ખાડિયા
ખાડિયા એ અમદાવાદ શહેરનો એક વિસ્તાર છે, કે જે એક સમયે અમદાવાદનો સૌથી પ્રગતિશીલ વિસ્તાર ગણાતો હતો. અમદાવાદ શહેરમાં સૌથી પહેલાં પાણીનાં નળ અહીં નાંખવામાં આવ્યાં હતાં, તે જ રીતે સૌથી પહેલી ગટર લાઇન પણ આ વિસ્તારમાં નાંખવામાં આવી હતી. લોક બોલીમાં ખાડિયા તરીકે ઓળખાતા આ વિસ્તારને ક્યારેક ખાડિઆ પણ લખવામાં આવે છે. રાજકારણમાં ખાડિયાને ભાજપનો ગઢ ગણવામાં આવે છે.
[ફેરફાર કરો] પ્રસિદ્ધ વ્યક્તિઓ
અમદાવાદની ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ખાડિયામાં રહેતી હતી. પ્રખ્યાત હાસ્ય લેખક અશોક દવે પણ ખાડિયામાં જન્મ્યા હતાં. સાંઇ બાબા પણ ખાડિયાની સેવકાની વાડીમાં રહેતાં હતાં તેવું અધિકાંશ લોકો માને છે, જોકે તેમનાં પૂર્વ જીવનની બહુ માહિતિ ઉપલબ્ધ નથી. ગુજરાત રાજ્યના સ્વાસ્થ્ય, ન્યાય અને કાયદા મંત્રી તથા સ્પિકર રહી ચુકેલા સ્વ. શ્રી અશોક ભટ્ટ પણ ખાડિયા વૉર્ડમાંથી જ ચૂંટાઇ આવતા હતા.
[ફેરફાર કરો] જોવાલાયક સ્થળો
ખાડિયાની બધીજ પોળોમાં જુના મકાનો છે, જે તેમની કાષ્ટ કલા (કોતરણી)ને કારણે જોવાલાયક છે. સરકારે જેઠાભાઇની પોળને તો હેરિટેજ એક્ટ હેઠળ મુકીને પોળનાં જુનાં કલાત્મક મકાનો વેચવા ઉપર અંકુશ મુકી દીધો છે. ખાડિયામાં આવેલું બાલા હનુમાનનું મંદિર દર શનીવારે અને સાંઇ બાબાનું મંદિર દર ગુરુવારે ભક્તોનાં માનવ મહેરામણથી ઉભરાઇ જાય છે.
[ફેરફાર કરો] ખાડિયાની પોળો
અમદાવાદ શહેરમાં શેરીઓને પોળ તરીકે ઓળખવામાં આવે છે. ખાડિયા વિસ્તારની પોળોની યાદી નીચે આપેલી છે:
- દેસાઇની પોળ
- ધોબીની પોળ
- શેવકાની વાડી
- અમૃતલાલની પોળ
- જેઠાભાઇની પોળ
- નાનો સુથારવાડો
- મોટો સુથારવાડો
- અર્જુનલાલની ખડકી
- મણીયાશાની ખડકી
- પીપળા શેરી
- સાંઇબાબાની પોળ
- કવિશ્વરની પોળ
- મામુનાયકની પોળ
- પાડા પોળ
- રાજા મેહતાની પોળ
23.024216,72.593198