નાનપુરા

વિકિપીડિયામાંથી

નાનપુરાભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા રાજ્યનાં મહત્વના અને મોટા શહેર પૈકીના એક તથા સુરત જિલ્લાના મુખ્ય મથક એવા સુરત શહેરના મધ્ય ભાગમાં આવેલો એક મોટો વિસ્તાર છે. મુઘલકાળ દરમ્યાન તે સુરતનું એક નાનકડું "પરુ" હતું જ્યાં, ખાસ કરીને માછીમારો તથા મજુરોની વસ્તી હતી, કારણ કે ત્યાંથી જ મક્કા તરફ જતા વહાણોનું બંદર હતું, પરંતુ અંગ્રેજોના આગમન બાદ તેમણે આ વિસ્તારનો વિકાસ ઝડપી કર્યો, તેમણે સુરતના સંચાલન માટેની પહેલી કચેરી અંહી સ્થાપી હતી, તેમજ બગીચાઓનું પણ નિર્માણ પણ કર્યુ હતું.

આ પણ જુઓ[ફેરફાર કરો]