ચિત્તરંજનદાસ
વિકિપીડિયાથી
ચિત્તરંજનદાસ (બંગાળી ભાષા:চিত্তরঞ্জন দাস Chittorônjon Dash), જેઓ "દેશબંધુ" ના નામે પણ લોકપ્રિય થયેલા, (૫ નવેમ્બર ૧૮૭૦ - ૧૬ જૂન ૧૯૨૫) તેઓ બંગાળનાં જાણીતા વકીલ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામનાં એક મુખ્ય સેનાની હતા. તેઓએ ઇંગ્લેન્ડમાં શિક્ષણ પ્રાપ્ત કરેલ, અને ૧૯૦૯માં તેમણે જાહેર જીવનની શરૂઆત કરેલ.