થ્રિસુર

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
colspan="2" style="margin-left: inherit; color: #f8fafd; background-color: #98AFC7

</noinclude>; font-size: 1.5em; text-align: center" | Thrissur City

[[Image: Kerala locator map.svg

</noinclude>|235px|border|Map indicating the location of Thrissur City]]

<div style="position:absolute; top:Expression error: Unexpected / operator.%; left:Expression error: Unexpected / operator.%; height:0; width:0; margin:0; padding:0;">

Location of Thrissur City

અક્ષાંશ-રેખાંશ: 10.52° N 76.21° E

style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: solid 3px #98AFC7

</noinclude>;" width="110px" | રાજ્ય
- જિલ્લો

style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: 3px solid #98AFC7

</noinclude>;" | Kerala
- Thrissur district

અક્ષાંશ-રેખાંશ 10.52° N 76.21° E
વિસ્તાર
- ઉંચાઇ
101.43 km²
- 2.83 m
સમય ક્ષેત્ર IST (UTC+5:30)
વસ્તી(2001)
- ગીચતા
317474
- 3100/ચો.કીમી
Mayor R. Bindu
કોડ
- ટપાલ
- ટેલીફોન
- વાહન

- 680XXX
- +0487
- KL-8
જાળસ્થળ: www.corporationofthrissur.org
Temperature Range: 22.5°C -35 °C

</noinclude>

એક જ નામના જિલ્લા માટે થ્રિસુર જિલ્લો જુઓ

થ્રિસુર Thrissur.ogg pronunciation ઢાંચો:Lang-ml પહેલા ત્રિચુરના નામે ઓળખાતું હતું. જે ભારતના કેરાલા નામના રાજ્યનું એક શહેર છે. આ થ્રિસુર જિલ્લાનું વડું મથક છે. આ ઉપરાંત કેરાલાનાં 'સાંસ્કૃતિક પાટનગર' તરીકે પણ ઓળખાય છે. થ્રિસુર શહેર 65 એકરના ટેકરી વાળા વિસ્તારમાં વિકસીત થયેલું શહેર છે. (જેને થેક્કીનકાડુ મેદાન કહેવાય છે.) જે વેડાક્કુમનાથન મંદિર નજીક છે. આ વિસ્તાર શહેરનો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કેન્દ્ર છે. જે ધાર્મિક અનુભવ સાથે તહેવારો, ઐતિહાસિક સ્થળો અને કુદરતી સ્થળો પણ દર્શાવે છે. થ્રિસુર કેરાલનું ચોથા નંબરનું સૌથી મોટું શહેર છે. જેનું સૌથી નજીકનું હવાઇમથક કોચીન આંતરરાષ્ટ્રિય હવાઇમથક, નેદુમ્બસેરી છે.

ભારતની આર્થિક અભ્યાસ કરતી કંપની ઇન્ડિકસના રહેઠાણ માટેના શહેરો અંગેનો એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં અનુસાર, રહેણાંક, આવક અને રોકાણની દ્રષ્ટિએ થ્રિસુર ભારતના રહેવા લાયક સ્થળોમાં સાતમો ક્રમ ધરાવે છે. ઇન્ડિકસ સર્વેમાં 6 માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં સ્વાસ્થ્ય, ભણતર, પર્યાવરણ, સલામતી, જાહેર સેવા અને મનોરંજનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.[૧] થ્રિસુર એ જગ્યા છે, જ્યાંથી ખ્રિસ્તિ અને ઇસ્લામ ધર્મ ભારતમાં આવ્યા હતા. જ્યાં સેન્ટ થોમસ દ્વારા 2000 વર્ષ પહેલા પગલાં પાડવામાં આવ્યા હતા અને દેશની પ્રથમ મસ્જિદ 7મી સદીમાં સ્થાપવામાં આવી હતી. [૨] થ્રિસુર તેના થ્રિસુર પૂરમ તહેવાર માટે જાણીતું છે. જે કેરાલાનો સૌથી રંગીન અને દર્શનીય મંદિર નો તહેવાર છે. આ તહેવાર થેકીનકાડુ મેદાનમાં એપ્રિલ કે મે માસમાં યોજવામાં આવે છે. થીરુવમ્બાદી મંદિર, વાડાક્કુમનાથ મંદિર અને પારામેક્કાવુ મંદિર ઉપરાંત ધી અવર લેડી ઓ લોર્ડસ મેટ્રોપોલિટન કેથેડ્રલ અને ધી બેસીલીકા ઓફ અવર લેડી ઓફ ડોલોરસ(પુથાન પાલી કે ન્યુ ચર્ચ) નામનાં બે ખૂબ જ જાણીતા ચર્ચ જેવા ઘણા મોટા મંદિરો આ શહેરમાં આવેલા છે. ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસ દરમિયાન યોજાતો તહેવાર ઓણમ દરમિયાન થ્રિસુર પુલીકલી માટે પણ જાણીતું છે. થ્રિસુર દક્ષિણ ભારતનું એક મહત્વનું આર્થિક કેન્દ્ર છે. ઉપરાંત કેરાલાના સિલ્ક અને સોનાનાં દાગીનાની ખરીદી માટે પણ અગ્રતા ક્રમ ધરાવતું ખરીદીનું કેન્દ્ર છે. કેરાલામાં આવતા ઘરેલું પર્યટકો માટે થ્રિસુર પ્રથમ ક્રમાંક ધરાવે છે..[૩]

અનુક્રમણિકા

[ફેરફાર કરો] ભૂગોળ

થ્રિસુર શહેર 10 ડિગ્રી 32 મીનિટ ઉત્તર અને 76 ડિગ્રી 15 પૂર્વ પર સ્થિત છે. થ્રિસુર મ્યુનિસિપલ કોર્પોરેશનની હેઠળ 101.42 કિ.મી.2 માં 3,17,474(2001)માં જનસંખ્યા નોંધાયી હતી. ફક્ત થ્રિસુર શહેરમાં થ્રિસુર જિલ્લાની શહેરી વસ્તીના 38 ટકા લોકો રહે છે. થ્રિસુર ડેવલોપમેન્ટ ઓથોરિટી(ટીડીએ) હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત ગ્રામ પંચાયતનો પણ સમાવેશ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારમાં 101.42 કિ.મી.2નો સમાવેશ થાય છે. જ્યારે પંચાયતમાં 18.83 કિ.મી.2નો સમાવેશ થાય છે. સંયુક્ત રીતે આ બંને વિસ્તાર 120.25 કિ.મી.2નો થાય છે. 2001માં કરવામાં આવેલા એક સર્વે અનુસાર, ટીડીએની જનસંખ્યા 344,933 નોંધાયી હતી. દા.ત. 317,474 વ્યક્તિ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અને 27,459 વ્યક્તિ પંચાયત વિસ્તારમાં નોંધાયા હતા.

[ફેરફાર કરો] આબોહવા

થ્રિસુર શહેર સામાન્ય રીતે એક અત્યંત ગરમ શહેર છે. કેરાલાના દક્ષિણ-પશ્ચિમ દરિયા કિનારાના પ્રદેશમાં સ્થિત હોવાને કારણે અહીંનું વાતાવરણ ગરમ જોવા મળે છે. દિવસ અને રાતના વાતાવરણમાં ખૂબ જ સામાન્ય ફેરફાર જોવા મળે છે. ઉનાળાનો સમયગાળો અહીં માર્ચથી મે સુધીનો છે ત્યારબાદ જૂનથી સપ્ટેમ્બર સુધી અહીં દક્ષિણ-પશ્ચિમના ચોમાસાનો સમય હોય છે. ઓક્ટોબર અને નવેમ્બર ચોમાસા બાદનો સમયગાળો અથવા વધુ ચોમાસાનો સમય હોય છે. જ્યારે ડિસેમ્બરથી શિયાળાની શરૂઆત થાય છે. ફેબ્રુઆરીમાં સામાન્ય ઠંડક અને પશ્ચિમ ઘાટનાં પવનને લીધે પવનવાળું વાતાવરણ જોવા મળે છે.

ચોમાસા દરમિયાન વરસાદની ઋતુને લીધે પાણી ભરાયેલું જોવા મળે છે. અહીનો સરેરાશ વાર્ષિક વરસાદ 3,159 એમએમ છે. દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું સામાન્ય રીતે મે માસના અંતિમ સપ્તાહમાં શરૂ થાય છે. જુલાઇ બાદ વરસાદમાં ઘટાડો જોવા મળે છે. સરેરાશ વર્ષમાં લગભગ 124 વરસાદના દિવસો હોય છે. ઉનાળાની ઋતુ દરમિયાન વધુમાં વધુ સરેસાશ તાપમાન 35 ડિગ્રી સેલ્શિયસ અને નીચામાં નીચું તાપમાન સરેરાશ 22.5 ડિગ્રી સેલ્શિયસ જોવા મળે છે. ઉનાળાની ઋતુમાં ઉંચામાં ઉંચુ વધુ તાપમાન સરેરાશ 32.3 ડિગ્રી સેલ્શિયસ અને નીચામાં નીચું તાપમાન સરેરાશ 20 ડિગ્રી સેલ્શિયસ નોંધાયું છે.

[ફેરફાર કરો] અર્થતંત્ર

ચિત્ર:Map of Thrissur corporation.JPG
થ્રિસુર શહેરનો રાજકિય નક્શો વોર્ડની સીમા રેખા પણ દર્શાવે છે. (વોર્ડનું લિસ્ટ જોવા માટે જૂઓ: થ્રિસુર કોર્પોરેશન વોર્ડનું લિસ્ટ)

થ્રિસુરમાં ઘણા મલયામી ઉદ્યોગસાહસિકો[૪] પાક્યા છે, અને તે કેરાલાનું મુખ્ય નાણાકીય અને વ્યાપારી મથક છે. [૫] ઇતિહાસકારો જણાવે છે કે રાજા સાક્થાન થામ્પુરન એ ઘણાં સિરિયન- ક્રિશ્ચિયન કુટુંબ અને બ્રાહ્મણોને થ્રિસુર તથા તેના આસપાસના વિસ્તારમાં તેનો વેપાર સ્થાપવા આમંત્રીત કર્યા હતા. થોડા જ સમયમાં થ્રિસુર, કેરાલામાં આંતરરાષ્ટ્રિય વેપારમાં અગ્રતાક્રમ ધરાવતું રાજ્ય બની ગયું છે. થ્રિસુર દક્ષિણ ભારતમાં સાદું સોનું અને રોલ્ડ ગોલ્ડના દાગીના બનાવતા શહેરોમાં અગ્રતાક્રમ ધરાવે છે. કેરાલાનું કુલ જ્વેલરી ઉત્પાદનનો 70% હિસ્સાનું થ્રિસુરમાં ઉત્પાદન થાય છે. જે ભારતનાં કુલ સોનાનાં ઉત્પાદનો 7% હિસ્સો છે. (વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ અનુસાર, કેરાલામાં કોઇપણ હેતુથી વાર્ષિક લગભગ 70 ટન સોનાનું વેચાણ થાય છે. જ્યારે સમગ્ર ભારતની બજારમાં સોનાનું વાર્ષિક વેચાણ લગભગ 700 ટનનું છે.)

થ્રિસુર દેશની ત્રણ મોટી શિડ્યુલ્ડ બેંક સાઉથ ઇન્ડિયન બેંક લી., કેથોલિક સિરિયન બેંક અને ધનલક્ષ્મી બેંક લી.નું વડુંમથક છે. થ્રિસુર શહેરની આસપાસ ઘણી ચિટ ફન્ડ કંપનીઓ આવેલી છે. અન્ય ઉદ્યોગોમાં હીરાનાં પોલીશિંગનું કામ કરનારી કંપનીઓ અને ઓટોમોબાઇલ ટાયરનું મોલ્ડીંગ કરતી કંપનીઓનો સમાવેશ થાય છે. કલ્યાણ ગ્રુપ અને આલુક્કાસ જેવા ઔદ્યોગિક અગ્રણીઓ થ્રિસુરમાં આવેલા છે. એટલાસ જ્વેલરી એન્ડ ગ્રુપનાં એમ. એમ. રામાચંદ્નન, સી. કે. મેનન, ગુલ્ફાર મોહમ્મદઅલી, એમકે યુસુફઅલી, ગુડનાઇટ મોહન, ઉજાલા રામચંદ્નન, શ્રીમાન પી.એન.સી. મેનન(શોભા ડેવલોપર્સ) જેવા ઘણા વ્યક્તિઓ મૂળ થ્રિસુરના છે.

થ્રિસુરનો ઇન્ફોપાર્ક તાજેતરમાં કોરાટ્ટીમાં 42 એકરના કેમ્પસમાં શરૂ કરવામાં આવ્યો છે. જે થ્રિસુરને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી હાઇવે સાથે જોડે છે. લાંબા સમયથી દૂર થયેલા આ જગ્યા પર લોકોનું ધ્યાન હવે ગયું છે. ઇન્ફોપાર્કનું તૈયાર કરેલું હબ અને સ્પોક મોડેલ કોચીના ઇન્ફોપાર્કના ડેવલોપમેન્ટ સાથે કરવામાં આવ્યું છે જે એક હબ તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ ઉપરાંત થ્રિસુરનાં અર્થતંત્રમાં પર્યટનક્ષેત્રનો ફાળો પણ મોટો છે. ઘરેલું પર્યટકો થ્રિસુરને કેરાલા ટુરિઝમ વિભાગ દ્વારા સૌથી વધુ પ્રકાશિત થયેલા શહેર તરીકે થ્રિસુરને દર્શાવવામાં આવે છે. શહેરમાં આવેલા મંદિર અને જૂના ચર્ચ સહિત તેની સંસ્કૃતિને લીધે કેરાલામાં ફરવા જતાં ઘરેલું લોકોનાં મનપસંદ સ્થળોમાં કેરાલામાં પ્રથમ ક્રમે છે. [૬]


[ફેરફાર કરો] નગર વહીવટ

સર્વે સેટલમેન્ટ રજિસ્ટર અનુસાર, થ્રિસુર શહેર 1084માં બનાવવામાં આવ્યું હતુ. [૭] થ્રિસુર મ્યુનિસિપાલિટીની સ્થાપના કોચીન મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમ અનુસાર એજ વર્ષ એટલે કે 1921 એ.ડીમાં કરવામાં આવી હતી. મ્યુનિસિપાલિટીની સ્થાપના પહેલા 1910માં સેનેટરી બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. જ્યારે 1911 બાદ ટાઉન કાઉન્સીલ સ્થાપવામાં આવ્યું હતું.[૮] થ્રિસુર મ્યુનિસિપલ કોર્પોરેશન 1લી જૂલાઇ, 1949થી અમલમાં આવ્યું છે. મ્યુનિસિપલ ટાઉનનું સ્તર વધારીને મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે 1 ઓક્ટોબર, 2000ના વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યું છે. જેમાં આય્યાન્થોલે, કુરક્કેન્ચેરી, નાદાથારા, વિલવાટ્ટોમ(વિભાગ), ઉલ્લુર અને ઉલ્લુક્કારા જેવી પંચાયતનો પણ સમાવેશ થાય છે. કોર્પોરેશનમાં ત્રણ અલગ-અલગ સંસદ છે.(થ્રિસુર, ઉલ્લુર, ચેરપુ). 50 વોર્ડમાંથી 50 સભ્યોની ચૂંટણી દ્વારા પસંદગી કરવામાં આવે છે. થ્રિસુરના મેયર પ્રોફેસર આર. બિન્દુ છે.

