છાણીયું ખાતર

વિકિપીડિયામાંથી

છાણીયું ખાતર એ એક પ્રકારનું દેશી ખાતર છે, જે ગાય-ભેંસના છાણ-મૂત્ર અને વધેલા ઘાસચારાના કચરામાંથી બનાવવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં આ ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. રાસાયણિક ખાતર ન વાપરી તેમ જ માત્ર આ દેશી ખાતરથી કરવામાં આવતી ખેતીને સજીવ ખેતી અથવા ઓર્ગેનીક ખેતી કહેવામાં આવે છે.

છાણીયું ખાતર બનાવવાની રીત[ફેરફાર કરો]

છાણીયું ખાતર બનાવવા માટે સૌથી પહેલાં એક મોટો ખાડો ખોદી કાઢૌ અને પછી તેમાં ગાય-ભેંસ જેવાં પાલતુ પશુઓનાં છાણ તેમ જ વધેલા ઘાસચારાને માટી સાથે જ ભરો,પછી તેની ઉપર ધુળ પાથરો. રોજ આ રીતે ખાડો થોડો થોડો ભરાતો જશે અને ગરમીના એટલે કે ઉનાળાના છેલ્લા દિવસોમાં આ ખાતર તૈયાર થઇ જશે. આ ખાડાની ઉપર ખાટી છાશ છાંટવાથી ખાતરની ગુણવત્તા વધે છે, એવી માન્યતા પણ કેટલાક ખેડૂતોમાં પ્રવર્તે છે.

  • અન્ય રીત: જરૂરી વસ્તુઓ;
    • ગાય નુ છાણ ૧૦૦ કિલો
    • દેશી ગોળ ૨ કિલો
    • કોઈ પણ દાળ નો લોટ ૨ કિલો
    • વડ કે પીપળ ના ઝાડ નીચેની માટી ૧ કિલો
    • ગૌમુત્ર

ઉપર જણાવેલી બધી વસ્તુ ઑ ની સારી રીતે ભેળવી ને છુટ્ટુ છુટ્ટુ છાયા મા પાથરી લો. જ્યારે સુકાઈ જાય ત્યારે લાકડી થી અથવા પાણા થી આનો ભૂક્કો કરી લેવો અને ગુણી મા ભરી રાખી દેવુ. અને આ ખાતર ૬ થી ૮ મહીંના સંગ્રહી શકો. આનો તમે કમ્પોસ્ટ ખાતર બનાવવા પણ ઉપયોગ કરી શકો અથવા જેમ છે તેમ જ ખેતર મા નાખી શકો.