નબીપુર

વિકિપીડિયામાંથી



નબીપુર
—  ગામ  —
નબીપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°48′42″N 73°02′29″E / 21.8117524°N 73.0413098°E / 21.8117524; 73.0413098
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો ભરૂચ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 15 metres (49 ft)

સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
"મુખ્ય ખેતપેદાશો" કપાસ, તુવર, શાકભાજી
કોડ
  • • પીન કોડ • ૩૯૨ ૨૧૦
    વાહન • જીજે - ૧૬

નબીપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા ભરૂચ તાલુકામાં આવેલું એક ગામ છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ અને અમદાવાદથી મુંબઇ જતો રેલ્વે માર્ગ પસાર થાય છે. નબીપુર આ રેલ્વેમાર્ગ પર ભરૂચ તેમ જ પાલેજ સ્ટેશનની વચ્ચે આવેલું સ્ટેશન છે. આ ગામની વસ્તી આશરે ૭૦૦૦ જેટલી છે. જેમાં ઇસ્લામ ધર્મ પાળતા મુસ્લિમ લોકોની વસ્તી વધારે છે. આ ગામમાં દરગાહ, મસ્જીદ આવેલી છે. રમતગમતનું મેદાન, વિશાળ તળાવ પણ આવેલ છે. નબીપુર ગામનાં લોકોનો મુખ્ય વ્યવસાય વેપાર, ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર તેમજ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.