દશરથ
વિકિપીડિયાથી
દશરથ એ હિંદુ ધર્મ પ્રમાણે ભગવાન રામના પિતા હતાં. રામાયણમાં વર્ણવ્યા પ્રમાણે પ્રમાણે દશરથ અયોધ્યાના સૂર્યવંશી રાજા હતા અને મહા પ્રતાપી રાજા ભરત, કે જેના નામ પરથી ભારત દેશનું નામ પડ્યું છે, તેઓના વંશજ હતાં. દશરથને કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા નામે ત્રણ રાણીઓ હતી તેમજ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન નામે ચાર પુત્રો હતાં.