નાણાવટ

વિકિપીડિયામાંથી

નાણાવટ સુરત શહેરનો પ્રાચીન વિસ્તાર છે.

આ વિસ્તાર શહેરની જાહોજલાલીનું પ્રતીક ગણાય છે, કારણ કે ત્યાં પહેલાં નાણાંનો વિનીમય કરવામાં આવતો હતો. તેથી જ તો શિવાજીએ તેને અવાર નવાર (ઇ.સ. ૧૬૬૪ થી ૧૬૭૦ દરમ્યાન) લુટ્યું હતું. શિવાજીએ લુંટ ચલાવતી વખતે નાણાવટ વિસ્તારમાંના ફક્ત એક જ ઘરમાંથી ૪ કોથળા ભરીને રત્નો કાઢ્યા હતાં. હજુ આજે પણ નાણાવટનાં મોટાભાગના જુના ઘરો ભોંયરાવાળાં છે, જેમાં ભુતકાળમાં સંપત્તિનો સંગ્રહ થતો હતો.