ગુણવંત શાહ
| ગુણવંત શાહ | |
|---|---|
| ચિત્ર:Gunvant shah.jpg | |
| વ્યવસાય | લેખક, નિબંધકાર, શિક્ષક |
| રાષ્ટ્રિયતા | ભારતીય |
| નોંધપાત્ર પૂરસ્કાર | રણજિતરામ સુવર્ણ ચંદ્રક (૧૯૯૭) |
| જીવન સાથી | અવંતિકા શાહ |
| બાળકો | મનિષા, અમિષા, વિવેક |
|
gunvantshah.wordpress.com |
|
ગુણવંત શાહ (ગુજરાતી: ગુણવંત શાહ), એ ડૉ. ગુણવંત બી. શાહ તરીકે પણ જાણીતા છે, (૧૯૩૭માં રાંદેર, સુરત, ગુજરાતમાં જન્મ) તેઓ જાણીતા વિચારક, લેખક અને પત્રકાર છે.[૧][૨] ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજીતરામ સુવર્ણ ચંદ્રક તેઓને ૧૯૯૭માં મળ્યો હતો. [૧]
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] પ્રારંભિક જીવન અને શિક્ષણ
ગુણવંત શાહનો જન્મ ૧૨મી માર્ચ, ૧૯૩૭નાં રોજ ભારતનાં ગુજરાત રાજ્યનાં સુરત શહેરનાં રાંદેર વિસ્તારમાં થયો હતો.[૧] તેમણે સુરત અને વડોદરામાં શિક્ષણ લીધું.[૧]
[ફેરફાર કરો] શિક્ષક તરીકે
- તેમણે ૧૯૬૧-૭૨ દરમિયાન વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે પ્રવક્તા અને વાચક તરીકે સેવાઓ આપી.[૧]
- વર્ષ ૧૯૬૭-૬૮ દરમિયાન તેમણે અમેરીકાની મિશિગન યુનિવર્સિટી ખાતે મુલાકતી પ્રાધ્યાપક તરીકે પણ કાર્ય કર્યુ.[૧]
- તેમણે ૧૯૭૨-૭૩ દરમિયાન તકનીકી શિક્ષક તાલીમ સંસ્થા, મદ્રાસ (જે હવે ચેન્નાઇ તરીકે ઓળખાય છે) માં પ્રાધ્યાપક તેમજ શિક્ષણ ખાતાનાં વડા તરીકે સેવાઓ આપી.[૩]
- વર્ષ ૧૯૭૩-૭૪ દરમિયાન તેમણે SNDT વિમેન્સ યુનિવર્સિટી બોમ્બે ખાતે (જે હવે મુંબઈ તરીકે ઓળખાય છે) પ્રાધ્યાપક તરીકે સેવા આપી. [૩]
- તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે પ્રાધ્યાપક તરીકે તેમજ શિક્ષણ વિભાગનાં વડા તરીકે પણ સેવા આપી છે.[૧]
[ફેરફાર કરો] સાહિત્યિક કાર્યો
- મહંત, મુલ્લા, પાદરી, ૧૯૯૯.[૪]
- કૃષ્ણનું જીવનસંગીત (મીન્સ 'રિધમ ઓફ લૉર્ડ કૃષ્ણ'ઝ લાઇફ') .[૫]
- વિચારોનાં વૃંદાવનમાં (મીન્સ 'ઇન ધ હેવનલી ગાર્ડન ઓફ થોટ્સ') [૫]
- અસ્તિત્વનો ઉત્સવ (મીન્સ 'સેલીબ્રેશન ઓફ એક્ઝિસ્ટન્સ') [૫]
[ફેરફાર કરો] વર્તમાન જીવન
તેઓ હાલમાં જયપ્રકાશ નારાયણ રોડ (જે જૂના પાદરા રોડ તરીકે પણ જાણીતો છે), વડોદરામાં રહે છે. તેઓ હાલમાં દિવ્ય ભાસ્કર, એક પ્રમુખ ગુજરાતી Gujarati દૈનિક અને નવનીત સમર્પણ, એક પ્રમુખ ગુજરાતી સામયિકમાં લેખનકાર્ય કરી રહ્યાં છે. ગુણવંત શાહ એવા લેખકોની શ્રેણીમાં આવે છે, જે સરકાર સાથે ટેકમાં ઉતર્યા હોય. અંતમાં, તેમણે જાહેરમાં નકલી એન્કાઉન્ટર અને ગુનેગારોના બચાવ વિશે લખતા મુશકેલીમાં હતા. જાણીતા પત્રકાર ઉર્વિશ કોઠારીએ આ બાબતે ગુણવંત શાહની ટીકા કરતો સરસ લેખ લખ્યો હતો.
[ફેરફાર કરો] પુરસ્કારો અને ઓળખ
- રણજિતરામ સુવર્ણ ચંદ્રક, ગુજરાતી સાહિત્યમાં સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર, ૧૯૯૭માં.[૧]
- ૧૯૭૯માં લેઇપઝિગ, પૂર્વ જર્મની ખાતે UNESCOનાં સેમિનારમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ.[૩]
- તેઓ એશિયન ડેવલોપમેન્ટ બેન્ક, મનિલામાં બાંગ્લાદેશમાં શિક્ષણ માટે ૧૯૮૪-૮૫ દરમ્યાન કન્સલ્ટન્ટ હતા.[૩]
[ફેરફાર કરો] આ પણ જુઓ
[ફેરફાર કરો] વિશેષ વાંચન
- ગુફ્તગૂ ગુણવંત શાહ સાથે (ગુજરાતી), અમિષા શાહ દ્વારા, પ્રકાશક: આર. આર. શેઠની કંપની.. ISBN 8189919156. (ગુણવંત શાહ સાથે વાતચીત)
[ફેરફાર કરો] સંદર્ભ
- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ {{બેઝિક ઇન્ફર્મેશન અબાઉટ ગુણવંત શાહ}}
- ↑ ફેમ્ડ ગુજરાતી ઑથર ગુણવંત શાહ એન્ડ હિઝ ડૉટર અમિષા વેર.. ઇન્ડિયન એક્સપ્રેસ, જુલાઇ ૧૭, ૨૦૦૬.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ {{Basic Profle about Gunvant Shah from Wordpress}}
- ↑ ધ આર્ટીકલ, રિટન બાય અ નૉટેડ ગુજરાતી જર્નાલિસ્ટ એન્ડ રાઇટર, ગુણવંત શાહ.. ધ હિન્દુ, જૂલાઇ ૮, ૨૦૦૭.
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ {{પબ્લીકેશન્સ ઓફ ગુણવંત શાહ બાય આર. આર. શેઠ એન્ડ કં.}}
[ફેરફાર કરો] બાહ્ય કડીઓ
| Persondata | |
|---|---|
| નામ | |
| અન્ય નામો | |
| ટુંકમાં વર્ણન | |
| જન્મ | |
| જન્મ સ્થળ | |
| મૃત્યુ | |
| મૃત્યુ સ્થળ | |