ગટરવ્યવસ્થા

વિકિપીડિયામાંથી
ગટરવ્યવસ્થાનો હેતુ એક નિકાલજોગ પ્રવાહીને કોઇ પણ સમૂહોને અગવડ કે ગેરલાભ પહોંચાડ્યા વગર બહાર કરવા માટે એક એવી વ્યવસ્થાને તૈયાર કરવી જે પ્રદૂષણને અટકાવવામાં મદદરૂપ હોય. શકે.[૧]

ગટર વ્યવસ્થા કે ઘરેલૂ ગંદાપાણીની વ્યવસ્થા , ગંદાપાણી અને ઘરેલૂ ગટરના વહેતા પાણી (બહાર વહેતા પાણી)માંથી અશુદ્ધિઓને દૂર કરવાની એક પ્રક્રિયા છે. જેમાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓ દ્વારા ભૌતિક, રાસાયણિક અને જૈવિક અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ વાતાવરણમાં પાછો ફેંકી શકાય કે ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવા એક ગંદા પ્રવાહ (કે પ્રક્રિયા કરેલું બહાર વહેતું પાણી)ને અને એક નક્કર કચરા કે કાદવને ઉત્પન્ન કરવાનો છે. આ સામગ્રી મોટેભાગે અજાણતા કેટલાક ઝેરી કાર્બનયુક્ત અણુ અને અકાર્બનિક અણુઓના ઘટકો ઘરાવે છે.

ગટરનો ઉદ્દભવ[ફેરફાર કરો]

રહેણાક, સંસ્થાગત, અને વ્યાપારી તેમજ ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા ગટરની રચના કરવામાં આવે છે અને તેમાં ટોઇલેટ, સ્થાનઘર, ફુવારાઓ, રસોઇઘર, સિંક અને મળમૂત્ર દ્વારા નીકળતા ઘરેલૂ ગંદા પાણીને સમાવવામાં આવે છે. કેટલાક ક્ષેત્રોમાં ગટરમાં ઉદ્યોગ અને વેપારથી નીકળતો ગંદો તરળ પદાર્થ પણ સમાવિષ્ટ હોય છે. રાખોડીપાણી અને કાળાપાણીને સ્વરૂપે ઘરેલૂ કચરાને અલગ કરી નિકાસ કરવો તે આજના વિકસિત વિશ્વ માટે સામાન્ય થઇ રહ્યું છે, અને રાખોડી પાણીનો છોડને પાણી પાવા કે ટોયલેટમાં ફ્લશ કરવા માટે ફરીથી ઉપયોગ કરવા માટે પણ પરવાનગી આપવામાં આવી છે. મોટાભાગની ગટરમાં કેટલાક સપાટીના પાણી જે છત કે હાર્ડ સ્ટેન્ડીંગ વિસ્તારો તેમજ સ્ટ્રોમવોટરથી ઉભરાઇને આવેલા પાણીનો પણ સમાવેશ કરે છે.

તેવી ગટર પ્રણાલીઓ જે તોફાની પાણીના પાણીને સમાવવા માટે પણ સક્ષમ હોય છે તેને સંયુક્ત પ્રણાલી કે સંયુક્ત ગટરો કહેવાય છે. મોસમ પર આધારીત આવા વ્યવસ્થાઓને ભાગ્યેજ અપનાવવામાં આવે છે કારણકે તેની જટિલતા આવા પ્લાન્ટની કાર્યક્ષમતાને ઓછી કરી દે છે. પ્રવાહની વિવિધતા પણ ધણીવાર જરૂરીયાત કરતા વધારે હોવાથી, અને બીજી રીતો કરતા આ વધુ ખર્ચાળ વ્યવસ્થા હોવાને કારણે તેને ઓછી પસંદ કરવામાં આવે છે. વધુમાં જ્યારે ભારે તોફાન આવે છે ત્યારે આ વ્યવસ્થા પાણીનો પ્રવાહ વધી જવાથી ઉભરાઇ જાય છે. આધુનિક મળમૂત્ર લઇ જતી ગટરોને તે રીતે વિકસાવવામાં આવી છે કે તેમાં વરસાદી પાણી માટે અલગથી તોફાન ગટર વ્યવસ્થા હોય.[૨]

જે રીતે વરસાદ છત અને મેદાન પરથી પસાર થતા, તેની સાથે વિવિધ ઘટકો જેવા કે રેતીના કણ અને અન્ય કાંપ, ભારે ધાતુ, કાર્બનિક અણુઓના સંમિશ્રતો, પશુઓનો કચરો, તેલ અને ઘાસને પણ તેની સાથે લેતો આવે છે. (જુઓ શહેરી રનઓફ .)[૩] કેટલાક અધિકારક્ષેત્રોમાં તોફાનીપાણીને પાણીના રસ્તે નિકાલ કરવાની પહેલા કેટલાક સ્તર પ્રક્રિયા પાર કરવી પડે છે. પ્રક્રિયાના ઉદાહરણોમાં અટકાયત બેસિન, ભીનીજમીનો, વિવિધ પ્રકારના મિડિયા ફિલ્ટરોવાળા દાટેલા વોલ્ટ્સ, અને ચક્રાકાર વિભાજક (મોટા નક્કર પદાર્થોને દૂર કરવા માટે)નો સમાવેશ થાય છે. સ્વચ્છ ગટરો મોટેભાગે તોફાની ગટરો કરતા ખૂબ જ નાની હોય છે, અને તેને તોફાની પાણીને લઇ જવા માટે બનાવવામાં નથી આવી. ભોયરા જેવા વિસ્તારોમાં, અપૂર્ણ ગટરવ્યવસ્થાને પાછી મેળવતા કેટલીકવાર જો ભારે તોફાની પાણી આવી જતા એક સ્વચ્છ ગટરવ્યવસ્થાની પદ્ધતિમાં આવા પાણીનો આવી શકે છે.

પ્રક્રિયાનું નિરીક્ષણ[ફેરફાર કરો]

ગટરવ્યવસ્થાની જ્યાં રચના થાય છે તેની આસપાસમાં જ તેના પર પ્રક્રિયા કરવામાં આવે છે (સેપ્ટિક ટાંકી, જૈવ ફિલ્ટરો, કે એરોબિક પ્રક્રિયા પદ્ધતિઓ), કે આ નળીઓના એક નેટવર્ક અને પમ્પ સ્ટેશનોના દ્વારા સંગ્રહ કરીને નગરપાલિકાના પ્રક્રિયા પ્લાન્ટમાં લાવવામાં આવે છે (ગટરવ્યવસ્થા અને પાઇપો અને માળખું જુઓ). ગટરવ્યવસ્થાનો સંગ્રહ અને પ્રક્રિયાએ ખાસ કરીને સ્થાનીક, રાજકીય અને સમવયી કાયદાઓ અને માનકો પર આધાર રાખે છે. મોટેભાગે ગંદાપાણીના ઔદ્યોગિક સ્ત્રોત માટે ખાસ પ્રક્રિયા પદ્ધતિઓની જરૂર હોય છે (જુઓ ઔદ્યોગિક ગંદાપાણીની પ્રક્રિયા)

પ્રણાલીગત ગટરવ્યવસ્થા પ્રક્રિયામાં ત્રણ તબક્કાઓ હોઇ શકે, જેને પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય પ્રક્રિયા કહેવાય છે.

  • પ્રાથમિક પ્રક્રિયા માં ગટરના પાણીને અસ્થાઇ રીતે એક સુપ્ત બેસિનમાં રાખવામાં આવે છે. જ્યાં ભારે નક્કર પદાર્થો નીચે જઇને જામી જાય છે, જ્યારે તેલ, ગ્રીસ અને હળવા પદાર્થો સપાટી પર તરતા રહે છે. નીચે બેસેલા અને ઉપર તરતા પદાર્થોને નીકાળવામાં આવે છે અને બચેલા તરળ પદાર્થનો નિકાલ કે માધ્યમિક પ્રક્રિયામાં મોકલવામાં આવે છે.
  • દ્વિતીય પ્રક્રિયા ઓગળેલા અને સ્થગિત જૈવિક પદાર્થોને નીકાળે છે. દ્વિતીય પ્રક્રિયા પ્રતિબંધિત સ્થાનિક જગ્યામાં, પાણીમાં પેદા થયેલા સૂક્ષ્મ જીવતંત્રો દ્વારા કરવામાં આવે છે. દ્વિતીય પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા કરાયેલા પાણીના નિકાલ કરવા કે તૃતીય પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાની પહેલા તેમાંથી સૂક્ષ્મ જીવોનો નિકાલ કરવા માટે એક રાસાયણિક પૃથ્થકરણ પ્રક્રિયાની જરૂરીયાત પડી શકે છે.
  • તૃતીય પ્રક્રિયા ને કેટલીક વાર પ્રાથમિક અને દ્વિતીય પ્રક્રિયાથી થોડીક વધુ તે રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પ્રક્રિયા કરેલા પાણીને કોઇ પ્રવાહ, નદી, ખાડી, લગૂન કે ભીની જમીનમાં છોડવાની પહેલા કેટલીકવાર તેને રાસાયણિક કે ભૌતિક રીતે જંતુરહિત કરવામાં આવે છે (જેમ લગૂન કે માઇક્રોફિલ્ટરેશન દ્વારા), કે તેને ગોલ્ફના મેદાન, લીલા રસ્તા કે ઉદ્યાનમાં સિંચાઇ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જો તે પર્યાપ્ત રીતે સાફ હોય, તો તેને ભૂમિગત જળ રિચાર્જ કે ખેતી કામ માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે.
એક લાક્ષણિક વિશાળ પાયાના પ્રક્રિયા પ્લાન્ટ માટે પ્રક્રિયા પ્રવાહની રેખાકૃતિ



પૂર્વ-પ્રક્રિયા[ફેરફાર કરો]

પૂર્વ પ્રક્રિયામાં પ્રાથમિક પ્રક્રિયાના પમ્પ કે સ્કીમર્સને નુક્શાન પહોંચાડતી સામગ્રી (જેમ કે કચરો, ઝાડના ડાળખાં, પત્તાઓ વગેરે)ને નીકાળવામાં આવી છે, જેને ગંદાપાણીમાંથી સહેલાઇથી એકત્રિત કરી શકાય છે.

સ્ક્રિનિંગ[ફેરફાર કરો]

ગટર પ્રવાહમાં વહેતા તમામ મોટા પદાર્થોને નીકાળવા માટે આ પાણીને ગાળવામાં આવે છે.[૪] સામાન્યરીતે, મોટી જનસંખ્યા માટે સેવા આપતા આધુનિક પ્લાન્ટમાં એક સ્વયંચાલિત યંત્રિક અવરોધક ચાળણીની મદદથી કરવામાં આવે છે, જ્યારે અપેક્ષાકૃત નાના કે ઓછા આધુનિક પ્લાન્ટમાં એક હાથથી ચાલતી ચાળણીના ઉપયોગ કરી શકાય છે. એક યાંત્રિક અવરોધક ચાળણીની એકત્રણ ક્રિયા મોટેભાગે અવરોધક ચાળણી પર જમાવ અનેકે પ્રવાહ દરને મુજબ લાક્ષણિક ગતિના આધાર પર થાય છે. નક્કર પદાર્થોને એકત્રિત કરીને અને પાછળથી તેને જમીનમાં જગ્યા ભરવા કે બાળી નાખવા માટે કરવામાં આવે છે. નક્કર પદાર્થોના નિકાલની પ્રક્રિયામાં અલગ અલગ આકારની અવરોધક ચાળણી કે જાળીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કુલ ઘન કચરાને પૂર્ણ રીતે નીકાળવામાં ન આવે તો તે નળીઓમાં ભરાઇ જાય છે અને પ્રક્રિયા પ્લાન્ટના ભાગોમાં ફરવા લાગે છે જેથી આ પ્રક્રિયાને નુકશાન પહોંચે છે અને તે બિનકાર્યક્ષમ થઇ જાય છે.[૫]:9

કાંકરા નીકાળવા[ફેરફાર કરો]

પૂર્વ-પ્રક્રિયામાં રેતી કે કાંકરાની નહેર કે ચેમ્બર પણ હોઇ શકે છે, જ્યાં રેતી, કાંકરા અને પથ્થરોને જમા થવા માટે અંદર આવતા ગંદાપાણીની ઝડપનો મેળ બેસાડવામાં આવે છે. આ કણોને એટલા માટે નીકાળવામાં આવે છે કારણ કે તે નળીઓ અને અન્ય સાધનોને નુકશાન પહોંચાડે છે નાની સ્વચ્છ ગટર વ્યવસ્થાઓ માટે, કાંકરાની ચેમ્બર જરૂરી ના પણ હોઇ શકે, પણ મોટા પ્લાન્ટોમાં કાંકરાને નીકાળવા ઇચ્છનીય છે.[૫]:10

બેલ્જિયમના મેર્ચટેમના ટ્રીટમેન્ટ પ્લાન્ટની એક ખાલી સેડિમેન્ટેશન ટાંકી

ચરબી અને ગ્રીસનો નિકાલ[ફેરફાર કરો]

કેટલાક મોટા પ્લાન્ટોમાં એક નાની ટાંકીમાં આવેલા સ્ક્રીમર દ્વારા સપાટી પર તરતી ચરબી અને ગ્રીસને નીકાળવામાં આવે છે. ટાંકીની નીચે આવેલા હવાના ધમણો ફીણ તરીકે ભેગી થયેલી ચરબીના નિકાલમાં ઉપયોગી થઇ શકે છે. જોકે મોટાભાગના પ્લાન્ટમાં, પ્રાથમિક જમાવ ટાંકીમાં યાંત્રિક સપાટીના સ્ક્રીમરોનો ઉપયોગ કરી ચરબી અને ગ્રીસને નીકાળવામાં આવે છે.

પ્રાથમિક પ્રક્રિયા[ફેરફાર કરો]

પ્રાથમિક ગાળના તબક્કામાં, મોટી ટાંકીઓમાં થઇને ગટરનો પ્રવાહ વહે છે, જેને સામાન્ય રીતે પ્રાથમિક સ્વચ્છ કરવું કે પ્રાથમિક ગાળ ટાંકીઓ કહેવાય છે. આ ટાંકીઓનો ઉપયોગ કાદવને નીચે જમા કરવા માટે થાય છે જ્યાં ગ્રીસ અને અન્ય તેલો સપાટી રહે છે અને સ્ક્રીમ દ્વારા તે બહાર નીકળી જાય છે. પ્રાથમિક જમા કરતી ટાંકીઓમાં મોટેભાગે યાંત્રિક રીતે ચાલતા સ્વયંસંચાલિત સ્ક્રેપર હોય છે જે એકત્રિત થયેલા કાદવને અવિરતપણે ટાંકીના નીચે આવેલા એક હોપરની તરફ લઇ જાય છે જ્યાંથી આ કાદવ અન્ય પ્રક્રિયાઓ માટે જાય છે.[૫]:9-11 સોપોનીફીકેશન માટે કેટલીકવાર વહેતા પદાર્થોમાંથી ગ્રીસ અને તેલને નિકાળી લેવામાં આવે છે. આ ટાંકીઓનો વિસ્તારની રચના તે રીતે કરવી જોઇએ કે તે વહેતા પદાર્થો અને કાદવને વધુને વધુ માત્રામાં દૂર કરવામાં મદદરૂપ થાય. એક લાક્ષણિક ગાળની ટાંકી, ગટરના પાણીમાંથી 60 થી 65 ટકા સ્થગિત ઘન પદાર્થો અને બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (બીઓડી(BOD))માંથી 30 થી 35 ટકા કાદવનો નિકાલ કરી શકે છે.

દ્વિતીય પ્રક્રિયા[ફેરફાર કરો]

દ્વિતીય પ્રક્રિયા ની રચના, માનવ કચરો, ખોરાક કચરો, સાબુ અને ડિટજન્ટથી ઉત્પન્ન થતા ગંદાપાણીની અંદર રહેલી જૈવિક માત્રાને મોટા પાયે ઓછું કરવા માટે કરાઇ છે. મોટાભાગના નગરપાલિકાના પ્લાન્ટ એરોબિક બાયોલોજીક પ્રક્રિયાઓનો ઉપયોગ જમા થયેલા કચરાના પ્રવાહી પર પ્રક્રિયા કરવા માટે કરે છે. બાયોટાને જીવવા માટે ઓક્સિજન અને ખોરાકની જરૂર પડે છે. જીવાણુ અને પ્રોટોઝોઆ સ્વાભાવિકરૂપથી વિઘટનશીલ, ઓગળી જતી સંગઠિત અશુદ્ધિઓ (જેમ કે ખાંડ, ચરબી, કાર્બનિક લધુ-શ્રૃંખલાબદ્ધ કાર્બન પરમાણુઓ, વગેરે.)નો ઉપયોગ કરે છે અને ઓછા ઓગળતા પદાર્થોમાંથી અધિકાંશ પદાર્થોને ફ્લોકમાં પરાવર્તિત કરી દે છે. દ્વિતીય પ્રક્રિયા પ્રણાલીને નિયત-ફિલ્મ કે સ્થગિત વૃદ્ધિ પ્રણાલીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

  • નિયત-ફિલ્મ કે સંલગ્ન વૃદ્ધિ પદ્ધતિઓ માં ટ્રીકલીંગ ફિલ્ટરો અને રોટેટીંગ બાયલોજિકલ કોન્ટેકટર સમાવિષ્ટ હોય છે, જ્યાં બાયોમાસ માધ્યમ પર વૃદ્ધિ કરે છે અને કચરો તેની સપાટી પરથી પસાર થાય છે.
  • સ્થગિત વૃદ્ધિ પદ્ધતિઓમાં સક્રીય કાદવનો સમાવેશ થાય છે, જ્યાં કચરા સાથે બાયોમાસને જોડીને નિયત-ફિલ્મ પદ્ધતિઓ જે પ્રક્રિયામાં સમાન જથ્થાના પાણી પર પ્રક્રિયા કરે છે તેના કરતા નાની જગ્યામાં કાર્યરત થઇ શકે છે. જૈવિક પદાર્થની માત્રામાં થતા જોરદારના બદલાવોની સાથે નિયત ફિલ્મ વધુ સારી રીતે સામનો કરી શકે છે અને કાર્બનિક પદાર્થો અને સ્થગિત ઘનો સ્થગિત વૃદ્ધિ પદ્ધતિઓ કરતા વધુ ઊંચી માત્રામાં દૂર કરી શકે છે.[૫]:11-13

રફીંગ ફિલ્ટરોનો ઉદ્દભવ ખાસ કરીને ઔદ્યોગિક, સખત કે પરિવર્તનશીલ કાર્બનિક ભાર પર પ્રક્રિયા કરવા માટે થયો છે, ત્યારબાદ પારંપરિક દ્વિતીય પદ્ઘતિની પ્રક્રિયાઓ દ્વારા તેની પ્રક્રિયા કરવામાં આવે છે. આ લક્ષણોમાં ગંદાપાણી પર લાગુ પડતા માધ્યમવાળા ફિલ્ટર પણ સમાવિષ્ટ છે. તેની આવી રચના તેને હાઇડ્રોલિક ભાર અને એક ઊંચા સ્તરના વાયુમિશ્રણ કરવાની છૂટ આપે છે. મોટી સ્થાપનાઓમાં, ધમણનો ઉપયોગ કરીને હવા દ્વારા માધ્યમને ફૂલાવવામાં આવે છે. પરીણામી ગંદાપાણીની ગણતરી સામાન્ય રીતે પારંપરિક પદ્ધતિ પ્રક્રિયાની સામાન્ય શ્રેણીની અંદર કરવામાં આવે છે.

એક સામાન્યકૃત, સક્રિય કાદવ પ્રક્રિયાની યોજનાની રેખાકૃતિ.

એક ફિલ્ટર ખૂબ જ ઓછી માત્રામાં સ્થગિત કાર્બનિક દ્રવ્યોને દૂર કરે છે, જ્યારે ફિલ્ટરમાં મોટી ભાગના કાર્બનિક દ્રવ્યો જૈવિક ઓક્સીડેશન અને નાઇટ્રીફ્રીકેશનના કારણે તેના લાક્ષણિક રૂપમાં બદલાવ લાવે છે. આ એરોબિક ઓક્સિડેશન અને નાઇટ્રીફીકેશનની સાથે, આ કાર્બનિક ઘનો સ્થગિત જથ્થાને જમાવી દે છે, આ ભારે જથ્થો ટાંકીના તળિયે જમા થાય છે. આથી ફિલ્ટરનું ગંદુપાણી એક ગાળ ટાંકીથી વહીને બહાર જાય છે, જેને દ્વિતીય નિર્મલક કે સ્થિર ટાંકી કે ખાતર ટાંકી કહેવાય છે.

સક્રિય કાદવ[ફેરફાર કરો]

સામાન્યરીતે, સક્રિય કાદવ પ્લાન્ટમાં વિવિધ પ્રકારની ક્રિયાવિધિઓ અને પ્રક્રિયાઓના માધ્યમથી જૈવિક ફ્લોકની વૃદ્ધિને વધારવા માટે ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે જે મોટા પ્રમાણે કાર્બનિક પદાર્થોને દૂર કરવામાં કામમાં આવે છે.[૫]:12-13 આ પ્રક્રિયા કણીય પદાર્થોને પકડીને આદર્શ પરિસ્થિતિઓ હેઠળ અમોનિયાને નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં અને છેલ્લે નાઇટ્રોજન ગેસમાં બદલી શકે છે. (આ પણ જુઓ ડિનાઇટ્રીફિકેશન).

એક લાક્ષણિક સપાટી-વાયુક્ત બેસિન (મોટરથી ચાલતા અસ્થાયી વાયુમિશ્રણ યંત્રનો ઉપયોગ કરીને)

સપાટી-વાયુયુક્ત બેસિન (લગૂનો)[ફેરફાર કરો]

સંયુક્ત રાજ્યો (1 મિલિયન ગલ. / દિવસ કે ઓછું)ની અનેક નાની નગરપાલિકાની ગટરવ્યવસ્થામાં વાયુયુક્ત લગૂનોનો ઉપયોગ કરવામાં આવે છે.[૬] ઔદ્યોગિક ગંદાપાણીને સાફ કરવાના મોટાભાગ જૈવિક ઓક્સીડેશન પ્રક્રિયાઓમાં મોટે ભાગે ઓક્સીજન (કે હવા) અને સૂક્ષ્મજીવીય ક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે. સપાટી-વાયુયુક્ત બેસિનો 1 થી 10 દિવસોના અટકાયત સમયમાં બીડીઓને 80 થી 90 ટકા સુધી પહોંચાડે છે.[૭] આ બેસિનો 1.5 થી 5.0 મીટર જેટલા ઊંડા હોય છે અને આ ગંદુપાણી સપાટી પર તરતી મોટરથી ચાલતા વાયુમિશ્રણ યંત્રોનો ઉપયોગ કરે છે.[૭] આ વાયુયુક્ત બેસિન પદ્ધતિમાં, વાયુમિશ્રણ યંત્રો બે રીતે કામ કરે છે: બેસિનોમાં જૈવિક ઓક્સિડેશન પ્રતિક્રિયાઓ માટે આવશ્યક હવાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાવે છે અને હવાને છૂટી પાડવાની સાથે રિએક્ટરો (એટલે કે ઓક્સિજન, ગંદાપાણી અને સૂક્ષ્મ જીવો)થી સંપર્ક સ્થાપિત કરવા માટે જરૂરી મિશ્રણ પર કામ કરે છે. ખાસ કરીને, વહેતી સપાટીના વાયુમિશ્રણ યંત્રો 1.8 થી 2.7 કિલોગ્રામ O2/kW•h ઓક્સિજન પ્રતિ કિલોવાટ કલાકની માત્રા મુજબ હવા આપવાનું કાર્ય કરે છે. જોકે, તે એટલું સારું મિશ્રણ પૂરું નથી પાડતું, જેટલું સારું મિશ્રણ સામાન્ય રીતે સક્રિય કાદવ પદ્ધતિઓમાં પ્રાપ્ત થાય છે, માટે જ વાયુયુક્ત બેસિનો, સક્રિય કાદવ એકમોના સ્તર સાથે સમાનતા નથી ધરાવતા.[૭] જૈવિક ઓક્સિડેશન પ્રક્રિયાઓ તાપમાનથી સંવેદનશીલ હોય છે, અને 0 °C (સેલ્સિયસ) થી 40 °C (સેલ્સિયસ)ની વચ્ચે, તાપમાનની સાથે જૈવિક પ્રતિક્રિયાઓના દરમાં વૃદ્ઘિ કરે છે. મોટાભાગના સપાટી વાયુયુક્ત પાત્રો 4 °C (સેલ્સિયસ) અને 32 °C (સેલ્સિયસ) ની વચ્ચે ચાલે છે.[૭]

ફિલ્ટર પટો (ઓક્સિકરણ પટો)[ફેરફાર કરો]

જૂના પ્લાન્ટો અને પરિવર્તનીય ભારણ પદાર્થોને પ્રાપ્ત કરવાના પ્લાન્ટોમાં ટપકતા ફિલ્ટર પટોનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં પટોમાં જમા થયેલા ગંદાપાણીને કોક (કાર્બનયુક્ત કોલસો), ચૂનાના પથ્થરોના ટુકડા, કે ખાસ રીતે બનાવેલા પ્લાસ્ટિક મીડિયાથી બનેલા પટની સપાટી પર ફેલાવવામાં આવે છે. આ રીતના માધ્યમમાં વિશાળ સપાટી ક્ષેત્રો હોવા જરૂરી છે જે જૈવફિલ્મોના નિર્માણમાં સહાયક થઇ શકે. આ પ્રવાહી ખાસ કરીને છંટકાવ હાથોથી વિતરીત કરવામાં આવે છે. વિતરીત પાણી ટપકીને પટના માધ્યમથી થઇને આધાર પટની નળીયોમાં એકત્રિત થાય છે. નળીઓ પણ હવાનું એક સ્ત્રોત ઉપલ્બધ કરવે છે, જે એરોબીક પટના માધ્યમથી થઇને તેને હવાદાર બનાવી રાખે છે. જીવાણુ, પ્રોટોઝોઆ અને ફૂગની જૈવિક ફિલ્મ મીડિયાની સપાટી પર આકાર લઇને આ કાર્બનિક ઘટકોને ખાઇ કે ઓછું કરી દે છે.[૫]:12 મોટાભાગે આ બાયોફિલ્મ જીવાણુના લારવા, ઇયળો અને કીડાઓને મદદથી શોધીને ખાઇ જવામાં આવે છે, જે એક દેખીતી જાડાઇ બનાવી રાખે છે. વધારેને વધારે પટોને વધતા આ ફિલ્મની જાડાઇ વધે છે અને તે ફિલ્ટર મીડિયા અને સપાટીના તળાવ અને ચીકણી બનાવે છે, ટપકતી ફિલ્ટરની રચનાના સાથે સૂક્ષ્મ-જૈવિક પ્રક્રિયા અને મીડિયાનો અનેક પ્રશ્નોનો ઉકેલ લાવી શકાયો છે.

જમીન જૈવ-પદ્ધતિ[ફેરફાર કરો]

આઇઆઇટી (IIT) બોમ્બે દ્વારા વિકસિત જમીન જૈવ-પદ્ધતિ (સીબીટી (SBT)) નામની એક નવી પ્રક્રિયાની મદદથી 50 જૂલ પ્રતિ કિલોગ્રામ કરતા પણ ઓછા પાણીથી અતિશય ઓછી સંચાલન શક્તિ આવશ્યકતાઓના કારણે કુલ પાણી પુનઉપયોગને સક્ષમ બનાવવાની પ્રક્રિયાની ક્ષમતામાં જબરદસ્ત સુધારો જોવા મળ્યો છે. સામાન્ય રીતે એસબીટી (SBT) પદ્ધતિમાં 400 મિલિગ્રામ પ્રતિ લીટર જેટલું ગંદુપાણી નાખવાથી 10 મીલિગ્રામ પ્રતિ લીટર કરતા ઓછું રાસાયણિક ઓક્સિજન માંગ (સીઓડી(COD))ને પ્રાપ્ત કરી શકાતું હતું.[૮] એસબીટી (SBT) પ્લાન્ટમાં મોટા પ્રમાણમાં સીડીઓ (COD) મૂલ્યો અને જીવાણુની સંખ્યામાં ઘટાડો થાય છે, જેની પાછળ મીડિયામાં હયાત ખૂબ જ ઊંચી માઇક્રોબિયલ ઘનતાઓ જવાબદાર છે. પારંપરિક પદ્ધતિના પ્લાન્ટોના બદલે, એસબીટી (SBT) પ્લાન્ટો, મામૂલી માત્રામાં ગાળનું ઉત્પાદન કરે છે અને ગાળ માટે અન્ય પદ્ધતિ દ્વારા જરૂરી તેવા નિકાલ વિસ્તારની આ પ્રક્રિયામાં જરૂર નથી પડતી.[૯]

ભારતીય સંદર્ભમાં, પારંપરિક ગંદાપાણીની પદ્ધતિ પ્લાન્ટોમાં માળખાગત અયોગ્યતાના કારણો આ મુજબ છે 1) ભારે સંચાલન કિંમત, 2) મિથેનોજેનેસિસ અને હાઇડ્રોજન સલ્ફાઇડના કારણે સાઘનોમાં થતો કાટ, 3) ઊંચા સીઓડી (COD) (30 મિલીગ્રામ પ્રતિ લીટરથી વધુ) અને ઊંચા ફેકલ કોલિફોર્મ (3000 એનએફયુ (NFU)થી વધુ) સંખ્યાના કારણે પ્રક્રિયા કરેલા પાણીનો ફરીથી ઉપયોગ ન કરી શકવો, 4) યોગ્ય સંચાલન કામદારોનો અભાવ અને 5) સાઘનની બદલીના મુદ્દાઓનો સમાવિષ્ટ છે. ભારત સરકાર દ્વારા વર્ષ 1986માં મોટા પાયે ગંગા બેસિનની સફાઇ કરવાનો પ્રયાસની માળખાગત અસફળતાના ઉદાહરણોને સંકટ મોચન ફાઉન્ડેશન દ્વારા નોંધવામાં આવ્યા હતા, જેને માટે ભારત સરકારને ગંગા એક્શન પ્લાન હેઠળ પદ્ધતિ પ્લાન્ટોની સ્થાપના કરી હતી પણ નદીના પાણીની ગુણવત્તામાં સુધારો લાવવાનો આ પ્રયાસ અસફળ રહ્યો હતો.

જૈવ વાયુયુક્ત ફિલ્ટરો[ફેરફાર કરો]

જૈવ વાયુયુક્ત (કે અનોક્સિક) ફિલ્ટર (બીએએફ (BAF)) કે જૈવ ફિલ્ટરો જીવિક કાર્બન કટૈતી, નાઇટ્રીકરણ કે અનાઇટ્રીકરણની સાથે જોડાઇને ગાળણક્રિયા કરે છે. સામાન્યરીતે બીએએફ (BAF)માં એક મીડિયા ફિલ્ટરની ભરેલ એક પ્રતિક્રિયાકારક હોય છે. મીડિયા કાં તો આલંબનમાં હોય છે કે ફિલ્ટરના નીચેના હિસ્સાના પથરોવાળા પડના સહારે હોય છે. આ મીડિયાનો બેવડો ઉદ્દેશ તેનાથી જોડાયેલા અત્યાધિક સક્રિય બાયોમાસને ટેકો પૂરો પાડવો અને સ્થગિત ઘન પદાર્થોને ગાળવાનો છે. એરોબિક મોડમાં કાર્બન ઘટે છે અને અમોનિયાનું રૂપાંતરણ થાય છે અને કેટલીકવાર નાઇટ્રેડનું રૂપાંતરણ એનોક્સિ મોડમાં થાય છે ત્યારે ખાલી એક જ રિએક્ટર મળે છે. બીએએફ ઉત્પાદક દ્વારા જે રીતે ગોઠવણી કરવામાં આવી હોય તે મુજબ ઉપરના પ્રવાહ કે નીચેના પ્રવાહ પર કાર્યરત થાય છે.

એક વિશિષ્ટ રોટેટીંગ બાયોલોજીકલ કોન્ટ્રાક્ટરની રેખાકૃતિ (આરબીસી (RBC)) પ્રવાહી સ્પષ્ટતા / વસાહતની પદ્ધતિને આ રેખાકૃતિનમાં જોડવામાં નથી આવી.

રોટેટીંગ બાયોલોજીકલ કોન્ટેક્ટર્સ[ફેરફાર કરો]

રોટેટીંગ બાયોલોજીકલ કોન્ટેક્ટર્સ (આરબીસી (RBC)) યાંત્રિક દ્વિતીય પદ્ધતિ પ્રણાલીઓ છે, જે કાર્બન ભારના ઘસારાની વિરુદ્ધમાં ખડતલ અને સક્ષમ કાર્ય કરે છે. 1960માં આરબીસી (RBC)ને પહેલીવાર જર્મનીમાં સ્થાપવામાં આવ્યું હતું અને ત્યારબાદથી તેને ભરોસાપાત્ર કાર્યરત એકમ તરીકે વિકસાવવામાં અને સુધારવામાં આવ્યું. આ ફરતી તકતી કચરાના તૂટી પડેલા અને સ્થિર થયેલા કાર્બનિક પ્રદૂષકોના જીવાણુ અને સૂક્ષ્મ-જીવતંત્રોની વૃદ્ધિને સહાય કરે છે. સૂક્ષ્મ જીવતંજત્રને સફળતાપૂર્વક વૃદ્ધિ પામવા માટે ખોરાક અને ઓક્સિજનની જરૂર હોય છે. તકતીના ફરવાથી જે વાતાવરણ બને છે તેમાંથી આ ઓક્સિજનને મેળવવામાં આવે છે. કાદવમાં આ સૂક્ષ્મજંતુઓ ત્યાં સુધી માધ્યમ પર વધીને ઊભા કરવામાં આવે છે જ્યાં સુધી તે ફરતી તકતી દ્વારા કપાઇને ખરી ન પડે. આરબીસી (RBC)માંથી આવતો પ્રવાહ ત્યારબાદ છેલ્લા શુદ્ધીકરણમાં જાય છે જ્યાં આ સૂક્ષ્મજંતુઓ કાદવ તરીકે સ્થગિત થઇને સ્થિર થઇ જાય છે. આ કાદવને શુદ્ધીકરણમાંથી ત્યારબાદની પ્રક્રિયા માટે નિકાળવામાં આવે છે.

આવી સમાન રીતની જૈવિક ગાળણની પ્રક્રિયા ઘરના માછલીઘરને ગાળવા અને શુદ્ધ કરવા માટે જાણીતી બની ગઇ છે. માછલીઘરનું પાણી મીડિયા ફિલ્ટર અને માછલીઘરમાં પાછું જવાની પહેલા ટાંકીની ઉપરની તરફ આવે છે અને ત્યારબાદ ઘોધની જેમ એક ફાઇબરના ચકરડા પર પડે છે. સૂક્ષ્મજંતુઓની એક બાયોફિલ્મનું આવરણ આ ફરતી ચાળણીના પેડા દ્વારા તૈયાર કરવામાં આવે છે જે માછલીઘરના સ્થગિત કરચાને ભરાય છે અને પેડાના ફરવાથી તે વાતાવરણથી પણ સંપર્કમાં રહે છે. આ માછલીઘરમાં માછલી અને અન્ય પ્રાણીઓ દ્વારા પાણીમાં જે યુરીયા અને અમોનીયા ભેળવવામાં આવે છે, તે કચરાને દૂર કરવા માટે આ પ્રક્રિયા અતિશય સારી રહે છે.

અન્તરછાલ જૈવપ્રતિક્રિયાકારક[ફેરફાર કરો]

અન્તરછાલ જૈવપ્રતિક્રિયાકારકો (એમબીઆર (MBR)) સક્રિય ગાળ પદ્ધતિની સાથે એક આન્તરછાલ પ્રવાહી-ઘનોને અલગ કરવાની પ્રક્રિયાને જોડે છે. અન્તછાલના ઘટકો નીચા દબાણવાળા માઇક્રોફિલ્ટરેશન કે અલ્ટ્રા ફિલ્ટરેશન અન્તછાલોનો ઉપયોગ કરે છે અને શુદ્ધિકરણ અને વિસ્તારીત ગાળણક્રિયા માટેની જરૂરિયાતને બાકાત કરે છે. આ અન્તરછાલ ખાસ કરીને વાયુમિશ્રણ ટાંકીમાં ડૂબેલી હોય છે, કેટલીકવાર એક અલગ અન્તરછાલ ટાંકીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એમબીઆર (MBR) પ્રણાલીનો એક મહત્વપૂર્ણ ફાયદો તે છે કે પારંપરિક સક્રિય કાદવ (સીએએસ (CAS)) પ્રક્રિયાના નબળા કાદવને સ્થિર કરવાની મર્યાદા પર તે અસરકારક છે. આ પદ્ધતિ મોટા પાયે સીએસએસ (CAS) પ્રણાલીની તુલના કરતા વધુ મિશ્ર પાણીના સ્થગિત ઘન પદાર્થો (એમએલએસએસ (MLSS) સાથે જૈવપ્રતિક્રિયાને એકાગ્ર કરી શકે છે, જે કાદવના જમા થવાની મર્યાદિત થાય છે. જ્યારે સીઆઇએસ (CAS)નું સંચાલન 2,000 થી 3,000 મિલિગ્રામ પ્રતિ લીટરની સીમામાં થાય છે. એમબીઆર (MBR) પ્રક્રિયામાં ઉન્નત બાયોમાસ અતિશય ભારે દરે ઓગળી શકતા અને સડનશીલ તેવા બંન્ને પદાર્થોને અસરકારક રીતે દૂર કરે છે. વધતા કાદવને સામાન્યરીતે વધુમાં વધુ 15 દિવસ સુધી અટકાવીને રાખવામાં આવે છે, અને અતિશય ઠંડા સમયમાં પણ તેમાંથી સંપૂર્ણપણે નાઇટ્રીફિકેશન થયું છે કે કેમ તેની સાવધાની રાખવામાં આવે છે.


પારંપરિક ગંદાપાણીની પ્રક્રિયા કરતા એમબીઆરને બનાવવાની અને કાર્યરત કરવાની કિંમત વધુ હોય છે. અન્તરછાલ ફિલ્ટરોને ગ્રીસ ઢાંકી કે સ્થગિત કાંકરાઓ દ્વારા ઘસી શકાય છે અને જેના ઉપરી પ્રવાહને પ્રવાહિત કરવા માટે સ્પષ્ટ કરનારની લવચીકતાનો અભાવ હોઇ શકે છે. પૂર્વપ્રક્રિયાના ગંદા પ્રવાહ અને વિશાળ પસંદગી માટે આ પદ્ધતિ મોટેપાયે લોકપ્રિય થઇ રહી છે જ્યાં ક્રમિક પ્રસરણ અને પ્રવાહને નિયમિત કરી શકાય છે, જો કે તેનું જીવન ચક્ર ઓછું હોય છે. એમબીઆર (MBR) પ્રણાલી નાના નાના પગલે અને ઊંચી ગુણવત્તાનુવાળું પ્રવાહી ઉત્પન્ન કરે છે, જેનાથી ખાસ કરીને ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવું પાણી મળે છે.[૧૦]

દ્વિતીય ગાળ[ફેરફાર કરો]

એક ગ્રામીણ પદ્ધતિના પ્લાન્ટ ખાતે આવેલી ગૌણ ગાળ ટાંકી.

એક દ્વિતીય શુદ્ઘિકરનાર દ્વારા દ્વિતીય પદ્ધતિના અંતિમ ચરણમાં જૈવિક ફ્લોક કે ફિલ્ટર પદાર્થોને નીચે જમા કરવામાં આવે છે અને અને નીચા સ્તરના કાર્બનિક પદાર્થો અને સ્થગિત પદાર્થોનું ઉત્પાદન કરવામાં આવે છે

તૃતીય પદ્ધતિ[ફેરફાર કરો]

તૃતીય પદ્ધતિનો ઉદ્દેશ માન્ય વાતાવરણ (સમુદ્ર, નદી, તળાવ, જમીન વગેરે)માં પ્રવાહનો નિકાલ કરવાની પહેલા તેની ગુણવત્તાને વધારવાનો છે, જેના માટે આ અંતિમ પદ્ધતિ કરવામાં આવે છે. કોઇ પણ પદ્ધતિ પ્લાન્ટમાં એક કે તેથી વધુ તૃતીય પદ્ધતિ પ્રક્રિયાઓનો ઉપયોગ કરી શકાય છે. જો શુદ્ઘીકરણનો અભ્યાસ કરવામાં આવ્યો હોય, તો તે એક અંતિમ પ્રક્રિયા છે. તેને બહાર વહી જતા પાણીને ચમકાવનાર તેવું પણ કહેવાય છે.

ગાળણક્રિયા[ફેરફાર કરો]

રેતીની ગાળણક્રિયાથી મોટા ભાગના શેષ સ્થગિત પદાર્થ નીકળી જાય છે.[૫]:22-23 સક્રીય કાર્બન પર ગાળણક્રિયાને, કાર્બન શોષણ પણ કહેવાય છે જે બાકી રહેલા ઝેરને દૂર કરે છે.[૫]:19

લગૂનીંગ[ફેરફાર કરો]

સંયુક્ત રાજ્યોના એવરેટમાં આવેલ એક ગટરવ્યવસ્થાનો પ્લાન્ટ અને લગૂન.

માણસો દ્વારા બનાવેલ વિશાળ તળાવ કે લગૂન દ્વારા ગંદા પાણીને સંગ્રહ કરવાની આ લગૂનીંગની પ્રક્રિયા સ્થિરતા અને વધુ જૈવ સુધારણા ઉપલબ્ધ કરાવે છે આવા લગૂનો ભારે એરોબિક અને સ્થાનિક મેક્રોફાઇટ દ્વારા વસાવવામાં આવે છે, ખાસ કરીને પોલી નળીથી વધારવામાં આવે છે ડેફ્નિયા અને રોટિફેરા ની પ્રજાતિઓ જેવા ઇનવર્ટિબ્ટના ભોજનની તૈયારી કરતા નાના ફિલ્ટરો ઉમદા પાર્ટીક્યુલેટ્સને નીકાળીને પદ્ધતિની ક્રિયામાં ખુબ જ સહાય કરે છે.

ભીની જમીનોની યોજના[ફેરફાર કરો]

ભીની જમીનોની યોજનામાં ઇજનેરી રેડબોડો અને તેવી રીતની અનેક પદ્ધતિઓનો સમાવેશ થાય છે, જેમાંથી એક ઊંચી માત્રાની એરોબિક જૈવિક સુધાર ઉપલબ્ધ કરાવે છે અને નાના સમૂહો માટે દ્રિતીય પદ્ધતિની બદલે તેનો ઉપયોગ કરી શકાય છે આ પણ જુઓ ફાઇટોરિમેડિએશન. જેનું એક ઉદાહરણ છે ઇંગ્લેન્ડના ચેસ્ટર પ્રાણીસંગ્રહાલયમાં હાથીઓના પ્રાંગણની નાળીઓની સફાઇ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી એક નાની રેડબેડ.

ન્યૂટ્રીયન્ટને દૂર કરવા[ફેરફાર કરો]

ગંદાપાણીમાં ભારે માત્રામાં નિટ્રોજન અને ફાસ્ફોરસના પોષક પદાર્થો હોઇ શકે છે. પર્યાવરણમાં તેની વધુ નિકાસના કારણે પોષક પદાર્થોના નિર્માણ થઇ શકે છે જેને યૂટોફિકેશન કહેવાય છે જેનાથી ઘાસ, શૈવાળ, અને સાયનોબેક્ટેરિયાની અતિવૃદ્ધિમાં વધારો થાય છે. જેના કારણે શેવાળ ફલન થઇ શકે છે, એટલે કે શેવાળની સંખ્યામાં ઝડપથી વૃદ્ધિ થવા લાગે છે. શેવાળોની સંખ્યા વધુ સમય માટે કાયમ નથી રહેતી અને અંતમાં તેમાંથી મોટાભાગની મરી જાય છે. જીવાણુઓ દ્વારા શેવાળના વિઘટન કરવામાં પાણીમાંથી એટલી માત્રામાં જલીય ઓક્સિજનો ઉપયોગ થાય છે કે તે પાણીમાં રહેતા મોટાભાગના તમામ પ્રાણીઓ મરી જાય છે, જેનાથી જીવાણુ દ્વારા વિધટન થવા માટે અને વધુ કાર્બનિક પદાર્થોનું નિર્માણ થાય છે. ડીઓક્સીજેનેશનના સિવાય, શેવાળની કેટલીક પ્રજાતિઓ ઝેરી તત્વો ઉત્પન્ન કરે છે જે પીવાના પાણીના પુરવઠાને પણ દૂષિત કરે છે. વિવિધ પદ્ધતિની પ્રક્રિયા માટે નાઇટ્રોજન અને ફોસ્ફરસનો નિકાલ જરૂરી છે.

નાઇટ્રોજનને નીકાળવો[ફેરફાર કરો]

નાઇટ્રોજનને નીકાળવાની ક્રિયામાં અમોનિયા (નાઇટ્રીકરણ)માંથી નાઇટ્રેટમાં નાઇટ્રોજનના જૈવિક ઓક્સીકરણ દ્વારા અસર કરવામાં આવે છે, ત્યારબાદ અનાઇટ્રીકરણ એટલે કે નાઇટ્રેટથી નાઇટ્રોજન ગેસને ઘટાડવામાં આવે છે. નાઇટ્રોજન ગેસને વાતાવરણમાં મુક્ત કરી દેવામાં આવે છે અને આ રીતે તેને પાણીમાંથી નીકાળી દેવામાં આવે છે. નાઇટ્રીકરણ પોતાની રીતે બે તબક્કાવાળી એક એરોબિક પ્રક્રિયા છે. જેમાંથી પ્રત્યેક તબક્કામાં વિભન્ન પ્રકારના જીવાણુઓ દ્વારા તેને સરળ કરવામાં આવે છે. અમોનિયા (NH3)થી નાઇટ્રાઇટ (NO2)ના ઓક્સીકરણને મોટે ભાગે નાઇટ્રોસોમોનસ એસપીપી. (Spp.) દ્વારા સરળ કરવામાં આવે છે (નાઇટ્રોસો એક નાઇટ્રોસો કાર્યાત્મક સમૂહની રચના ના સંદર્ભમાં છે). નાઇટ્રોબેક્ટર એસપીપી. (spp.) (નાઇટ્રો એક નાઇટ્રો કાર્યાત્મક સમૂહની રચના ના સંદર્ભમાં છે) દ્વારા સરળ બનાવવાની પારંપરિક માન્યતાના બાદ પણ નાઇટ્રેટમાં નાઇટ્રાઇટ (NO3)ના ઓક્સીકરણને હવે પ્રાય વિશેષ રૂપથી નાઇટ્રોસ્પિરા એસપીપી.( spp.) દ્વારા પર્યાવરણમાં સરળ બનાવવામાં આવે છે


યોગ્ય જૈવિક સમુદાયોના નિર્માણને પ્રોત્સાહિત કરવા માટે અનાઇટ્રીકરણને એનોક્સિક પરિસ્થિતિની જરૂર પડે છે. તેને જીવાણુની એક વ્યાપક વિવિધતા દ્વારા સરળ કરવામાં આવે છે. રેત ફિલ્ટર, લગૂનીંગ અને રેડ બેડોના નાઇટ્રોજનને ઓછું કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે, પણ સક્રીય કાદવની પ્રક્રિયા (જો તેની ગોઠવણ સારી રીતે કરવામાં આવે તો) આ કામને વધુ સરળતાથી કરી શકે છે. [૫]:17-18 જ્યારથી અનાઇટ્રીકરણ ડિનાઇટ્રોજન ગેસમાં નાઇટ્રેટને ઘટાડે છે, તેમાં એક ઇલેક્ટ્રોન દાતાની જરૂરિયાત પડે છે. તે ગંદાપાણી, કાર્બનિક પદાર્થ (મળ માંથી), સલ્ફાઇડ, કે મિથેલોન તરીકેના એક ઉમેરેલા દાતા પર આધારીત હોઇ શકે છે. એકલા નાઇટ્રેટના ઝેરીલા અમોનિયાના પરિવર્તનને ક્યારેક તૃતીય પદ્ધતિના રીતે સંદર્ભવામાં આવે છે. કેટલાક ગંદાપાણીની પદ્ધતિના પ્લાન્ટોમાં અનાઇટ્રીકરણના માટે વાયુ ક્ષેત્રથી એનોક્સિક ક્ષેત્રમાં નાઇટ્રીકૃત મિશ્રિત પ્રવાહીને સ્થળાંતર કરવા માટે અક્ષીય પ્રવાહ પમ્પોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પમ્પોને મોટેભાગે આંતરિક મિશ્રિત પ્રવાહી રીસાયકલ (આઇએમએલઆર (IMLR))પમ્પો નો રૂપે સંદર્ભવામાં આવે છે.


ફાસ્ફોરસનો નિકાલ કરવો[ફેરફાર કરો]

ફોસ્ફરસનો નિકાલ એક મહત્વપૂ્ર્ણ ક્રિયા છે કારણકે તે અનેક તાજા પાણીની પ્રણાલીમાંથી શેવાળની વૃદ્ધિને મર્યાદિત કરતો એક પોષક તત્વ છે. ખાસ કરીને પાણીના પુનઉપયોગની પ્રણાલીઓ માટે તે ખુબ મહત્વપૂર્ણ હોય છે, જ્યાં વધુ ફોસ્ફરસ કેન્દ્રીકરણના કારણે નીચેના પ્રવાહના ઉપકરણ ખરાબ થઇ શકે છે, જેમ કે પ્રતિકૂળ ઝરણ. ફોસ્ફરસને જૈવિક રીતે વર્ધિત જૈવિક ફોસ્ફરસ નિકાલ નામની પ્રક્રિયાથી નિકાળી શકાય છે. આ પ્રક્રિયામાં, પોલિફોસ્ફેટ સંગ્રાહક જીવ (પીઇઓ(PAO)) નામના ખાસ જીવાણુ મોટે પાયે વિકસે છે અને પોતાની કોશિકાઓની અંદર મોટી માત્રામાં (પોતાના દ્રવ્યના 20 ટકા જેટલું) ફોસ્ફરસનો સંગ્રહ કરી શકે છે. જ્યારે બાયોમાસથી ભરેયેલા આ જીવાણુને પદ્ધતિ કરાયેલા પાણીથી અલગ કરવામાં આવે છે, ત્યારે આ જૈવઘનોનું ખાતર મૂલ્ય અતિશય વધારે હોય છે. ફોસ્ફરસ નિકાળવાની ક્રિયાને રસાયણિક પ્રેસિપીટેશનથી કરવામાં આવે છે, આ ઉપરાંત મીઠાના લોખંડની સાથે (જેમ કે ફેરિક ક્લોરાઇડ), એલ્યુમિનિયમ (જેવા કે –એલ્યુમ), કે ચૂનાની સાથે, આ ક્રિયા કરી શકાય છે.[૫]:18 આ કારણે હાઇડ્રોક્સાઇડ તલછટની રીતે ખુબ જ વધુ કાદવ ઉત્પન્ન કરી શકે છે અને મળેલા રસાયણ મોંધા પણ હોઇ શકે છે. રાસાયણિક ફોસ્ફરસને નિકાલમાં જૈવિક નિકાલની કરતા ખૂબ જ નાના ઉપકરણની જરૂરિયાત પડે છે, જૈવિક ફોસ્ફરસના નિકાલની તુલનામાં તેને સંચાલિત કરવું વધુ સરળ અને મોટેભાગે વધુ ભરોસાપાત્ર હોય છે . ફોસ્ફરસને નિકાળવાની એક અન્ય પદ્ધતિમાં બારીક લેટરાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. ફોસ્ફેટવાળા કાદવના સ્વરૂપમાં નિકળ્યા બાદ આ ફોસ્ફરસને કોઇ ભૂમિમાં ભરીને તેનો સંગ્રહ કરી શકાય છે કે ખાતરમાં ઉપયોગ કરવા માટે તેને ફરીથી વેચી શકાય છે.


જંતુરહિત[ફેરફાર કરો]

ગંદાપાણીની પદ્ધતિમાં જંતુરહિત કરવાનો ઉદ્દેશ પર્યાવરણમાં ફરીથી મુક્ત કરવામાં આવતા પાણીમાં સૂક્ષ્મજીવોની સંખ્યાને મોટા પાયે ઓછી કરવાનો છે. અસરકારક રીતે જંતુરહિત કરવાની પદ્ધતિમાં પાણીની ગુણવત્તા (જેમ કે – ડહોળું, પીએચ (pH), વગેરે), ઉપયોગ કરતા જંતુરહિતનો પ્રકાર, જંતુરહિતની માત્રા (એકાગ્રતા અને સમય), અને અન્ય વાતાવરણની વિવિધતા પર નિર્ભર કરે છે. ડહોળા પાણીને સાફ કરવાની પદ્ધતિને ઓછી સફળતા મળી છે, કારણકે નક્કર પદાર્થ જીવોને ઢાંકી દે છે, ને ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ, કે પછી ઓછી સંપર્ક અવધિના લીધે આમ થાય છે. સામાન્ય રીતે, ઓછી સંપર્ક અવધિ, ઓછી માત્રા અને ઉચ્ચ પ્રવાહની પ્રતિકૂળતા પ્રભાવી જંતુરહિત પ્રક્રિયાને રોકે છે. જંતુરહિતની સામાન્ય પદ્ધતિઓમાં ઓઝોન ક્લોરીન, અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ, કે સોડિયમ હાઇપોક્લોરાઇટનો સમાવેશ થાય છે.[૫]:16 પીવાના પાણીમાં ઉપયોગમાં લેવાતા ક્લોરમીનનો ઉપયોગ ગંદાપાણીની પદ્ધતિમાં નથી કરાતો.


ક્લોરીનીકરણની આ પ્રક્રિયાનો ઉપયોગ ઉત્તર અમેરિકામાં સામાન્ય પણે કરવામાં આવે છે, જેની પાછળ તેની ઓછી કિંમત કે પ્રભાવી દીર્ધકાલીન ઇતિહાસ કારણભૂત છે. જોકે તેનું એક નુક્શાન તે પણ છે કે બાકી રહેલા કાર્બનિક પદાર્થ કે ક્લોરીનીકરણથી ક્લોરીન યુક્ત કાર્બનને સંયુક્ત રીતે ઉત્પન્ન થઇ શકે છે, જે કાર્સિનજેનિક કે પર્યાવરણને હાનિકારક થઇ શકે. બાકી રહેલા ક્લોરીન કે ક્લોરમીન પ્રાકૃતિક જલીય વાતાવરણમાં કાર્બનિક પદાર્થોનું કલોરીનકરણ કરવા માટે સક્ષમ હોઇ શકે છે. વધુમાં, બાકી રહેલો ક્લોરીન, પાણીમાં રહેતી પ્રજાતિઓ માટે ઝેરી બની શકે છે, એટલા માટે પ્રક્રિયા કરેલા પાણીના પ્રવાહને રાસાયણિક દ્રષ્ટ્રિથી ક્લોરીનવિહીન કરવું જરૂરી બને છે, જે પ્રક્રિયાની જટિલ અને વધુ કિંમતવાળી છે.


ક્લોરીન, આયોડીન, કે અન્ય રસાયણોની જગ્યાએ અલ્ટ્રાવાયોલેટ (યૂવી (UV)) પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. રસાયણોનો ઉપયોગ ન થવાને કારણે પ્રક્રિયા કરેલ પાણીને પાછળથી ઉપયોગ કરવાથી જીવો પર તેની કોઇ વિપરીત અસર નથી થતી, જો કે અન્ય રીતોમાં અન્ય પ્રશ્નો સામે આવી શકે છે. યૂવી (UV) વિકિરણના કારણે જનનિક, વિષાણુ અને અન્ય રોગજન્ય જીવાણુઓની આનુવંશિક સંરચના ક્ષતિગ્રસ્ત થાય છે, જેમાં તેમની પ્રજનન શક્તિ સમાપ્ત થઇ જાય છે. યુવી (UV) દ્વારા જંતુરહીત કરવાનું મુખ્ય નુક્શાન તે છે કે વારંવાર લેમ્પની સારસંભાળ અને બદલી કરવી પડે છે અને તે સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ રીતે પ્રક્રિયા કરેલ પ્રવાહીની જરૂર પડે છે જેથી તે વાતની ખાતરી થઇ શકે કે યુવી (UV) વિકરણથી સૂક્ષ્મજીવો ઢંકાઇ તો નથી જતાને(ઉદાહરણ માટે, પ્રક્રિયા કરેલા પ્રવાહમાં કોઇ પણ ઘનોની હાજરીથી અનેક સૂક્ષ્મજીવે યુવી (UV)પ્રકાશથી બચી જાય છે). બ્રિટનમાં ગંદાપાણીમાં ક્લોરીનીકરણ કરવાથી બાકી રહેલા કાર્બનિક પર ક્લોરીનની અસરથી ચિંતા અને ક્લોરીનીકરણ કાર્બનિકોની પ્રાપ્ત પાણીમાં થતી અસરને ગંભીરતાથી લઇને જંતુરહિત કરવા માટે યુવી (UV) લાઇટોનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. કેનેડા અને યુએસ (US)ની કેટલીક ગટર વ્યવસ્થા પણ વહી જતા પાણીને જંતુરહિત કરવા માટે યુવી (UV) પ્રકાશનો ઉપયોગ કરે છે.[૧૧] [૧૨]


એક ઊંચા વોલ્ટેઝ શક્યતા દ્વારા ઓક્સિજન (ઢાંચો:Oxygen2)ના પસાર થવાથી ઓઝોન (ઢાંચો:Oxygen3)નું નિર્માણ થાય છે જેનો પરિણામે ત્રીજા ઓક્સિજનનો પરમાણુ જોડાઇને સ્વરૂપ લે છેઢાંચો:Oxygen3. ઓઝોન બહુજ અસ્થિર અને પ્રતિક્રિયાશીલ હોય છે અને તેના સંપર્કમાં આવનાર અધિકાંશ કાર્બનિક પદાર્થોનું તે ઓક્સીકરણ કરે છે, જેમાં અનેક રોગજનક સૂ્ક્ષ્મજીવ નષ્ટ થાય છે. ઓઝોનની અવશ્યકતા મુજબ સાઇટ પર જ ઉત્પન્ન કરવામાં આવે છે. ક્લોરીનીકરણની તુલનામાં ઓજોનીકરણ વધુ સલામત છે(જોકે અકસ્માતમાં બહાર પડી જતા અતિશય ઝેરી ઘટના બની શકે છે). ઓઝોન પણ ક્લોરીનેશન કરતા ઓછા જંતુનાશક ઉપપેદાશોનું ઉત્પાદન કરે છે. ઓઝોન જંતુરહિત પ્રક્રિયાનું એક નુકશાન તે છે કે ઓઝોન ઉત્પન્ન કરવાવાળા ઉપકરણની કિંમત વધારે હોય છે અને તેને વિશેષ પરિચાલકોની જરૂર પડે છે.

ગંધ દૂર કરવી[ફેરફાર કરો]

ગંદાપાણીની પદ્ઘતિમાં પેદા થતી દુગંધ સામાન્ય રીતે એક અવાયુક્ત કે સેપ્ટિક સ્થિતનો સંકેત કરે છે.[૧૩] પ્રક્રિયાના પ્રારંભિક સમયમાં દુગંધવાળો ગેસ, સામાન્ય રીતે હાઇડ્રોજન સલ્ફાઇડથી ઉત્પન્ન થાય છે. શહેરી વિસ્તારોમાં મોટા મોટા પ્રક્રિયા પ્લાન્ટોમાં આ દુગંધને મોટેભાગે કાર્બન રિએક્ટરોઓ, જૈવ ચીકણી માટીવાળા એક સંપર્ક મીડિયા, ક્લોરીનની ઓછી માત્રાથી, કે અપ્રિય ગેસોના જૈવ વિજ્ઞાનના મુજબ નિયંત્રિત અને ચયાપચન દ્વારા ઉત્પન્ન કરવા માટે તરલ પદાર્થોની પદ્ધતિ કરવામાં આવે છે.[૧૪] દુગંધ નિયંત્રણની અન્ય રીતો મુજબ હાઇડ્રોજન સલ્ફાઇડના સ્તરને રોકવા માટે તેવા લોખંડ મીઠા, હાઇડ્રોજન પરોક્સાઇડ, કેલ્શિયમ નાઇટ્રેટ વગેરે મેળવવામાં આવે છે.

પેકેઝ પ્લાન્ટો અને જૂથ પ્રતિક્રિયાકારકો[ફેરફાર કરો]

ઓછી જગ્યાનો ઉપયોગ કરવામાં માટે અને દુષ્કર કચરા પર પ્રક્રિયા કરવાથી સાથે સતત વહેતા પ્રવાહ માટે, મિશ્ર પદ્ધતિ પ્લાન્ટોની અનેક ડિઝાઇન બનાવવામાં આવી છે. આવા પ્લાન્ટોમાં મોટેભાગે ત્રણ મુખ્ય પદ્ધતિની ઓછામાં ઓછા બે તબક્કાઓના એક સંયુક્ત જગ્યા બનાવવામાં આવે છે. યુકે (UK)માં જ્યાં મોટાપાયે ગંદાપાણીના પદ્ધતિ પ્લાન્ટો ખૂબ નાની વસ્તી માટે કામ કરે છે, ત્યાં પ્રત્યેક પ્રક્રિયાના અંતર માટે મોટી ઇમારતનું નિર્માણ કરવા પેકેઝ પ્લાન્ટ એક વાસ્તવિક વિકલ્પ છે. યુએસ (US)માં, ખાસ કરીને પેકેઝ પ્લાન્ટોનો ઉપયોગ ગ્રામીણ વિસ્તારો, હાઇ વે આરામ સ્થળો અને ટ્રેલર ઉદ્યાનોમાં થાય છે.[૧૫]

દ્વિતીય પદ્ધતિ સાથે જોડાય તેવી એક પ્રકારની પ્રણાલી અને ગોઠવણને શ્રેણીબદ્ધ જૂથ પ્રતિક્રિયાકારકો (એલબીઆર (SBR)) કહેવાય છે. ખાસ કરીને, સક્રિય કાદવને કાચા અંદર આવતા ગટર સાથે મેળવી દેવામાં આવે છે અને ત્યારબાદ તે મિશ્ર અને વાયુયુક્ત હોય છે. સ્થિર ગાળના વહી જતા અને ફરીથી વાયુયુક્ત કરવાની પગેલા એક જથ્થાને હેડવર્કમાં પાછો મોકલવામાં આવે છે.[૧૬] એસબીઆર (SBR) પ્લાન્ટોને દુનિયાના કેટલાક હિસ્સામાં હવે સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.

એસબીઆર (SBR) પ્રક્રિયાનું એક નુકશાન તે છે કે તેના માટે સમય, મિશ્રણ તેમજ વાયુમિશ્રણ પર ચોક્કસ નિયંત્રણ જરૂર છે. આ ચોક્કસાઇને સામાન્ય રીતે સેન્સરોથી જોડાયેલા કમ્પ્યૂટર નિયંત્રણોથી મેળવવામાં આવે છે. આ રીતની એક જટિલ અને નાજુક પ્રણાલી તેવી જગ્યાઓ માટે બિન ઉપયોગી હોય છે જ્યાં અવિશ્વાસુ રીતે વ્યવસ્થાને ચલાવવામાં આવે, નબળી દેખરેખ, કે પછી વીજપુરવઠો અસ્થિર રીતે આવતો હોય.

પેકેઝ પ્લાન્ટોને હાઇ ચાર્જ કે લો ચાર્જ તરીકે પણ સંદર્ભી શકાય. આ તે રીતે સંદર્ભ કરવામાં આવે છે કે જે રીતે જૈવિક ભારને પ્રસંસ્કૃત કરવામાં આવે. હાઇ ચાર્જ પ્રણાલીઓમાં, જૈવિક તબક્કામાં એક ઊંચા કાર્બનિક ભાર અને સંયુક્ત ફ્લોકને રજૂ કરે છે અને ત્યારબાદ કાર્બનિક પદાર્થને એક નવા ભાર સાથે ફરીથી ચાર્જ કરવાની પહેલા થોડાક કલાકો માટે ઓક્સીજનકૃત કરવામાં આવે છે. લો ચાર્જ પ્રણાલીમાં જૈવિક તબક્કામાં એક ઓછો કાર્બનિક ભાર ઉમેરવામાં આવે છે અને તે લાંબા સમય સુધી ફ્લોક્યુલેટથી જોડાયેલું રહે છે.

કાદવ પર પ્રક્રિયા અને તેનો નિકાલ[ફેરફાર કરો]

ગંદાપાણીની પદ્ધતિની પ્રક્રિયામાં એકત્રિત કરાયેલા કાદવ પર પ્રક્રિયા કરી અને તેનો સુરક્ષિત અને પ્રભાવી રીતે નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે. વિઘટનનો ઉદ્દેશ કાર્બનિક પદાર્થની માત્રામાં નક્કર પદાર્થોમાં હયાત રોગ પેદા કરનાર સૂક્ષ્મ જીવોની સંખ્યાને ઓછી કરવાનો છે. આ પદ્ધતિની સર્વસામાન્ય વિકલ્પોમાં એનારોબિક વિઘટન, એરોબિક વિઘટન, અને ખાતરનો સમાવેશ થાય છે. જો કે ખૂબ જ ઓછા પાયે ભસ્મીકરણનો ઉપયોગ પણ કરવામાં આવે છે.[૫]:19-21 કાદવ પદ્ધતિ તેના ઉત્પાદના નક્કર પદાર્થોની માત્રામાં અને અન્ય સ્થાનની વિશેષ પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે. નાના પાયે ચાલતા કાર્યો માટે ખાતર કરવાનો, મધ્યમ પાયે ચાલતા કાર્યો માટે એરોબિક વિઘટન અને અતિશય મોટા-પાયે ચાલતા કાર્યો માટે એનારોબિક વિઘટનનો ઉપયોગ કરવામાં આવે છે.

એનારોબિક વિઘટન[ફેરફાર કરો]

એનારોબિક વિઘટન એક જૈવિક પ્રક્રિયા છે જે ઓક્સીજનની અનુપસ્થિતિમાં કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં થર્મોફિલિક વિઘટન થઇ શકે છે, જેમાં કાદવને 55 ડિગ્રી સેલ્શિયસ તાપમાન પર ટાંકીમાં આથો લાવવામાં આવે છે, કે પછી મેસોફિલિક કે જેમાં કાદવને લગભગ 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર રાખવામાં આવે છે. જોકે તેને થોડા ઓછા સમય માટે રાખવાથી (અને વળી નાની નાની ટાંકીઓ), થર્મોફિલિક વિઘટન, કાદવને ગરમ કરવા માટે ઉર્જાની ખપતની દ્રષ્ટિથી વધુ મોંધુ હોય શકે છે.

એનારોબિક વિઘટન, સેપ્ટિક ટાંકીઓમાં ઘરેલૂ ગંદાપાણીની સૌથી સામાન્ય (મેસોફિલિક) પદ્ધતિ છે, જે સામાન્ય રીતે એક કે બે દિવસ સુધી ગંદાપાણીનો સંગ્રહ કરે છે, અને બીઓડી (BOD)ને લગભગ 35 થી 40 ટકા સુધી ઓછું કરે છે. સેપ્ટિક ટાંકીમાં એનારોબિક અને એરોબિક પદ્ધતિને એરોબિક ટ્રીટમેન્ટ યુનિટ (એટીયુ (ATUs)) દ્વારા સંયુક્ત રીતે સ્થાપીને તેને વધારી શકાય છે.

એનારોબિક વિઘટનની એક પ્રમુખ વિશેષતા જૈવ ગેસનું ઉત્પાદન છે (જેનો સૌથી ઉપયોગી ઘટક મીથેન છે), જેનો ઉપયોગ જનરેટરોમાં વિજળી ઉત્પાદન કરવા માટે અને/કે બોઇલરોને ગરમ કરવા માટે કરવામાં આવે છે.

એરોબિક વિઘટન[ફેરફાર કરો]

એરોબિક વિઘટન એક જીવાણુ પ્રક્રિયા છે, જેનું ઓક્સિજનની હાજરીમાં થાય છે. એરોબિક પરિસ્થિતિ હેઠળ, જીવાણુ ઝડપથી કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરે છે અને તેનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરે છે. એરોબિક વિઘટનમાં બ્લોવર્સ, પમ્પો અને મોટરોમાં પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરવા માટે ભારે ઊર્જાનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તેની કિેમત વધારે છે. ડીફ્યુઝર પ્રણાલીઓ કે જેટ વાયુમિશ્રણો દ્વારા કાદવમાં ઓક્સિડાઇઝ ભરીને પણ એરોબિક વિઘટન મેળવી શકાય છે.

ખાતર બનાવવું[ફેરફાર કરો]

ખાતર બનાવવું તે પણ એક એરોબિક પ્રક્રિયા છે જેમાં કાદવમાં કાર્બનના સ્ત્રોત જેવા કે સોડસ્ટ, ઘાસ કે લાકડાના ટુકડાને ઉમેરવામાં આવે છે. ઓક્સિજનની હાજરીમાં જીવાણુ બંને ગંદાવાળીવા નક્કર પદાર્થો અને કાર્બનના સ્ત્રોતોનું પાચન કરે છે, અને આમ કરવાથી મોટે પાયે ગરમી ઉત્પન્ન થાય છે.[૫]:20

ભસ્મીકરણ[ફેરફાર કરો]

ઓછા ઉષ્માના ગુણવાળા કાદવને બાળવા અને બાકી રહેલા પાણીનું બાષ્પીકરણ કરવા માટે પૂરતા બળતણ (સામાન્ય રીતે પ્રાકૃતિક ગેસ કે બળતણ તેલ) અને વાયુના ઉત્સર્જનની ચિંતાના કારણે કાદવના ભસ્મીકરણની પ્રક્રિયાનો ઉપયોગ ખુબ જ ઓછા પાયે કરવામાં આવે છે. બાકી રહેલા પાણીને કાદવમાં બાળવા માટે સૌથી વધુ ઊંચી ટીકાઉ અવધિવાળા તબક્કાયુક્ત વધુ ચૂલ્હાવાળી ભઠ્ઠીઓ અને દ્વવીકૃત પટવાળી ભઠ્ઠીઓનો ઉપયોગ કરવામાં આવે છે. નગરપાલિકાના બાકી રહેલી ઉર્જાના પ્લાન્ટોમાં ક્યારેક સહ-અગ્નિકરણ કરવામાં આવે છે. ઓછા કિંમતે થવાના કારણે આ વિકલ્પને નક્કર બાકી રહેલા પદાર્થોને માટે પહેલાથી હયાત સુવિધાઓની રીતે અપનાવવામાં આવી છે અને એટલા માટે તેને કોઇ સહાયક બળતણની જરૂર નથી પડતી.[૫]:20-21

કાદવનો નિકાલ કરવો[ફેરફાર કરો]

જ્યારે તરલ કાદવ ઉત્પન્ન થાય છે, તો અંતિમ નિકાલને માટે તેને યોગ્ય બનાવવા માટે ઉપરની પદ્ધતિઓની જરૂર પડી શકે છે. સામાન્યરીતે, નિકાલની જગ્યાથી દૂર લઇ જવા માટે કાદવની માત્રા ઓછી કરવા માટે તેને જમાવવામાં (પાણીરહિત) કરવામાં આવે છે. આવી કોઇ પ્રક્રિયા નથી જે જૈવ નક્કર પદાર્થોનો નિકાલની જરૂરિયાતને પૂર્ણ રીતે પુરું કરે. જોકે, કાદવને વધારે ગરમ કરવા અને તેને નાના નાના ડબ્બામાં પરિવર્તિત કરવા માટે કેટલાક શહેરોમાં એક વઘુના પગલા લેવામાં આવે છે જેમાં મોટી માત્રામાં નાઇટ્રોજન અને અન્ય કાર્બનિક પદાર્થ હોય છે. ન્યૂયોર્ક શહેરમાં, ઉદાહરણ માટે, અનેક ગંદાપાણીની પદ્ધતિ પ્લાન્ટોમાં પાણીરહિત સુવિધાઓ ઉપલબ્ધ છે. જ્યાં કાદવમાં વધુ દ્રવ્ય નિકાળવા માટે મોટો જૈવા રસાયણોને યોગની સાથે સાથ મોટા મોટા અપકેન્દ્રિત્રોનો ઉપયોગ કરવામાં આવે છે.સેન્ટ્રેટ નામની આ નિકાલ તરલ પદાર્થને સામાન્ય રીતે પદ્ધતિ કરાયેલા પાણી પદ્ધતિ પ્રક્રિયામાં ફરીથી પદ્ધતિ કરવામાં આવે છે. બાકી રહેલા પદાર્થોને કેક કહેવાય છે. જેને કોઇ કંપની ઓછા કિંમતે ખરીદી લે છે. અને તેને અર્વરક ગુટિકાને રીતે રૂપાંતરિક કરી દે છે. ત્યારબાદ આ ઉત્પાદને એક માટી સંશોધન કે ઉર્વરકના રીતે સ્થાનીક ખેડૂતો અને ઓછા કસાવવાળા ખેતરોમાં વેચવામાં આવે છે, જેનાથી ભૂમિભરવાના ક્ષેત્રોમાં કાદવને નિકાલ કરવા માટે ઓછી જગ્યાની જરૂર પડે છે.

પ્રાપ્ત કરતા વાતાવરણમાં પ્રક્રિયા કરવી[ફેરફાર કરો]

ગંદા પાણીના પદ્ધતિ પ્લાન્ટનો નિકાલ માર્ગનો પ્રવાહ એક નાની નદીમાં જાય છે.

એક ગંદાપાણીના પ્રક્રિયા પ્લાન્ટમાં અનેક પ્રક્રિયાઓમાં પર્યાવરણમાં થતી પ્રાકૃતિક પદ્ધતિની પ્રક્રિયાઓની નકલ કરવા માટે બનાવવામાં આવે છે, પછી તે એક પર્યાવરણનો એક પ્રાકૃતિક પાણીનો ભાગ હોય કે જમીન

જો ખુબ ભારે ન હોય તો પર્યાવરણમાં હાજર જીવાણુ કાર્બનિક અશુદ્ધિઓનો ઉપયોગ કરવા લાગે છે, જોકે આનાથી પાણીમાં ઓક્સિજનનું સ્તર ઓછી થઇ શકે છે અને પ્રાપ્ત પાણીથી સમગ્ર પરિસ્થિતિ વિજ્ઞાનમાં મોટે ભાગે બદલાવ આવી શકે છે.

મૂળ જીવાણુની જનસંખ્યા કાર્બનિક અશુદ્ધઓ પર પોતાનું ભરણ પોષણ કરી શકે છે, અને પ્રાકૃતિક પરિસ્થિતિઓ જેવી કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણોના સંપર્કમાં આવતા કે તેના શિકાર બનવાને કારણે રોગકારક સૂક્ષ્મજીવોની સંખ્યામાં ઘટાડો થાય છે. પરિણામે, આવા કિસ્સામાં જ્યાં પ્રાપ્ત વાતાવરણ ઊંચા સ્તરે પાતળું, ઊંચી માત્રાની ગંદાપાણીમાં પ્રક્રિયાની જરૂરિયાત નથી પડતી.

