ન્હાનાલાલ

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો

ઉપનામ

  1. ગુજરાતના મહાકવિ

જન્મ

  1. માર્ચ 16, 1877 – અમદાવાદ

અવસાન

  1. જાન્યુઆરી 9, 1946 – અમદાવાદ

કુટુમ્બ

  1. પિતા - દલપતરામ ડાહ્યાભાઇ (નર્મદ યુગના મહાન કવિ) - મૂળ અટક ત્રિવેદી

અભ્યાસ

  1. 1893- મેટ્રિક (અમદાવાદ)
  2. 1899 - બી.એ. -તત્વજ્ઞાન સાથે, અમદાવાદ, એલ્ફિન્સ્ટન કોલેજ મુંબાઇ અને પુનાની ડેક્કન કોલેજ માં અભ્યાસ
  3. 1901- એમ.એ. - ઇતિહાસ સાથે (પૂના, મુંબાઇ)


અનુક્રમણિકા

[ફેરફાર કરો] વ્યવસાય

  • 1902- 04- સાદરાની સ્કોટ કોલેજમાં અદ્યાપક
  • 1904- 18 રાજકોટની રાજકુમાર કોલેજમાં અધ્યાપન.
  • થોડોક સમય રાજકોટ રાજ્યનાં મૂખ્ય ન્યાયાધીશ અને નાયબ દીવાન
  • 1918- કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી
  • ગાંધીજીની અસહકારની હાકલને માન આપી સરકારી નોકરી છોડી સદા માટે અમદાવાદ આવ્યા


[ફેરફાર કરો] જીવન ઝરમર

  • આ ઊર્મિકવિ કવિ દલપતરામનાં ચોથા પુત્ર જ્ઞાતિએ શ્રીમાળી બ્રાહ્મણ હતા
  • શાળાજીવનમાં અલ્લડ હતા, અને વૃધ્ધ દલપતરામ માટે માથાના દુખાવા સમ હતા , પણ મેટ્રીકના વર્ષમાં જીવનપલટો થયો.
  • 1920 - રોલેટ એક્ટ અને જલીયાંવાલા હત્યાકાંડથી વ્યથિત થઇ લાંબી રજા પર ઉતર્યા અને 1921 માં નોકરી છોડી
  • અભ્યાસક્રમની બીજી ભાષા - ફારસી પણ બહુ સારી રીતે શીખ્યા હતા.
  • સરકારી શિક્ષણખાતામાં અધિકારી હતા, એ વખતે ગાંધીજી પ્રેરિત અસહકારની ચળવળ દરમ્યાન દેશદાઝથી એમણે એ સરકારી નોકરી છોડી દીધેલી (1921)
  • નોકરી છોડ્યા બાદ કાયમ માટે અમદાવાદ વસવાટ કરી ગુજરાતી સાહિત્યને ચરણે જીવન સમર્પિત કર્યુ
  • ગુજરાતના મહાન પ્રતિભાશાળી કવિ હતા
  • પ્રાચીન અને અર્વાચીન કવિતાઓનો એમનામાં સુભગ સુમેળ થયેલો હતો
  • ગુજરાતીમાં અપદ્યાગદ્ય (અછાંદસ) કે ડોલનશૈલીનાં જનક તરીકે લોકખ્યાત
  • પ્રચંડ મેધાવી હોવા છતાં સાવ સામાન્ય જીવન શૈલી
  • 1919માં એમણે ગાંધીજીનાં 50માં જન્મદિવસ પર એમનું અભિવાદન કરતું એક યાદગાર કાવ્ય લખેલું
  • છેવટના જીવનમાં ગાંધીજી સાથે તીવ્ર મતભેદ
  • એમના અને એમના પછીના કાળનાં ઘણા કવિઓ તેમની શૈલીનું અનુકરણ કરતા. શ્રી અંબાલાલ પટેલની રચેલી આવી એક સ્તુતિ અહીં વાંચો.


[ફેરફાર કરો] પ્રદાન

  1. બાળકાવ્યો
  2. ભજનો
  3. પ્રસંગ કાવ્યો
  4. કથા કાવ્યો,
  5. મહા કાવ્યો,
  6. નાટક,
  7. વાર્તા,
  8. નવલ કથા,
  9. ચરિત્ર,
  10. અનુવાદ,

સંપાદન વિગેરેમાં વિલક્ષણ પ્રદાન


[ફેરફાર કરો] મૂખ્ય કૃતિઓ

  • કવિતા - ન્હાના ન્હાના રાસ (3 ભાગ), ચિત્ર દર્શનો, પ્રેમ ભક્તિ ભજનાવલી
  • નાટ્ય કવિતા – જયા અને જયંત, ઈન્દુકુમાર, વિશ્વગીતા, શાહેનશાહ અકબર, જહાંગીર-નૂરજહાન, મિથ્યાભિમાની
  • ચરિત્ર- કવિશ્વર દલપતરામ
  • અન્ય - વસંતોત્સવ, હરિસંહિતા મહાકાવ્ય, સાહિત્યમંથન, કુરુક્ષેત્ર

સન્માન

  • માર્ચ 16, 1978માં એમનાં નામની સ્ટેમ્પ બહાર પડેલી