ચર્ચા:દ્રોણ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ગુરુ દ્રોણાચાર્ય[ફેરફાર કરો]

પક્ષીની આંખ વીંધવા જ્યારે ભીમને પુછવામાં આવ્યું ત્યારે એણે ઘણું બધું વર્ણન કરેલ. ઝાડની નીચે બીલાડી ફરતી હતી તે પણ એને દેખાતી હતી. એટલે કે ભીમની જઠર તો વીશાળ હતી સાથે સાથે દ્દષ્ટી પણ વીશાળ હતી. ભીમ અર્જુન જેવો સંકુચીત દ્દષ્ટીવાળો ન હતો જેને ફકત પક્ષીની આંખ જ દેખાતી હતી. હકીકતમાં અંધારામાં ભીમના પેટમાં જે લાડવા જતા હતા એ જાણી અર્જુન ધનુર્વીદ્યા શીખ્યો હતો.--Vkvora2001 ૧૪:૧૫, ૨૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

ગુરુ દ્રોણાચાર્ય[ફેરફાર કરો]

ઘંઉના લોટને પાણીમાં નાખી દુધ સમજી અશ્વત્થામા પીતો હતો. દુધ માટે દ્રોણ પોતાના મીત્ર દ્રુપદ પાસે ગાય માંગવા ગયેલ. મહાભારતની રચનામાં આ પ્રસંગ ખુબ જ મહત્વ ધરાવે છે. દ્રુપદે એકાદ ગાય આપી દીધી હોત તો કુવામાંથી દડો કાઢવાનો પ્રસંગ ન આવાત. દ્રોણે અર્જુનને પ્રીય પાત્ર બનાવી દ્રુપદને હરાવેલ અને અડધું રાજ્ય માંગેલ. એક ગરીબ બ્રાહ્મણને રાજા પાસેથી ગાય માંગતા પણ ન આવડી? --Vkvora2001 ૧૪:૧૫, ૨૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)