ચર્ચા:ગુજરાત
વિકિપીડિયાથી
પ્રસ્તુત લેખનો સંક્ષેપ |
||
|---|---|---|
| આ લેખનું સંક્ષેપ સ્વરૂપ છે. આ સંક્ષેપ રૂપનો ઉપયોગ પ્રસ્તુત લેખ તરીકે મુખપૃષ્ઠ કે અન્ય કોઇ જગ્યાએ મુકવા માટે કરી શકાય છે. સામાન્ય રીતે લેખની પ્રસ્તાવના અહિં મુકવી પુરતી રહેશે. આથી જેમ જેમ કોઇ લેખ નો વિકાસ થાય તેમ તેમ તેમી પ્રસ્તાવના ને આ સંક્ષેપ સાથે તાલબદ્ધ રીતે બદલવાનુ પુરતું રહેશે. પરંતુ આ કોઇ કડક નિયમ નથી જેનું ચુસ્ત પણે પાલન કરવું પડે... વિકિપીડિયાના સભ્યો જરૂર પ્રમાણે યથા યોગ્ય છુટ લઇ શકે છે.
આ સંક્ષેપ ને બદલવા માટે અહિંયા જાઓ: ગુજરાત/સંક્ષેપ |
||
[ફેરફાર કરો] ગુજરાતનાં ધાર્મિક સ્થળો/યાત્રાધામ
(મૂળ ચર્ચાનાં વિવિધ સ્થળોએથી ઉઠાવેલાં સંવાદ)
શ્રી ધવલભાઈ, કેમ છો ? આપ પ્રબંધક હોવાથી વિકિપીડિયા માટે સારુજ વિચારતા હશો જે સમજી શકુ છું. છતા પણ એક સવાલ હતો કે આપે ગુજરાતનાં લેખમાં ધાર્મિક સ્થળો/યાત્રાધામમાં જે ફેરફાર કરીને અમુક સ્થળનાં નામ કાઢી નાખેલ છે. જે સ્થળને ધાર્મિક સ્થળ કે યાત્રાધામમાં ન મુકી શકીએ ? મારા મનનાં સમાધાન માટે આ પ્રશ્ન કરેલ છે. યોગ્ય માર્ગદર્શન આપશોજી. આભાર... જય માતાજી....--જીતેન્દ્રસિંહ ૦૪:૩૧, ૨૬ નવેમ્બર ૨૦૦૮ (UTC)
-
- શ્રી ધવલભાઇ,નમસ્કાર.
- જીતેન્દ્રસિંહજી નો પ્રશ્ન વિચારણીય છે,કદાચ એવું હોય કે આપની જાણકારીમાં અમુક શ્થાનો ના હોય પરંતુ ચકાસણી કરતાં જણાય છેકે હટાવાયેલાં શ્થાનો યાત્રાધામનીં યાદીમાં આવે તેમ છે.ઘણાં પ્રાચિન અને બહુ જાણીતા શ્થાનો છે. તો જરૂરી સંશોધન કરી યોગ્ય કરવા વિનંતી.--અશોક મોઢવાડીયા ૧૧:૧૦, ૨૬ નવેમ્બર ૨૦૦૮ (UTC)
-
- પ્રિય જીતેન્દ્રસિંહજી, ગુજરાતનાં લેખમાં મેં ફક્ત એવા જ યાત્રા ધામોની યાદી રાખી છે જે ખુબ પ્રખ્યાત છે અને બહોળા પ્રમાણમાં પ્રચલિત છે. આમ જોવા જઇએ તો આપણાં દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ગામડે ગામડે અને શહેરોમાં ગલીએ ગલીએ મંદિરો છે, અને તે દરેક મંદિર કોઇક ને કોઇક સમુદાય કે વર્ગ માટે ધાર્મિક સ્થળ/યાત્રાધામ બની ચુક્યાં છે. જેમકે ગણપત પુરા, જેનું નામ થોડાંક વર્ષો પહેલાં કોઇએ નહોતું સંભળ્યું પરંતુ છેલ્લાં ૫-૭ વર્ષથી ગુજરાતનાં અમુક ભાગોમાં લોકો તે સ્થળે યાત્રા કરવા અને નિયમિત બાધા રાખીને ચોથ ભરવા જાય છે. આમ છત્તાં, ગુજરાતની બહાર જેટલું ડાકોર કે અંબાજી અથવા મહુડી પ્રખ્યાત છે તેટલું તે હજું સુધી પ્રખ્યાત નથી.
-
- અરે બીજી વાત જવા દઇએ, અમદાવાદનો જ દાખલો લઇએ, જ્યાં મારો જન્મ થયો અને હું મોટો થયો તે ખાડિયા વિસ્તારમાં સુપ્રસિદ્ધ સાંઇબાબાનું મંદિર છે, જ્યાં દર ગુરુવારે હજારો લોકો દર્શને આવે છે, અને સેંકડો લોકો અમદાવાદની બહારથી પણ આવે છે, આજ રીતે તેની બાજુમાં બાલા હનુમાન, સારંગપુરમાં રણછોડજીનું મંદિર, કાળુપુર સ્વામિનારાયણ મંદિર અને તેની પાસે ધના સુથારની પોળમાં અમ્બાજીનું મંદિર, મણીનગરમાં વૈભવ લક્ષ્મીનું મંદિર, સ્મૃતિમંદિર, બાવળા જતાં જેતલપુરનું સ્વામિનારાયણ મંદિર, રખીયાલમાં ચકુડિયા મહાદેવનું મંદિર, સરખેજ ગાંધીનગર હાઇ-વે પર ઇસ્કોન (રાધા-ગોવિંદ), ભાગવત વિદ્યાપીઠ, વૈષ્ણો દેવી, ત્રિદેવ, તિરૂપતિ બાલાજી, વિગેરે અનેક પ્રખ્યાત મંદિરો છે, પરંતુ આ બધા મંદિરોને કારણે અમદાવાદને યાત્રાધામ કે ધાર્મિક સ્થળ ના ગણાવી શકીએ. તે જ રીતે અન્ય સ્થાનિક મંદિરો, જે તે શહેર કે તાલુકાનાં પાના પર ધાર્મિક સ્થળોની યાદીમાં મુકવા વધુ યોગ્ય છે, નહી કે ગુજરાતનાં પાના ઉપર.
-
- જે રીતે, આપણે, કોઇક જીલ્લા ઉપર લેખ લખી રહ્યાં હોઇએ ત્યારે, તે લેખમાં તે જીલ્લાનાં ગામોની યાદી મુકવાને બદલે ફક્ત તાલુકાઓની યાદી મુકવી વધુ યોગ્ય લાગે અને પછી જો અનુકુળ હોય તો, જે તે તાલુકામાં બધા ગામોની યાદી મુકી શકાય, તે જ રીતે ગુજરાતનાં મુખ્ય લેખમાં મોટા મોટા યાત્રા ધામોની જ યાદી રાખી છે. મારા આ વ્યુહ સામે આપનો મત પણ જણાવશો, ચર્ચાથી દરેક વાતનું નિરાકરણ આવી શકે છે. શક્ય છે કે મેં કોઇક સ્થળનું મહત્વ આંકવામાં ભુલ પણ કરી હોય, માટે આપનાં મંતવ્યોની રાહ જોઇશ, અને મારી ભુલ થઇ છે તેમ લાગે તો આપ જાતે યથા યોગ્ય સ્થળો તે લેખમાં ઉમેરી શકો છો.
-
- આપનાં નાનકડા પ્રષ્નનો મેં લાંબો લચક જવાબ આપી દીધો, આને કોઇ અવળી રીતે ના લેશો, ફક્ત સ્થળોનું મહત્વ સમજાવવા પુરતાં જ મેં અન્ય સ્થળોનાં નામ ઉપર વર્ણવ્યાં છે. હું પોતે પણ ધાર્મિક માણસ છું અને દરેક ધર્મ/સંપ્રદાય/પંથ પ્રત્યે સહિષ્ણુ છું, માટે એમ ના સમજશો કે મેં કોઇ ધાર્મિક વેરભાવ કે વૈમનસ્યને કારણે તે સ્થળો કાઢી નાંખ્યાં છે, અને અહિં આ બધો સ્થળો લખવાનો ઉદ્દેશ અન્ય સ્થળોની તેમની સાથે સરખામણી કરવાનો પણ નથી, ધર્મ એક સંવેદનશીલ વિષય છે, માટે બહુ સાવચેત રહીને ચાલવું પડે છે. ફરી પાછું લંબાતું હોય તેમ લાગે છે, એક ફકરો લખેલો delet કરી નાંખ્યો છે અને હવે પુરૂં કરું છું. આભાર અને માફી બંને....ધવલચર્ચા/યોગદાન ૧૧:૦૧, ૨૬ નવેમ્બર ૨૦૦૮ (UTC)
-
-
- અશોકભાઇ, હું પણ આપની વાત સાથે સંમત થાઉં છું, મેં હમણાં જ જીતેન્દ્રભાઇનાં ચર્ચાનાં પાનાં ઉપર મારો જવાબ પૂર્ણ કર્યો છે, શક્ય હોય તો વાંચી જુઓ અને ચાલો આપણે આ ચર્ચાને ગુજરાતનાં ચર્ચાનાં પાનાં ઉપરજ ખસેડીએ, જ્યાં આપ સહુનાં મતને આધારે આગળ વધીશું.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૮, ૨૬ નવેમ્બર ૨૦૦૮ (UTC)
-
- પ્રિય મિત્રો,નમસ્કાર, મારૂં એક નમ્ર સુચન છે કે,આપણે નવી શ્રેણી category:ગુજરાતનાં યાત્રાધામો બનાવીએ. તેનાં મુખ્ય પાનાં પર યોગ્ય જણાય તેવા નાના-મોટા તમામ યાત્રાધામોનીં યાદી બનાવી શકાય,જેમાંથી જે પણ મિત્રોને જાણકારી હોય તેઓ લેખ પણ તૈયાર કરી શકે,આમ આપણને વધુને વધુ શ્થળોનીં જાણકારી પણ મળશે.જે આપણો મુળ ઉદ્દેશ છે. ધવલભાઇનો વિચાર સમજી શકાય છે,કે કોઇ એક લેખમાં જો તમામ શ્થળોની યાદી લખશું તો મુળ લેખનો વિસ્તાર બહુ વધી જશે. આભાર --અશોક મોઢવાડીયા ૦૯:૪૬, ૨૭ નવેમ્બર ૨૦૦૮ (UTC)
-
- શ્રી ધવલભાઈ, || સીતારામ ||
- મારા પ્રશ્નનો જવાબ આપશ્રીએ સરસ રીતે વર્ણન કરીને મને સમજાવેલ છે. હવે ચર્ચા કરીએ કે આ વિકિપીડીયાથી ઈન્ટરનેટનો ઉપયોગ કરતા તમામ લોકોને અલગ અલગ સાચી માહિતીની જાણકારી મળે અને બધાને ફાયદો થાય તે હેતુ હશે. જો સ્વચ્છ સમાજનું નિર્માણ કરવું હોય તો ધર્મને અનુસરવો પડે અને તેની પ્રેરણા માણસ કોઈ ધાર્મિક જગ્યા, મંદીર, સંતનું સાનિધ્ય અથવા ધાર્મિક પુસ્તકોના વાંચનથી મળે છે. વધુમા વધુ લોકો સત્કાર્ય કરવા માટે પ્રેરાય તે માટે આગળ વધવુ જોઈએ. હવે મુદાની વાત કે દા.ત. કોઈપણ દેશની કોઈપણ વ્યક્તિ વિકિપીડીયામાં ફક્ત ગુજરાતનો લેખ વાંચતી હોઈ અને તેને ફકત પ્રખ્યાત યાત્રાધામનાં જ નામ જાણવા મળે, પરંતુ ઓછા જાણીતા અમુક યાત્રાધામ હોય પરંતુ તેનાથી માણસને સરળ જીવન જીવવાની સારી પ્રેરણા મળતી હોય તેવુ બને. પરંતુ જે નામ ગુજરાતનાં લેખમાં કયાંય જોવા ન મળે અને દરેક મિત્રો ગુજરાતનાં બધાજ તાલુકા કે જીલ્લાના લેખ ખોલીને ન પણ વાંચે. દા.ત. રામાયણ કે ગીતા ના પુસ્તકો વિશે બધાને ખ્યાલ હોય પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે શિક્ષાપત્રી છે તે ખુબજ નાની ચોપડી છે પરંતુ તેનો સાર ખુબજ ઉમદા અને લાભદાયક છે.
- હવે વાત કરીએ જે લેખને પાનામાંથી દુર કરેલ છે તે બાણેજ વિશે, તો આ સ્થળ ખુબજ જુનુ અને પૌરાણીક છે જે આપણા શહેરી દોડધામથી દુર કુદરતી વાતાવરણમાં જુનાગઢનાં ગીરનાં જંગલમાં આવેલુ છે. આ જગ્યાએ પહોંચતાની સાથેજ માણસ શાંતિનો અનુભવ કરે છે, કારણકે આ સ્થળની આજુબાજુમાં ઘોર જંગલ આવેલું છે. અને ત્યાં જતા યાત્રિકો મનથી શાંતિ અનુભવે છે. બીજુ શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર તો તેના વિશેનો તો લેખ પણ છે જ તેથી તેના મહત્વતા જાણી શકીયે છીએ તેમજ આપાવિસામણની જગ્યા-પાળીયાદ, આપાદાનાની જગ્યા-ચલાળા,લાલજી મહારાજની જગ્યા-સાયલા આ જગ્યાઓ એવીછેકે ત્યાનાં સંતો ના જીવન વિશે જાણવાથી આપણા ઘણા બધા પ્રશ્નોના જવાબ મળે છે અને સમાજ માટે સારૂ કરવાની પ્રેરણા મળે છે.
- હવે વધારે ચર્ચા ન કરતા હુ તો અટલુ જ કહીશ કે ગુજરાતના લેખમાં એવુ કરો તો થઈ શકે પ્રખ્યાત યાત્રાધામ અને અન્ય ધાર્મિક સ્થળો મારી દ્રષ્ટ્રીએ આવુ કરી શકાય. તમોને સમજાવવાની ભાષામાં કદાચ ઉણપ જણાયતો મને માફ કરશો અને યોગ્ય થઈ શકે તે માટે અશોકભાઈ મોઢવાડીયાનો પણ અભિપ્રાય લઈને યોગ્ય પગલા લેશોજી.
- આભાર...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૭:૩૦, ૨૭ નવેમ્બર ૨૦૦૮ (UTC)
-
- જીતેન્દ્રભાઇ, હું આપની ધર્મ ભાવના સાથે સહમત થાઉં છું, અને આપે લેખેલી ભાષા પણ તદ્દન સરળ અને સીધી છે. પરંતુ, હજુ હું તે તર્ક સાથે સહમત નથી કે ગુજરાતનાં નાના-મોટા દરેક યાત્રાધામોની યાદી તે લેખમાં આપવી જોઇએ. આપણે એવું કરી શકીએ કે ગુજરાતનાં લેખમાં જ્યાં યાત્રા ધામોની યાદી આપી છે ત્યાં એક વાક્ય ઉમેરી શકીએ (જે મેં ઉમેરી દીધું છે) કે જે ગુજરાતનાં બધાંજ યાત્રા ધામોનાં પાના તરફ વાંચકને વાળશે.
-
- આપે લખેલાં ઉદાહરણ ને જ પકડી ને ચાલીએ તો, જ્યારે લેખ ભગવદ્ ગીતા ઉપર લખ્યો હોય ત્યારે તેનાં વિષેની શક્ય તેટલી માહિતિ આપીએ પરંતુ, તે લેખમાં આપણે ભગવદ્ ગીતા આખે આખી ના લખીએ, અથવા રામાયણ કે મહાભારત લેખ લખ્યો છે, ત્યાં લેખમાં તમે જોશો રામાયણ અને મહાભારતનાં પાત્રોની યાદી છે, પરંતુ, તમે આખું રામાયણ અને મહાભારત વાંચ્યું હોય તો તમને જણાશે કે બંને ગ્રંથોમાં અનેક પાત્રો છે જે તે યાદીમાં નથી આપ્યાં, હવે આપણે અહીં પણ એ જ દલીલ કરીએ કે આ બંને આપણાં હિંદુ ધર્મનાં અગત્યનાં ગ્રંથો છે, જ્યારે કોઇ વ્યક્તિ લેખ વાંચતી હોય ત્યારે આપણે તેને પાત્રો વિષે જણાવવામાં ભેદભાવ ના રાખી શકીએ અને તેને બધાંજ પાત્રોનાં નામ જણાવવા જોઇએ, જો તેમ કરવા જઇએ તો લેખ પાત્રોનાં નામોની યાદી છે કે મૂળ ગ્રંથ ઉપર છે તે ખબર જ ના પડે. આથી શ્રેષ્ઠ કાર્ય એ જ છે કે ક્યાંક અપણે એક રેખા ખેંચવી પડે જે મૂખ્ય/મહત્વનાં પાત્રો અને ગૌણ પાત્રો નક્કી કરે. અને આપણે તે લેખોમાં સફળતાથિઇ આવું કરી પણ શક્યાં છીએ.
-
- આ જ રીતે, ગુજરાતનાં લેખમાં યાત્રા ધામોની સૂચિ કરવા બેસી જૈએ તો લેખની મૂળ માહિતિ કરતાં લાંબી આ યાદી થઇ જશે, અને જરૂરી નથી કે ગુજરાત વિષે જાણવા માટે લેખ વાંચનાર દરેક વ્યક્તિ તેમાંનાં ગામડે ગામડાની અને દરેકા ગામોમાં આવેલાં ધાર્મિક સ્થળોની કે તેવા અન્ય સ્થળોની યાદિ જોવામાં રસ ધરાવતી હોય. ધાર્મિક સ્થળોની જેમ જ પર્યટન સ્થળોની વાત કરીએ તો, અમદાવાદમાં કાંકરીયા તળાવ, રાજકોટનું રેસકોર્સનું મેદાન, ભાવનગરનું લખોટિયા તળાવ, વગેરે પણ પર્યટન સ્થળો છે, પણ તેની યાદી આપણે ગુજરાતનાં લેખમાં નથી આપી અને આપી પણ ના શકીએ.
[ફેરફાર કરો] Question about geographical names
Can anyone translate to Gujarati geographical names listed below? Aotearoa ૧૨:૪૦, ૮ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)
- Little Rann of Kachchh
- Kathiawar Peninsula
- Indian Peninsula
[ફેરફાર કરો] સૌથી મોટુ
સૌથી મોટુ - વિભાગમાં નદીના નામ બે વાર છે નર્મદા અને સાબરમતી - મારી જાણકારી મુજબ નર્મદા સાચુ છે - સાબરમતી ભૂલથી લખાયેલું લાગે છે તેને કાઢી નાંખવું જોઈએ.
- ધ્યાન દોરવા બદલ આભાર. તપાસ કરતા જણાય છે કે બંને નદીઓને સૌથી મોટામાં સ્થાન હોવું જોઇએ, કેમકે એક વિસ્તાર (કેચમેન્ટ એરિયા)ની દૃષ્ટિએ સૌથી મોટી છે અને બીજી લંબાઇમાં. મેં બંનેને સાથે મુકીને તેને માટે જરૂરી આંકડા પણ તેની બાજુમાં લખ્યા છે. નર્મદાની ચોક્સાઇ પુર્વકની લંબાઇ નથી મેળવી શક્યો, પરંતુ આશરે ૧૭૦ કિ.મી.ની આસપાસ લંબાઇ હોવાની શક્યતા છે. કોઈને જાણકારી હોય તો જણાવશો. જો કે હજુ નર્મદા કેવી રીતે સૌથી મોટી ગણાય છે તે મગજમાં ઉતરતું નથી, પરંતુ એનો ઉલ્લેખ અનેક જગ્યાએ ગુજરાતની સૌથી મોટી નદી તરિકે જોવા મળ્યો છે માટે રહેવા દીધું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૫, ૧૩ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
-
- અહીં ગુજરાત રાજ્યની સૌથી મોટી નદી તરીકે નર્મદા નદી જ બરાબર છે , જ્યારે ગુજરાતની સૌથી લાંબી નદી તો સાબરમતી નદી જ છે. સંદર્ભ ૧. અહીં ક્લીક કરો સંદર્ભ ૨. અહીં ક્લીક કરો --સતિષચંદ્ર ૧૬:૫૬, ૧૪ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)