[ફેરફાર કરો] રાજકારણ

દક્ષિણ ભારતના રાજકિય ઇતિહાસમાં થ્રિસુર એ મહત્વનો ભાગ ભજવ્યો છે. ખૂબ જ શરૂઆતના સમયમાં એટલે કે 1919માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ(આઇએનસી) કમીટી થ્રિસુરમાં શરૂ કરવામાં આવી હતી. 1921માં કાયદાભંગના આંદોલન દરમિયાન થ્રિસુરના ઘણા લોકો એ તેમાં આગળ પડતો ભાગ લીધો હતો અને જેલની સજા પણ કાપી હતી. થ્રિસુર સંસદનો મત વિસ્તાર થ્રિસુર જ છે. (લોકસભામાં પણ આવે છે.) હાલના થ્રિસુરના સંસદ સભ્ય પીસી ચાકૂ છે. જ્યારે થેરામ્બિલ સામાક્રિષ્ન્ન કેરાલાની વિધાનસભામાં થ્રિસુરનું પ્રતિનિધીત્વ કરે છે.

[ફેરફાર કરો] પરિવહન

થ્રિસુર શહેર મોટાભાગે ખાનગી બસ, ટેક્સી અને ઓટો રિક્શા (ઓટો) જેવા જાહેર વાહન વ્યવહાર પર આધારીત છે. રાજ્ય સરકાર સંચાલીત કેરાલા સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(કેએસઆરટીસી) આંતર-રાજ્ય, આંતર- શહેર અને શહેરમાં સુવિધા પૂરી પાડે છે. થ્રિસુરમાં ત્રણ બસ સ્ટેશન છે. એક છે, સક્તાન થામ્પૂરન નગર(એસ.ટી.નગર) ખાતેનું સક્તાન થામ્પુરન ખાનગી બસ સ્ટેશન થ્રિસુર. બીજુ છે, વેડાક્કે સ્ટેન્ડ ( નોર્થન બસ સ્ટેન્ડ) અને ત્રીજૂ છે, થ્રિસુર રેલ્વે સ્ટેશન નજીકનું કેએસઆરટીસી બસ સ્ટેશન.

થ્રિસુર શહેર રાષ્ટ્રિય ધોરી માર્ગ એનએચ 47 અને એનએચ 17 પર સ્થિત છે. આ હાઇવે સમગ્ર શહેર સંપૂર્ણરીતે પસાર થાય છે. અને શહેરમાં લગભગ દરેક સ્થળ હાઇવે સાથે જોડાયેલા છે. ઉપરાંત આ હાઇવે અન્ય નજીકના શહેરો અને નાના તાલુકા જેવાકે કોચી, કોઝીકોડ, કોઇમ્બતુર અને પલક્કડ વગેરેને પણ જોડે છે. આ ઉપરાંત અન્ય આંતરીક રસ્તાઓ થ્રિસુર જિલ્લાના અનેક હિસ્સાઓ જેવાકે ચાલાકુડી, ચાવાક્કડ, ઇરાન્જાલાકુડા, કોડુનાગાલ્લુર, માલા, વાડાક્કાન્ચેરી અને ગુરુવાયુરને જોડે છે.

થ્રિસુર જંક્શન થ્રિસુરને ભારત સાથે રેલ્વેથી જોડે છે. આ સ્ટેશન એ કેરાલાનો પ્રવેશદ્વાર છે. અહીંથી કોઇપણ સ્થળ એ જવાની ટ્રેન સરળતાથી પ્રાપ્ય છે. આ સ્ટેશન શોરાનુર-કોચીન હાર્બર સેક્શન પર સ્થિત છે. થ્રિસુર શહેરમાં પૂન્કુન્નામ ખાતે એક સેટેલાઇટ સ્ટેશન છે. ઉપરાંત બે નાના સ્ટેશન ઉલ્લુર અને મુલાન્કુન્નાથુકાવુ ખાતે પણ છે. થ્રિસુરથી અન્ય પાડોશી જિલ્લાઓમાં ઉપનગર રેલ સેવાનું પણ આયોજન થઇ રહ્યું છે. તે કોચી, કોટ્ટાયમ અને અલપ્પુઝા જિલ્લાઓ વચ્ચે પરિવહનને ઝડપી બનાવશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પણ આ બધી ટ્રેનના જોડાણ અને આંતર જિલ્લા નેટવર્ક માટે અહીંની ટ્રેનનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અહેવાલમાં જણાવ્યા અનુસાર, ગુરૂવાયૂર- થ્રિસુર- કોચી વચ્ચે તથા અલાપ્પુઝા-કોચી વચ્ચે અને કોટ્ટાયામ-કોચી જેવા સેક્ટર વચ્ચે પણ આંતરીક રેલ્વે સેવા શક્ય છે. આંતરીક રેલ્વેના પગલે તેના દર ઓછા હોવાથી બસના મુસાફરો પણ આ તરફ આવવાની શક્યતા છે.

થ્રિસુર શહેરમાં કોઇ એરપોર્ટ નથી. સૌથી નજીકનું એરપોર્ટ કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. જે લગભગ થ્રિસુરથી 50 કિ.મી. દૂર છે. કાલિકટથી નજીક કારિપુર ખાતે આવેલું કાલિકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ થ્રિસુરથી બીજૂ નજીકનું એરપોર્ટ છે. જે શહેરથી લગભગ 80 કિ.મી. દૂર છે.

[ફેરફાર કરો] વસ્તી-વિષયક માહિતી

As of 2001ભારત વસ્તીગણતરી [૯]અનુસાર, થ્રિસુર શહેરની વસ્તી 317,474 છે. કુલ વસ્તીમાં 48.6% પુરૂષો અને 51.4% સ્ત્રીઓ છે. વસ્તી ઘનતા 3,130/કિ.મી.2 છે. સ્ત્રી અને પુરૂષોની તુલનામાં અહીં 1000 પુરૂષો સામે 1,092 સ્ત્રી છે. લગભગ 66,827 ઘર નોંધાયા છે. થ્રિસુરમાં સરેરાશ કુટુંબની સાઇઝ 4.27 સભ્યની છે. સર્વે 2001ના કામચલાઉ આંકડા અનુસાર, થ્રિસુર શહેરમાં ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની સંખ્યા શહેરની વસ્તીની લગભગ 0.50% છે. જ્યારે સમગ્ર રાજ્યની ઝૂંપડપટ્ટીમાં રહેતી વસ્તીના 0.37% છે. થ્રિસુર શહેરનો અક્ષરજ્ઞાનનો દર 86.5% છે. જેમાં પુરૂષ અક્ષરજ્ઞાન દર 87% છે. જ્યારે સ્ત્રીઓમાં આ દર 86% ટકા છે.

[ફેરફાર કરો] સંસ્કૃતિ અને સાહિત્ય

]]

થ્રિસુરને હંમેશા કેરાલાનું સાંસ્કૃતિક મથક કહેવામાં આવ્યું છે. જે પ્રખ્યાત વાડાક્કુન્નાથન મંદિરની આસપાસ ટેકરી પર વિકસાવેલું શહેર છે. કહેવાય છે કે મહાન સંત પરશુરામ દ્વારા આ સ્થળને શોધવામાં આવ્યું હતું. આ શિવજીનું મંદિર કેરાલાના મુખ્ય સ્થાપત્ય સ્ટાઇલ અને પવિત્ર મંદિર જેવું ક્લાસીક ઉદાહરણ છે. એશિયાનું સૌથી ઉંચુ ચર્ચ બેસિલિકા ઓફ અવર લેડી ઓફ ડોલોર્સ(પુથાન પાલી), અવર લેડી ઓફ લોર્ડેસ મેટ્રોપોલિટન કેથેડ્રલ ઓફ સિરિયન કેથોલિક્સ ચર્ચ તેના આકર્ષક ઇન્ટીરીયર માટે જાણીતા છે. જેનું મુખ્ય આકર્ષણ જમીન હેઠળનું પવિત્ર સ્થળ છે. જે સ્થાપત્યમાં ખૂબ જ આકર્ષક છે. ધી સ્કેર્ડ હાર્ટ લેટિન ચર્ચ ઓફ લેટિન કેથોલિક્સ અને ધી માર્ટ મરિયમ બીગ ચર્ચ, ઇન્ડિયન હેડક્વાટર્સ ઓ એસ્સીરિયન ચર્ચ ઓફ ઇસ્ટ પણ થ્રિસુરમાં સ્થિત છે. આ ઉપરાંત જિલ્લાનાં થોઝીયૂર ખાતે માલાબાર ઇન્ડિપેન્ડન્ટ સિરિયન ચર્ચનું પણ વડુંમથક આવેલું છે.

આ ઉપરાંત જૂનો પોર્ટ મુઝિરિસ કે કોડુન્ગાલૂર એ ભારતમાં ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મનાં આગમન માટે ઉપયોગમાં આવેલું હતું. આ એ જગ્યા છે જ્યાં સંત થોમસ એ ભારતમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેમણે ભારતમાં તેનું પ્રથમ ચર્ચ પાલાયુર ખાતે શરૂ કર્યું. કોડુન્ગાલૂર હાઉસ એ ભારતમાં ચેરામાન પેરૂમાલ દ્વારા ભારતમાં સ્થાપવામાં આવેલી પ્રથમ મુસ્લીમ મસ્જીદ છે. ચેરામાન પેરૂમાલ એ એક હિન્દુ રાજા હતા જેણે મુસ્લીમ ધર્મનો અંગીકાર કર્યો હતો. એવી માન્યતા છે કે આદી શંકરે તેનો અંતિમ દિવસો અહીં વિતાવ્યા હતા.


સૌથી મોટું સાંસ્કૃતિક આકર્ષણ અહીંનું થ્રિસુર પૂરમ ઉત્સવ છે, જે એપ્રિલ અને મે માસ દરમિયાન ઉજવવામાં આવે છે. હાથી સાથેની છત્રી દર્શાવે છે કે હરિફાઇ ખૂબ જ આકર્ષક રહેશે. જેમાં હાથી વીધી માટેની છત્રી લઇને મુખ્ય મંદિરમાં દેવતાની સામે પ્રદક્ષિણા કરે છે. જેમાં ખૂબ જ સુંદર રીતે ડ્રમ વગાડવામાં આવે છે અને આકર્ષક આગના ખેલ કરવામાં આવે છે. આ બધુ જ પૂરમ ઉજવણીનો એક હિસ્સો છે. આ શહેરનું અન્ય આકર્ષણ “પુલી કાલી” તહેવાર છે. (“પુલી” એટલે “વાઘ” અને “કાલી” એટલે “રમત”) જે ઓનમના ચોથા દિવસે ઉજવવામાં આવે છે (નાલામ ઓનમ ). આ શહેરના અલગ-અલગ ક્લબ દ્વારા રજૂ કરવામાં આવતી પ્રવૃતિ છે. આ હરિફાઇમાં ભાગ લેનારા લોકો વાઘની જેમ સમગ્ર શરીર પર ટેટૂ કરાવે છે. અને વાઘ જેટલી જ શક્તિથી નૃત્ય કરે છે. આ તહેવાર હજારો લોકોને આકર્ષે છે. થ્રિસુર હાથી પસંદ કરનારા લોકો માટે ખૂબ જ જાણીતું શહેર છે.

કેરાલા સંગીથ નાટકા એકેડમી, થ્રિસુર અને કેરાલા લલિથકલા અકાદમીનાં મુખ્ય મથક થ્રિસુર ખાતે આવેલા છે. કેરાલા સાહિત્ય અકાદમીને મલયાલમ ભાષા અને સાહિત્યને વધુ વેગ આપવા માટે સ્થાપવામાં આવી છે. કેરાલા સંગીથ નાટકા અકાદમી કેરાલાના નૃત્ય, સંગીત, નાટક અને પ્રાંતિય કલાને પ્રોત્સાહન આપે છે. જ્યારે કેરાલા લલિતકલા અકાદમી હસ્તકલા અને કલાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે.

જોસ થીએટર એ કેરાલાનું પ્રથમ થીએટર છે. જેમાં મૂવી પ્રોજેક્ટર જેવા સાધનો છે. મલયાલમ, તમિલ, ઇંગ્લિશ અને હિન્દી ફિલ્મો શહેરના 8 મોટા થીએટરમાં દર્શાવવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષોથી શહેર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ થ્રિસુર(આઇએફએફટી)નું પણ આયોજન કરે છે. જેમાં 35 દેશોની લગભગ 100 જેટલી ફિલ્મોને પ્રદર્શિત કરવામાં આવે છે. તે કેરાલાનો બીજા ક્રમનો સૌથી મોટો અને થિરૂવનન્થપુરમનો સૌથી મોટો ફિલ્મ ફેસ્ટિવલ છે. 2006માં થ્રિસુરમાં અન્ય એક ફિલ્મ ફેસ્ટીવલ શરૂ કરવામાં આવ્યો હતો. જેનું નામ થ્રિસુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ( ટીઆઇએફએફ) છે.


થ્રિસુરને ભારતીય સમાજવાદનું જન્મસ્થાન કહી શકાય. પ્રખ્યાત ચિંતક જોસેફ મુન્દાસરી, સી. અચ્યુથામેનન અને એવા બીજા ઘણા લોકો આ શહેરમાંથી આવ્યા છે. થ્રિસુરનાં ઇતિહાસમાં કરન્ટ બૂક્સ અને હાઉસ ઓફ નોલેજ એ 1950થી 80માં સ્થપાયેલા બે ખૂબ જ પ્રખ્યાત બૂક સ્ટોર છે. પ્રખ્યાત લેખક, કલાકાર, સંગીતકાર અને પત્રકારો એ પણ અહીં જન્મ લીધો છે. થ્રિસુર તેના સારામાં સારા સ્ત્રી અને પુરૂષોને આગળ વધવામાં પણ મદદ કરે છે. ઓસેપ્પાચન, જ્હોનસન, મોહન સિતારા, અલ્ફોન્સે જેવા ફિલ્મના સંગીતકારો થ્રિસુરનાં છે. જ્યારે ભારથાન, કમાલ, લોહીથાદાસ, લાલ જોસ, સથ્યાન અન્થીક્કાદ, ભારથ પ્રેમજી જેવા પ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક પણ થ્રિસુરમાંથી આવ્યા છે. .

કેરાલાની ઇન્ડિયન કોફી હાઉસ (આઇસીએચ) ચળવળનું જન્મ સ્થાન થ્રિસુર છે. એડવોકેટ ટી.કે. ક્રિશ્નન અને નાદાક્કલ પરમેશ્વરન પિલ્લાઇ દ્વ્રારા 1959માં થ્રિસુર ખાતે રાજ્યનું પ્રથમ આઇસીએચ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ થ્રિસુરના વેપારી વાતાવરણને પગલે સમગ્ર કેરાલામાં તેનું વિસ્તરણ થયું. ઝડપી, હોશિયારીથી અને વાકચાતુર્યથી કામગીરી કરતા થ્રિસુરીયનઓ હજી પણ તેનાં કામનો સમયગાળો સવારના 10થી સાંજના 7 સુધીનો જાળવી રાખ્યો છે. થેક્કીનકાડુ મેદાન હજી પણ કાર્ડની રમતના શોખીનોથી ભરાયેલું હોય છે. જ્યારે સાંજે દરરોજ અહીં રાજકીય ચર્ચા કરવામાં આવે છે.

