કલિંગનુ યુધ્ધ

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો


અનુક્રમણિકા

[ફેરફાર કરો] કલિંગનુ યુધ્ધ (૨૬૧ ઇ.પૂ.)

કલિંગનુ યુધ્ધ (Sanskrit: कलिन्ग युध्धम्) મૌર્ય વંશના સમ્રાટ અશોક અને કલિંગ ગણરાજ્ય (હાલના ઓરિસ્સાની દરિયાઇ સીમા પર વસતુ ગણરાજ્ય) વચ્ચે થયુ હતુ. આ ભારતીય ઉપખંડના ભીષણ યુધ્ધમાંનું એક ગણવામાં આવે છે. આ યુધ્ધમાં કલિંગ ગણરાજ્યના ૧,૦૦,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. અશોકના પોતાના ૧૦,૦૦૦થી વધારે સૈનિકો માર્યા ગયા હતા.

[ફેરફાર કરો] યુધ્ધ

કલિંગનુ યુધ્ધ દયા નદીના કિનારે, ધવલી(ધૌલી) પર્વત પાસે થયું હોવાનુ માનવામાં આવે છે. યુધ્ધ સમયે કલિંગ ગણરાજ્યનો નાયક અનંત પદ્મનાભન હતો.

[ફેરફાર કરો] યુધ્ધની અસરો

કલિંગનુ યુધ્ધ અશોકના જીવન પરિવર્તન માટે નિર્ણાયક સાબિત થયું. આ યુધ્ધમાં થએલા માનવસંહારે તેનું મન ગ્લાનિ અને વેદનાથી ભરાઇ ગયુ. પછીથી બૌદ્ધ ધર્મથી પ્રભાવિત થઇ તેને બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો અને અહિંસા અને ધમ્મ-વિજયમાં (ધર્મ દ્વારા વિજય)પ્રવૃત થઈ ગયો. ત્યારબાદ તેના પ્રજાવત્સલ કાર્યોને કારણે તે પ્રિયદર્શી તરીકે ઓળખાય છે.

[ફેરફાર કરો] સબંધિત કડીઓ

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
બીજી ભાષાઓમાં