દાદાભાઈ નવરોજી
વિકિપીડિયા થી
ભારતના સ્વાતંત્ર્ય સેનાની દાદાભાઈ નવરોજીનો જન્મ 4 સપ્ટેમ્બર 1825 માં નવસારીમાં થયો હતો. તેઓ એક પારસી પુરોહિતના પુત્ર હતા. 27 વર્ષની ઉંમરે તેઓ મુંબઈની એલફિસ્ટન ઈન્સ્ટિટયુટમાં પ્રોફેસર બન્યા હતા.
ધંધામાં પોતાની કારકીર્દી શરૂ કરવા માટે 30 વર્ષની ઉંમરે તેઓએ ઈંગ્લેન્ડ ભણી પ્રયાણ કર્યુ હતું. 1855 માં નવરોજી લંડનમાં ઈમ્પોર્ટન્ટ પારસી કોમર્શીયલ પેઢીમાં ભાગીદાર બન્યા હતા ત્યાર બાદ તેમણે ત્યાં પોતાનુ કોમર્શયીલ હાઉસ ઉભુ કર્યુ હતું. 31 ઓક્ટોબર 1861 માં ધ લંડન અંજુમન નામનું સંગઠન સ્થપાયુ હતુ અને ડો. દાદાભાઈ નવરોજી તેના સ્થાપક અને પ્રથમ પ્રમુખ હતા.
1859 માં તેમને ઈન્ડિયન સિવિસ સર્વિસમાં ભરતી પ્રક્રિયામાં થતા અન્યાય સામે એક આંદોલન શરૂ કર્યુ હતું.ભારતીય પબ્લિકમાં બુધ્ધિજીવીઓની ઉન્નત્તિ માટે પધ્ધતિસર કામ કરનારા પ્રથમ વ્યક્તિ હતા.
1862 માં તેમણે ઈંગ્લિશ પ્રજાને ભારતીય બાબતોથી માહિતગાર બનાવવા માટે ઈસ્ટ ઈન્ડિયન એસોશિયેશન નામનુ વગદાર સંગઠનની સ્થાપના કરી હતી. આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ બ્રિટનને ભારતની દુર્દશા અને જરૂરિયતો વિશે સારી રીતે માહિતગાર કરવાનો હતો.
1874 માં તેઓ ભારત પાછા ફર્યા હતા. બરોડા રાજ્યના દિવાન તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી. પરંતુ તેઓ બ્રિટિશ પાર્લામેન્ટમાં પ્રવેશ મેળવવાના હેતુથી 1886 માં ફરીથી ઈંગ્લેડ પાછા ફર્યા હતા.5 જૂલાઈ 1892 ના રોજ તેઓ પાર્લામેન્ટમાં ચૂંટાયા હતા. અને આ રીતે બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્થાન મેળવનારા પ્રથમ ભારતીય બન્યા હતા. તેઓ ઈન્ડિયન નેશનાલિઝમના પિતા તરીકે જાણીતા બન્યા હતા.
દાદાભાઈની ગણના ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના સ્થાપક તરીકે થાય છે.તેઓ ત્રણ વખત કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. કોંગ્રેસના શરૂઆતના વર્ષોમાં સ્વતંત્રતાની લડાઈ દરમિયાન તેમણે ઉદારમતવાદી રસ્તો અપનાવ્યો હતો.તેઓને બ્રિટિશરોમાં વિશ્વાસ હતો. પરંતુ બ્રિટિશ રાજકીય વ્યવસ્થાથી તેમની ભ્રમણામાં વધારો થતા તેઓ નિરાશ બન્યા હતા. 1904 માં તેમણે સ્વરાજની માંગણી કરી હતી. ગોપાલ કૃષ્ણ ગોખલે અને મોહનદાસ કરમચંદ ગાંધી સહિત યુવા રાષ્ટ્રીય નેતાઓની પેઢી તેમનો એક સલાહકાર તરીકે આદર કરતા હતા.
તેઓનુ સમગ્ર જીવન સાદગી, શુધ્ધતા અને પ્રભાવશાળી રહ્યુ હતું.આવા પ્રભાવશાળી અને સાદગીથી ભરેલા જીવનનો 30 જૂન 1917 ના રોજ અંત આવ્યો હતો.93 વર્ષની પરિપક્વ ઉંમરે દાદાભાઈનુ મૃત્યુ થયુ હતું. તેમણે એકવાર કહ્યું હતું કે, સંગઠિત થાઓ, સતત પ્રયત્ન કરો અને સેલ્ફ ગવર્મેન્ટ હાંસલ કરો, જેથી લાખો લોકો હાલમાં ગરીબી, દુષ્કાળ અને પ્લેગથી મરી રહ્યા છે તેઓને બચાવી શકાશે.
[ફેરફાર કરો] તેમનુ લેખન કાર્ય
1. ‘પોવર્ટી એન્ડ અન-બ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા’ (1901) નામે તેમણે કરેલા અધ્યયને ભારતને આર્થિક રાષ્ટ્ર તરીકે આગળ લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.2. ઈંગ્લેન્ડમાં રાષ્ટ્રિ ગોફ્તાર અખબારના સ્થાપક હતા.3. પારસીઓને તેમના ધર્મ અંગેનુ શિક્ષણ આપવા માટે દાદાભાઈએ ધર્મ માર્ગ દર્શક અને રાષ્ટ્ર ગોફ્તાર નામના બે ધાર્મિક મેગેઝીન શરૂ કર્યા હતા.