ચન્દ્રઘંટા

વિકિપીડિયામાંથી
ચન્દ્રઘંટા
નવદુર્ગા માંહેનાં ત્રીજા દેવી
દેવી ચન્દ્રઘંટા, સંઘશ્રી, કાલીઘાટ, કોલકાતા
જોડાણોનવદુર્ગા
મંત્ર

નાના રૂપ ધારિણી, ઇચ્છામયી ઐશ્વર્યદાયિનીમ્ સૌભાગ્યારોગ્ય દાયિની,
ચન્દ્રઘન્ટે પ્રણમામ્યહમ્ ઓમ્ ઐઁ ર્હીં, ચંદ્રઘન્ટે હૂં ફટ્ સ્વાહા

શસ્ત્રોતલવાર (ખડગ), ધનુષ-બાણ, ત્રિશુળ વગેરે
વાહનવાઘ
જીવનસાથીશિવ

હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે ચન્દ્રઘંટાનવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે. જેમના મસ્તક (ઘંટા) પર ચંદ્ર ધારણ કરેલો છે. વર્ણ સુવર્ણ જેવો છે. તેમને દશ ભુજાઓ છે જેમાં ખડગ, ધનુષ-બાણ વગેરે શસ્ત્રો ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે. નવરાત્રીના ત્રીજા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે.[૧] તેમની આરાધનાથી બધી વિપત્તિઓનો નાશ થતો હોવાનું મનાય છે.

ચન્દ્રઘંટા નામનો અર્થ ‘ઘંટ આકારનો, અર્ધગોળ, ચંદ્ર મસ્તક પર ધારણ કરનાર’ એમ પણ થતો હોવાનું જણાય છે. તેમને ત્રણ નેત્ર હોવાનું પણ કહેવાયું છે. કોઈ સ્થળે તેમનું વાહન સિંહ પણ કહેવાયું છે.[૨]

શ્લોક[ફેરફાર કરો]

पिण्डजप्रवरारुढा चण्डकोपास्त्रकैर्युता |
प्रसादं तनुते मह्यं चन्द्रघण्टेति विश्रुता ||

સંદર્ભ[ફેરફાર કરો]

  1. દિવ્ય ભાસ્કર-લેખ
  2. "ચન્દ્રઘંટા-હિંદુઈઝમ.કોમ". મૂળ માંથી 2013-10-14 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-05.