ઘેલો નદી

વિકિપીડિયામાંથી
ઘેલો નદી
અન્ય નામોઉન્મત ગંગા
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનફુલઝર, જસદણ પર્વત
નદીનું મુખ 
 • સ્થાન
ખંભાતનો અખાત
લંબાઇ૧૧૮ કિમી
સ્રાવ 
 ⁃ સ્થાનખંભાતનો અખાત
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધઘેલો સોમનાથ, ઘેલો ઇતરીયા, અને માનગઢ બંધ

ઘેલો નદી ફુલઝર ગામ પાસે જસદણ પર્વતમાંથી નીકળીને ગઢડા ગામમાં થઈ અરબી સમુદ્રને મળે છે. નદીની કુલ લંબાઈ ૧૧૮ કિલોમીટર છે અને સ્ત્રાવક્ષેત્ર ૬૨૨ ચો. કિ.મી. છે. આ નદી પર ઘેલો સોમનાથ, ઘેલો ઇતરીયા અને માનગઢ બંધ એમ ત્રણ જળબંધ આવેલા છે, જેમનો સ્‍ત્રાવક્ષેત્ર અનુક્રમે ૬૦ ચો.કિમી., ૧૦૪ ચો.કિમી. અને ?? ચો.કિમી. છે.[૧]

આ નદી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે ખૂબ પવિત્ર સ્થળ છે. એવું કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણે પોતે આ નદીમાં ઘણી વખત સ્નાન કર્યું હતું.

ઇતિહાસ[ફેરફાર કરો]

સંત માંડવ્ય મુની એ ઘેલા સોમનાથ નજીક ફુલઝર જંગલમાં ગાઢ તપ શરૂ કર્યું હતું. ઘણાં વર્ષોની તપસ્યા પછી, માંડવ્ય મુનીએ પવિત્ર ગંગાને પોતાની પાસે અવતરવા કહ્યું જેથી તેઓ તપની પૂર્તિ કરી શકે છે. પરંતુ, ગંગા તેમની સમક્ષ તરફ પ્રગટ ન થઇ. આનો બદલો લેવા માટે મુનીએ વામનનું તપ શરૂ કર્યું અને વામન મુનિ સમક્ષ પ્રગટ થયા અને પૃથ્વીને પોતાના બળથી લાત મારી ગંગાને પ્રગટ થવા મજબૂર કરી. ગંગા ઉન્મત રીતે પ્રગટ થઇ અને તેથી ઘેલો નદીને ઉન્મત ગંગા પણ કહે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ઘેલો નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ ડિસેમ્બર ૨૦૧૫.

Coordinates: 21°58′N 71°35′E / 21.97°N 71.58°E / 21.97; 71.58