નાંદરખા
વિકિપીડિયાથી
નાંદરખા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાનું મહત્વનું ગામ છે. નાંદરખા ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. નાંદરખા ગામ બીલીમોરાથી ચિખલી જતા રાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલું છે. આ ઉપરાંત તાલુકા મથક ગણદેવી જવા માટે પણ ગામની ઉત્તર દિશામાં પાકો સડક માર્ગ આવેલો છે.
આ ગામના લોકો મુખ્યત્વે ખેતી, ખેતમજુરી તેમ જ પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે.