નંદ પ્રયાગ

વિકિપીડિયામાંથી
નંદપ્રયાગ ખાતે નંદાકિની અને અલકનંદા નદીઓનો સંગમ

નંદપ્રયાગ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલું એક પર્વતીય તીર્થધામ છે. આ સ્થળ અલકનંદા નદી પર આવેલા પંચ પ્રયાગ[૧] તરીકે ઓળખાતા પાંચ તીર્થો પૈકીનું એક છે. અહીં અલકનંદા નદી અને નંદાકિની નદીઓનો સંગમ થાય છે[૨]. આ સ્થળ ઋષિકેશ થી બદ્રીનાથ જતા માર્ગ પર આવેલું હોય એનું મહત્વ અધિક છે.

આ સ્થળ દરિયાઈ સપાટીથી ૧૩૫૮ મીટર (૪,૪૫૫ ફૂટ) જેટલી ઊંચાઈ પર આવેલું છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Kapadia, Harish (2001). Trekking and Climbing in the Indian Himalaya, page 89. Stackpole Books. ISBN 0811729532.
  2. Uttaranchal. Rupa & Co. 2006. ISBN 81-291-0861-5. Page 12.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

30°20′N 79°20′E / 30.33°N 79.33°E / 30.33; 79.33