 8 વર્ષ મોટા
    • આનંદીબા ઉર્ફે કેસરબા - કોટડા, સૌરાષ્ટ્રનાં કુંવરી (1889 - 15 વર્ષની વયે) ; એમનાંથી 2 વર્ષ મોટા
    • શોભના - રમાબા સાથે પિયરથી 7-8 વર્ષની ઉંમરે આવેલ મોંઘી નામની દાસી (1898) ; એમનાંથી 7-8 વર્ષ નાના
  • અભ્યાસ:
    • 1882-1890 રાજકુમાર કોલેજ – રાજકોટ માં અંગ્રેજી પાંચ ધોરણ સુધી
    • અંગત શિક્ષકો પાસે સંસ્કૃત, ઉર્દૂ, ફારસી સાહિત્યનો અભ્યાસ
  • વ્યવસાય: 1895- લાઠી(ગોહિલવાડ, સૌરાષ્ટ્ર)ના રાજવી
  • પ્રદાન:
    • પ્રજાત્સલ રાજવી
    • ખુદવફાઇવાળા ઊર્મિકવિ જેણે ગુજરાતી કલા સાહિત્યને સમૃધ્ધ કર્યું
    • પ્રવાસ લેખન
  • મુખ્ય કૃતિઓ:
    • કાવ્યસંગ્રહ- કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્યકલાપ , હમીરજી ગોહેલ (દીર્ઘકાવ્ય )
    • વર્ણન - કાશ્મીરનો પ્રવાસ
    • નિબંધ- સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર
  • જીવન:
    • 21 વર્ષની વયે રાજ્યાભિષેક (21 જાન્યુઆરી 1895)
    • નાનપણથી જ લાગણીપ્રધાન, સાહિત્ય અને કુદરતી સૌન્દર્યનો ઘણો શોખ અને આદર્શ રાજવી બનવાની ઇચ્છા
    • માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખતા અને માતાના મૃત્યુ બાદ રમાબા પ્રત્યે પણ તેવો જ પ્રેમ રાખતા
    • આનંદીબા પ્રત્યે કદી પ્રેમ રાખી શક્યા નહીં પરંતુ પતિ તરીકેની બધી ફરજો અદા કરી
    • રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં 20 વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો
    • શોભના સાથેના પ્રણયને કારણે રાજખટપટ અને ગાદીત્યાગનો વિચાર
    • વરિષ્ટ સાહિત્યકારોની સાથે મિત્રતા
    • સ્વીડનબોર્ગના વિચારોની ઊંડી અસર
    • 16 થી 26 વર્ષની ઉંમરનાં 10 વર્ષના ગાળામાં જ 500થી વધુ વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરેલો અને 250 થી ઉપર ગુજરાતી સાહિત્યના ઘ્રેણા જેવી રચનાઓ કરેલી (કાવ્યસર્જન 1892થી શરૂ થયેલ)
    • મહત્તમ કાવ્યો, પ્રણયતમ અને પ્રણયમંથન જેવા; ઘણાં કાવ્યો દ્વિઅર્થી અને પરમાત્માને સંબોધીને પણ લખેલા; કાવ્યોમાં વિષયોનું વૈવિધ્ય અને હ્રદયના ભાવો રહેલા છે; પત્ર સાહિત્યમાં પણ ઘણું ચિંતન સમૃધ્ધ કર્યું છે;
    • મિત્રો અને સંબંધીઓને લખેલા તેમના પત્રો પણ તેમની માનવતાને મઘમઘાવે છે.
    • 26 વર્ષની યુવાન ઉંમરે મૃત્યુ (કહેવાય છે કે રમાબાએ યુક્તિથી ઝેર પાયું હતું)
  • સન્માન:
    • ‘રાજવી કવિ કલાપી’ નામનું એમનાં જીવન વિશેનું પુસ્તક
    • એમના નામથી કુમારનો ‘કલાપી’ એવોર્ડ - ગઝલ માટે
    • 1966માં ગુજરાતી ચલચિત્ર ‘કલાપી’ બનાવાયું જેમાં અભિનેતા સંજીવકુમારે કલાપીની ભૂમિકા ભજવેલી

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

બીજી ભાષાઓમાં