જુનાગઢ જિલ્લો
જુનાગઢ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો જિલ્લો છે, જે પ્રસિદ્ધ સોમનાથ મંદિર, ગીરના સિંહ અને ગિરનાર પર્વત માટે જાણીતો છે. જુનાગઢ જિલ્લાનું પાટનગર જુનાગઢ શહેર છે, જે એક ઐતિહાસિક નગર છે અને અત્યારે મહાનગરપાલિકા ધરાવે છે.
પોરબંદર, અમરેલી, રાજકોટ જુનાગઢ જિલ્લાની આજુબાજુ આવેલા જિલ્લાઓ છે. તેની દક્ષિણે અરબી સમુદ્ર આવેલો છે.
૨૦૦૧ની વસતી ગણતરી મુજબ જૂનાગઢ જિલ્લાની વસતી ૨૪,૪૮,૧૭૩ છે જેમાં ૨૯ % શહેરી વિસ્તારોમાં અને બાકીના ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] જુનાગઢ જિલ્લામાં આવેલા તાલુકાઓ
- ઉના
- કેશોદ
- કોડીનાર
- જુનાગઢ
- તાલાળા
- વેરાવળ
- ભેંસાણ, જૂનાગઢ જિલ્લો
- માણાવદર
- માળિયા
- માંગરોલ, જૂનાગઢ જિલ્લો
- મેંદરડા
- વંથલી
- વિસાવદર
- સુત્રાપાડા
[ફેરફાર કરો] જુનાગઢની જાણીતી જગ્યાઓ
અક્ષરધામ (સ્વામિનારાયણ મંદિર)
સોમનાથ મંદિર
ગિરનાર પર્વત
ગીરનું જંગલ, એશીયાઇ સિંહ માટેનું અભયારણ્ય
દીવ
તુલસીશ્યામ
સતાધાર
દામોદર કુંડ
[ફેરફાર કરો] સિંચાઇ
જૂનાગઢ જિલ્લામાં સામાન્ય રીતે ૧પ જુન થી ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વરસાદ પડે છે. ઓઝત, મધુવંતી, હિરણ, મચ્છુન્દી, શિંગાડા, રાવલ, ઉબેણ, સોનરખ, સાબલી, મેઘલ, વગેરે મોટી નદીઓ આવેલી છે. જિલ્લામાં મોટા ડેમ આવેલા નથી પરંતુ રાજય સિંચાઇ વિભાગના નિયંત્રણ હેઠળના મધ્યમ અને નાના મળી કુલ ૧૮ ડેમ આવેલા છે. સને ર૦૧૦ના વર્ષમાં આ જિલ્લામાં સૌથી વધુ વરસાદ તાલાળા તાલુકામાં ર૦ર૦ મી.મી. અને સૌથી ઓછો વરસાદ ભેંસાણ તાલુકામાં ૧૧પ૮ મિ.મી. નોંધાયો હતો. જિલ્લાનો સરેરાશ વરસાદ ૧પપ૪.ર૮ મી. મી. છે.
[ફેરફાર કરો] આ પણ જુઓ
[ફેરફાર કરો] બાહ્ય કડીઓ
![]() |
પોરબંદર જિલ્લો | રાજકોટ જિલ્લો | અમરેલી જિલ્લો | ![]() |
| અરબી સમુદ્ર | અમરેલી જિલ્લો | |||
| અરબી સમુદ્ર | અરબી સમુદ્ર | અરબી સમુદ્ર, દિવ |
| ગુજરાતના જિલ્લાઓ |
|---|
| અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | તાપી | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર |
