તનસુખરાય ઓઝા

વિકિપીડિયામાંથી

ઓઝા તનસુખરાય ઈચ્છાશંકર, 'શિવેન્દુ' (૨૦ ડિસેમ્બર ૧૯૨૭) ગુજરાતી કવિ છે. તેમનો જન્મ વતન ભાવનગર જિલ્લાના શિહોરમાં થયો હતો. ૧૯૪૭માં મૅટ્રિક અને ૧૯૫૨માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૫૪માં એમ.એ. નું શિક્ષણ મેળવ્યા બાદ તેમણે શાળા અને કૉલેજોમાં શિક્ષણકાર્ય કર્યું હતું..

સર્જન[ફેરફાર કરો]

‘ભૂકંપ’ (૧૯૫૮) એમનો પ્રલય ને ક્રાંતિના ભાવોને આલેખતો કાવ્યસંગ્રહ છે. ‘પાયલ’ (૧૯૫૮) ગીતસંગ્રહ છે. ‘તાંડવ’ (૧૯૫૯), ‘ચંદ્ર’ (૧૯૫૯) તથા ખંડકાવ્યોનો સંગ્રહ ‘પુદગલ’ (૧૯૭૦) એ એમના કાવ્યરચનાના અન્ય ગ્રંથો છે. સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા એમના વિવેચનલેખો અગ્રંથસ્થ છે.

સ્ત્રોત[ફેરફાર કરો]