જામનગર જિલ્લો
જામનગર જિલ્લો ભારત નાં ગુજરાત રાજ્ય માં આવેલો છે. જામનગર આ જિલ્લાનું મુખ્ય શહેર, વહીવટી મથક અને મહાનગર પાલિકા છે. મહારાજા કુમાર શ્રી રણજીતસિંહજીના સમયમાં આ જિલ્લો 'નવાનગર' ના નામે જાણીતો હતો. જામનગર જિલ્લો કચ્છના અખાતમાં સહેજ દક્ષિણે આવેલો છે. રિલાયન્સ ઈન્ડસ્ટીઝ - ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપનીએ જામનગર જિલ્લાની નજીક મોટી ખાવડી ગામે વિશ્વની સૌથી મોટી રિફાયનરી સ્થાપ્યા બાદ જામનગરનુ મહત્વ વધ્યુ છે. આ ઉપરાંત એસ્સાર ઓઈલ, બીજી એક મહત્વની ઓઈલ રિફાયનરી પણ આ જિલ્લામાં આવેલી છે. આ ઉપરાંત જામનગરનું નામ પિતળની વસ્તુઓ બનાવવામાં વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંનો પિત્તળ ઉદ્યોગ ઇસ. ૧૯૬૦થી શરુ થયો છે. જામનગર જિલ્લામાં પિત્તળનાં અસંખ્ય કારખાનાઓ પણ આવેલા છે જેમાં ઉત્પાદન થતી વસ્તુઓ ભારતના અન્ય રાજ્યો ઉપરાંત વિદેશમાં પણ વેચાન અર્થે જાય છે.
આ ઉપરાંત જામનગર જિલ્લામાં પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા આવેલુ છે જેમા ભગવાન શ્રી દ્વારકાધીશજીનુ મંદીર છે.
[ફેરફાર કરો] જામનગર જિલ્લામાં આવેલા તાલુકાઓ
[ફેરફાર કરો] બાહ્ય કડીઓ
![]() |
કચ્છનો અખાત | કચ્છનો અખાત | રાજકોટ જિલ્લો | ![]() |
| અરબી સમુદ્ર | રાજકોટ જિલ્લો | |||
| અરબી સમુદ્ર | પોરબંદર જિલ્લો | રાજકોટ જિલ્લો |
| ગુજરાતના જિલ્લાઓ |
|---|
| અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | તાપી | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર |
