જુનારાજ (તા.નાંદોદ)

વિકિપીડિયામાંથી
જુનારાજ
—  ગામ  —
જુનારાજનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°40′57″N 73°57′26″E / 23.682519°N 73.95729°E / 23.682519; 73.95729
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નર્મદા
તાલુકો નાંદોદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

જુનારાજ (તા.નાંદોદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પૂર્વપટ્ટીમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા નાંદોદ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે છે. જુનારાજ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.

અહીં પહેલાંના સમયમાં રાજપીપળા રાજ્યનું મુખ્ય મથક હોવાને કારણે આ ગામનું નામ જુનારાજ પડ્યું છે, જેની સાક્ષી રૂપે અહીં નિલકંઠ મહાદેવનું પ્રાચીન મંદિર તેમ જ પુરાતન કિલ્લાના અવશેષો આજે પણ અહીં જોવા મળે છે[૧]. ચોમાસા દરમ્યાન કરજણ બંધમાં પાણી પૂર્ણ સ્તરે ભરાય જાય ત્યારે આ મંદિર તેમ જ કિલ્લો પાણીમાં ડૂબી જાય છે.

આ ગામમાં ઈ. સ. ૧૯૮૭ના વર્ષ સુધી તાલુકામથક રાજપીપળા થી અહીં જવાનો પાકો સડક માર્ગ હતો તેમ જ રાજ્ય પરિવહન નિગમની બસ દિવસમાં ત્રણ વાર આવતી હતી પરંતુ કરજણ નદી પર બંધનું ઉદ્‌ઘાટન થયા પછી આ ગામની ત્રણ બાજુ પાણી ભરાયેલ છે. આજના સમયમાં પણ આ ગામ બસ સુવિધા, વિજળી સુવિધાથી વંચિત છે. જો કે હાલમાં (ઈ. સ. ૨૦૧૪) કરજણ બંધના જળાશયની ફરતેથી કાચા સડક માર્ગ દ્વારા આ ગામ નાનાં વાહનો પહોંચતાં થયાં છે, પરંતુ એસટી બસ આવતી નથી. ગામમાં રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા વન પરિસરિય કેન્દ્ર[૨] શરૂ કરવામાં આવેલ છે, જ્યાં સહેલાણીઓ માટે રહેવાનાં તંબુ તેમ જ કોટેજની વ્યવસ્થા, અલ્પાહાર-ભોજન સહિત કરવામાં આવેલ છે. આ જગ્યા પર રહેવા જવા માટે રાજપીપળા વન વિભાગની કચેરી ખાતેથી યોગ્ય સંમતિ લેવી પડે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. http://urvsh.wordpress.com/2013/03/16/junaraj-historical-place-1/
  2. http://www.sandesh.com/article.aspx?newsid=2897891[હંમેશ માટે મૃત કડી] જુનારાજ ખાતે આજે વનવિભાગ દ્વારા પરિસરીય પ્રવાસન કેન્દ્રનું લોકાર્પણ
નાંદોદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન