ગાંધી આશ્રમ

વિકિપીડિયામાંથી
સાબરમતી આશ્રમ
સાબરમતી આશ્રમ, અમદાવાદ
ગાંધી આશ્રમ is located in ગુજરાત
ગાંધી આશ્રમ
સાબરમતી આશ્રમનું ગુજરાતમાં સ્થાન
જૂનું નામગાંધી મેમોરિયલ મ્યુઝિયમ, ગાંધી સ્મારક સંગ્રહાલય
સ્થાપના૨૫ મે ૧૯૧૫ ‍(આશ્રમ‌), ૧૦ મે ૧૯૬૩ (સ્મારક સંગ્રહાલય)
સ્થાનસાબરમતી, અમદાવાદ, ગુજરાત, ભારત
અક્ષાંશ-રેખાંશ23°03′36″N 72°34′51″E / 23.06000°N 72.58083°E / 23.06000; 72.58083
પ્રકારસ્મારક સંગ્રહાલય
સ્થાપકમહાત્મા ગાંધી
સ્થપતિચાર્લ્સ કોરિયા
વેબસાઇટwww.gandhiashramsabarmati.org
સાબરમતી આશ્રમ, અમદાવાદ

સાબરમતી આશ્રમ (કે જે હરિજન આશ્રમ, ગાંધી આશ્રમ કે સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખાય છે) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના વહીવટી મથક અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે આવેલ છે. અંગ્રેજો સામેના સત્યાગ્રહ ની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઇ.સ. ૧૯૧૫ના વર્ષમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીએ કરી હતી.

ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું. અહીંથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી. ગાંધીજી સાંજના સમયે સાબરમતીને કિનારે બેસીને પ્રાર્થના કરતાં હતાં. મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી. આ આશ્રમ હરીજન આશ્રમ તરીકે પણ જાણીતો છે. આજે પણ ગાંધી આશ્રમની ગરીમા જળવાયેલી રહી છે અને અનેક વિદેશીઓ આશ્રમની મુલકાત લે છે. અહી ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મુકવામાં આવેલી છે.

સંગ્રહાલયની વિશેષતા[ફેરફાર કરો]

  • ‘મારું જીવન એ જ મારો સંદેશ’ ગેલેરી, જેમાં ગાંધીજીના જીવનમાં ઘટેલી ઐતિહાસિક ઘટનાઓને તાદૃશ કરતી 8 ભવ્ય કદની પેઈન્ટિંગ્સ અને ૨૫૦ કરતાં પણ વધારે તસવીરો સામેલ છે.[૧]
  • ‘અમદાવાદમાં ગાંધી’ ગેલેરીમાં ગાંધીજીનું ઈ.સ. ૧૯૧૫-૧૯૩૦ સુધીનું અમદાવાદમાં જીવન દર્શાવાયું છે.
  • ભવ્યકદની ઓઈલ પેઈન્ટિંગ ગેલેરી
  • પ્રદર્શનમાં ગાંધીજીના અવતરણો, પત્રો અને અન્ય અવશેષો બતાવવામાં આવે છે.
  • વાંચનખંડ સાથે હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ગાંધીજીના જીવન, કામ, ઉપદેશો, ભારતીય સ્વતંત્ર્તા ચળવળ અને તેને સંબંધિત વિષયો પર આશરે ૩૫ હજાર જેટલા પુસ્તકો અને ૮૦ જેટલા સામાયિકો ધરાવતું પુસ્તકાલય.
  • આર્કાઈવ્સ(સંગ્રહ)માં ગાંધીજીએ લખેલા અને તેમને મળેલા આશરે ૩૪,૧૧૭ પત્રો મૂળ અને ફોટોકોપી, હરિજન, હરિજનસેવક અને હરિજનબંધુમાં પ્રકાશિત થયેલા આશરે ૮૭૮૧ જેટલા ગાધીજીએ લખેલા લેખોની હસ્તપ્રતો, અને આશરે 6 હજાર જેચલા ગાંધીજી અને તેમના સાથીઓના ફોટાઓ સામેલ છે.
  • આશ્રમનું મહત્ત્વનું સીમાચિહ્ન ગાંધીજીની કુટિર ‘હૃદયકુંજ’ જેમાં ગાંધીજીના અંગત અવશેષો દર્શાવવામાં આવ્યા છે.
  • આશ્રમ પુસ્તક ભંડાર, બિન નફાકારકતાના દરે ગાંધીજી અને તેમના જીવનકાર્યને લગતું સાહિત્ય અને સંસ્મરણીય વેચે છે જે સ્થાનિક કારીગરોને મદદરૂપ બને છે.

આશ્રમની પ્રવૃત્તિઓ[ફેરફાર કરો]

ચરખો
  • સાબરમતી આશ્રમમાં દર વર્ષે ૭ લાખ જેટલા મુલાકાતીઓ આવે છે. જેમની જરૂરતોનું ધ્યાન રાખવામાં આવે છે. આશ્રમ આખું વર્ષ મુલાકાતીઓ માટે સવારના ૮ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવે છે.
  • આર્કાઈવ્ઝ સામગ્રી જેવી કે લખાણો, ફોટાઓ, પેઈન્ટિંગ્સ, વોઈસ-રેકોર્ડઝ, ફિલ્મસ અને વ્યક્તિગત અસરોને ભેગી કરવી, પ્રક્રિયા કરવી, સાચવવી અને તેને પ્રદર્શિત કરવી.
  • ગાંધીજી દ્વારા ખાદી બનાવવામાં માટે વાપરવામાં આવેલો ચરખો અને તેમનું ટેબલ જેના પર તેઓ પત્રો લખતા હતા, તે અમૂલ્ય વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે.
  • માઈક્રોફિલ્મિંગ, લેમિનેશન અને ફોટાના નેગેટિવ્સની સાચવણી.
  • ગાંધીજીના જીવન, સાહિત્ય અને પ્રવૃત્તિઓના જુદા જુદા ભાગોના પ્રદર્શનની ગોઠવણી.
  • ‘મહાદેવભાની ડાયરી’નું પ્રકાશન જે ભારતીય સ્વાતંત્ર્ય સંઘર્ષના ઈતિહાસનું વર્ણન કરે છે.
  • આશ્રમ ટ્રસ્ટ મુલાકાતીઓ અને સમુદાયો માટે શિક્ષણ અને સંગ્રહાલય અને તેની આસપાસના મેદાનો તેમજ ઈમારતોની નિયમિતપણે જાળવણી જેવી પ્રવૃત્તિ માટે ભંડોળ પૂરુ પાડે છે.
  • ગાંધીજીના વિચારો પર અભ્યાસ કરવો અને તેના પર થતા સંશોધનમાં મદદરૂપ થવું. જેમને મદદ કરવામાં આવી છે તેમના સંપર્કમાં રહેવું. સાહિત્ય સાથે અભ્યાસ અને સંશોધનના પરિણામને લોકોના ફાયદા માટે પ્રકાશિત કરવું.
  • ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા પ્રસંગોનું પાલન કરવું.
  • યુવાનો અને વિદ્યાર્થીગણ સાથે સંપર્ક સાધી રાખવો અને તેમને ગાંધીજીના વિચારો પર અભ્યાસ કરવા માટેની સુવિધા પૂરી પાડવી.

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "My Life is My Message Gallery". www.gandhiashramsabarmati.org (અંગ્રેજીમાં). મેળવેલ ૧૬ ઓગસ્ટ ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]