નાયબ વડાપ્રધાન

વિકિપીડિયામાંથી

ભારત દેશના નાયબ વડાપ્રધાન અથવા ઉપપ્રધાનમંત્રી ભારત સરકારના મંત્રીમંડળના જ એક સદસ્ય હોય છે. આ પદ સંવૈધાનિક નથી હોતું તથા સામાન્ય રીતે આ પદધારક પાસે કોઈ વિશિષ્ટ શક્તિ હોતી નથી. સામાન્યતઃ નાયબ વડાપ્રધાન પદ સાથે કોઈ અન્ય મહત્વપૂર્ણ વિભાગ પણ રાખવામાં આવે છે, જેમ કે ગૃહ મંત્રાલય કે નાણાં મંત્રાલય. સરકાર આ પદનો ઉપયોગ મુખ્યત્વે રાજનૈતિક સ્થાયિત્વ સુનિશ્ચિત કરવા માટે કરે છે. બંધારણમાં વડાપ્રધાન પદને "સમાનોમાં પ્રથમ" કહેવામાં આવ્યું છે માટે શક્તિ સંતુલન હેતુ અથવા જ્યારે અનુદેશ રેખાને સ્પષ્ટપણે પરિભાષિત કરવી જરૂરી થઈ જાય તેવા આપાતકાળમાં પણ આ પદ પર નિયુક્તિ કરી શકાય છે.

ભારત દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા. આ પદ પર અત્યાર સુધીના છેલ્લા વ્યક્તિ લાલકૃષ્ણ અડવાણી હતા. વર્તમાન સરકારમાં કોઈ નાયબ વડાપ્રધાન નથી. વસ્તુતઃ નાયબ વડાપ્રધાનની પાસે કેવળ એટલી શક્તિ હોય છે કે તેઓ વડાપ્રધાનની ગેરહાજરીમાં કેબિનેટની બૈઠકોની અધ્યક્ષતા કરે. જ્યારે વડાપ્રધાન ગંભીર રીતે બીમાર હોય, અક્ષમ હોય અથવા એમનું મૃત્યુ થયું હોય ત્યારે જ નાયબ વડાપ્રધાન વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળી શકે છે.

નાયબ વડાપ્રધાનની યાદી[ફેરફાર કરો]

  1. સરદાર વલ્લભભાઈ પટેલ
  2. મોરારજી દેસાઈ
  3. ચૌધરી ચરણસિંહ
  4. બાબુ જગજીવનરામ
  5. યશવંત ચૌહાણ
  6. ચૌધરી દેવીલાલ
  7. લાલકૃષ્ણ અડવાણી