ગ્રેનવિલ ઔસ્ટિન

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો

ગ્રેનવિલ ઔસ્ટિન (Granville Austin),૧૯૩૨માં પાંચ વર્ષની ઉંમરે યુ.એસ.નાં 'નોર્વિચ','વરમોન્ટ પરગણા'માં રહેવા આવ્યા. તેમણે ગ્રામ્ય શાળામાંજ તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમણે 'અમેરિકન સાહિત્ય' વિષય પર સ્નાતકની ઉપાધી (B.A) હેનોવર,ન્યુ હેમ્પશાયરની 'ડાર્ટમાઉથ કોલેજ'માંથી પ્રાપ્ત કરી. ત્યાર બાદ ઓક્સફર્ડ યુનિવર્સિટી માંથી,'આધુનિક ભારતનો ઇતિહાસ' વિષય પર પી.એચ.ડી.ની ઉપાધી પ્રાપ્ત કરી.

ઔસ્ટિને પત્રકાર તથા ફોટોગ્રાફર તરીકે કામ કર્યું,બાદમાં તેઓએ યુ.એસ.માહિતી સેવા,રાજ્ય વિભાગ,આરોગ્ય,શિક્ષણ અને સહાય વિભાગ, અને યુ.એસ સાંસદનાં ખાતામાં પણ કાર્ય કર્યું. તેઓ ભારતનાં બંધારણનાં રાજનિતિક ઇતિહાસનાં બે પાયાનાં પુસ્તકોનાં લેખક પણ છે. જે બન્ને નિચે દર્શાવેલ છે:

  • Working a Democratic Constitution [૧]
The Indian Experience
  • The Indian Constitution [૨]
Cornerstone of a Nation

આ ઉપરાંત પણ કેટલાયે પ્રસિદ્ધ પુસ્તકો તેમણે લખ્યા છે.

તેઓને *સેન્ટ એન્ટોનીઝ કોલેજ, *ઓક્સફર્ડ, ફોર્ડ ફાઉન્ડેશન, *ફુલબ્રાઇટ પ્રોગ્રામ, *અમેરિકન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયન સ્ટડીઝ, *રોકફેલર ફાઉન્ડેશન, *વુડ્રો વિલ્સન ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્કોલર, *રાજીવ ગાંધી ફાઉન્ડેશન, અને *ઇન્સ્ટીટ્યુટ ઓફ કરન્ટ વર્લડ અફેર્સ તરફથી ફેલોશિપ અને અનુદાન મળેલ છે.

તેઓ હાલમાં તેમનાં પત્નિ,નાન્સી ઔસ્ટીન સાથે વોશિંગ્ટન ડી.સી. માં રહે છે, તેમને ચાર સંતાન છે.

[ફેરફાર કરો] સંદર્ભ અને બાહ્ય કડીઓ