ડો. જ્યોતિષ પટેલ

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
ડો. જ્યોતિષ પટેલ,બારડોલી, જિ.સુરત


ડો. જ્યોતિષ પટેલ એમ.ડી.(બાળકોના નિષ્ણાત)
સુરત જિલ્લાના અત્યંત ઊંડાણનાં જંગલ વિસ્તારમાં સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મ થયો. જંગલ વિસ્તારમાં જ વિદ્યાર્થી તરીકે કારકિર્દીની શરુઆત કરી એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાંથી એમ.બી.બી.એસ. અને એમ.ડી.(પીડીઆટ્રીક્સ)નો અભ્યાસ કર્યો.
ઇ.સ. ૧૯૮૮માં બારડોલી નગરમાં સુવિધાસભર શિશુદીપ બાળકોની હોસ્પિટલનું નિર્માણ કર્યું. ત્યારથી બાળરોગોના નિષ્ણાત તરીકેની સેવા અવિરતપણે આપી રહ્યા છે.
આવી ઉચ્ચ કારકિર્દી મેળવ્યા બાદ તેમણે સાથે સાથે સાહિત્ય, સંશોધન તેમ જ શિક્ષણ ક્ષેત્રે પણ પોતાનો રસ કેળવ્યો.


અનુક્રમણિકા

[ફેરફાર કરો] એમ સ્કવેર બુકપેલેસ

બાળકોની સારવાર દરમિયાન સતત બાળકના આરોગ્ય ઉપરાંત શિક્ષણ અને સંસ્કાર સિંચન પણ થાય એવા શુભાશયથી એમણે 'એમ સ્કવેર બુકપેલેસ'નું નિર્માણ કર્યું. જેને ચિંતક ગુણવંત શાહ, કવિ સુરેશ દલાલ, કટારલેખક ભગવતીકુમાર શર્મા, સંતતુલ્ય હરિભાઇ કોઠારી, ડોક્ટર સ્વામી, શિક્ષણવિદ્ ડો.મોતીભાઇ પટેલ, લેખક મહેન્દ્ર મેઘાણી જેવી અગ્રગણ્ય પ્રતિભાઓએ ખૂબ ખૂબ બિરદાવ્યું.


[ફેરફાર કરો] સિકલ સેલ એનીમિયા

આદિવાસી સમાજમાં વ્યાપક લોહીના વારસાગત રોગ ' સિકલ સેલ એનીમિયા' માટે નિદાન, સારવાર અને માર્ગદર્શન ગરીબ લોકોને પૂરાં પાડવા માટે તેમણે જહેમત આદરી. જે થકી તેમણે સ્વ. રામજીભાઇ ચૌધરી સિકલ સેલ એનીમિયા ફાઉન્ડેશનની રચના કરી. એટલું જ કાર્ય કરી બેસી ન રહેતાં તેમણે આંતરરાષ્ટ્રીય તેમ જ રાષ્ટ્રીય કક્ષાએ સંશોધનપત્રો પણ રજુ કરી આખા જગતને આ રોગ માટે વિચારવા માટે જાગૃત કર્યું. આ સંશોધનપત્રો રજુ કરવા બદલ તેમને વિવિધ પારિતોષિકો પણ એનાયત કરવામાં આવ્યાં છે.

[ફેરફાર કરો] શિક્ષણ

ધોરણ ૧૧ અને ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક યુગમાં પણ અગ્રેસર રહી શકે તે માટે તેમણે શાયોના સ્ટડી સેન્ટરની રચના કરી. પ્રોજેક્ટર, વિઝ્યુઅલ પ્રેઝન્ટર જેવાં આધુનિક ઉપકરણોથી સજ્જ વર્ગખંડોમાં વિદ્યાર્થીને શ્રેષ્ઠ શિક્ષણની વ્યવસ્થા તેમણે કરી છે.

[ફેરફાર કરો] બહુમાન

સમાજ ઉપયોગી બહુહેતુક પ્રવૃત્તિ કરવા બદલ ડો. જ્યોતિષ પટેલને રાષ્ટ્રીય ગૌરવ

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

વ્યક્તિગત સાધનો
નામાવકાશો
ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી