નરસિંહ મહેતા એવોર્ડ
વિકિપીડિયાથી
| નરસિંહ મહેતા પુરસ્કાર | ||
| પુરસ્કારની માહિતી | ||
|---|---|---|
| શ્રેણી | સાહિત્ય | |
| શરૂઆત | ૧૯૯૯ | |
| પ્રથમ પુરસ્કાર | ૧૯૯૯ | |
| અંતિમ પુરસ્કાર | ૨૦૧૧ | |
| કુલ પુરસ્કાર | ૧૩ | |
| પુરસ્કાર આપનાર | નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ | |
| રોકડ પુરસ્કાર | ||
| વર્ણન | ગુજરાતી કવિ, લેખક, વિવેચકને તેના પોતાના સમગ્ર સાહિત્ય સર્જન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. | |
| પ્રથમ વિજેતા | રાજેન્દ્ર શાહ | |
| અંતિમ વિજેતા | ભાનુપ્રસાદ પંડ્યા | |
નરસિંહ મહેતા એવોર્ડ એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર (એવોર્ડ) છે. આ પુરસ્કાર ગુજરાત રાજ્યના જુનાગઢ ખાતેના આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની સાંજે રૂપાયતન સંસ્થા, ભવનાથ ખાતે આપવામાં આવે છે. આ એવોર્ડ આપવાની શરૂઆત ઈ. સ. ૧૯૯૯નાં વર્ષથી કરવામાં આવી છે. આ સન્માનમાં મહાનુભાવને
૧,૫૧,૦૦૦ (એક લાખ એકાવન હજાર) રૂપિયા રોકડા તેમજ નરસિંહ મહેતાની પ્રતિમાનું સ્મૃતિચિન્હ આપવામાં આવે છે.
[ફેરફાર કરો] નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવો
- વર્ષ ૧૯૯૯ - રાજેન્દ્ર શાહ
- વર્ષ ૨૦૦૦ - મકરંદ દવે
- વર્ષ ૨૦૦૧ - નિરંજન ભગત
- વર્ષ ૨૦૦૨ - અમૃત ઘાયલ
- વર્ષ ૨૦૦૩ - જયંત પાઠક
- વર્ષ ૨૦૦૪ - રમેશ પારેખ
- વર્ષ ૨૦૦૫ - ચંદ્રકાન્ત શેઠ
- વર્ષ ૨૦૦૬ - રાજેન્દ્ર શુક્લ
- વર્ષ ૨૦૦૭ - સુરેશ દલાલ
- વર્ષ ૨૦૦૮ - ચિનુ મોદી
- વર્ષ ૨૦૦૯ - ભગવતીકુમાર શર્મા
- વર્ષ ૨૦૧૦ - અનિલ જોશી
- વર્ષ ૨૦૧૧ - ભાનુપ્રસાદ પંડ્યા
[ફેરફાર કરો] આ પણ જુઓ
|
||||||||||||||||||||||||||