નાથાલાલ દવે

વિકિપીડિયામાંથી

નાથાલાલ દવે ગુજરાતી ભાષાનાં જાણીતા કવિ, વાર્તાલેખક અને અનુવાદક હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૩ જૂન, ૧૯૧૨ ના રોજ ભાવનગર જિલ્લાનાં ભુવા ગામે થયો હતો. તેમણે બી.એ., એમ.એ., બી.ટી. સુધી અભ્યાસ કર્યો અને શિક્ષણ ક્ષેત્રે કાર્ય કર્યું. તેઓ ૧૯૫૬ થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારીનાં પદ પર રહેલ. ડિસેમ્બર ૨૫, ૧૯૯૫[૧] નાં રોજ તેમનું અવસાન થયું.

મુખ્ય રચનાઓ[ફેરફાર કરો]

  • કવિતા - કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયા બિન, ઉપદ્રવ, મહેનતનાં ગીત, ભૂદાનયજ્ઞ, સોના વરણી સીમ, હાલો ભેરૂ ગામડે, મુખવાસ
  • વાર્તા - ઊડતો માનવી, મીઠી છે જિંદગી

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Bhavnagar to celebrate 100th birth anniversary of poet Nathalal Dave - Times of India". The Times of India. મેળવેલ 2018-08-29.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]