ગર્ગ સંહિતા

વિકિપીડિયામાંથી

ગર્ગ સંહિતાગર્ગ મુનિએ રચેલું પુસ્તક છે જેમાં મુખ્યત્વે કૃષ્ણના જીવનનું વર્ણન છે. આ ગર્ગ સંહિતા, અને જ્યોતિષવિદ્યાનો નિરૂપણ ગ્રંથ, કે જેનું નામ પણ ગર્ગ સંહિતા છે, તે બંને અલગ-અલગ છે. જ્યોતિષવિદ્યાવાળી ગર્ગ સંહિતામાંથી ફક્ત અમુક જ શ્લોકો હાલમાં પ્રાપ્ય છે, પરંતુ આ ગર્ગ સંહિતા અકબંધ છે.

ગર્ગ સંહિતા વિવિધ "ખંડો"માં વહેંચાયેલી છે, જે નીચે મુજબ છે:

  • ગોલોક ખંડ
  • વૃંદાવન ખંડ
  • ગિરિરાજ ખંડ
  • માધુર્ય ખંડ
  • મથુરા ખંડ
  • દ્વારકા ખંડ
  • વિશ્વજીત ખંડ
  • બલભદ્ર ખંડ
  • વિજ્ઞાન ખંડ
  • અશ્વમેધ ખંડ

યુગ પુરાણનાં બે અધ્યાયો પણ આ ગર્ગ સંહિતાનો જ ભાગ છે.