કાંગડા

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
colspan="2" style="margin-left: inherit; color: #f8fafd; background-color: #98AFC7

</noinclude>; font-size: 1.5em; text-align: center" | કાંગડા

[[Image: India-locator-map-blank.svg

</noinclude>|235px|border|Map indicating the location of કાંગડા]]

<div style="position:absolute; top:Expression error: Unexpected / operator.%; left:Expression error: Unexpected / operator.%; height:0; width:0; margin:0; padding:0;">

Location of કાંગડા

અક્ષાંશ-રેખાંશ: 32.1° N 76.27° E

style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: solid 3px #98AFC7

</noinclude>;" width="110px" | રાજ્ય
- જિલ્લો

style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: 3px solid #98AFC7

</noinclude>;" | હિમાચલ પ્રદેશ
- કાંગડા

અક્ષાંશ-રેખાંશ 32.1° N 76.27° E
વિસ્તાર
- ઉંચાઇ

- ૭૩૩ m
સમય ક્ષેત્ર IST (UTC+5:30)
વસ્તી(૨૦૦૧)
- ગીચતા
૯૧૫૪
-

</noinclude>


કાંગડાભારતના હિમાચલ પ્રદેશમાં આવેલા કાંગડા જિલ્લામાં આવેલ એક શહેર અને નગરપાલિકા છે

અનુક્રમણિકા

[ફેરફાર કરો] વસતિ

૨૦૦૯ની ભારતની વસતિ ગણતરી અનુસાર ,[૧] અહીંની વસતિ ૯૧૫૪ છે. સ્ત્રી પુરુષ પ્રમાણ ૫૦% : પ૦% છે. અહીં સાક્ષરતાનું પરમાણ ૮૩% છે, જે રાષ્ટ્રીય સરાસરી ૮૯.૫% કરતાં વધુ છે. પુરુષોમાં સાક્ષરતા ૮૫% અને મહિલામં સાક્ષરતા ૮૧% છે. ૧૦% વસતિ ૬ વર્ષથી ઓછી ઉંમરનાની છે.

[ફેરફાર કરો] ઈતિહાસ

ઐતિહાસિક રીતે નગરકોટ[૨], તરીકે ઓળખાતા આ શહેરની સ્થાપના ચંદ્રવંશી કુળના કટોચ્છ ક્ષત્રિય રાજપૂતો દ્વારા થઈ, તેઓ મધ્ય એશિયાના ત્રિગર્તા ક્ષેત્રના રાજા હતાં. આ કટોછ રાજાઓનો ગઢ હતો અહીં એક કિલ્લો અને મંદિરો હતાં.

આ શહેરનું અન્ય નામ ભીમગર હતું [૩] અને તેની સ્થાપના કહે છે કે રાજા ભીમે કરી, જેઓ ઈંદ્રપ્રસ્થના (હાલનું દીલ્હી) કુરુ રાજા યુધિષ્ઠીર ના નાના ભાઈ હતાં.

[ફેરફાર કરો] નગરકોટ પર ચઢાઈ

મોહમ્મદ ગઝનીએ ઇ. સ. ૧૦૦૯માં એક મંદિરને હસ્તક આ કિલ્લા પર ચઢાઈ કરી અને અઢળક સંપત્તિ લૂંટી ગયો. ઇ. સ. ૧૩૬૦માં ફરી ફીરોઝશાહ તઘલખે ફરી આને લૂંટ્યો. દેવી બજ્રેશ્વરીનું મંદિર ઉત્તર ભારતમાં તે સમયે સૌથી પ્રાચીન અને ધનાઢ્ય મંદિર હતું. ચોથી એપ્રિલ, ૧૯૦૫ના દિવસે આવેલ ૧૯૦૫ના કાંગડા ધરતીકંપ દ્વારા આ મંદિર અને કિલ્લો ધરાશાયી થઈ ગયો, આ ધરતીકંપમાં ૧૩૩૯ લોકો આ શહેરમાં અને ૨૦,૦૦૦ લોકો અન્યત્ર મૃત્યુ પામ્યા. ઇ. સ. ૧૮૫૫માં આ જિલ્લાનું મુખ્ય મથક અહીંથી હટાવી ધર્મશાલા છાવણી ખાતે ખસેડાયું જેની સ્થાપના ઇ. સ. ૧૮૪૯માં થઈ.[૨][૪][૫]

અમુક સમયે કાંગડા પર નેપાળી લોકો (પહેલા ગોરખા)નો કબ્જો રહ્યો હતો જેઓ આને બૃહદ નેપાળનો ભાગ બનાવવા માંગતા હતાં. ઇ. સ. ૧૮૦૯માં પંજાબના શીખ રાજા રણજીતસિંહ વચ્ચે પડ્યાં અને નેપાળી સેનાને સતલજની પૂર્વ તરફ ભગાડી દીધી. મધ્ય ૧૯ મે સદીની મધ્યમાં બ્રિટિશો દ્વારા આક્ષેત્ર પર કબ્જો જમાવાયો. ઇ. સ. ૧૯૪૮માં તે સમયના કાંગડાના રાજા (કાંગડા-લંબરગાવના રાજ) ધ્રુવ દેવ ચંદ કટોછ દ્વારા આને ભારતમાં વિલિન કરી દેવાયું.

[ફેરફાર કરો] ભૂગોળ

કાંગડા 32.1° N 76.27° E અક્ષાંસ રેખાંશ પર આવેલું છે.[૬] સમુદ્ર સ્પાટીથી આની સરાસરી ઊંચાઈ ૭૩૩મી છે. કાંગડા જીલ્લો જાલંધરના દોઆબ થી લઈને હિમાલયની દક્ષિણી ટેકરીઓ સુધી ફેલાયેલો છે. આ શહેર બેનેર નદી અને માજ્હી નદીના સંગમ પર આવેલું છે અને બિઆસ નદીઅહીંની મહત્વ પૂર્ણ નદી છે.

[ફેરફાર કરો] અર્થ વ્યવસ્થા

૧૮૫૦માં અહીં ચા ના વાવેતરની શરૂઆત થઈ. મધ્ય એશિયાના ક્ષેત્રો સાથે વ્યાપાર મજબૂત કરવાના ઉદ્દેશ્યથી સરકારદ્વારા શરૂ કરેલ પાલમપુરના મેળામાં યારકંડીના વેપારીઓ ભાગ લે છે. લાહુલી લોકો લડાખ અને સીમાવર્તી ક્ષેત્રોમાં સામાન ઘેટાં બકરા પર લાદી વેપાર કરે છે. ચોખા, ચા, બટેટા, અફીણ, મસાલા, ઊન અને મધ એ મુખ્ય નિકાસ થતી વસ્તુઓ છે.

[ફેરફાર કરો] પ્રવાસી આકર્ષણો

ઘણા પ્રાચીન મંદિરો જેમ કે જવાલાજી મંદિર, બ્રિજેશ્વરી મંદિર, દેવી મંદિર, ચામુંડા દેવી મંદિર, ચિંતાપૂર્ણી મંદિર,ૢ બાબા બારોહ, પાંડવ દ્વારા નિર્મિત મસરૂર મંદિર અને બૈજનાથ મંદિર અહીં આવેલા છે. કાંગડા કિલ્લો પણ જાણીતું પ્રવાસી આકર્ષ છે, ધર્મશાલા નજીક આવેલ મેકલીઓડગંજ કે જે જિલ્લા મથક અને દલાઈ લામાનું ઘર છે તે પ્રણ પ્રચલિત છે. [૭] મહારાજા સંસારચંદ્ર સંગ્રહાલય કાંગડા કિલ્લાની બાજુમાં આવેલ છે. આ સંગ્રહાલયમાં કાંગડા કિલ્લા અને સંગ્રહાલયની ઓડિયો ગાઈડ ઉપલબ્ધ છે.

[ફેરફાર કરો] આ પણ જુઓ

[ફેરફાર કરો] સંદર્ભ

Mcllo.com - ધર્મશાલા,મેકલીઓડ ગંજ અને કાંગડા ખીણની માહિતી પ્રવાસ અને સમાજ વેબસાઈટ

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

Wikitravel
વિકિટ્રાવેલ પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:
કાંગડા
વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
બીજી ભાષાઓમાં