તળાજા
| colspan="2" style="margin-left: inherit; color: #f8fafd; background-color: #98AFC7
</noinclude>; font-size: 1.5em; text-align: center" | તળાજા |
|
|
|
|
| style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: solid 3px #98AFC7 | style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: 3px solid #98AFC7 |
| અક્ષાંશ-રેખાંશ | |
| વિસ્તાર - ઉંચાઇ |
- 19 m |
| સમય ક્ષેત્ર | IST (UTC+5:30) |
| વસ્તી(૨૦૦૧) - ગીચતા |
૨૬૧૮૭ - |
| કોડ - ટપાલ - ટેલીફોન - વાહન |
- ૩૬૪૧૪૦ - +૦૨૮૪૨ - GJ 4 |
</noinclude> તળાજા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભાવનગર જિલ્લામાં આવેલું એક નગર છે, જે સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે શેત્રુંજી અને તળાજી નદીને કાંઠે વસેલું છે. તળાજા, તળાજા તાલુકાનું મુખ્ય મથક પણ છે.
[ફેરફાર કરો] ઇતિહાસ
તળાજા ગુજરાતના જાણીતા સંતકવિ ભક્ત નરસિંહ મહેતાનું જન્મ સ્થળ છે. પાછળથી તેઓ જુનાગઢમાં સ્થાયી થયા હતાં. પ્રાચિનકાળમાં તળાજા તાલધ્વજ નામથી પણ ઓળખાતું હતું. તેની સુંદર રમણીય ટેકરીની ઉત્તર અને પશ્ચિમ બાજુએ બૌદ્ધ સ્પાથત્ય શૈલિમાં કંડારેલી ગુફાઓ છે. આમાંની એક ગુફા જેને એભલ મંડપ તરીકે ઓળખવામાં આવે છે, મોટા ચોરસખંડની બનેલી છે તથા ૨૩ મીટર લંબાઈ, ૨૧ મીટર પહોળાઇ અને ૧૫.૫ મીટર ઉંચાઇ ધરાવે છે. ગુફાનો આગલો ભાગ ચાર મોટા ચોરસ થાંભલાથી ટેકવેલો હોય એમ લાગે છે, આ થાંભલાઓ હાલ હયાત નથી. આ થાંભલા ઉપરના પથ્થરના પાટડાઓ ઉપર ચોરસ ચોકડીઓ પાડી તે ઉપર નાની કમાનો બનાવી એક પ્રકારની શોભા આપેલી છે. કહેવાય છે કે, આવા પ્રકારની ગોઠવણ પ્રાચીન બૌદ્ધ સ્થપતિઓને બહુ જ પસંદ પડતી.
[ફેરફાર કરો] ભૌગોલીક સ્થાન
તળાજા શહેર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ઇ પર ભાવનગર (૫૪ કિ.મી.) અને મહુવા (૪૩ કિ.મી.) શહેરની વચ્ચે સ્થિત છે. તળાજા સમુદ્રની સપાટીથી અંદાજીત ૧૯ મી (૬૨ ફુટ)ની ઉંચાઇએ વસેલું છે.
[ફેરફાર કરો] તળાજા પહોંચવા માટે
- હવાઈ માર્ગ - અહીથી સૌથી નજીકનું હવાઈ મથક ૫૪ કિ.મી. દૂર ભાવનગર શહેરમાં આવેલું છે.
- સડક માર્ગ - તળાજા દ્વારકાથી સોમનાથ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ઇ સાથે જોડાયેલું છે. નજીકનું સૌથી મોટું શહેર ભાવનગર છે, જે અહીંથી માત્ર ૫૪ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. ભાવનગરથી બસ અથવા અન્ય વાહન દ્વારા તળાજા જઇ શકાય છે.
- રેલમાર્ગ - તળાજામાં રેલમાર્ગની સૂવિધા નથી પણ નજીકનાં અન્ય શહેરો, પાલીતાણા (૪૦ કિ.મી.) ભાવનગર (૫૪ કિ.મી.) અને મહુવા (૪૩ કિ.મી.) રેલમાર્ગ વડે દેશના અન્ય વિસ્તારો સાથે જોડાયેલ છે.