દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (જામનગર)
| દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન,કચ્છનો અખાત | |
|
IUCN Category II (National Park)
|
|
સ્થાન નક્શો |
|
| Location | જામનગર જિલ્લો, ગુજરાત, ભારત |
|---|---|
| Nearest city | ઓખા |
| Area | ૧૬૨.૮૯ km² |
| Established | ૧૯૮૨ |
| Governing body | Forest Department of Gujarat |
દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એ કચ્છના અખાતમાં આવેલું એક દરિયાઈ અભયારણ્ય છે જે કચ્છના અખાતના દક્ષિણ છેડે જામનગર જિલ્લામાં આવેલું છે. ૧૯૯૦માં, ઓખાથી લઈને જોડીયા સુધી ના ૨૭૦ ચો કિમી ક્ષેત્રને દરિયાઈ અભયારણ્ય જાહેર કરાયું. તે પહેલાં, ૧૯૮૨માં, ૧૧૦ ચો કિમી કેન્દ્રીય ક્ષેત્રને વન્યજીવ (સંરક્ષણ) કાયદા અંતર્ગત આરક્ષિત ક્ષેત્ર જાહેર કરાયું હતું. આ ભારતનું સર્વ પ્રથમ દરિયાઈ ઉદ્યાન છે. આ દરિયાઈ ઉદ્યાનમાં જામનગર કિનારે ૩૦ થી ૪૦ ટાપુઓ છે જે કરાડ દ્વારા ઘેરાયેલ છે. આમાંથી સૌથી પ્રખ્યાત ટાપુ છે પીરોતમ અને કારુભર.[૧] અહીંની પ્રાણી સૃષ્ટિમાં: પરવાળા, ડ્યૂગોંગ અને પક્ષરહીત પોર્પસ.
[ફેરફાર કરો] જૈવિક વિવિધતા અને સંવર્ધન પડકારો
કચ્છના અખાતનું રાષ્ટ્રીય ઉદ્યાન એ અત્યંત નાજુક પર્યાવરણ છે. હાલના વર્ષોમાં આ ઉદ્યાનની જીવ વિવિધતા ઘણાં પડકારોનો સામનો કરી રહી છે જેમ કે પરવાળાનું નિરંતર ક્ષપણ, સિમેંટ ઉદ્યોગ દ્વારા ઠલવાતી રેતી, પાણીમાં વધતી જતી ડહોળાઈ, તેલ શુદ્ધીકરણ કારખાનાં, રસાયણ ઉદ્યોગ અને યાંત્રિક માછીમારી.
| જીવ | વિવિધ પ્રજતિઓ |
|---|---|
| શેવાળ | ૧૦૮ |
| પરવાળા (સખત અને મૃદુ) | ૫૬ |
| વાદળી | ૭૦ |
| માછલી | ૨૦૦ |
| ઝીંગા | ૨૭ |
| કરચલા | ૩૦ |
| શંખલા | ૪૦૦+ |
| કાચબા | ૩ |
| દરિયાઈ સાપ | ૩ |
| પક્ષી | ૧૭૫ |
| સસ્તન | ૩ |
[ફેરફાર કરો] સંદર્ભ
- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ Apte, Deepak. "Marine National Park, Gulf of Kutchh: A conservation challenge": 26–27. Bombay Natural History Society. Retrieved on 2009-01-22.
|
||||||||||