જોકે હાલમાં પ્રાપ્ત થયેલા પુરાવાઓથી તે વાતની ખબર પડી કે જો આવા પાણીને પીવાના પાણી સ્વરૂપે ફરીથી ઉપયોગમાં લેવામાં આવે તો ગંદા પાણીમાં ખુબ જ ઓછી માત્રામાં મળતા હાર્મોન (પશુપાલનથી અને માનવ હાર્માન આધારીત ગર્ભ નિરોધની પદ્ઘતિઓમાંથી) અને પોતાના કાર્યોમાં હાર્મોનની નકલ કરવા વાળા ફ્થાલેટ જેવા સિન્થેટિક સામગ્રીઓ સહિત વિશિષ્ટ અશુદ્ધિઓ પ્રાકૃતિક જીવજગત અને સંભવત માનવ જાતિ પર પ્રતિકૂળ પ્રભાવ પાડી શકે છે.[૧૭]

યુએસ (US) અને યુઇ (EU)માં, વાતાવરણમાં અનિયંત્રિત ગંદાપાણીના નિકાલની પરવાનગી નથી આપવામાં આવી, અને પાણીની ગુણવત્તાની જરૂરીયાતોને પૂરી પાડે માટે કડક કાનૂન બનાવવામાં આવ્યા છે. (યુએસ (US)ની જરૂરિયાતો માટે જુઓ ચોખ્ખા પાણીનો કાયદો ) આવનારા સમયમાં ઝડપથી વધતા વિકાસશીલ દેશોમાં ગંદા પાણીની વધતી જતી અનિયંત્રિતતા બહુ મોટો ભય બની જશે.


વિકાસશીલ રાષ્ટ્રોની ગટર વ્યવસ્થા[ફેરફાર કરો]

દુનિયાભરમાં ગટરવ્યવસ્થા દ્વારા ગંદાપાણીનો સંગ્રહ કરી તેની પર પ્રક્રિયા થતી હોય તેવા થોડાક વિશ્વાસનીય આંકડાઓ છે. કેટલાક વિકાસશીલ દેશોમાં મોટાભાગના ઘરેલૂ અને ઔદ્યોગિક ગંદા પાણી પર કોઇ પણ પદ્ધતિ કર્યા વગર કે માત્ર પ્રારંભિક પદ્ધતિ કર્યા બાદ તેનો નિકાલ કરવામાં આવે છે. લેટિન અમેરિકામાં સંગ્રહ કરાયેલા ગંદુ પાણીમાંથી લગભગ 15% ગંદુપાણી પદ્ઘતિ પ્લાન્ટોમાં (વાસ્તવિક પદ્ઘતિઓના વિભિન્ન સ્તરોની સાથે) થઇને નીકળે છે. ગંદાપાણી પર પદ્ધતિના સંબંધમાં, દક્ષિણ અમેરિકાના સરેરાશ કરતા નીચા રાષ્ટ્ર વેનેઝુએલામાં, દેશનો 97 ટકા જેટલો કચરો અપૂર્ણ રીતે જ વાતાવરણમાં છોડી દેવામાં આવે છે.[૧૮] ઇરાન જેવા મધ્યપૂર્વના એક અપેક્ષાકૃત વિકસિત દેશમાં તેહરાનની મોટાભાગની વસ્તીનું કુલ પ્રક્રિયા ન કરેલું ગંદુપાણી શહેરના ભૂમિગત પાણીમાં નાખી દેવામાં આવે છે.[૧૯]

ઇઝરાયેલમાં, ખેતીમાં ઉપયોગ કરવામાં આવતું 50 ટકા જેટલું પાણી (2008માં કુલ વપરાશ 1 બિલિયન ક્યુબ હતો) ગટર વ્યવસ્થા દ્વારા ફરીથી મેળવેલું પાણી હોય છે. ભવિષ્યની યોજનાઓમાં ગટરના પ્રક્રિયા કરેલા પાણીના ઉપયોગને વધારવાનો અને વધુ ડિસેલીનેશન પ્લાન્ટની રચના કરવાનો છે.[૨૦] મોટાભાગના સબ-સહારન આફ્રિકામાં ગંદાપાણી પર પ્રક્રિયા નથી કરવામાં આવતી.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. [1]
  2. બુરીન, સ્ટીવ જે., એટ ઓલ. (1999)." સંગ્રહિત ૨૦૧૧-૦૨-૧૪ ના રોજ વેબેક મશિનધ હિસ્ટ્રી ડેવલોપમેન્ટ ઓફ વેટ-વેધર ફ્લો મેનેજમેન્ટ." સંગ્રહિત ૨૦૧૧-૦૨-૧૪ ના રોજ વેબેક મશિન [52] ^ યુ.એસ. એનવાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી (ઇપીએ (EPA)). નેશનલ રીસ્ક મેનેજમેન્ટ રિસર્ચ લેબોરેટરી, સીન્સીન્નાટી, ઓએચ. ડોક્યુમેન્ટ No. ઇપીએ (EPA)/600/JA-99/275.
  3. G. Allen Burton, Jr., Robert Pitt (2001). Stormwater Effects Handbook: A Toolbox for Watershed Managers, Scientists, and Engineers. New York: CRC/Lewis Publishers. ISBN 0-87371-924-7. મૂળ માંથી 2009-05-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.CS1 maint: uses authors parameter (link) ભાગ 2.
  4. વોટર એન્ડ એનવાયમેન્ટ હેલ્થ એટ લંડન એન્ડ લોગબોર્ગ (1999). "વેસ્ટવોટર ટ્રીટમેન્ટ ઓપશન." સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૭ ના રોજ વેબેક મશિન ટેકનિકલ બ્રિફ નંબર 64. લંડન સ્કૂલ ઓફ હાઇજીન & ટ્રોપીકલ મેડિસીન એન્ડ લોગબોર્ગ યુનીવર્સીટી.
  5. ૫.૦૦ ૫.૦૧ ૫.૦૨ ૫.૦૩ ૫.૦૪ ૫.૦૫ ૫.૦૬ ૫.૦૭ ૫.૦૮ ૫.૦૯ ૫.૧૦ ૫.૧૧ ૫.૧૨ ૫.૧૩ ઇપીએ. (EPA). વોશિગ્ટન, ડીસી (2004). "પ્રિમિયર ફોર મ્યુનિશિપાલટી વેસ્ટવોટર ટ્રીટમેન્ટ સીસ્ટમ." સંગ્રહિત ૨૦૧૦-૦૭-૦૪ ના રોજ વેબેક મશિન ડોક્યુમેન્ટ નંબર. ઇપીએ (EPA) 832-R-04-001.
  6. માઇન ડિપાર્ટમેન્ટ ઓફ એનવાયરોમેન્ટ પ્રોટેક્શન. ઓગસ્ટ, મી (ME). "એરેટેડ લગૂન્સ - વેસ્ટવોટર ટ્રીટમેન્ટ." માઇન લગૂન સીસ્ટમ ટાસ્ક ફોર્સ. પ્રવેશ 2007-07-24.
  7. ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ Beychok, M.R. (1971). "Performance of surface-aerated basins". Chemical Engineering Progress Symposium Series. 67 (107): 322–339. Cite has empty unknown parameter: |month= (મદદ) એવેલેબલ એટ સીએસએ ઇલુમીના વેબસાઇટ સંગ્રહિત ૨૦૦૭-૧૧-૧૪ ના રોજ વેબેક મશિન
  8. Nemade, P.D.; Kadam, A.M.; Shankar, H.S. (2009). "Wastewater renovation using constructed soil filter (CSF): A novel approach". Journal of Hazardous Materials. Elsevier. 170 (2–3): 657–665. doi:10.1016/j.jhazmat.2009.05.015. મૂળ માંથી 2014-11-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  9. અ ડોક્યુમેન્ટરી વિડિયો ડેટેલીંગ અ 3 MLD SBT પ્લાન્ટ ડિપલોય એટ ઘ બ્રીહનમુંબઇ મ્યુનસિપલ કોર્પોરેશન ફોર મુંબઇ સીટી કેન બી સેટ એટ "SBT at BMC મુંબઇ."
  10. EPA. વોશિગ્ટન, ડીસી (2007). "મેમ્બર્ન બ્રીરેક્ટોર્સ." સંગ્રહિત ૨૦૧૦-૦૪-૦૩ ના રોજ વેબેક મશિન વેસ્ટવોટર મેનેજમેન્ટ ફેક્ટ શીટ.
  11. Das, Tapas K. (2001). "Ultraviolet disinfection application to a wastewater treatment plant". Clean Technologies and Environmental Policy. Springer Berlin/Heidelberg. 3 (2): 69–80. doi:10.1007/S100980100108. Unknown parameter |month= ignored (મદદ)
  12. ફ્લોરિડા ડિપાર્ટમેન્ટ ઓફ એનવાયરોમેન્ટ પ્રોટેકશન. ટેલાહાસીઇ, એફએલ. "અલ્ટ્રાવાયોલેટ ડીસઇનફેકશન ફોર ડોમેસ્ટીક વેસ્ટવોટર." 2010-03-17.
  13. Harshman, Vaughan; Barnette, Tony (2000). "Wastewater Odor Control: An Evaluation of Technologies". Water Engineering & Management. ISSN 0273-2238. મૂળ માંથી 2010-07-06 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02. Unknown parameter |month= ignored (મદદ)
  14. વોલ્કર, જેમ્સ ડી. અને વેલેસ પ્રોડકશન કોર્પોરેશન (1976)."ટાવર ફોર રીમુવીંગ એડોર્સ ફ્રોમ ગાસેસ." યુ.એસ. પ્લાન્ટ No. 4421534.
  15. ઇપીએ. વોશિગ્ટન, ડીસી (2000). "પેકેઝ પ્લાન્ટસ." સંગ્રહિત ૨૦૦૯-૦૭-૨૨ ના રોજ વેબેક મશિન વેસ્ટવોટર ટેકનોલોજી ફેક્ટ શીટ. ડોક્યુમેન્ટ નંબર. ઇપીએ 832-F-00-016.
  16. ઇપીએ. વોશિગટન, ડીસી (1999). "સેક્યુએન્સીંગ બેચ રેએક્ટર્સ." સંગ્રહિત ૨૦૧૦-૧૦-૧૦ ના રોજ વેબેક મશિન વેસ્ટવોટર ટેકનોલોજી ફેક્ટ શીટ. ડોક્યુમેન્ટ નંબર ઇપીએ 832-F-99-073.
  17. "એનવાયરમેન્ટ-એજન્સી.gov.uk". મૂળ માંથી 2009-02-06 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  18. Caribbean Environment Programme (1998). Appropriate Technology for Sewage Pollution Control in the Wider Caribbean Region (PDF). Kingston, Jamaica: United Nations Environment Programme. મૂળ (PDF) માંથી 2012-07-10 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-12. ટેકનોલોજી રિપોર્ટ No. 40.
  19. માસલાઉડ તાજરીશેય અને એહમદ અબ્રીશમચી, ઇન્ટરગ્રેટેડ એપ્રોચ ટુ વોટર એન્ડ વેસ્ટવોટર મેનેજમેન્ટ ફોર તેહરાન, ઇરાન , વોટર કનવર્સેશન, રેયુસ, એન્ડ રીસાયકલીંગ: પ્રોસીડીંગ ઓફ ધ ઇરાનીન-અમેરિકન વર્કશોપ, નેશનલ એકેડમિક પ્રેસ (2005)
  20. Martin, Andrew (2008-08-10). "Farming in Israel, without a drop to spare". New York Times. મૂળ માંથી 2008-08-11 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]