[ફેરફાર કરો] શિક્ષણ

થ્રિસુર એ પરંપરાગત શિક્ષણનું કેન્દ્ર છે. હિન્દુ ધર્મમાં ફેરફાર થયા એ સમયે લોકો બ્રાહ્મણનાં ધર્મ તરફ આગળ વધતા બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં ઘટાડો થયો હતો, જેને પગલે થ્રિસુર સંસ્કૃત ભાષા શિખવા માટેનું મહત્વનું કેન્દ્ર બન્યુ હતું. થ્રિસુરમાં આ ઉપરાંત ઘણી શૈક્ષણીક સંસ્થાઓ પણ આવેલી છે, જે સમગ્ર કેરાલામાં તેના શિક્ષણ માટે જાણીતી છે. થ્રિસુર વિદ્યાર્થીઓ માટે સાનુકુળ હોવા માટે જાણીતું છે. કેરાલા કૃષિ યુનિવર્સિટી, ચાર મેડિકલ કોલેજ, સરકારી મેડિકલ કોલેજ, થ્રિસુર જ્યુબિલી મિશન મેડિકલ કોલેજ અને રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ, અમલા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, કેરાલા યુનિવર્સિટી ઓફ મેડિકલ અને એલીડ સાઇન્સ ઉપરાંત એક ડઝન જેટલી એન્જીનિયરીંગ કોલેજ, એક આર્યુર્વેદ કોલેજ, એક પશુચિકિત્સક કોલેજ, બિઝનેસ સ્કૂલ્સ, લો સ્કૂલ્સ, ફાઇન આર્ટ્સ કોલેજ, પ્રખ્યાત આર્ટસ અને સાયન્સ કોલેજ ઉપરાંત સારી રેસીડેન્સિયલ શાળાઓને કારણે વિદ્યાર્થિઓ માટે થ્રિસુર એક ખૂબ જ માણીતું સ્થાન છે. થ્રિસુરને સ્કોલર સીટી પણ કહેવામાં આવે છે.

કોઇપણ પ્રકારના વ્યાવસાયિક કોર્સમાં જોડાવા ઇચ્છતા વિદ્યાર્થિઓ માટે થ્રિસુર દક્ષિણ ભારતમાં મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે[૧૦]. કેરાલામાં કોઇપણ પ્રકારના કોચિંગમાં પ્રવેશવા માટે પી.સી. થોમસ(પ્રોફેસર) એ “ગુરૂ” છે. તેના કોચિંગ ક્લાસ પી.સી. થોમસ એન્ટરન્સ કોચિંગ સેન્ટર દ્વારા તેમને હજારો લોકોને થ્રિસુરમાં નોકરી અપાવી છે.[૧૧] કેરાલા અને બહારના લગભગ 17,000 વિદ્યાર્થિઓ હાલ તેમના કોચિંગ સેન્ટરમાં તાલીમ હેઠળ છે. ઉપરાંત મોટી સંખ્યામાં બહારનાં વિદ્યાર્થિઓ થ્રિસુરના આર્થિક વાતાવરણને અનુરૂપ થવા તાલીમ લઇ રહ્યા છે જે વેપારમાં, હોટેલ્સ અને ટ્રાન્સપોર્ટમાં તથા મનોરંજન ઉદ્યોગમાં આગળ વધવા તાલીમ લઇ રહ્યા છે. [૧૨] થોમસ એકલા હાથે આ બધુ ચલાવે છે અને કેરાલામાં એન્જિનિયરીંગ અને મેડિકલની એન્ટરન્સ પરીક્ષા માટે પણ વર્ષોથી મોટા પાયે કોચિંગ સેન્ટર ચલાવે છે.

[ફેરફાર કરો] આરોગ્યસંભાળ

મધ્ય કેરાલામાં થ્રિસુર સ્વાસ્થ કેન્દ્ર માટે મુખ્ય શહેર છે.

આ હિસ્સામાં થ્રિસુર, પાલાક્કાડ અને માલાપ્પુરામ એમ ત્રણ જિલ્લા આવરી લેવામાં આવ્યા છે.  આ જિલ્લાના મોટા ભાગના લોકો દવા કે સારવાર લેવા થ્રિસુર શહેરમાં આવે છે.  સરકારી મેડિકલ કોલેજ થ્રિસુર, અમલા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ અને જ્યુબિલી મિશન મેડિકલ કોલેજ અને રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ તથા અન્ય ડઝન જેટલી હાઇટેક હોસ્પિટલને કારણે થ્રિસુર મધ્ય કેરાલમાં ખૂબ જ સારું સ્વાસ્થય કેન્દ્ર પૂરૂ પાડે છે. 

[ફેરફાર કરો] લોકપ્રિય સંસ્કૃતિમાં

  • મલયાલમ ફિલ્મ કલાકાર મોહનલાલએ તેની ફિલ્મ થૂવાનાથુમ્બિકાલમાં થ્રિસુરમાં જન્મેલા જયક્રિષ્નનું પાત્ર કર્યુ હતું. જેમાં તેમણે ખૂબ જ સારી રીતે થ્રિસુરનાં ઉચ્ચારો વાળી મલયાલમ ભાષા બોલી હતી. આ ફિલ્મનું શૂટીંગ પણ થ્રિસુર શહેરમાં કરવામાં આવ્યું હતુ.[૧૩]
  • સારાહ જોસેફની નવલકથા ઓથાપૂમાં વાર્તા થ્રિસુર શહેરની કરવામાં આવી છે. જ્યાં સિસ્ટર માર્ગલિથા અને પાદરી કારીક્કન તેમના વ્યવસાય છોડીને એક સામાજીક જીવન શરૂ કરે છે. [૧૪]

[ફેરફાર કરો] રમત ગમત

થ્રિસુરમાં સૌથી વધુ પ્રખ્યાત રમત ફુટબોલ છે. થ્રિસુરમાં ફ્લડલાઇટ સ્ટેડિયમ છે જે થ્રિસુર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેડિયમ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત અન્ય ત્રણ સ્ટેડિયમ (થોપ, કેરાલા વર્મા કોલેજ અને કૃષિ યુનિવર્સિટી) પણ છે. શહેરમાં બે ઇન્ડોર સ્ટેડિયમ (વી.કે.એન. મેનન ઇન્ડોર સ્ટેડિયમ અને થોપ સ્ટેડિયમ) પણ છે અને એક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા( એસએઆઇ) છે. જે આંતરરાષ્ટ્રિય કક્ષાની સ્વિમિંગ પૂલની સુવિધાની જાળવણી કરે છે. ખૂબજ જાણીતા ફૂટબોલ ખેલાડી અને ભૂતપૂર્વ ભારતના કપ્તાન સી.વી. પાપ્ચાન, આઇ. એમ.વિજયન અને જો પૌલ અન્ચેરી હાઇલ આ શહેરના છે. થ્રિસુરે ટી.વી. પૌલી અને વી.એમ. બશીર જેવા રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય બોડી બિલ્ડીંગ સ્ટાર પણ આપ્યા છે.

[ફેરફાર કરો] નોંધ

Thrissur વિષય પર સહયોગી વિકિપીડિયાઓમાં વધુ જાણવા માટે (આ બધી માહિતી અંગ્રેજી ભાષામાં મળશે):
Wiktionary-logo-en.svg શબ્દકોષ
Wikibooks-logo.svg પુસ્તકો
Wikiquote-logo.svg અવતરણો
Wikisource-logo.svg વિકિસોર્સ
Commons-logo.svg દ્રશ્ય-શ્રાવ્ય મિડિયા અને ચિત્રો
Wikinews-logo.svg સમાચાર
Wikiversity-logo-en.svg અભ્યાસ સામગ્રી
  1. "Best cities to live, invest and earn in". Ibnlive.com. http://www.ibnlive.com/news/best-cities-to-live-invest-and-earn-in/53060-7.html. Retrieved on 2010-04-07. 
  2. "Catholic Syrian: God's Own Bank". Forbes India. http://business.in.com/article/boardroom/catholic-syrian-gods-own-bank/12582/1. Retrieved on 2010-04-27. 
  3. "Tourist statistics". Kerala Tourism. http://www.keralatourism.org/tourismstatistics/Microsoft%20Word%20-%20Tourist_statistics_for_Internet.pdf. Retrieved on 2010-02-15. 
  4. "South Indian Bank sees sunshine in slowdown". The Economic Times. http://www1.economictimes.indiatimes.com/News/News-By-Industry/Banking-Finance-/Banking/South-Indian-Bank-sees-sunshine-in-slowdown/articleshow/4222496.cms. Retrieved on 2010-02-16. 
  5. "Banking/Finance". ((The Economic Times)). http://www1.economictimes.indiatimes.com/News/News-By-Industry/Banking-Finance-/Banking/South-Indian-Bank-sees-sunshine-in-slowdown/articleshow/4222496.cms. Retrieved on 2009-07-14. 
  6. "Tourist statistics". Kerala Tourism. http://www.keralatourism.org/tourismstatistics/Microsoft%20Word%20-%20Tourist_statistics_for_Internet.pdf. Retrieved on 2010-02-15. 
  7. "Political History". Thrissur Corporation. http://www.corporationofthrissur.org/pages/Maintemp.asp?id=3&val=1. Retrieved on 2010-02-15. 
  8. "History". Thrissur Corporation. http://210.212.239.30/tsr/ksduppro.htm. Retrieved on 2010-04-05. 
  9. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. http://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999. Retrieved on 2008-11-01. 
  10. "Entrance coaching — a success story". The Hindu. http://www.hindu.com/2005/04/22/stories/2005042200520500.htm. Retrieved on 2010-04-10. 
  11. "Entrance coaching — a success story". The Hindu. http://www.hindu.com/2005/04/22/stories/2005042200520500.htm. Retrieved on 2010-04-10. 
  12. "Entrance coaching — a success story". The Hindu. http://www.hindu.com/2005/04/22/stories/2005042200520500.htm. Retrieved on 2010-04-10. 
  13. "Thoovanathumbikal (". The Internet Movie Database. http://www.imdb.com/title/tt0249188/. Retrieved on 2010-04-07. 
  14. "http://www.vedamsbooks.com/no61488.htm". Vedamsbooka. http://www.vedamsbooks.com/no61488.htm. Retrieved on 2010-04-04. 

[ફેરફાર કરો] બાહ્ય લિંક્સ

Commons
વિકિમીડિયા કૉમન્સ પર આ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે:
[[Commons: Category:થ્રિસુર

| થ્રિસુર

]]

ઢાંચો:Kerala ઢાંચો:Kerala topics ઢાંચો:Thrissur topics

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
અન્ય ભાષાઓમાં