કાનજીભાઇ મગનભાઇ પટેલ
વિકિપીડિયા થી
શ્રી કાનજીભાઇ મગનભાઇ પટેલ, ગામ : બોડવાંક, તાલુકો : ચિખલી, જિલ્લો : નવસારી, રાજ્ય : ગુજરાત, દેશ : ભારત.
શ્રી કાનજીભાઇ સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મી અનેક સંઘર્ષોમાંથી પસાર થઇ ચૂક્યા છે. સક્રિય રાજકારણમાં હોવા છતાં તેઓ રાજકારણી નહિ પરંતુ સંવેદનશીલ કાર્યકર્તા છે. અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રના વિષયો સાથે ૧૯૫૮માં સ્નાતક થયા પછી તેઓ સરકારી નોકરીમાં જોડાયા. સાતેક વર્ષ નોકરી કરી, પછી તેઓ ભારતીય જનસંઘ અને એનું નવું સ્વરૂપ ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કર્યો. ગુજરાતના ભારતીય જનતા પક્ષમાં તેઓ પ્રથમ હરોળના આદિવાસી કાર્યકર્તા છે. ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના સભ્ય અને કેબીનેટ કક્ષાના મંત્રી તરીકે સેવા આપનાર શ્રી કાનજીભાઇ ગુજરાતના બધા જ વિસ્તારોમાં સુપરિચિત છે. સંગઠનના અનેક હોદ્દાઓ ઉપર રહી એમણે રાજ્ય તેમ જ રાષ્ટ્રને લાંબા સમય સુધી સેવા આપેલ છે. વર્તમાન(ઇ.સ. ૨૦૦૮)માં એઓશ્રી રાજ્યસભાના સભ્ય અને ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય મંત્રી છે.