ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ

વિકિપીડિયામાંથી

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન - GSRTC) એ ગુજરાત સરકારની માલિકીની યાત્રી પરિવહન માટેની બસ સેવા પૂરી પાડતી સંસ્થા છે, તે ગુજરાતમાં તેમજ ગુજરાત અને પડોશી રાજ્યો વચ્ચે બસસેવા પૂરી પાડે છે.

૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યના નિર્માણ સાથે નિગમ અસ્તિત્વમાં આવ્યું. ૭ વિભાગો, ૭૬ ડેપો અને ૭ વિભાગીય કાર્યશાળાથી શરૂઆત કરનારી GSRTC આજે ૧૬ વિભાગો, ૧૨૫ ડેપો, ૨૨૬ બસ સ્ટેશન, ૧૫૫૪ પીકઅપ સ્ટેન્ડ અને ૮૩૨૨ બસો સુધી વિસ્તરી ચૂકી છે.

વિભાગો[ફેરફાર કરો]

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમને ૧૬ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે.

  • અમદાવાદ વિભાગ (આશ્રમ)
  • અમરેલી વિભાગ (ગિરનાર)
  • ભરૂચ વિભાગ (નર્મદા)
  • ભાવનગર વિભાગ (શેત્રુંજય)
  • ભુજ વિભાગ (કચ્છ)
  • ગોધરા વિભાગ (પાવાગઢ)
  • હિંમતનગર વિભાગ (સાબર)
  • જામનગર વિભાગ (દ્વારકા)
  • જૂનાગઢ વિભાગ (સોમનાથ)
  • મહેસાણા વિભાગને (મોઢેરા)
  • નડિયાદ વિભાગને (અમૂલ)
  • પાલનપુર વિભાગ (બનાસ)
  • રાજકોટ વિભાગ (સૌરાષ્ટ્ર)
  • સુરત વિભાગ (સૂર્યનગરી)
  • વડોદરા વિભાગ (વિશ્વામિત્રી)
  • વલસાડ વિભાગ (દમણ ગંગા)

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ચાલતી વિશેષ બસને વિકાસ રૂટ તરીકે ઓળખવામાં આવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]