કે.લાલ
વિકિપીડિયા થી
કે. લાલ ભારતનાં એક મહાન જાદુગર છે જેઓ ગુજરાતી હોવાને નાતે ગુજરાતનું ગૌરવ સમાન છે. તેઓનો જન્મ ૧૭-૦૧-ઇ.સ. ૧૯૨૪ની ૧૭ જાન્યુઆરીના રોજ થયો હતો. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત જુનાગઢ પાસેના વંથલી ગામે ૧૬ વર્ષની કિશોરવયે સૌ પ્રથમ જાદુનો ખેલ કરીને કરી હતી.[૧]
[ફેરફાર કરો] જન્મ અને બાળપણ
કે. લાલનું મૂળ નામ કાંતિલાલ વોરા છે, તેઓનો જન્મ બગસરા ગામમાં થયો હતો. તેમના દાદા નગરશેઠ હોવાને નાતે કલાના પુજારીઓ તેમને આંગણે હર હંમેશ ઉતારા નાંખતા. ૩૦ના દાયકામાં તેમાનાં કુટુંબ સાથે તેઓ કલકત્તા સ્થાયી થયા, જ્યાં તેમના પિતાએ કાપડનો વ્યવસાય શરૂ કર્યો હતો. બંગાળ કે જે ભારતમાં જાદુનું પાતનગર ગણાય છે, તેનું પાટનગર કલકત્તા બાળ કે.લાલને જાદુ શીખવાનો માર્ગ મોકળો કરી આપવા તેમાના જીવનમાં આવ્યું જ્યાં તેમની મુલાકાત તે સમયનાં મહાન જાદુગર ગણપતી ચક્રવર્તી સાથે થઈ, અને તેઓએ કાંતિલાલને પોતાના શિષ્ય તરિકે સ્વિકાર્યા..[૨]
[ફેરફાર કરો] સંદર્ભ
- ↑ અમરેલી ઓનલાઇન વેબસાઇટ પર કે.લાલ વિષે
- ↑ કે.લાલની પોતાની વેબ સાઇટ.